Author: gujarat

સેમિકન્ડક્ટરની ચીપ બનાવવા માટે અત્યંત સ્વચ્છ રૂમ જરૂરીસાણંદ પ્લાન્ટના પ્રથમ ફેઝમાં નિર્મિત ક્લિનરૂમનો વિસ્તાર5લાખ ચોરસ ફૂટ,એફિલ ટાવરથી સાડાત્રણ ગણા સ્ટીલનો ઉપયોગ: સંજય મેહરોત્રા,પ્રમુખ અને સીઈઓ,માઇક્રોન ટેકનોલોજીઓપરેશન થિયેટરથી પણ સ્વચ્છ હોય છે ક્લિનરૂમ,એક નાનો કણ કે તાપમાનમાં1ડિગ્રીના ફેરફારથી પણ મશીનની કામગીરી ખોરવાઇ શકેસેમિકન્ડક્ટર ચીપની ઉત્પાદન પ્રક્રિયામાં ક્લિનરૂમ મહત્વપૂર્ણ હોય છે. ચીપના ઉત્પાદનમાં વાતાવરણ એકદમ સ્વચ્છ હોય એ જરૂરી છે કારણ કે હવામાં રહેલા સાવ નાના કણ પણ ચીપમાં ઘુસીને નુકસાન પહોંચાડી શકે છે. તબીબી ઉપકરણો,દવાઓ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનો માટે ક્લિનરૂમ બનાવવામાં આવે છે. સાણંદમાં માઇક્રોન કંપનીએ બનાવેલો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ થઇ ગયો છે.માઇક્રોન ટેકનોલોજીના સીઇઓ અને પ્રમુખ…

Read More

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો“દિવ્યાંગજનનું જીવન સરળ બને એ દિશામાં સરકાર સતત કામ કરી રહ્યી છે.” નિમુબેન બાંભણીયાગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાની પી.ટી.સી. કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લા વહીવટી તંત્ર,બોટાદ દ્વારા એલીમેમ્કો તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાCSRફંડથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્ય (IOCL GSO)ની સી.એસ.આર. યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ તથા સહાયક ઉપકરણોના વિતરણ અંગેના આ કાર્યક્રમમાં ૪૧ મોટર ચાલિત ટ્રાઇસાઇકલ,૧૦૭…

Read More

NFSUના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહ્યાંશ્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહ્યાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં NFSU વૈશ્વિક સુરક્ષા અને વૈજ્ઞાનિક સત્ય આધારિત ન્યાયના પ્રવર્તન માટે સંકલ્પબદ્ધ: પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો ચતુર્થ દીક્ષાંત સમારોહ તા.27 ફેબ્રુઆરી, 2026ના રોજ NFSU, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે માનનીય ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમાર, ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા; માનનીય ન્યાયમૂર્તિ શ્રી એન.વી. અંજારિયા, ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા;માનનીય ન્યાયમૂર્તિ…

Read More

અમદાવાદ: રંગોના ઉત્સવ હોળી અને ધુળેટી દરમિયાન રાજ્યમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે 108-EMS (EMRI-Gujarat) દ્વારા એક સુદ્રઢ અને સકારાત્મક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તહેવારના ઉત્સાહમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર ‘પૂર્વતૈયારી એ જ શ્રેષ્ઠ સારવાર’ના મંત્ર સાથે મેદાનમાં ઉતર્યું છે.ટેકનોલોજી અને ડેટાના માધ્યમથી સુરક્ષા કવચ -108-EMS દ્વારા અત્યાધુનિક ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને સંભવિત કટોકટીના સમયની આગાહી કરવામાં આવી છે. આ આગોતરા આયોજનનો હેતુ એ છે કે જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં એમ્બ્યુલન્સ અને સ્ટાફ અગાઉથી જ તૈનાત કરી શકાય.ત્વરિત પ્રતિસાદ માટે ધુળેટીના દિવસે વધતા કેસોને પહોંચી વળવા…

Read More

વર્ષ-૨૦૧૭માં પ્રકાશિત વર્તમાન છઠ્ઠી આવૃત્તિમાં ૭૩,૨૪૩ શબ્દો સંગ્રહિત –નવી સંવર્ધિત આવૃત્તિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૧૨૦૦ જેટલા નવા શબ્દોની દરખાસ્ત મળીઅમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠના ‘કોશ કાર્યાલય’ દ્વારા ગુજરાતી ભાષામાં અધિકૃત ગણાતા ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની સાતમી નવી સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવામાં રહી છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતી ભાષાના આ સમૃદ્ધિ અભિયાનમાં જોડાવા અને શબ્દકોશ માટે નવા શબ્દો માટે ભાષાપ્રેમીઓને આહ્વાન કરવામાં આવ્યું છે.વર્ષ-૧૯૨૯માં કાકાસાહેબ કાલેલકરના માર્ગદર્શન હેઠળ સાર્થ જોડણીકોશની શરૂઆત માત્ર ‘જોડણીકોશ’ તરીકે થઈ હતી. ત્યાર બાદ સમયની માંગને ધ્યાને રાખી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વર્ષ ૧૯૩૧માં બીજી આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં શબ્દોની સાથે તેના અર્થોનો પણ સમાવેશ કરવામાં આવતા…

Read More

ગુજરાત બનશે દેશનું ‘સ્પોર્ટ્સ હબ’: સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ દ્વારા રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિનો પાયો નંખાયોવર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની સાથે ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સજ્જએશિયન વોલીબોલ મેન્સ કપ-૨૦૨૬ અંતર્ગત જૂન-૨૦૨૬માં અમદાવાદ ખાતે ૧૨ દેશોની ટીમો વચ્ચે સ્પર્ધા થશે. મણિનગર-અમદાવાદના ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ દ્વારા રજૂ કરાયેલ ‘ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩‘બિન-સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં સ્વીકારાયોગુજરાત વિધાનસભા ખાતે ‘ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩’ ના મહત્વપૂર્ણ વિષય પર રજૂ થયેલા બિન-સરકારી સંકલ્પને ટેકો આપતા રમત-ગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રમત ગમત અને ઉદ્યોગ…

Read More

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પંચાયત રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ રાજ્યની ‘તીર્થગામ’ અને ‘પાવનગામ’ યોજનાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં યોજના અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયત વિભાગ ગ્રામીણ નાગરિકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે તે માટે રાજય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.ગ્રામીણ વિસ્તારોમાં પરસ્પર સદભાવના વધે, અરસ પરસના વિવાદો ગામમાં જ ઉકેલાય અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આ યોજના અમલમાં છે.યોજના વિશે વિગતે માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે જે ગામમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અકસ્માત સિવાયનો કોઈ ગુનો નોંધાયો ન હોય તેને‘તીર્થગામ’જાહેર કરવામાં આવે છે. જે ગામમાં…

Read More

તારાપુરના પરિવાર સાથે ઠગાઈ, બે સામે ફરિયાદઆણંદ, આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુર ખાતે રહેતા યુવક, તેનો સાળો અને કુટુંબી ભત્રીજાને વિદ્યાનગરમાં વિઝાનું કામ કરતા બે શખ્સોએ કેનેડાના વર્ક પરમીટ વિઝા કરી આપવાના નામે બનાવટી અને ખોટા ઓફર લેટર, એસેસમેન્ટ લેટર સાચા તરીકે ઉપયોગ કરી રૂ.૪પ.પ૪ લાખ પડાવી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના તારાપુરમાં રહેતા સંદીપ પારેખ તેમજ તેમના સાળા વિજય પારેખ અને કુટુંબી ભત્રીજા પાર્થને કેનેડાના વર્ક પરમીટ મેળવીને કેનેડા જવાની ઈચ્છા હોવાથી તપાસ કરતા હતા. દરમિયાન જુલાઈ ર૦ર૪માં સંદીપ કુમારને વિદ્યાનગર ખાતે શ્રીજી ઈન્ટરનેશનલ વાળા વિઝાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સંદીપકુમારે પોતાના…

Read More

દાહોદ, દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા અઢારમાં સાંસદ ઢોલ મેળાનું આયોજન આવતી ર૮મી તારીખે કરવામાં આવ્યું છે. પૂર્વ નિવૃત્ત આઈપીએસ અધિકારી નગરસિંહ પલાસ દ્વારા સ્થાપિત ભીલ સુધારણા મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ ઢોલ મેળો વિશાલ લોકચળવળનું સ્વરૂપ ધારણ કરી ચૂકયો છે.શરૂઆતના સમયમાં અનેક વિરોધ અને અટકળો વચ્ચે માત્ર પ૦ ઢોલીઓ સાથે શરૂ થયેલો આ મેળો વર્ષોથી સતત વિકાસ પામતો રહ્યો છે. ગયા વર્ષે ૩૭૦ જેટલા ઢોલીઓએ ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે ૪૦૦થી વધુ ઢોલ મંડળીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ ઢોલ મેળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઢોલ, માંદળ અને વાંસળી જેવા…

Read More

(પ્રતિનિધિ)ગોધરા, ૨૭ ફેબ્રુઆરી. સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ ૨૦૦૨ માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં ૫૯ જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોઝારી ઘટનાને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે.ઘટનામાં મોતને ભેટેલા ૫૯ કાર સેવકોને આજે ૨૪ મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી ૨૪ વર્ષ પૂર્વે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે કેટલાક કારસેવકો પરત ફરી રહ્યા હતા.ગોધરામાં એ કેબિન પાસે ઉભેલી ટ્રેનના એસ-૬…

Read More