Author: gujarat

મહેસાણા, વિજાપુર પંથકમાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગુનાના રાજસ્થાનના આરોપીને મહેસાણાની સ્પે. પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર તાલુકાના ફતેપુરા (ભેરૂગઢ)નો વતની અને વિજાપુર તાલુકાના ફૂદેડા ગામે એક ખરીમાં રહેતો ચેનારામ શંકરરામ માજીરાણા (ભીલ) પંથકમાં રહેતી એક પરપ્રાંતિય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ગત તા.૧૩-૨-૨૫ના રોજ વિજાપુર, અમદાવાદ, આબુરોડ સહિત વિવિધ સ્થળે લઈ ગયો હતો અને તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.આ બાબતે લાડોલ પોલીસ મથકે આરોપી ચેનારામ સામે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસમાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ કોર્ટ સમક્ષ ૧૦ જેટલા સાક્ષી…

Read More

રાજકોટ, રાજકોટના ત્રંબા ગામે આવેલા હનુમાનજી મંદિરના પૂજારીએ ગત સાંજે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. છેલ્લા ૨૫ વર્ષથી સંસાર ત્યજીને ભક્તિના માર્ગે વળેલા પૂજારીએ મતદાર યાદીની કામગીરી દરમિયાન પરિવારજનોની યાદ આવતા માનસિક તણાવમાં આવી આ અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ કબજે કરી છે, જેમાં તેમણે પોતાની આ વેદના વ્યક્ત કરી છે.મૂળ હરિયાણાના વતની ૫૫ વર્ષીય ઉદયરામ શિવરામદાસ વૈષ્ણવ ત્રંબામાં જૂના પાદર હનુમાનજી મંદિરે રહીને વર્ષાેથી સેવા-પૂજા કરતા હતા. ગત સાંજે જ્યારે એક સેવક મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે પૂજારી ક્યાંય દેખાયા નહોતા. પૂજારીના રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી ટ્રસ્ટીઓ અને ગ્રામજનોને…

Read More

ભાવનગર, ભાવનગરના માલણકા ગામે એક ૨૧ વર્ષીય રત્નકલાકાર યુવાનની ગામની યુવતી સાથેના પ્રેમસંબંધની જાણ થતાં યુવતીના ભાઇ સહિત ત્રણ વ્યક્તિએ યુવકની નિર્મમ હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.યુવકને વાડીએ બોલાવી તેના જ પરિચિત શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, માલણકા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા રાધેશભાઈ મનસુખભાઈ બારૈયા (ઉ.૨૧) સવારે ઘરેથી નીકળ્યા બાદ બપોર સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, સાંજના…

Read More

માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયોસરકારની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડતું મહત્વનો વિભાગ – માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેગાંધીનગર, માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર શ્રી કે.એલ.બચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.નિવૃત્ત થઈ રહેલા શ્રી અરવિંદ પટેલની સેવાઓને બિરદાવતા માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે,શ્રી અરવિંદ પટેલ અત્યંત કર્મઠ,બુદ્ધિશાળી અને ધૈર્યવાન વ્યક્તિત્વ છે. મીડિયા અને જનસંપર્ક જેવા પડકારજનક ક્ષેત્રમાં તેમણે અત્યંત સૂઝબૂઝથી કાર્ય…

Read More

સાણંદ, ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદમાં માઇક્રોન કંપનીના ₹22,000 કરોડના સેમિકન્ડક્ટર ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. ભારતની તકનીકી આત્મનિર્ભરતા તરફ આ એક મોટું પગલું માનવામાં આવે છે.Micron’s ATMP semiconductor plant has come up with an investment of ₹22,000 crores in Sanand, Gujarat.વડાપ્રધાન @narendramodi એ ગુજરાતના સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાની મુલાકાત લીધી હતી. તેમણે પ્લાન્ટના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું અને “પાવરિંગ ધ ફ્યુચર” હેઠળ આ પ્લાન્ટ કેવી રીતે કાર્ય કરે છે તથા તેની ભાવિ વ્યૂહરચના શું છે તે વિશે જાણકારી મેળવી હતી. અધિકારીઓએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો…

Read More

સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી બાદ ગુજરાતના અનેક શહેરો હાઈ-એલર્ટ પર, નવસારી સહિતની પોસ્ટ ઓફિસોમાં સર્ચ ઓપરેશનનવસારી, ૨૮ ફેબ્રુઆરી: ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બની ધમકી આપીને ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તુરંત જ રાજ્યના અન્ય મહત્વના શહેરોની પોસ્ટ ઓફિસો અને સરકારી ઇમારતોને પણ નિશાન બનાવવામાં આવશે તેવા ઈમેલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે. નવસારી, ભાવનગર, જૂનાગઢ અને જામનગર સહિતના ૧૪થી વધુ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.નવસારીની નાગ તલાવડી વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ…

Read More

સુરત, રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન જવાની ભારે ઘેલછા જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલ જાણે માનવ મહેરામણ ઊમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે લાખો લોકો કોઈપણ ભોગે વતન પહોંચવા મથી રહ્યા છે. રેલવે સ્ટેશનની સ્થિતિ એટલી વિકટ છે કે જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. દર વર્ષે હોળીના પર્વે લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે ઉધના સ્ટેશન પર મુસાફરોનો ધસારો એટલો વધી ગયો છે કે ત્યાં ભારે અફરાતફરીનો માહોલ જોવા…

Read More

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: ૨૮ ફેબ્રુઆરી ગુજરાતમાં બાયોટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિનો નવો યુગ: “જ્ઞાન આધારિત અર્થતંત્ર” તરફ આગળ વધતું ગુજરાતજુલાઈ ૨૦૨૧થી અત્યાર સુધી ૫૧ લાખથી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ સાયન્સ સિટીની લીધી મુલાકાતગુજરાત આજે માત્ર ઉદ્યોગોનું હબ નથી,પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘ વિકસિત ભારત@૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત “જ્ઞાન આધારિત અર્થતંત્ર” તરફ આગળ વધી રહ્યું છે.સંશોધન,નવીનતા,સ્ટાર્ટઅપ્સ,શિક્ષણ અને વૈજ્ઞાનિક જાગૃતિ— ક્ષેત્રોમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત આજે બાયોટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના સબળ…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત@૨૦૪૭‘ના વિઝનને વેગ મળશે: ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતવિધાનસભા ખાતે ધારાસભ્ય શ્રી દિવ્યેશ અકબરી દ્વારા રજૂ કરવામાં આવેલો રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત બિનસરકારી સંકલ્પ સ્વીકારાયોવિધાનસભા ગૃહ ખાતે બિનસરકારી સંકલ્પના પ્રત્યુત્તરમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાતના જે બીજ રોપ્યા હતા,તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સક્ષમ નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈ આપવામાં આવી રહી છે.ડૉ. ગામીતે કહ્યું કે,મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા‘વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ (VGRC)નું આયોજન કર્યું છે. જે ગુજરાતને ખરા અર્થમાં…

Read More

યુવાઓ મેન્યુફેક્ચરીગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, IT, બેંકિંગ અને વીમા જેવા ક્ષેત્રોમાં મેળવી રહ્યા છે રોજગારીગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં રોજગારી અંગે વિગતવાર માહિતી રજૂ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજગાર કચેરીઓ ખાતે કુલ ૬,૯૨,૬૨૧ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૬,૨૮,૭૨૯ શિક્ષિત અને ૬૩,૮૯૨ અર્ધશિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. આ ઉમેદવારો પૈકી કુલ ૫,૮૩,૪૯૫ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક રોજગારી પૂરી પાડવામાં આવી છે.મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,રોજગાર વિનિમય કચેરીઓ માત્ર બેરોજગારો માટે જ નહીં,પરંતુ ઉચ્ચ અભ્યાસ અને સારી કારકિર્દીના માર્ગદર્શન માટે પણ યુવાનો માટે એક મહત્વનું કેન્દ્ર બની છે. જેના પરિણામે રાજ્યના યુવાનોને મુખ્યત્વે મેન્યુફેક્ચરીગ,ઓટોમોબાઈલ,ટેક્સટાઈલ, IT,બેંકિંગ અને…

Read More