કોમ્બિંગ દરમિયાન પોલીસે ૩ શકમંદોની અટકાયત કરી, મારક હથિયારો કબજે-બે ઈસમો એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ૭ ભેંસો બાંધી પસાર થઈ રહ્યા હતાદાહોદ, દાહોદ શહેરમાં લઘુમતી વિસ્તાર ગણાતા કસ્બા પટણી ચોક વિસ્તારમાં ગૌરક્ષકોની ટીમે પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં કતલ કરવાને ઈરાદે લઈ જવાતા પશુઓને બચાવવાનો પ્રયાસ કરી પીછો કરતા કસ્બા વિસ્તારમાં ટોળાએ ગૌરક્ષકોની ટીમ પર માર ક હથિયારો વડે તેમજ પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ કાફલો પહોંચતાની સાથે ટોળુ વિખેરાઈ ગયું હતું.તો બીજી તરફ ઘટનામાં ઈજાગ્રસ્ત બે ગૌરક્ષકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા…
Author: gujarat
ઝઘડિયાના ગુમાનદેવ ખાતે ચાલતી કામગીરીમાં રસ્તો સાંકડો થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા ઃ અકસ્માતની સંભાવના(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર રાજપીપલા વચ્ચેની નેરોગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ લાઈન પર શોભાના ગાંઠીયા સમાન ગણાય તેવી રીતે ફક્ત એક સમય રાજપીપલા તરફ અને એક સમય અંકલેશ્વર તરફ જવા ટ્રેન શરૂ કરવામાં આવી,પરંતું કોરોનાકાળ સમયે તે પણ બંધ કરી દેવામાં આવી અને ત્યાર બાદ હાલ થોડા સમયથીઆ લાઈન પર અંકલેશ્વરથી ગુમાનદેવ સુધી ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓના લોડિંગ માટે ગુડ્સટ્રેન શરૂ કરવામાં આવી,ગુમાનદેવ રેલવે સ્ટેશન પર વિશાળ ગણાય તેવી રેલવે ગોદી બનાવવામાં આવી, લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બ્રોડગેજ રેલવે શોભાના ગાંઠીયા…
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્ય સરકારને કરી રજૂઆત –ઉમરાહ કરવા ગયેલા અંદાજિત 4 હજાર લોકો ફસાયા: ખેડાવાલાસુરત જિલ્લાના 300થી વધુ હાજીઓ મક્કા-મદીનામાં ફસાયા -મોસાલી, કઠોર અને કોસંબાના હાજીઓ ઉમરાહ માટે ગયા હતાઅમદાવાદ , સમગ્ર ખાડી દેશોમાં સહિત મીડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને પવિત્ર રમઝાન માસમાં ઉમરાહ માટે બુકિંગ કરાવનારા મધ્યમવર્ગના બિરાદરો અસમંજસમાં છે. આ ઉપરાંત ઉમરાહ માટે મક્કા-મદીના પહોંચી ગયેલા એક હજારથી વધુ લોકો પરિસ્થિતિ શાંત થાય તેની રાહ જોઈ રહ્યા છે.અમદાવાદની એક ટૂર ઉમરાહ કરી પરત જેદ્દાહ એરપોર્ટ પર પહોંચી અને બ્લાસ્ટ થતા જ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું. ટૂર ઓપરેટરે હાલ તમામ યાત્રીઓને પરત મક્કા લઈ ગયો…
ખાડી દેશો અને યુરોપિયન શક્તિઓ એક થતા અત્યારે ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે. અમદાવાદ, ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ભીષણ જંગની સીધી અસર હવે ગુજરાતના આકાશમાં પણ જોવા મળી રહી છે. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ આવતી-જતી ૨૯થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા છે. ઈરાને ઈઝરાયેલ અને ખાડી દેશો પર મિસાઈલમારો શરૂ કરતા કતાર, કુવૈત, બહેરીન અને UAEએ સુરક્ષાના કારણોસર પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે.જેના કારણે અમદાવાદથી નીચે મુજબના શહેરોની…
૧૬મીએ જેલમાંથી છૂટ્યો, દોઢ કલાકમાં ૧૩ તાળાં તોડ્યાજજીસ બંગલો રોડ પર આવેલા અક્ષરધામ કોમ્પ્લેક્સની ૧૩ દુકાનોના તાળાં તૂટવાની ઘટનાઅમદાવાદ,શહેરના જજીસ બંગલો રોડ પર આવેલા અક્ષરધામ કોમ્પ્લેક્સમાં આવેલી કુલ ૧૩ દુકાનોના તાળા તૂટ્યા હતા. ૧૩ પૈકી બે દુકાનમાંથી ૫૩ હજારની મતા ચોરી થઇ હતી. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે જ સમયે એક શખ્સ તાળાં તોડવાના પાના સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા પકડાયેલા ચોરે છ વર્ષમાં ૧૮ ચોરીને અંજામ આપ્યો હોવાનો ગુનાઇત ઇતિહાસ સામે આવ્યો હતો. આરોપી ૧૩ દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો અને ચોરી કરતા ફરી ઝડપાઇ જતા જેલના સળિયા ગણવાનો…
ઠગની નવી સ્કીમ વાપરી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાવૃદ્ધને ઠગાઈ ગયો હોવાનો અહેસાસ થતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવીઅમદાવાદ,હવે સાયબર ગઠિયાઓ નવી મોડેસ ઓપરેન્ડીથી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. વાડજના વૃદ્ધને સાયબર ગઠિયાએ રડતાં રડતાં કોલ કર્યાે અને કહ્યું કે “ભૂલથી તમારા એકાઉન્ટમાં ક્લોઝ પેમેન્ટની રકમ આવી ગઈ છે” તે પરત કરી દો તો તમારી મહેરબાની. આવું કહી ગૂગલ પે મારફતે વારંવાર રકમ પરત મગાવી આખરે ૫.૫૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે ગઠિયો તેમને રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો ટેક્સ્ટ મેસેજ પણ વોટ્સએપ કરતો હતો.આખરે વૃદ્ધને ઠગાઈ ગયો હોવાનો અહેસાસ થતાં…
આસપાસના લોકો જાગી જતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યોચોર ટોળકીએ ગેટ ખોલવાને બદલે દીવાલ પર ચડી કુદકો મારી બંધ મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતામોડાસા,મોડાસા શહેરની રામપાર્ક વિસ્તારમાં આવેલી માણેકબા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ચોર ટોળકી મોડી રાત્રે ત્રાટકી હતી. જોકે પાડોશી જાગી જતાં ચોરો ભાગી ગયા હતા.શહેરના મધ્ય ભાગમાં આવેલી માણેકબા સોસાયટીના એક બંધ મકાનને ચારથી પાંચ જેટલા ચડ્ડી બનિયાનધારી ચોરોએ નિશાન બનાવ્યું હતું. ચોર ટોળકીએ ગેટ ખોલવાને બદલે દીવાલ પર ચડી કુદકો મારી બંધ મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા.તે સમયે અવાજ થતાં આજુબાજુમાં રહીશો જાગી જતાં બૂમો પાડતા આ ટોળકી ભાગી જવામાં સફળ રહી હતી. આ બનાવથી આજુબાજુના રહીશો ભયભીત થયા હતા અને…
પોલીસે આરોપી પતિની ધરપકડ કરીમમ્મી અને પપ્પા વચ્ચે છેલ્લા થોડા સમયથી ઘર બાબતે ઝઘડો થતો હતો, પરંતુ મમ્મીને કોઈ સાથે ખરાબ સંબંધ નહોતા : પુત્ર કેતનવેરાવળ,ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામે વાડી વિસ્તારમાં દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહીયાળ વળાંક લીધો છે. આવેશમાં આવી ગયેલા પતિએ પત્નીના માથાના ભાગે દસ્તાના જીવલેણ ઘા ઝીંકી તેની કરપીણ હત્યા નિપજાવી હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીના કલાકોમાં ફરાર આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીમર ગામના વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે જગા ડાભી અને તેની પત્ની લક્ષ્મીબેન ડાભી…
ગુજરાત સેમી કનેકટ કૉન્ફરન્સ : ૨૦૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ ૨૦૨૬-૨૦૩૧નું અનાવરણમિશન ૨૦૪૭: ગુજરાતમાં ૨૦૩૦ સુધીમાં ૧ લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ.ગાંધીનગરથી ગ્લોબલ: રાજ્યમાં સંશોધનને વેગ આપવા સ્થપાશે ‘ગુજરાત સ્ટેટ રિસર્ચ એન્ડ ઇનોવેશન ક્લસ્ટર’.મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ 2026 દરમિયાન માનનીય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરાઈ છેઆ નવી નીતિની હેતુ ગુજરાતને નવીનતા આધારિત અને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે.વિકસિત ગુજરાતથી વિકસિત…
આગામી તા. ૦૯ મે થી શરૂ થતી આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો તા. ૩૧,માર્ચ સુધી અરજી કરી શકશેરાજ્યમાં આવેલા વિવિધ પર્વતોના શિખરો સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિઓના શોખીન બાળકો તેમજ યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ કોર્ષનું આયોજન કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા,જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. આ ઉપરાંત વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા-જવા માટેSTબસ અથવા રેલ્વે સેકન્ડ ક્લાસનું ભાડું પણ મળવાપાત્ર થશે.વધુમાં,પર્વતારોહણ તાલીમ શિબિર અંતર્ગત એડવેન્ચર કોર્ષ તા.…
