(પ્રતિનિધિ)ગોધરા, ૨૭ ફેબ્રુઆરી. સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ ૨૦૦૨ માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં ૫૯ જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોઝારી ઘટનાને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે.ઘટનામાં મોતને ભેટેલા ૫૯ કાર સેવકોને આજે ૨૪ મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી ૨૪ વર્ષ પૂર્વે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે કેટલાક કારસેવકો પરત ફરી રહ્યા હતા.ગોધરામાં એ કેબિન પાસે ઉભેલી ટ્રેનના એસ-૬…
Author: gujarat
વડોદરા, વડોદરા જિલ્લાની બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે રસાકસી રહી હતી. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના તેર ઝોનમાં કુલ પંચાવન ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.રસાકસી બની રહેલી ચૂંટણીમાં સંખેડા ઝોન ૧૧માં વર્તમાન ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકી એક માત્ર ઉમેદવાર રહ્યા હોવાથી બિનહરીફ નિશ્ચિત બન્યા ન હતા જ્યારે અન્ય બેઠકો પર વર્તમાન ડિરેકટરોની સામે ખુદ ભાજપના જ સમર્થકો મેદામાં આવ્યા હતા.આગામી તા.૧૮મી માર્ચના રોજ બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ ૧૦૭૧ મતદાન કરનાર છે. કુલ તેર ઝોનના ઉમેદવાર માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આવતીકાલે ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવશે. બાદમાં…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સહિત સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા તંત્ર સચેત બની ગયું હતું.ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીને પણ સમાન ઈ-મેઇલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ ધમકીભર્યો ઈ-મેઈલ હેડ પોસ્ટ ઓફિસના સુપરિટેન્ડન્ટના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર પ્રાપ્ત થયો હતો.ઈ-મેઈલ મળતા જ કચેરીમાં કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.તાત્કાલિક સુરક્ષાના પગલાં રૂપે કચેરી ખાલી કરાવી તમામ કર્મચારીઓ તથા હાજર અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ,એસઓજી તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.ત્યાર બાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની…
લક્ષ્મીપુરાના એક જ પરિવારનાં પાંચ સભ્યો સામે બે રાજયોમાં મતદાર યાદીનો ગુનો નોંધાયોપાટણ, સરસ્વતીના લક્ષ્મીપુરા લદાણી ગામના એક જ પરીવારના પાંચ સભ્યો સામે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજયોની મતદાર યાદીમાં નામ ધરાવતા અને ચુંટણી ગેરમાર્ગે દોરવા બદલ વાળડોદ પોલીસે ગુનો નોધ્યો છે. આ શખ્સો પર ડુપ્લીકેટ સહીઓ કરી ખોટા દસ્તાવેજો રજુ કરવાનો આરોપ છે.આ ગેરરીતિ લક્ષ્મીપુરા પ્રાથમીક શાળાના શિક્ષક અને બીએલઓ રમેશભાઈ ખોડીદાસ પટેલ દ્વારા નવેમ્બર ર૦રપમાં મતદાર યાદીમાં સુધારણા અંતર્ગત એસઆઈઆર ગણતરી ફોર્મ ભરવાની કામગીરી દરમ્યાન સામે આવી હતી. રમેશભાઈની ફરીયાદના આધારે પોલીસે છેતરપિડી અને ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજુ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.ફરીયાદ મુજબ લક્ષ્મીપુરા…
સાંજે ૬.૩૦ કલાકે હોળી પ્રગટાવાશે -ત્રીજી માર્ચના રોજ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયોપાલનપુર, અંબાજી ખાતે ચંદ્રગ્રહણ હોવાથી હોળી એક દીવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઈ અંબાજી મંદીર બંધ રહેશે. શકિત પીઠ અંબાજી ખાતે આગામી હોળી અને ફાગણ પુનમના તહેવારોને લઈ દર્શન અને આરતી સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે.આગામી તા.ર-૩-ર૦ર૬ સોમવાર ફાગણ સુદ ૧૪ના રોજ હોળી પર્વ નીમીત્તે મંદીરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે ૭.૩૦ થી ૮.૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮.૦૦ થી ૧૧.૩૦ સુધી ભકતો દર્શન કરી શકશે. બપોરે ૧ર કલાકે રાજભોગ ધરાવવામાં આવશે જયારે સાંજે ૬.૩૦ કલાકે હોળી પ્રગટાવવામાં આવશે અને હોળી પ્રગટાવ્યા બાદ…
અંબાજી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત થયો-ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી: મંદિરના વહીવટદાર કૌશિક મોદી સાથે હાથાપાઈ કરી હતીપાલનપુર, યાત્રાધામ અંબાજી ખાતે ગત તા.૯ ફેબ્રુઆરીએ અંબાજી કોલેજના પૂર્વ પ્રિÂન્સપાલ મોદનાથ મિશ્રાએ અંબાજી મંદિર ટ્રસ્ટની અધિક કલેકટર અને વહીવટદારની કચેરીમાં ભારે ધાંધલ-ધમાલ કરી હતી,સાથે અધિક કલેકટરને મંદિરના વહિવટદાર કૌશિક મોદી સાથે હાથપાઈ કરી ગળું દબાવી જીવલેણ હુમલો થયાની ઘટના બની હતી. જેમાં અધિક કલેકટર કૌશિક મોદી ગંભીર રીતે ઘવાયા હતા. તે બાબતે અધિક કલેકટરે અંબાજી પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલો થયા મામલે ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પોલીસે પૂર્વ પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાની ધરપકડ કરી દાંતા કોર્ટમાં રજૂ કર્યા હતા.જ્યાં…
અડાલજ નજીક લકઝુરિયસ કારમાં આવેલી ગેંગ વાછરડાની ચોરી કરી ફરારગાંધીનગર, ગાંધીનગરમાં પશુચોર ટોળકી બેફામ બની લકઝુરિયસ કારમાં પશુઓની ચોરી કરતી હોવાના બનાવોથી જિલ્લાના પશુપાલકોને પોતાના દૂધાળા ઢોર ચોરાઈ જવાનો ભય સતાવી રહ્યો છે અને ગ્રામજનોમાં રોષ પ્રવર્તે છે.અડાલજ પાસેના શનિદેવ મંદિર સામે મધરાતે લકઝુરિયસ કારમાં પશુ ચોરી જતી ગેંગ આવી હતી અને વાછરડાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અડાલજમાં મંદિરની સામે રાત્રે એક સફેદ કલરની લકઝુરિયસ કારમાં આવેલા તસ્કરોએ વારછાડાઓને ગાડીમાં ભરવાનું શરૂ કર્યું હતું જેના લીધે પશુઓ ભાંભરવા લાગ્યા હતા. પશુ ભાંભરતા હોવાનો અવાજ આવતા મંદિરના પૂજારી જાગી ગયા હતા.પશુને ઉઠાવી જવાતા…
નવો નિયમ વોટ્સએપ, ટેલીગ્રામ, સીગ્નલ મેસેજીગ એપ્સનો લાગુ પડે છે.સિમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે(એજન્સી)નવીદિલ્હી, તમે વોટસએપ યુઝર હોય તે તમારા માટે આ કામની વસ્તુ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે. કે સીમ-બાઈન્ડીગ નિયમમાં કોઈ છુટછાટ કે ઢીલ આપવામાં નહી આવે. તે નિયમ વોટ્સએપ, ટેલીગ્રામ, સીગ્નલ મેસેજીગ એપ્સનો લાગુ પડે છે. ડીજીટલ સુરક્ષાનો મજબુત કરવા આ નિયમ અમલી બની રહયો છે. કંપનીઓને ૧લી માર્ચથી અમલી થનારા આ નિયમોનું પાલન કરવું પડશે.સરકારનું કહેવું છેકે તે એપ્સને સક્રીય સીમકાર્ડ સાથે જોડાયેલા રહેવું પડશે. તેથી કરીને વોટસએપ માટે ઉપયોગમાં લેવાતો નંબર અસલી અને એકિટવ છે તે જાણી શકાશે. મોબાઈલમાંથી સીમ દુર કરવામાં…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો બાદ હવે તસ્કરોએ સરકારી મિલકતોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.તાજેતરમાં બોપલ વિસ્તારમાં આવેલા લાલગેબી આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાંથી તસ્કરો નિર્ભય બનીને આશરે ૧૦૦ લિટર જેટલું ડીઝલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની વિગત મુજબ, એસ.ટી. ડ્રાઈવર પરસોત્તમકુમાર બારીયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત ૨૧ ફેબ્રુઆરીએ તેઓ સુરત-અમદાવાદ-બોપલ રૂટની બસ લઈને આવ્યા હતા.રાત્રિ રોકાણ માટે તેમણે લાલગેબી આશ્રમ પાસે બસ પાર્ક કરી હતી અને પોતે બસની બાજુમાં આવેલા ઓટલા પર સુઈ ગયા હતા. વહેલી…
(એજન્સી)અમદાવાદ, અનીલ સ્ટાર્ચ લીમીટેડ અને તેની પેટા કંપનીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાની બેંક ઠગાઈ અને હવાલા રેકેટ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરીટ ઈડી એ આક્રમક વલણ અપનાવ્યું છે.ઈડીએ આ કૌભાંડમાં મેસર્સ અનીલ ન્યુટીએન્ટસ લી. મેસર્સ અનીલ લી.અને તેના મુખ્ય પ્રમોટર અમોલ શ્રીપાલ શેઠ સહીત કુલ ૮ પક્ષકારો સામે અમદાવાદના ગ્રામ્ય કોર્ટમાં સ્પેશીયલ ફરીયાદ દાખલ કરી છે. કોટે આ મામલે ગંભીર નોધ લઈ તમામ આરોપીઓને આગામી રપમી માર્ચે કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, મેસર્સ અનીલ ન્યુટ્રીશસ્ટેન લીમીટેડ અને તેના સંચાલકોએ બેક ઓફ ઈન્ડીયા બીઓએ સાથે રૂ.૪૭.૮૮ કરોડની કથીત છેતરપીડી આચરી હોવાની ફરીયાદ સીબીઆઈની સ્પેશીયલ ક્રાઈમ…
