અમદાવાદ, ચાઇનીઝ સાયબર માફિયા સાથે ભેગા મળી બેંગકોક, મ્યાનમાર તથા કંબોડિયા જેવા દેશોમાં ભારતમાંથી યુવાનોને સાયબર ઠગાઈના દળદળમાં નાખનારા ચાર આરોપી સામે ગુનો નોંધી તે પૈકીના બે આરોપીને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ઝડપી લીધા છે.બેંગકોક, મ્યાનમાર તથા કંબોડિયા જેવા દેશોમાં ચાલી રહેલા સાયબર ઠગાઈના કોલ સેન્ટરોમાં ગુજરાતીઓને વિદેશમાં નોકરીની લાલચ આપી આરોપીઓ તેમને સાયબર ગુલામીમાં ધકેલી દેતા હતા.સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. રાજદીપસિંહ ઝાલાની ટીમને ૈં-૪સી દ્વારા માહિતી આપવામાં આવી હતી.આ માહિતીનું ટેકનિકલ એનાલિસિસ કરતા હકીકત ખૂલી કે ગુજરાતના કુલ છ વ્યક્તિ, જેમાંથી ચાર શખ્સો તેમના એજન્ટ સાથે મળી, વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી લોકોને થાઈલેન્ડ, મ્યાનમાર, કંબોડિયા…
Author: gujarat
ગાંધીનગર, પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસી રહેલા લશ્કરી તણાવને પગલે માત્ર ભૌગોલિક સરહદો જ નહીં, પણ લાખો ગુજરાતી પરિવારોની ઊંઘ હરામ કરી દે તેવી શક્યતા આકાર પામી રહી છે.મધ્ય-પૂર્વના દેશોમાં વસતા અંદાજે ૯૦ લાખ ભારતીયોમાં ૭ લાખથી વધુ ગુજરાતી હોવાની શક્યતા નકારી શકાતી નથી. જે ત્યાંના અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના રેકોર્ડ મુજબ, ગુજરાતના ૪૬,૭૬૬ શ્રમિકો તો માત્ર ‘ઈ-માઈગ્રેટ’ પોર્ટલ પર નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, દુબઈ, મસ્કત અને કુવૈત જેવા શહેરોમાં હજ્જારો ગુજરાતી પરિવારો પેઢીઓથી વસેલા છે અને ત્યાંના બિઝનેસ સેક્ટર પર તેમનું વર્ચસ્વ છે.આ યુદ્ધ માત્ર માનવીય સંકટ નથી, પણ…
રાજકોટ, શેરબજારમાં ઉંચા પ્રોફીટની લાલચ આપી ડેનીશ નારણભાઇ ડોબરીયા (ઉ.વ. ૩૦, રહે. પવિત્રમ વિંગ-એફ, મવડી) સાથે રૂ. ૮૭.૨૦ લાખની ઓનલાઇન ઠગાઇ થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ જ રીતે અગાઉ અનેક લોકો સાથે ઠગાઇ થઇ ચુકી છે. આમ છતાં વધુને વધુ લોકો ભોગ બની રહ્યા છે.ફરિયાદમાં ડેનીશે જણાવ્યું છે કે તેને રાધેક્રિષ્ના સ્ટીલ અને રૂષિકેશ સ્ટીલ નામની પેઢી છે. જ્યાં ફેબ્રીકેશનને લગતુ લોખંડ અને ગેલ્વેનાઇઝીંગ પાઇપનો ધંધો કરે છે. ગઇ તા.૫ના રોજ વ્હોટસેપમાં તેને એક શેરબજારનાં ગુÙપમાં એડ કરવામાં આવ્યો હતો. જેનાં એડમીન તરીકે રાહુલ શર્મા નામ બતાવતું હતું.આ ગુÙપમાં જુદા-જુદા સભ્યો ટ્રેડિંગ અને પ્રોફીટનાં ફોટા મુકતા…
અમદાવાદ, ઘાટલોડિયા વિસ્તારમાં ગત ડિસેમ્બર માસમાં પત્નીના પ્રેમી પર જીવલેણ હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરનારા પતિની બે માસ બાદ પોલીસે ધરપકડ કરી છે. પત્ની ઘર છોડીને પ્રેમી સાથે મૈત્રી કરારમાં રહેવા જતા આરોપીએ મિત્રો સાથે મળીને હુમલો કર્યાે હતો. આરોપીએ યુવકની આંખમાં મરચું નાખીને છરી અને પાઇપથી હુમલો કરતા તે ગંભીર રીતે ઘવાયો હતો.પોલીસે અગાઉ આ ગુનામાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનાના મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નારણપુરામાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા અજય પઢિયાર સિલાઇનું કામ કરે છે. અજય અગાઉ ઘીકાંટા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. તે સમયે તેના વિસ્તારમાં રહેતી…
પ્રકૃતિના રંગોથી માણો ધૂળેટીનો આનંદ –સ્વાસ્થ્ય અને પર્યાવરણનું જતન કરતી મહિલાઓની‘કુદરતી ગુલાલ‘ક્રાંતિગયા વર્ષે સુરભીબેને ૬૦ થી ૭૦ કિલો જેટલા કુદરતીરંગોનું વેચાણ કરી રૂ. ૧૦ હજારથી વધુની આવક મેળવીઆજની આધુનિક જીવનશૈલીમાં જ્યારે કેમિકલયુક્ત રંગોના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે,ત્યારે અમદાવાદ ખાતે કાર્યરત શ્રી સુરભીબેનના એક નાના સ્વ-સહાય જૂથની મહિલાઓએ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય સાધીને કુદરતી રંગો બનાવવાની એક પ્રેરણાદાયી પહેલ કરી છે.આ જૂથ દ્વારા હોળીના તહેવાર માટે બનાવવામાં આવતા રંગો સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે આરારોટના લોટનો બેઝ તરીકે ઉપયોગ થાય છે. વિવિધ રંગો મેળવવા માટે તેઓ વિવિધ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરે…
અમદાવાદ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)દ્વારા જાન્યુઆરી-2026માં લેવામાં આવેલીCAફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઝળકતું પ્રદર્શન કર્યું છે.અમદાવાદ સેન્ટરના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં હર્ષ હિમાંશુભાઈ સોનારાએ ઓલ ઇન્ડિયા9મો રેન્ક અને નમિષ ગૌતમ શાહે ઓલ ઇન્ડિયા27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.અમદાવાદ કેન્દ્રના પરિણામની વિગતો જોઈએ તો,બંને ગ્રુપની પરીક્ષામાં કુલ635વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા,જેમાંથી88વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે,જેની ટકાવારી13.86%નોંધાઈ છે.આ ઉપરાંત,ગ્રુપ-1માં872વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમાંથી178વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે,જેની ટકાવારી20.41%છે. ગ્રુપ-2 406વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા જેમાં18વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા,જેની ટકાવારી4.43%વિદ્યાર્થીઓ પાસ થયા છે. સપ્ટેમ્બર-2025માં…
સાબર ડેરી વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવનાર સાથે બે ડીરેક્ટરોની બોલાચાલી-ઉગ્ર બોલાચાલીના પગલે મારામારી થતાં સહકારી ક્ષેત્રે હલચલસાબર ડેરીમાં સૌરાષ્ટ્રમાંથી કેમિકલયુક્ત નકલી દૂધની ટેન્કરો મોકલાઈ હોવાના ખોટા સમાચાર ફેલાવ્યામોડાસા, સાબર ડેરીમાં નકલી દૂધ મામલે બે ડિરેક્ટરોએ માલપુર વિભાગના ડિરેક્ટર જશુભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય) સાથે ઝઘડો કરી મારામારી કરી કપડાં ફાડી નાંખ્યાની ઘટના ચર્ચાસ્પદ બનતા તેના પડઘા અરવલ્લી જિલ્લામાં પડ્યા છે.જેમાં મોડાસા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ આગળ બે ડિરેકટરોના ટેકેદારો વચ્ચે સાબર ડેરી વિરુદ્ધ ખોટા આક્ષેપ અંગે કુશંકા રાખી ઘર્ષણ થતાં મારામારીમાં એક શખ્સને માથામાં ઈજાઓ પહોંચી હતી. સાબર ડેરીમાં ડિરેકટરો વચ્ચે થયેલા ઝગડામાં ડિરેકટર જશુભાઈ પટેલને પણ ઈજા થઈ હતી અને…
મૂળ પુનાના વતની ડો. સંતોષ ગઢવી એસ.જી. હાઈવે, અમદાવાદમાં મકાન ભાડે રાખીને છૂપાયા હતાપૂર્વ CEO સંતોષ ગઢવીએ તા.૧.૪.ર૦રર થી ૩૧.૧.ર૦રપ દરમિયાન મેડિકલ સાધનોની ખરીદીમાં ગેરરીતિ આચરી હોવાની વિગતો ઓડિટ દરમિયાન ધ્યાને આવી હતી.વડોદરા, વડોદરાના જેતલપુર રોડ આવેલી વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં ગેરરીતિ આચરી ર૮.૪૮ કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા કંપનીના સીઈઓ ડો. સંતોષ હરીભાઈ ગઢવીને ડીસીબી પોલીસની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા છે. satish-gadhvi-former ceo-of-wardwizard-medicareવોર્ડ વિઝારર્ડ મેડિકેર પ્રા.લિ. એન્ડ હેલ્થ કેર ના ફાઈનાન્સ હેડ મોહસીનખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અમારી કંપનીની વડોદરાના જેતલપુર રોડ ઉપરાંત નડિયાદ, દહેજ, અને ભરૂચ ખાતે હોસ્પિટલો આવેલી છે.કંપનીએ ડો. સંતોષકુમાર હરિભાઈ…
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના મહાવીર નગર સ્થિત મહેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ વસ્તી અંતર્ગત હિન્દુ જાગરણ અને એકતા ના ઉદ્દેશ્યથી વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ સફળ બનાવ્યો હતો.સંમેલનના મુખ્ય વક્તા તરીકે શ્રી જ્ઞાન વર્ધન સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર નવસારી સાથે સંકળાયેલા, તેમજ શ્રી યતિ રાજ સ્વામી, મ્છઁજી ગોધરા મંદિર ના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. બંને પૂજ્ય સંતોએ હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક જાગૃતિ અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યા હતા. તેમણે સમાજમાં વધતી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે સંસ્કૃતિ અને સંસ્કારોનું રક્ષણ કરવું સમયની માંગ હોવાનું જણાવ્યું.મહિલા…
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલાબની મુવાડીની સીમ સ્થિત એક એલ્યુમિનીયમની ફેકટરીમાંથી ત્રણેક દિવસ અગાઉ એલ્યુમિનીયમના અંદાજે રૂ. ૩.૩૩ લાખથી વધુની કિંમતના ગઠ્ઠાની ચોરી થયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ તપાસનો દોર લંબાવીને બાતમીને આધારેતથા સીસીટીવી ફૂટેજ તપાસીને એલ્યુમિનીયમની ચોરી કરનાર ચાર જણાને જોરાજીના મુવાડા ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ પકડાયેલા ચારેયની પુછપરછ કર્યા બાદ ચોરીમાં સંડોવાયેલા અન્ય છ મળી ૧૦ જણા વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી અંદાજે રૂ. ૭.૩૧ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા, પી.એસ.આઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી, આર.જે.જાડેજાના…
