Author: gujarat

ધાર્મિક કથાઓ કે વ્યાખ્યાન સાંભળવા કે ધાર્મિક લેખો વાંચવાથી મન હળવું બને છે-સત્કર્મો કરવાથી જમા પાસામાં પુણ્ય બંધાય પરંતુ સાથે સાથે કુકર્મ કરવાથી ઉધાર પાસામાં પાપ પણ બંધાય જજે માનવી ધર્મ ધ્યાનમાં રચ્યો પચ્યો હશે તેણે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ કે ‘હે પ્રભુ મારાથી હવે કોઈ પણ નવા કર્મો ન થાય તેવી બુદ્ધિ આપ તથા સત્કર્મો કરવાની શક્તિ આપ અને જે મારાથી જાણતા કે અજાણતા કુકર્મો થઈ ગયા હોય તે બદલ ક્ષમા માગું છું’.ધર્મ ધ્યાન કરતા જમા પાસામાં વધારો થાય છે તથા કુકર્મો કરતા ઉધાર પાસામાં વધારો થાય છે. પરંતુ માનવીએ સમજવું જોઇએ કે આ ધંધાકિય ચોપડો નથી કે જેમાં…

Read More

Lucky vehicle number Gujarat: ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન માલિકોને મોટી રાહત આપવાની જાહેરાત કરી શકે છે. હવેથી વાહન માલિકો પોતાના જૂના વાહનનો નંબર નવા વાહન પર પણ મેળવી શકશે. આ માટે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ‘રીટેન્શન પોલિસી’ જાહેર કરશે. આ નવી પોલિસી મુજબ, જે વાહન માલિક પોતાનું જૂનું વાહન વેચી રહ્યા છે અથવા તો સ્ક્રેપમાં આપી રહ્યા છે, તેઓ નિયત ફી ભરીને તેમનો જૂનો નંબર નવા વાહન માટે સુરક્ષિત કરાવી શકશે. આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. માલિકે જૂનું વાહન વેચ્યા બાદ માલિકે 60 દિવસની અંદર નવું વાહન ખરીદવું ફરજિયાત રહેશે. જૂના…

Read More

કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી અને જે વિસ્તારમાં ગટર લાઈન નથી ત્યાં ગટર લાઈનનું કામ કરવા ખાસ રજૂઆત- ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલઆણંદ, કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.પ્રારંભમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણાએ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ ને આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આવકાર્યા હતા.આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ પરસ્પરનાં સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્ય શ્રી દ્વારા પૂછવામાં આવતા…

Read More

બનાસકાંઠા જિલ્લાના ૪૫૦થી વધુ લોકોએ દસ્તાવેજ કરીને ખરીદેલી બિન ખેતીની જમીનની રજૂઆતો સાંભળી લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત કડક કાર્યવાહી કરાઈજિલ્લા કક્ષાએ પસ્પર સંકલનથી નાગરિકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાકિદ મુખ્યમંત્રીશ્રીએ ૧૨ રજૂઆતો રાજ્ય સ્વાગતમાં સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળી મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા ૧૬૦ રજૂઆતો સાંભળીને સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સુચનાઓ સાથે મોકલવામાં આવીઓગસ્ટ -૨૫ના જિલ્લા સ્વાગતમાં ૧૫૨૯ – તાલુકા સ્વાગતમાં ૨૭૦૧ રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલન રાખીને લોકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવાની તાકિદ ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત…

Read More

સરદાર બાગ અને ગોતા-ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું-કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૨ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે આજે અમદાવાદીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ગોતા અને ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. ૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાણીપના અહવાડિયા તળાવ પાસે એક સાથે ૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે.ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદલોડિયા વોર્ડમાં ઓશિયા હાઇપરમાર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું છે. જે બાદ નવા…

Read More

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. સુત્રો પાસેથી માહિતી મળી છે કે, રાજ્યમાં પોલીસ રેન્જ અને પોલીસ કમિશનરેટને લઇને મોટા ફેરફારો થઇ શકે છે. રાજ્યમાં ત્રણ નવી રેન્જ વધી શકે છે, એટલુ જ નહીં રાજ્યમાં ચાર નવી કમિશ્નરેટ બની શકે છે. જો આમ થશે તો પોલીસ બેઠામાં આ મોટો ફેરફાર થશે.ગુજરાત પોલીસ બેઠામાં મોટા ફેરફારો થઇ શકે છે, સુત્રો તરફથી માહિતી છે કે, આગામી સમયમાં ગુજરાત પોલીસમાં રેન્જ અને કમિશનરેટની પાઝિશનને લઇને મોટા ફેરફારો આવી શકે છે. ગુજરાત રાજ્ય પોલીસમાં ૩ નવી રેન્જ વધી શકે છે, જે અંતર્ગત મોરબી રેન્જને રાજકોટ રેન્જમાંથી અલગ કરી કચ્છ-મોરબી નવી…

Read More

(એજન્સી)સુરત, ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ ૨૦૨૬થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના સ્વરૂપમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રશ્નપત્રને લઈને થતી મૂંઝવણને દૂર કરવાનો છે. ખાસ કરીને સામાન્ય અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હવેથી ધોરણ ૧૦ અને ૧૨ના પ્રશ્નપત્રોમાં વિકલ્પ એ અને વિકલ્પ બી એમ બે ભાગ રહેશે.વિકલ્પ એ ઃ આ વિકલ્પ સામાન્ય વિદ્યાર્થીઓ માટે રહેશે અને તેમાં ચિત્ર, આલેખ, ગ્રાફ, અને નકશા આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે. વિકલ્પ બીઃ આ વિકલ્પ ખાસ કરીને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હશે. આ પ્રશ્નો વિકલ્પમાં આપેલા પ્રશ્નોના બદલે હશે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.ગત…

Read More

Supreme Court order Anirudhsinh Jadeja surrender: અનિરૂદ્ધ જાડેજાને સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે.…

Read More

સમયસર માહિતી ન આપતા અરજદારે અપીલ કરી-બાવળા ચીફ ઓફિસરને રૂપિયા ૧૫,૦૦૦નો દંડબાવળા, માહિતી અધિકાર અધિનિયમ (RTI)-૨૦૦૫ હેઠળ સમયસર માહિતી ન આપવા અને રાજ્ય માહિતી આયોગના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને દંડ ફટકારવામાં આવ્યે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલને રાજ્ય માહિતી કમિશનર દ્વારા ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે ૧૦ દિવસમાં પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.બાવળાની વલ્લભનગર સોસાયટીમાં રહેતા વિશાલ મહેતાએ ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બાવળા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલીક માહિતી માંગી હતી.જેમાં વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪ સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ, ૩૦મી…

Read More