Author: gujarat

ગુજરાત સેમી કનેકટ કૉન્ફરન્સ : ૨૦૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ ૨૦૨૬-૨૦૩૧નું અનાવરણમિશન ૨૦૪૭: ગુજરાતમાં ૨૦૩૦ સુધીમાં ૧ લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ.ગાંધીનગરથી ગ્લોબલ: રાજ્યમાં સંશોધનને વેગ આપવા સ્થપાશે ‘ગુજરાત સ્ટેટ રિસર્ચ એન્ડ ઇનોવેશન ક્લસ્ટર’.મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ 2026 દરમિયાન માનનીય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરાઈ છેઆ નવી નીતિની હેતુ ગુજરાતને નવીનતા આધારિત અને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે.વિકસિત ગુજરાતથી વિકસિત…

Read More

આગામી તા. ૦૯ મે થી શરૂ થતી આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો તા. ૩૧,માર્ચ સુધી અરજી કરી શકશેરાજ્યમાં આવેલા વિવિધ પર્વતોના શિખરો સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિઓના શોખીન બાળકો તેમજ યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ કોર્ષનું આયોજન કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા,જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. આ ઉપરાંત વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા-જવા માટેSTબસ અથવા રેલ્વે સેકન્ડ ક્લાસનું ભાડું પણ મળવાપાત્ર થશે.વધુમાં,પર્વતારોહણ તાલીમ શિબિર અંતર્ગત એડવેન્ચર કોર્ષ તા.…

Read More

ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામા ડાંગના માજી રાજવીઓની શૌર્યગાથારાજ્ય સરકાર વતી ડાંગના રાજવીશ્રીઓનું સન્માન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીપ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનવા બદલ રાજ્યપાલશ્રીએ ડાંગ જિલ્લાને અભિનંદન પાઠવ્યાંગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પ્રશ્ને સામૂહિક ચિંતન કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રીતા: ૨: અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને,રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી,હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રામાયણનાં દંડકારણ્યનાં ડાંગનો ઉલ્લેખ કરી આ જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી,તેમનો પ્રકૃત્તિપ્રેમ,કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની,દેશભક્તિની…

Read More

વિશ્વ ઉમિયાધામ ખાતે ભાગવત કથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિકેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ભાગવત કથામાં સહભાગી થયાઅમદાવાદમાં ખોડિયાર ગામ,ઘુમા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્ણ હાજરી આપી હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કથા શ્રાવકોને ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે,સત્સંગ એ માનવ જીવન માટે અનિવાર્ય છે. તેમણે નમ્રતાપૂર્વક સ્વીકાર્યું હતું કે જનતા દ્વારા પાડવામાં આવતી દરેક તાળી અને વ્યક્ત કરવામાં આવતો વિશ્વાસ સરકારની જવાબદારીમાં અનેકગણો વધારો કરે છે.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે,જ્યારે પ્રજા અખૂટ વિશ્વાસ મૂકે છે ત્યારે એ વિશ્વાસને જાળવી રાખવાની નૈતિક જવાબદારી બની જાય છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના‘વિકસિત ભારત‘ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને…

Read More

માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી.અમદાવાદ, રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 01.03.2026 પશ્ચિમ રેલવેના અમદાવાદ-ધોલેરા સેમી હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત સરખેજ-ધોલેરા ડબ્લિંગ સાથે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અને ધોલેરા એરપોર્ટ વચ્ચેના SPUR લાઇન (134 કિ.મી.)ના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી.આ દરમિયાન પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) શ્રી પ્રતિપ ગુપ્તાએ આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે માનનીય રેલ મંત્રીને માહિતી આપી. આ પ્રસંગે શ્રી વેદ પ્રકાશ, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ, નિર્માણ વિભાગ અને મંડળના અધિકારીઓ હાજર હતા.આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સેમી હાઇ સ્પીડ…

Read More

અત્યાધુનિક કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર અને ટેક્નોલોજીના ઉપયોગથી શહેરી વિકાસની નોંધ લેવામાં આવીગાંધીનગર, રાજ્યના શહેરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેના માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)દ્વારા મોટા શહેરોની સાથે રાજ્યના નગરપાલિકા ક્ષેત્રોમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ માટે રાજ્ય સરકારના આયોજનની નોંધ લઇને ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન (IWF)દ્વારા ગુજરાતની156નગરપાલિકાઓમાં ગટર નેટવર્કની સફાઈ કામગીરીના નિરીક્ષણ માટે બનાવવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર માટે ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’ આપવાની જાહેરાત કરવામાં આવી છે.રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી કનુભાઇ…

Read More

MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત ૨૯ તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવજેમાં ૧ MBA, ૩ માસ્ટર્સ ડિગ્રી ધારક, ૫ એન્જિનિયર્સ, ૯ ગ્રેજ્યુએટ્સ, ૪ ડિપ્લોમા એન્જિનિયર્સ અને ૧ વકીલ (Lawyer) નો સમાવેશસારંગપુર: તા. ૨ માર્ચ ૨૦૨૬ તીર્થધામ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં ૨૯ જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું.દીક્ષા ગ્રહણ કરનાર આ ૨૯ નવયુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં ૧ MBA, ૩ માસ્ટર્સ ડિગ્રી ધારક, ૫ એન્જિનિયર્સ, ૯ ગ્રેજ્યુએટ્સ, ૪ ડિપ્લોમા એન્જિનિયર્સ અને ૧…

Read More

કેન્દ્રીય આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી – સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને દેશ-વિદેશના સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિગુજરાત પોલિસી સ્ટેબિલિટી,ટ્રાન્સપરન્સી,ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તથા ડેવલપમેન્ટ માટેની પોલિટીકલ વિલ સાથે સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગમાં ફાસ્ટ મૂવર બની રહ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::• દેશના ગ્રોથ એન્જિન ગુજરાતને ટેક એન્જિન બનાવવાનો સંકેત આ કોન્ફરન્સ છે• ધોલેરાSIRમાત્ર બ્લૂપ્રિન્ટ નહિ,પણ હવે દેશનું સેમિકોન સિટી બનવા સજ્જ છે.• સેમિકન્ડક્ટર સેક્ટર માટે જરૂરિયાત મુજબનું ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સાથે યુવા સ્કિલ્ડ વર્કફોર્સ પણ તૈયાર કરી રહ્યા છીએ.• સેમિકોન સેક્ટરમાં નવા રોકાણોથી આત્મનિર્ભર અને…

Read More

સ્વામી માધવપ્રિયદાસજીનું ૭૫ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુંØ‘સંસ્કાર સાથેનું શિક્ષણ’ માત્ર ગુરુકુળ પરંપરામાં જ શક્ય છેસ્વામી માધવપ્રિયદાસજીનું બાળક જેવું હાસ્ય તેમના રાગદ્વેષમુક્ત વ્યક્તિત્વને કારણે છેશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP),અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના ૭૫ વર્ષ નિમિત્તે અમદાવાદમાં આયોજિત‘અમૃતવંદના મહોત્સવ‘માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભાવપૂર્વક સહભાગી થયા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સ્વામી માધવપ્રિયદાસજી પરના‘અમૃતવંદના‘ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે સ્વામી માધવપ્રિયદાસજીનું અમૃતપર્વ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૨૬નું વર્ષ ભારત માટે ઐતિહાસિક છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા ૧૦૦૦ વર્ષની…

Read More

અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છેનવી દિલ્હી, ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધ કારણે મધ્ય-પૂર્વમાં ટેન્શન હાઇ થઈ ગયું છે. જેની અસર ભારતના ચોખાના નિકાસકારો પર દેખાઈ રહી છે. મજબૂરીમાં શિપમેન્ટ અટકી જવાને કારણે, ચૂકવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે ૨૮ ફેબ્રુઆરીના શનિવાર રોજ ઈરાન પર મોટો હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે.રિપોર્ટ પ્રમાણે, હરિયાણામાં ચોખાના નિકાસકારો ઈરાન અને અફઘાનિસ્તાન જનારા શિપમેન્ટ તેમજ પેમેન્ટમાં વિલંબનો સામનો કરી રહ્યા છે. ચોખા નિકાસકાર એસોસિએશનના સ્ટેટ યુનિટ પ્રમુખે કહ્યું કે, યુદ્ધની…

Read More