Supreme Court order Anirudhsinh Jadeja surrender: અનિરૂદ્ધ જાડેજાને સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે.…
Author: gujarat
સમયસર માહિતી ન આપતા અરજદારે અપીલ કરી-બાવળા ચીફ ઓફિસરને રૂપિયા ૧૫,૦૦૦નો દંડબાવળા, માહિતી અધિકાર અધિનિયમ (RTI)-૨૦૦૫ હેઠળ સમયસર માહિતી ન આપવા અને રાજ્ય માહિતી આયોગના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને દંડ ફટકારવામાં આવ્યે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલને રાજ્ય માહિતી કમિશનર દ્વારા ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે ૧૦ દિવસમાં પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.બાવળાની વલ્લભનગર સોસાયટીમાં રહેતા વિશાલ મહેતાએ ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બાવળા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલીક માહિતી માંગી હતી.જેમાં વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪ સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ, ૩૦મી…
Nalin Kotadia Bitcoin extortion case: અમદાવાદની એક સ્પેશિયલ કોર્ટએ 29 ઑગસ્ટ 2025ના રોજ ગુજરાતની રાજનીતિ અને પોલીસ તંત્રને હચમચાવી નાખે એવો ચુકાદો આપ્યો છે. લાંબી કાનૂની લડાઈ પછી પૂર્વ ભાજપ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના ભૂતપૂર્વ એસપી જગદીશ પટેલ, ભૂતપૂર્વ પીઆઇ અનંત પટેલ સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની શરૂઆત કેવી રીતે થઈ? સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટે વર્ષ 2017માં પોતાના સાથી કિરીટ પાલડિયા સાથે મળીને બિટકોઇન ઈન્વેસ્ટમેન્ટ માટે કંપની બનાવી હતી. થોડા સમય પછી આ વ્યવસાય બંધ થયો, પરંતુ 2018માં ભટ્ટ પર આરોપ લાગ્યો કે તેમણે ગેરકાયદે રીતે બિટકોઇનમાં રોકાણ કર્યું. ફરિયાદ મુજબ, અમરેલી પોલીસે સીબીઆઈના અધિકારીના…
નાગરિકોને ઈમરજન્સી સેવાઓમાંવધુ ત્વરીત સુરક્ષા પુરી પાડવા સરકારનો નવતર અભિગમ217 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત પોલીસ હાઉસિંગ મકાનોનું લોકાર્પણકેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ- પોલીસઆવાસોનું ઈ-લોકાર્પણ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિવિવિધ પ્રકલ્પોની વિગતોગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલIS –૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ ૧૦૦,આરોગ્ય વિભાગની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા,શહેરી…
ખરાબ વાતાવરણના કારણે વિઝિબલીટીના કારણે બંને બસ સામસામે અથડાઈ હતીઃ બસ ડ્રાઈવરોને સામાન્ય ઈજા દાહોદ, ગુજરાતમાં સરકારી બસચાલકો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ૩૧મી ઓગસ્ટ વધુ એક એસટી બસને અકસ્માત નડ્યો છે. દાહોદ જિલ્લાના સંજેલીના વાંસીયા ગામે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખરાબ વાતાવરણના કારણે વિઝિબલીટીના કારણે બંને બસ સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં એસટી બસ ડ્રાઈવરોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતા માહિતી અનુસાર, દાહોદના સંજેલીના વાંસીયા ગામે સંજેલીથી ઝાલોદ તરફ જતી અને ઝાલોદથી સંજેલી તરફ જતી બે એસટી બસની સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને બસના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી…
સુરત સાયબર ક્રાઇમ દ્વારા શેર માર્કેટ કૌભાંડનો પર્દાફાશ -સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતીસુરત, શહેરના સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઇન શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર એક ઠગને પાટણથી ઝડપી પાડ્યો છે. આરોપીએ એક વ્યક્તિ પાસેથી એન્જલ બ્રોકીંગ માં રોકાણ કરવાના બહાને રૂપિયા ૬,૭૫,૬૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભોગ બનનાર વ્યક્તિએ તા. ૨૭/૦૭/૨૦૨૫ ના રોજ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ, આરોપીએ અલગ-અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો અને તેમને શેર માર્કેટમાં વધુ નફો કમાવવાની લાલચ આપી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પોતાને એન્જલ બ્રોકીંગ કંપનીના…
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫‘નું આયોજન : મંત્રી શ્રી હર્ષ સંઘવીØગણેશ ઉત્સવને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયØઓપરેશન સિંદૂર‘ના દેશભક્તિ પર આધારિત સુશોભન અને વડાપ્રધાનશ્રીના‘સ્વદેશી‘ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમ આધારે પંડાલની પ્રતિયોગિતા યોજાશેØતમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમને રૂ. ૫ લાખ,દ્વિતીય ક્રમને રૂ.૩ લાખ અને તૃતીય ક્રમને રૂ.૧.૫૦ લાખ પુરસ્કાર અપાશેØદેશમાં પ્રથમવાર આ પ્રકારની પહેલ: સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને‘ઓપરેશન સિંદૂર‘જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ વધુ મજબૂત થશેરાજ્યમાં…
Gujarat Congress News:લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી બિહારમાં મત ચોરીના મુદ્દા પર મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. આ બધા વચ્ચે, કોંગ્રેસે હવે મત ચોરીના મુદ્દા પર ગુજરાતમાં ભાજપને ઘેરી લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાહુલ ગાંધીની જેમ શનિવારે એક પત્રકાર પરિષદમાં મતદાર યાદીમાં ગેરરીતિઓ અને મત ચોરીના આરોપો લગાવ્યા હતા. ચાવડાએ એક વિધાનસભા મતવિસ્તારમાં મત ચોરીનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ્યમાં ચૂંટણીમાં ભાજપની જીતમાં શંકાસ્પદ, નકલી અને ‘ડુપ્લિકેટ’ મતદારોનો ફાળો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારોને જણાવ્યું હતું કે પાર્ટીએ નવસારી લોકસભા બેઠક હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર…
બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનો કરશે શુભારંભવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટØમહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ₹537કરોડના ખર્ચે પૂર્ણ347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન-520કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન રાષ્ટ્રને કરશે સમર્પિતAhmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે,જ્યાં તેઓ₹1,400કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ,બનાસકાંઠા,ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ થશે. આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી,ઔદ્યોગિક વિકાસ,લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે,તેમાં₹537કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65કિમી)નું ડબલિંગ,…
AI in healthcare risks: ટેકનોલોજી આગળ વધતા માણસને કોઈ નિષ્ણાતની જરૂર પડતી નથી. આંગળીના ટેરવે બધી માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. એમા પણ જ્યારેથી AIનો આવિશકાર થયો છે, ત્યારથી જીવન જરૂરીયાતના મોટાભાગના કામ માટે AI પર આધાર રાખીએ છીએ. પછી ભલે તે કોઈ માહિતી જોઈતી હોય કે ડોક્ટરની સલાહ લેવાની હોય. ચામડીની ફોલ્લીઓથી લઈને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સુધી, લોકો એઆઈની સલાહ પર આધાર રાખીને ચોક્કસ દવાઓ કે ટેસ્ટની માગ કરે છે. જોકે, તબીબી નિષ્ણાતો ચેતવણી આપે છે કે એઆઈના જવાબો ઘણીવાર અધૂરા કે ખોટા હોય છે, જેનાથી ખોટું નિદાન, અયોગ્ય સારવાર અને ગંભીર આરોગ્ય જોખમો ઊભા થઈ શકે છે. ખોટી…
