ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે શનિવારે 76મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી ‘ઝીરો વેસ્ટ’ની થીમ સાથે યોજાઈ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ અવસરે વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલી વન અને પર્યાવરણ વિભાગની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. આ વેબસાઈટ રાજ્યના વેટલેન્ડ્સ અંગેનું જ્ઞાન, સંશોધન અને સંરક્ષણ એક જ પ્લેટફોર્મ પર લાવશે.કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જતન માટે શ્રેષ્ઠ કાર્ય કરનારી વિવિધ તાલુકા તથા ગ્રામ પંચાયતોને પ્રોત્સાહનરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર નાગરિકોને પ્રશસ્તિ…
Author: gujarat
સુરત, ચીખલીના રેઠવાણીયામાં દારૂ પીને રોજ ઝઘડો કરતા પુત્રના ત્રાસથી અકળાયેલા પિતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે.પુત્ર રોજે રોજ નશાની હાલતમાં આવી માતા-પિતા સાથે ઝઘડો કરતા આવેશમાં આવેલા પિતાએ ઓઢણીથી ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારતા નવજાત પૌત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.ચીખલી પોલીસના કહેવા પ્રમાણે ચીખલીના રેઠવાણીયા ગામના હળપતિવાસમાં રહેતા છનાભાઇ બાબરભાઇ હળપતિ (ઉ.વ. ૬૧)ને બે સંતાન છે. નાના દીકરાનું ચારેક વર્ષ પૂર્વે મૃત્યુ થયું હતું.મોટો દીકરો જીતેન્દ્ર છનાભાઇ હળપતિ (ઉ.વ. ૩૫) ડ્રાઇવર કરતો હોય અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જીતેન્દ્ર નાની નાની વાતમાં અવાર નવાર માતા-પિતા સાથે ઝઘડો કરતો હતો.ગઈકાલે સાંજે જમતી વેળા…
અમદાવાદ, મહાનગર પાલિકાના વાહનો હવે જાણ કે શહેરીજનો માટે મોતનું કારણ બની રહ્યા હોય તેવો ઘાટ થયો છે. બીઆરટીએસ અને એમટીએસ આંતરે દિવસે અકસ્માત કરી રહી છે. થોડા દિવસ પહેલા કચરો કલેક્ટ કરતા વાહને અકસ્માત સર્જ્યાે હતો ત્યારે હવે પાલિકાના ડમ્પરચાલકે કાલુપુર ચોખા બજારમાં ફૂટપાથ પર સુઇ રહેલા યુવક પર ડમ્પર ચડાવી દેતાં તેનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બનાવમાં વસ્ત્રાલમાં રિક્ષાચાલકે એક વૃદ્ધને અડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યાે હતો.કાલુપુર ચોખાબજાર પાસે ફૂટપાથ પર રહેતો ભૂપેન્દ્રસિંગ રાઘવ (૩૭) ગત ૨૬ ઓગસ્ટે રાત્રિના સમયે સુરજ ટ્રેડર્સ નામની દુકાન પાસે ફૂટપાથ પર સૂતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલા એએમસીના ડમ્પરચાલકે ડમ્પર તેના પગ…
પાલનપુર, દિયોદર તાલુકાના ગોદા ગામ પાસેની નર્મદા કેનાલમાં ગાંધીધામના પ્રેમી સાથે બે બાળકોને લઈ માતાએ સામૂહિક આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે તરવૈયાની મદદ લઈ શુક્રવારે કેનાલ માંથી ચારે મૃતકોની લાશને બહાર નિકાળી રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થ ખસેડી તપાસ હાથ ધરી છે.દિયોદર તાલુકાના ગોદા પાસે નર્મદા કેનાલમાં કોઈ મહિલા અને બે બાળકો તેમજ એક પુરુષની લાશ કેનાલમાં તરતી હોવાની જાણ દિયોદર પોલીસને શુક્રવારે થતાં દિયોદર પીઆઈ એ.ટી. પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો કેનાલ ઉપર પહોંચ્યા હતા.જ્યાં પોલીસે તરવૈયાની મદદ લઈ કેનાલમાંથી ચારેય મૃતકોની લાશને બહાર નીકળવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીધામ ખાતે રહેતી પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ…
અમદાવાદ, મણિનગરમાં પ્રેમિકાએ તેની પુત્રી, જમાઇ સાથે મળીને પ્રેમીને ફટકાર્યાે હતો અને તેની પત્નીને પણ માર માર્યાે હતો. ત્રણ મહિના પહેલા પત્નીને જાણ થતા પતિની પ્રેમિકાને સમજાવી છતાં પીછો છોડતી ન હતી અને હેરાન કરતી હતી.આ અંગે મહિલાએ પતિની પ્રેમિકા, તેની પુત્રી અને જમાઇ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ખોખરામાં ૩૩ વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેમનો પતિ મણિનગર બસ સ્ટેન્ડ પાસે ફ્›ટની લારી ધરાવી ધંધો કરે છે.મહિલાના પતિને છેલ્લા ત્રણ વર્ષથી વટવામાં રહેતા મહિલા સાથે પ્રેમસંબંધ છે. જેની જાણ પત્નીને ત્રણ મહિના પહેલા થઇ હતી. જે બાદ પત્નીએ પતિની પ્રેમિકાને અવારનવાર સમજાવવા છતાં પીછો છોડતી ન હતી…
રાજકોટ, રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના કેસમાં પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. ગોંડલ તાલુકા પોલીસે પુનિતનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે કાળુ હાસમ સૈયદ અને નામચીન પરિક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળધાની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક ૯ પર પહોંચ્યો છે.ફાયરિંગ કરનાર ભાડૂતી આરોપીઓને હથિયાર આપવા બાબતે ઈમરાન અને પરિક્ષીતની સંડોવણી ખૂલતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા હથિયાર સાચવવા અંગે રાજકોટના વકીલ રવિ ગમારા અને નિશાંત રાવલની ધરપકડ કરાઈ હતી.જે ભાડુતી આરોપીઓ ફાયરિંગ કરવા આવ્યા હતા તેમને શાપરના ઓવરબ્રીજ પાસે ઈમરાને હથિયાર આપ્યું હતું. થોડા સમય પહેલા જ…
અમદાવાદ, શહેરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પોતાની ધંધામાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી કરોડોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે ત્યારે જ આગ્રાના ઠગ પિતા-પુત્રે અમદાવાદના વેપારીને રોકાણ પર ડબલ નફો આપવાની લાલચ આપી ૧.૩૫ કરોડનો ચૂનો લગાવ્યો હતો. વેપારીની ફરિયાદ નોંધી વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.વસ્ત્રાપુર સ્થિત મણિકમલ સોસાયટીમાં રહેતા સુનિલભાઇ ચંદુલાલ પટેલ (ઉવ. ૬૫) કાલુપુરમાં કાપડનો ધંધો કરે છે. તેમની ફરિયાદ છે કે તેઓ બે વર્ષ પહેલાં એક મિત્ર ચિરાગ ત્રિવેદી મારફત આગ્રાના પ્રકાશ ગુરબાની અને તેમના પુત્ર કપિલ ગુરબાનીને મળ્યા હતા.થોડા દિવસો સુધી તેમની મિત્રતા રહી હતી ત્યાર બાદ ગુરબાની પિતા-પુત્રે સુનિલ પટેલને કહ્યું હતું…
Anand, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા કેમ્પસની એસ.પી.યુ. સંલગ્ન કૉલેજો (સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, સરદાર પટેલ કોલેજ ઓફ અપ્લાઈડ સાયન્સ, સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ)માટે એન.એસ.એસ. સેલ અંતર્ગત “થેલેસેમિયા ચેક અપ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો હેતુ વિધાર્થીઓને તેમની તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને આરોગ્ય વિષયક મૂળભૂત તપાસ કરવાનો હતો. કાર્યક્રમનું આયોજન કૉલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. મેહુલ મિસ્ત્રી, આઇ.કયુ.એ.સી. કૉ–ઓર્ડીનેટર ડૉ. ધવલ શર્મા અને કાર્યક્રમ કૉ–ઓર્ડીનેટર મીસીસ. શ્વેતા પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મિ. અલ્પેશ પરમાર(કેમ્પ કો-ઓડીનેટર, રેડ ક્રોસ…
આણંદ, પેટલાદ તાલુકાના પાળજ તાબે આવેલ સરસ્વતી વર્ગ પ્રાથમિક શાળા ના ૦૬ નવા વર્ગો સાથે રૂપિયા ૭૫ લાખ ના ખર્ચે નવી શાળા બનાવવા માટે નું ખાતમુહૂર્ત આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ,પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ,આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે શાળાનું મકાન નવું બનવાથી વિદ્યાર્થીઓને ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું,ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલે સમય મર્યાદામાં શાળાનું મકાન તૈયાર કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ શાળા બનાવવા માટે જમીનનું દાન આપનાર દાતા શ્રી રાવજીભાઈ બાબરભાઈ પરમાર નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સોનલબેન પટેલ,પેટલાદ…
Aniruddhsinh Ribda case: ગુજરાતના રાજકીય તથા ક્રાઇમ વર્તુળોમાં જાણીતા અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ઉર્ફે અનિરૂદ્ધસિંહ રીબડા ફરીથી ચર્ચામાં આવ્યા છે. કૉંગ્રેસી નેતા પોપટ સોરઠિયાની હત્યા કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા અનિરૂદ્ધસિંહ રીબડાના નામે છેલ્લા પાંચેક વર્ષમાં એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. તેમાં બે કેસમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે એક કેસમાં હજુ પણ તેઓ પોલીસ પકડથી દૂર છે. જેલમાંથી છૂટ્યા બાદ વધતી હેકડી 1988માં પોપટ સોરઠિયાની સરજાહેર ગોળી મારી હત્યા કરનાર અનિરૂદ્ધસિંહ રીબડાને સુપ્રીમ કોર્ટએ 1997માં આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ તેઓ ત્રણ વર્ષ સુધી પોલીસ પકડથી દૂર રહીને આખરે 2000માં જેલમાં જવા મજબૂર થયા. લગભગ…
