૧૦૮ એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી જ ન શકી -૧૦૮ એમ્બ્યુલન્સ છોટીઉંમર ગામના સીમાડે પાકા રોડ ઉપર ઊભી રહી હતી.નસવાડી, ટેકનોલોજી અને વિકાસના આ યુગમાં પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓની સ્થિતિ કેટલી દયનીય છે તેનો પુરાવો નસવાડી તાલુકાના કુપ્પા ગામે પૂરો પાડ્યો છે.પાકા રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને ગ્રામજનોએ એક કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને ચાલવું પડ્યું હતું. કમનસીબી તો એ રહી કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ કાચા રસ્તે ડર અને પીડા વચ્ચે બાળકનો જન્મ થયો હતો.મળતી મહિતી અનુસાર, કુપ્પા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ ગામને જોડતો પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ગામના પાદર…
Author: gujarat
(પ્રતિનિધિ) અમદાવાદ, સી.એન.સી.ડી.વિભાગ સંચાલિત કરૂણામંદિર માં ગાય ના છાણામાંથી બનેલ સ્ટીક,છાણા,પૂજા માટેની સાધન સામગ્રી, ખાતર વિગેરે સાથે તૈયાર કરેલ વૈદિક હોળીની કીટને અપનાવી હોલિકા દહન કરી”ECO FRIENDLY”હોળીની શહેરમાં ઉજવણી કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પર્યાવરણ ની જાળવણી કરવાના અભિયાનને અમદાવાદીઓનો જબરદસ્ત પ્રતિસાદ સાંપડેલ છે.સી.એન.સી.ડી.વિભાગ માં ઉપલબ્ધ કીટની મયૉદામાં શહેરમાં ૧૫૧ સ્થળોએ સી.એન.સી.ડી.વિભાગ ની ટીમો દ્રારા જે તે સ્થળ પર શહેરીજનોને વૈદિક હોળીની કીટ પુરી પાડવામાં આવેલ છે.જેની નાગરિકો એ પ્રશંસા કરેલ.જેમ સી.એન.સી.ડી.ખાતાનુ પીળા કલરનુ ટ્રેક્ટર ટ્રેલર રખડતા પશુ પકડવાનુ સાધનની સાથે સાથે વૈદિક હોળીની કીટ નાગરિકો સુધી પહોંચાડવાનુ માધ્યમ બનેલ છે.તેમ એસ્ટેટ ખાતાની છીંકણી કલરની દબાણ હટાવવાની દબાણો દુર કરવાના…
(પ્રતિનિધિ,) અમદાવાદ, શહેર ના ખોખરા વિસ્તારના ગોરના કુવા પાસે કૃષ્ણા એપાર્ટમેન્ટ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે પોતાના વિઘવા પેન્શનમા થી યથાવત યોગ્ય વ્યવસ્થા કરીને જે માનવસેવા નુ કામ કરી રહા છેતે જોઈએ તો આ ૭૭ વર્ષ ની નિરાધાર વિધવા મહિલા નિરૂબેન ત્રિવેદી ને સલામ કરવાનુ મન થાય આજ ના સમય મા જયારે કોઈ કોઈ નુ નથી તેવા સમય પૂર્વ શિક્ષક નિરૂબેને માનવ સેવા ને પોતાનુ ધર્મ અને કર્મ બનાવ્યુ છેહાલમા ભાદરવી પૂનમ ને લઈ ને હજારો ભાવિક ભક્તો પદયાત્રીઓ ડાકોર તરફ પ્રસ્થાન કરી રહા છે ત્યારે ગૌર ના કુવા થી પસાર થતા પદયાત્રીઓ આ સેવા ભાવી મહિલા ની પ્રસાદી લેવાની…
ભારતીય જનતા પક્ષે કેવા કાચા કાર્યકરોને ટિકિટ આપીને વિધાનસભામાં મોકલ્યા છે તેના ઉદાહરણો અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમા તેનો એક તાજો દાખલો સામે આવ્યો છે.વાત જાણે એમ બની કે ઉનાથી ચૂંટાયેલા ધારાસભ્ય કે. સી. રાઠોડ એક જાહેર કાર્યક્રમમાં વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેઓ એવું બોલ્યા કે ‘અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા……’ વગેરે વગેરે.આમ રાઠોડે પૂર્વમંત્રીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા.ભા.જ.પ.ના વર્તમાન ધારાસભ્યને હાલના મુખ્યમંત્રીનું નામ પણ યાદ ન રહેતું હોય તો એ સ્થિતિ શું સૂચવે છે? એ સૂચવે છે કે મુખ્યમંત્રી અને ધારાસભ્ય વચ્ચે મળવાનાં પ્રસંગો ખૂબ ઓછા બને છે.મજાની વાત તો એ છે કે ધારાસભ્ય રાઠોડે આ ભાંગરો…
(એજન્સી)અમદાવાદ, શિયાળો હવે ગુજરાત સહિત દેશમાંથી વિદાય લઈ રહ્યો છે. ઉનાળાનો હવે અનુભવ થવા લાગ્યો છે. જોકે, આ વર્ષના ગરમીના મોજાની અસર સામાન્ય રહેશે નહીં. હવામાન વિભાગ એ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે, માર્ચ મહિનાથી તાપમાનમાં તીવ્ર વધારો થવાની ધારણા છે.મે મહિના સુધીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીના દિવસોનો અનુભવ થશે. આનો અર્થ એ છે કે, ગરમીનો સમયગાળો લાંબો ચાલશે અને ઓછી રાહત આપશે. નિષ્ણાતોના મતે આ સમયગાળામાં તાપમાન અચાનક ઝડપથી વધશે અને આ વખતની ગરમી ઘણા જૂના રેકોર્ડ તોડી શકે છે.હવામાન વિભાગના વેધર રિપોર્ટ…
(એજન્સી)દાહોદ, સુરત માંગરોળના હથોડા ગામે ગૌરક્ષકો પર થયેલા કસાઈઓના હુમલા જેવી જ એક ઘટના હાલ દાહોદમાંથી સામે આવી રહી છે. જ્યાં ગઈકાલે પીકઅપ ગાડીમાં કથિત રીતે કતલના ઇરાદે લઈ જવાતા પશુઓને બચાવવા જતા રક્ષકો પર ૫૦થી ૬૦ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.જેમાં ૨ ગૌરક્ષકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની તથા સ્કોર્પિયો તથા બાઈક જેવા વાહનોની તોડફોડ પણ થઈ હોવાની માહિતી હાલ સામે આવી રહી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, દાહોદમાં ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કતલખાને કતલ કરવાના ઈરાદે કેટલાક પશુઓને પીકઅપ ગાડીમાં લઈ જવાઈ રહ્યા છે અને તે પશુ ભરેલી પીકઅપ ગાડી રાતના સમયે…
ગુજરાતમાં માત્ર એક લોકસભા બેઠક સુરત લોકસભા ચૂંટણી સમયે નિલેશ કુંભાણીના કારણે ભાજપની બેઠક બિનહરીફ વરણી થઇ હતી.(એજન્સી)સુરત, ગુજરાત રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી જાય તેવી ઘટના બની છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટણી પહેલા જ હાર આપનારને પાણીમાં બેસી જનાર નિલેશ કુંભાણીએ ભાજપના સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે.જેના નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરેલ નિલેશ કુંભાણીને ત્યાં સીઆર પાટીલ પહોંચતા ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે. સુરતમાં સીઆર પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે સૂચક મુલાકાત થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.નિલેશ કુંભાણી એ જ છે, જેઓએ વર્ષ ૨૦૨૪ માં સુરત લોકસભા બેઠકમા કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા બાદ…
(એજન્સી)નાગપુર, મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક ખાસ કરીને દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નાગપુર ગ્રામીણના કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની એસબીએલ એનર્જી લિમિટેડમાં આજે સવારે એક મોટો વિસ્ફોટ થયો.નાગપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક હર્ષ પોદ્દારે પુષ્ટિ આપી કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૭ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૮ થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે, જ્યારે કંપની ખાણકામ અને ઔદ્યોગિક હેતુઓ માટે વિસ્ફોટકો બનાવી રહી હતી.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો પડઘો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો, જેનાથી નજીકના ગામોમાં ગભરાટ ફેલાઈ ગયો. દુર્ઘટના…
ગાંધીનગર , ગુજરાતમાં સિંહોની વસતિ સતત વધી રહી છે ત્યારે અકુદરતી રીતે સિંહોના મૃત્યુ પણ મોટા પ્રમાણમાં થતા હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે.છેલ્લા બે વર્ષ અને જાન્યુઆરી-૨૦૨૬ સુધીના મળીને કુલ ૩૨૨ સિંહના મૃત્યુ થયા છે. જેમાં કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેવા સિંહની સંખ્યા ૨૫૮ અને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેવા સિંહની સંખ્યા ૬૪ છે. વણઓળખાયેલા હોય તેવા કુલ ૮ સિંહનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌથી વધુ મૃત્યુ સિંહબાળના થયા છે, જેની સંખ્યા ૧૪૮ છે.ગુજરાતનું ગૌરવ ગણાતા અને દેશ-વિદેશથી સહેલાણીઓ ગીરના જંગલમાં આવીને જેને જોવા આવે છે તે વિસ્તારમાં સિંહના મોટી સંખ્યામાં મૃત્યુ સતત નોંધાઇ રહ્યા છે. વિધાનસભામાં…
મહેસાણા, વિજાપુર પંથકમાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગુનાના રાજસ્થાનના આરોપીને મહેસાણાની સ્પે. પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર તાલુકાના ફતેપુરા (ભેરૂગઢ)નો વતની અને વિજાપુર તાલુકાના ફૂદેડા ગામે એક ખરીમાં રહેતો ચેનારામ શંકરરામ માજીરાણા (ભીલ) પંથકમાં રહેતી એક પરપ્રાંતિય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ગત તા.૧૩-૨-૨૫ના રોજ વિજાપુર, અમદાવાદ, આબુરોડ સહિત વિવિધ સ્થળે લઈ ગયો હતો અને તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.આ બાબતે લાડોલ પોલીસ મથકે આરોપી ચેનારામ સામે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસમાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ કોર્ટ સમક્ષ ૧૦ જેટલા સાક્ષી…
