Author: gujarat

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ટ્રાફીક પોલીસના કર્મચારીઓ વાહન ચેકિંગ કરતા હતા ત્યારે એક આર્મી જવાન પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવીને કાર સાથે જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફીક શાખાના જવાને તેને અટકાવી પુછપરછ કરતા આ આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતીત્યારબાદ સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હોવાના આક્ષેપ સાથે ટ્રાફીકના જવાને આર્મી જવાન વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ બાદ આ આર્મી જવાનને પોલીસે ગુરુવારે મોડેથી હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાયો હતોજ્યાં ન્યાયાધીશ સમક્ષ આર્મી જવાને આપેલી જુબાની મુજબ તેને શરીરે ઈજા થઈ હોવાનું જણાવતા ન્યાયાધીશે સારવાર માટે તેને હિંમતનગર સિવીલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.દરમ્યાન…

Read More

Madhupura Satta Scam: અમદાવાદના બહુચર્ચિત માધવપુરા સટ્ટાકાંડ કેસમાં હવે તપાસનો કંટ્રોલ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પાસે જતા જ કાયદાની જાળમાં મોટા બુકીઓ ફસાઈ રહ્યાં છે. તાજેતરમાં આ કેસનો મુખ્ય સૂત્રધાર ગણાતા હર્ષિત બાબુલાલ જૈનને પણ કાયદાની જાળમાં લાવવામાં આવ્યો છે. તરલ ભટ્ટ દ્વારા પકડાયો હતો કરોડોનો સટ્ટાકાંડ 25 માર્ચ 2023ના રોજ તે સમયે અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવતા PI તરલ ભટ્ટે માધવપુરામાં દરોડો પાડી ક્રિકેટ બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનો એક વિશાળ કૌભાંડ બહાર લાવ્યો હતો. આ કાંડની અંદાજિત રકમ 2273 કરોડ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું હતું. જોકે, કેસ નોંધાવાની સાથે જ તોડપાણી શરૂ થતા મામલો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય…

Read More

નડિયાદમાં ઈદે મિલાદ પર્વને ધામધુમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો ઈદે મિલાદ એટલે મોહમંદ પગયમ્બર સાહેબનો જન્મ દિવસ આ દિવસે નડીઆદના શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ દ્વારા મોહદીસે આઝમ મિશન ધ્વારા નાના બાળકોનું ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુંજેમાં હજારથી પંદરસો બાળકો ઝુલુસમાં ભાગ લીધો હતો આ જુલુસ નડીઆદની મોહદીસે આઝમથી નીકળીને રફીક સોસાયટી, ગુલીસ્તા, કિસ્મત, કૈયુમ પાર્ક, પરિવાર સોસાયટી, જ્યારે બીજી તરફ ફૈજાન પાર્ક માં પણ જુલુસ કાઢવામાં આવ્યું હતું અને ઠેર ઠેર મીઠાઈઓ, બીસ્કીટ ચોકલેટોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તસવીર મા શૈખલ ઈસ્લામ ટ્રસ્ટ ના વડા સૈયદ સલાહુદીન બાપુ, યુનુસભાઈ મન્સૂરી,આસીફખાન પઠાણ તથા સૈયદ અનવરબાપુ, સૈયદ સદામબાપુ તથા મોટી સંખ્યામાં લોકો…

Read More

ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવારાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ૨૦૦૭માં શરૂ થયેલી ૧૦૮ ઇમરજન્સી સેવાને આગામી ૨૯મી ઓગસ્ટે ૧૮ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ શરૂ થઈ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી ૧૮ વર્ષમાં અંદાજે ૧૭.૩૪ લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે.ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ. ૨૯ ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ…

Read More

બાળકની જન્મજાત ખામીઓના નિવારણ માટે કાર્યરત RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ની ટીમવર્કની પ્રશંસા કરતાં ડો.જનકકુમાર માઢકબાળકોના આરોગ્ય, પોષણ અને સંપૂર્ણ વિકાસ માટે RBSK ની સુદ્રઢ પ્રતિબદ્ધતાઓપરેશન સફળ: જન્મથી લઈને અઢી વર્ષ સુધી બાળક ઉપર સતત દેખરેખ બાદ અમદાવાદ ખાતે જડબાની સારવાર શક્ય બની(આલેખન – રોશન સાવંત) રાજપીપલા, અઢી વર્ષ પહેલાં GMERS મેડિકલ કોલેજ ખાતે એક બાળકનો જન્મ થયો… જન્મની સાથે જ ડોક્ટરોએ માતા-પિતાને બાળકના આરોગ્ય સંબંધિત જન્મજાત ખામીની જાણ કરી હતી. પરિવાર માટે આ સમાચાર દુ:ખદ અને ચિંતાજનક હતાં, પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની ટીમે માતા-પિતાને આશ્વાસન આપ્યું કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારી સાથે…

Read More

DNA therapy in Ayurveda proved effective in oral cancer in Gujarat: 10 વર્ષથી ડીએનએ પર રિસર્ચ કરી કેન્સરના જટિલ દર્દીઓની સારવાર શક્ય હોવાનું સંશોધન જૂનાગઢના વૈદ્ય દ્વારા કરીને રોગ નાબુદી સુધી તેઓ પહોંચી શક્યા છે. અનેક કેન્સરના દર્દીઓને તેઓ સફળ સારવાર આપી ચૂક્યા છે. આયુર્વેદમાં અસાધ્ય બીમારીનો ઉપચાર શક્ય છે, તે વાત તેઓ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. અનેક દર્દીઓ પર તેની દવા સફળ થઈ રહી છે. આવા એક દર્દી જામનગરના લતીપુર ગામના વલ્લભભાઈ તરપડાએ લેબોરેટરી ટેસ્ટમાં મોંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. વલ્લભભાઈ તરપડા કેન્સરના નિષ્ણાંત ડોક્ટર પાસે જઈ આવ્યા હતા. સીટી સ્કેન અને બાયોપ્સીમાં મોઢામાં જમણી બાજુ ગળાના ભાગ…

Read More

(જૂઓ વિડીયો) પાંચ હેક્ટર વિસ્તારમાં અલભ્ય વનસ્પતિઓ અને વિવિધ થીમ આધારિત આકાર પામેલ ભક્તિ, પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાના ત્રિવેણી સંગમ સમું રાજ્યનું આ 24મું સાંસ્કૃતિક વન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બનશે અનેરા આકર્ષણનું કેન્દ્ર.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાતની ધરતીને વધુ હરિયાળી બનાવવાની નેમ સાથે આજે ખેડા જિલ્લાના સરનાલ ગામ ખાતે યોજાએલ 76મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મહીસાગર નદીના કિનારે શ્રી ગળતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી દ્વારા વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અવસરે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અત્રે…

Read More

સિવિલ હોસ્પીટલ માં થયેલ બે અંગદાન થી ૪ કીડની, ૨ લીવર, ૨ હ્રદય, એક સ્વાદુપિંડ તેમજ બે ફેફસાનું દાન મળ્યુએક ઔર એક ગ્યારાહ સાબિત કર્યુ સિવિલ હોસ્પિટલે –સિવિલ હોસ્પિટલ અમદાવાદને ૧૧ કલાક માં મળેલા બે અંગદાનથી ૧૧ અંગોનુ દાન મળ્યુસિવિલ હોસ્પિટલ માં અત્યાર સુધીમાં કુલ ૨૦૯ અંગદાન થકી ૬૯૨ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૬૭૦ જરૂરીયાતમંદને જીવનદાનઅમદાવાદ સિવિલ હોસ્પિટલ ના તબીબોએ સતત ૧૧ કલાક અંગો માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં કાર્યરત રહીને ૧૧ લોકોને નવજીવન આપ્યું છે. કહેવાય છે ને કે ,એક અને એક બે જ થાય પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો એ એક અને એક મળીને બે નહીં પરંતુ ૧૧ સાબિત કરી…

Read More

૭૬મા વન મહોત્સવની ઉજવણી ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરીમુખ્યમંત્રી પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળીને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાંમહાદેવના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં મહિસાગર નદી અને ગળતી નદીના સંગમસ્થળે ગળતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ સ્થળ ખૂબ જ પૌરાણિક તેમજ આધ્યાત્મિક માનવામાં આવે છે. લોકદંતકથાઓ અનુસાર અહીં ભગવાન શિવે ગળામાં વિષ પીને નિલકંઠ સ્વરૂપ ધારણ કર્યું…

Read More

ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે શનિવારે 76મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી ‘ઝીરો વેસ્ટ’ની થીમ સાથે યોજાઈ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ અવસરે વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલી વન અને પર્યાવરણ વિભાગની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. આ વેબસાઈટ રાજ્યના વેટલેન્ડ્સ અંગેનું જ્ઞાન, સંશોધન અને સંરક્ષણ એક જ પ્લેટફોર્મ પર લાવશે.કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જતન માટે શ્રેષ્ઠ કાર્ય કરનારી વિવિધ તાલુકા તથા ગ્રામ પંચાયતોને પ્રોત્સાહનરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર નાગરિકોને પ્રશસ્તિ…

Read More