AI in healthcare risks: ટેકનોલોજી આગળ વધતા માણસને કોઈ નિષ્ણાતની જરૂર પડતી નથી. આંગળીના ટેરવે બધી માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. એમા પણ જ્યારેથી AIનો આવિશકાર થયો છે, ત્યારથી જીવન જરૂરીયાતના મોટાભાગના કામ માટે AI પર આધાર રાખીએ છીએ. પછી ભલે તે કોઈ માહિતી જોઈતી હોય કે ડોક્ટરની સલાહ લેવાની હોય. ચામડીની ફોલ્લીઓથી લઈને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સુધી, લોકો એઆઈની સલાહ પર આધાર રાખીને ચોક્કસ દવાઓ કે ટેસ્ટની માગ કરે છે. જોકે, તબીબી નિષ્ણાતો ચેતવણી આપે છે કે એઆઈના જવાબો ઘણીવાર અધૂરા કે ખોટા હોય છે, જેનાથી ખોટું નિદાન, અયોગ્ય સારવાર અને ગંભીર આરોગ્ય જોખમો ઊભા થઈ શકે છે. ખોટી…
Author: gujarat
ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વપૂર્ણ અને પાયાના એકમ ગ્રામ પંચાયતોના મકાન અને તલાટી કમ મંત્રી આવાસ બાંધકામોમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાનો મુખ્યમંત્રીશ્રીનો પ્રો-પીપલ એપ્રોચ –પંચાયત ઘર તલાટી કમ મંત્રી આવાસ બાંધકામ માટેØ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૪૦ લાખ રૂપિયાØ૫થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૩૪.૮૩ લાખ રૂપિયાØ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૨૫ લાખ રૂપિયામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે ૪૮૯.૯૫ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે.ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા…
Nal se Jal scam Mahisagar: મહીસાગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત થયેલા આશરે 123 કરોડ રુપિયાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ કૌભાંડમાં 12 મુખ્ય આરોપીઓમાંથી અલ્પેશ પરમારને CID ક્રાઇમ બ્રાન્ચે સાઠંબા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે અલ્પેશ પરમાર વાસ્મો (WASMO) કચેરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો અને કૌભાંડના મુખ્ય પાયાઓમાંનો એક માનવામાં આવે છે. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મહીસાગર જિલ્લામાં 123 કરોડ રુપિયાના નલ સે જલ કૌભાંડમાં લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયરને CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી ઝડપીને લુણાવાડા કોર્ટમાં હાજર કરવામાં…
માઓવાદી ગતિવિધિઓને કારણે સાંજ પછી પણ મુસાફરી કરવી મુશ્કેલ હતી-લાલટેન રાજ દરમિયાન આ વિસ્તારોમાં લાલ આતંક વ્યાપી ગયો હતો.પટના, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મેગધી વિશ્વવિધ્યાલય ઉત્પાદન પર આવેલા એક વિશાળ સભામાં આરજેડી પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું કે, “લાલટન રાજ” (લાલુ અને રાબડીનો શાસન) દરમિયાન બિહાર અંધકારમાં ધકેલાઈ ગયેલું.પીએમ મોદીએ જણાવ્યું, “તમને યાદ છે, લાલટેન રાજ દરમિયાન આ વિસ્તારોમાં લાલ આતંક વ્યાપી ગયો હતો. માઓવાદી ગતિવિધિઓને કારણે સાંજ પછી પણ મુસાફરી કરવી મુશ્કેલ હતી. ગયા જેવા શહેરો અંધારીઓમાં ડૂબી રહેતા. હજારો ગામોમાં તો વીજળીના થાંભલા પણ નહોતા. નહીં શિક્ષણ, નહીં રોજગારી… આ લોકો પેઢીને બિહાર છોડવા માટે મજબૂર કર્યા.”“NDA…
દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયતગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે DDU-GKYઅંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયોDDU-GKYના લાભાર્થીઓ,તેમના વાલીઓ અને રોજગાર પૂરી પાડતી સંસ્થાના પ્રતિનિધિઓએ યોજના અંગે પોતાના અનુભવો વર્ણવ્યાગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તેDDU-GKYહેઠળ તાલીમ પ્રાપ્ત કરીને રોજગારી મેળવેલ ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા…
અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૮ ટકા વરસાદ વરસ્યો*રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ*રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં,કચ્છમાં ૭૮.૮૧ ટકા,સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા,ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ,સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે,સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા…
અમરેલી, અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે દરિયામાં કરંટ વધી ગયો છે. આ દરમિયાન અમરેલીના દરિયામાં ગુમ થયેલી બે બોટનો સંપર્ક થઈ ગયો છે. આ બંને બોટમાં સવાર ૧૭ ખલાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.આ બોટ જાફરાબાદના શિયાળબેટની ‘લક્ષ્મીપ્રસાદ’ અને ‘ધન્વંતિ’ નામની હતી. બંને બોટમાં સવાર કુલ ૧૯ ખલાસીઓ કિનારા તરફ પરત આવી રહ્યા છે. જોકે, બે દિવસ પહેલાં એટલે કે ૧૯ આૅગસ્ટના રોજ ગુમ થયેલા ૧૧ માછીમારોનો હજુ પતો લાગ્યો નથી.જાફરાબાદથી ૧૮ નોટિકલ માઈલ દૂર ‘જયશ્રી તાત્કાલિક’, ‘દેવકી’ અને રાજપરાની ‘મુરલીધર’ નામની ત્રણ બોટ ડૂબી ગઈ હતી. આ ત્રણેય બોટમાં કુલ ૨૮ માછીમારો સવાર હતા, જેમાંથી ૧૭ને બચાવી…
Ambalal Patel weather prediction: ગુજરાતના ‘બાબા વેંગા’ અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન ગરબા રમનારાઓ માટે તણાવ વધારનારી અગાહી (ચેતવણી) આપી છે. હવામાનની સચોટ આગાહી કરનારા અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા શક્તિની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન, રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોટા ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હજારો લોકો આમાં ભાગ લે છે. આ કાર્યક્રમોની તૈયારીઓ ઘણા મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. ગુજરાતમાં 5 સૌથી મોટા ગરબા કાર્યક્રમો: 1. યુનાઇટેડ વે વડોદરા 2. વડોદરા નવરાત્રી મહોત્સવ (VNF) 3. અમદાવાદ રાજપથ…
સુરત, હીરા ઉદ્યોગની મંદી ઉપરાંત મધ્યમ વર્ગની કથળતી જતી આર્થિક સ્થિતિને લીધે વધુ બે વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિન આપઘાતની ઘટના નોંધાઈ છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વતની અને હાલ વેડરોડની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય હીરાલાલ ગંગારામ ગરાજણા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.ગઈકાલે સાંજે સિંગણપોર કોઝ-વે રોડ પાસે હીરાલાલે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને કરી હતી. જેથી પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું ગઈકાલે રાત્રે મોત થયું હતું. પરિવારે આર્થિક તંગીમાં…
દાહોદ, દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિત આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.જેમાં દાહોદના ખંગેલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજુરી કામ કરતો અરવિંદ હિમલાભાઈ વહોનિયા દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતો હતો તેને સંતાનમાં બે બાળકો અને એક બાળકી હતી, જેમાં અરવિંદ હિમલા વહોનિયા બે દિવસ પહેલા અન્ય જિલ્લામાંથી મજુરી કામ કરી પોતાના વતન ગામે આવ્યો હતો તેના પરિવાર સાથે અને બીજા દિવસે પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશના માંડલી ગામે ગયો હતો.જ્યાં બહેન પાસેથી ૫૦૦ રુપિયા લઇને પરત આવવા રવાના થયો હતો.અરવિંદ બહેનના ઘરેથી પરત…
