વડાપ્રધાન મોદીએ કોલકાતામાં ૫,૨૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યોકોલકાતા, બિહારના ગયાજી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ૫,૨૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આમાં મુખ્યત્વે ત્રણ નવા મેટ્રો રૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાવડા સ્ટેશન પર સબવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૭.૨ કિમી લાંબા કોના એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.જાહેર સભાને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવે તે જરૂરી છે જેથી કેન્દ્ર સરકાર…
Author: gujarat
Gujarat Government Advertisement Expenditure: સામાન્ય રીતે 5, 10, 25 કે 50 વર્ષ જેવી અવધિના પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ 23 વર્ષ પૂર્ણ થવા પર જાહેરખર્ચે ઉજવણી કરવી એ અનોખી ઘટના છે. ગુજરાતમાં આવી ઘટના ત્યારે બની જ્યારે 7 ઓક્ટોબર 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવા બદલ રાજ્ય સરકારે વિશાળ જાહેરાતો આપીને અભિનંદન આપ્યા. આ પ્રસંગે “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” અને “વિકાસ સપ્તાહ” નામે જાહેરાત ઝુંબેશ ચલાવવામાં આવી. તેમાં મોદીનો મુખ્યમંત્રી તરીકે શપથ લીધેલો જુનો ફોટો તેમજ વર્તમાન ફોટો મૂકાયો હતો. સાથે જ, તેમની પ્રશંસામાં અનેક વિશેષણો પણ લખાયા હતા.…
ધક્કો મારીને પાડી નાખી-મારી પાછળ દોડી આવી મારા વાળ પકડી હાથની આંગળીઓ મચકોડી નાખીલવકુશ નગરમાં રહેતા નીલમબેન નીતેશભાઇ મિસ્ત્રીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વડોદરા, વડોદરાના વાઘોડિયા રોડ પર ડી માર્ટની પાછળ લવકુશ નગરમાં રહેતા નીલમબેન નીતેશભાઇ મિસ્ત્રીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેં મારા નાના ભાઈ વિજય મુરલીધર શર્મા (રહે-સુર્યા ફ્લેટ દત્ત મંદિરની સામે, મહાદેવ તળાવની બાજુમાં) ને આઠ મહિના અગાઉ ૧૫૦૦૦ રૂપિયા આપ્યા હતા.તે પરત લેવા માટે હું વારંવાર ફોન કરતી હતી પરંતુ તે મને પૈસા આપતો નહોતો. જેથી ગત ૨૦ મી તારીખે હું મારા ભાઈના ઘરે ગઈ હતી અને મારી માતાને વાત કરી હતી.…
Syrian Gang Fraud Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ગાઝા પીડિતો તરીકે પોતાને ઓળખાવીને મસ્જિદોમાંથી પૈસા એકઠા કરતી હતી. આ કેસમાં પોલીસે અલી મેઘાટ અલઝહર નામના સીરિયન નાગરિકની ધરપકડ કરી છે. તે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે આ પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરી રહ્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ તેના ત્રણ સાથીઓ ફરાર છે. તેમની શોધ ચાલી રહી છે. પોલીસનો દાવો છે કે ત્રણેયની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આવી પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે: પોલીસક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ સફળતા થશે પ્રદર્શિતવર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા મોખરે; સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાનેગાંધીનગર, 23 ઓગસ્ટ: તાજેતરના વર્ષોમાં ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે, સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સનું સૌથી મોટું નિકાસકાર પણ બન્યું છે. આ સફળતા ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પણ ઝળકશે, જે આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં યોજાશે.ભારતમાં પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં અનુકૂળ હવામાન હોવાને કારણે ફ્રોઝન બટાટાના ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું છે. હાઇફન ફૂડ્સ,…
એક લીવર અને બે કિડનીનું દાન મળ્યુંઃ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૦૭ મું અંગદાનસિવિલ હોસ્પિટલને મળ્યું ૨૩મું સ્કિન ડોનેશન –ઘરે જઇ સિવિલ હોસ્પિટલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોકટરો એ મૃતક દર્દીની ત્વચા લઈ સ્વીકાર્યું ત્વચા દાનદાનના સંસ્કારોથી સિંચાયેલો પટેલ પરીવાર, દીકરા તેમજ દીકરી એ માતા-પિતાના મ્રુત્યુ બાદ તેમના ત્વચાના દાનનો નિર્ણય કરી સમાજને આપ્યો પ્રેરણાદાયી સંદેશ-પતિ પત્ની બંને એ મ્રુત્યુ પછી સ્કીન દાન કરી હોય તેવો પ્રથમ કિસ્સોઅમદાવાદ, સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ વિગતો આપતા જણાવેલ કે તારીખ ૨૩/૦૮/૨૦૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલ ના સ્કીનબેંક ના હેલ્પલાઇન નંબર ઉપર અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર શ્રધ્ધા બાળકો ની…
નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.રોડ શો રુટ : હરી દર્શન સર્કલ – યુનીયન બેંક ચાર રસ્તા – મેંગો સિનેમા ચાર રસ્તા – સભા સ્થળ છે.શહેરી વિકાસ વિભાગના ₹2548 કરોડ અને રેલવે વિભાગના ₹1404 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે-મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના કામોની ભેટઅમદાવાદ શહેરમાં ₹2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ₹916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેનો હેતુ અમદાવાદમાં વીજ વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ અને તેનું વિસ્તરણ કરવાનો છે.₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના…
અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર – શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધશ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો : અંબાજી મહા મેળા માટે QR કોડ આધારિત પાર્કિંગ ટિકિટ સહિત ગૂગલ મેપ લોકેશન ઉપલબ્ધ થશેપાલનપુર, શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી વ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના…
પ્રાથમિક,માધ્યમિક,પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિશિક્ષણ વિભાગની રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે તૈયાર કરાયેલ વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવો,નીતિઓ,પરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળશેઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રાથમિક,માધ્યમિક,પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે શિક્ષણ વિભાગ અને તેના હસ્તકના ૮ ખાતાના વડાની કચેરીઓ સહિત કુલ ૯ જેટલી વેબસાઈટનું ગાંધીનગર ખાતેથી રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન અન્વયે વિકસિત ગુજરાત@૨૦૪૭ના ભાગસ્વરૂપે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. જે અંતર્ગત આજે રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે…
