Author: gujarat

જુદા જુદા ઝોનમાં રોડ ખુલ્લા કરવાની અને પ્લોટનો કબજો લેવાની એસ્ટેટ ખાતાની ઝુંબેશ(એજન્સી)અમદાવાદ, શહેરની અનેક ખાનગી સોસાયટીઓમાં પીજીનો વિવાદ શમતો નથી તેવી જ રીતે મ્યુનિ.ની આવાસ યોજનાઓમાં મકાન મળ્યા બાદ ભાડે આપીદેવાની ગેરરીતિ પણ બેરોકટોક આચરવામાં આવે છે.ઉત્તર પશ્ચિમ ઝોનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા એલઆઈજી-૧પ શિવાલય હાઈટ્‌સમાં મકાનો ભાડે અપાતા હોવાની ફરિયાદોના આધારે મ્યુનિ. એસ્ટેટ ખાતાએ ચેકિંગ હાથ ધર્યું હતુંજેમાં ૪૦ મકાનોમાં ચેકિંગ દરમિયાન એક મકાન સીલ કરી દેવાયું હતું અને ૧૬ મકાન માલિકોને અંતિમ નોટિસ તથા એકને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. ફકત ૧૧ આવાસમાં મૂળ લાભાર્થી રહેતા હોવાનું જણાયું હતું તેમજ રર આવાસને તાળા મારેલા જણાયા હતા.ઉત્તર…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈ ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતિ રહેશેમહાત્મા મંદિર ખાતે આગામી તા.૧ માર્ચે‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬‘યોજાશે -વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાGandhinagar, જ્યારે દુનિયાની સામે કોવિડ- ૧૯ ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમીકન્ડક્ટર છે.સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ હતી. આ એક મોટો પડકાર હતો,આ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું જેને પરિણામે આજે દેશ સેમીકન્ડક્ટર સહિતના ફિફ્થ જનરેશન સ્માર્ટ…

Read More

GLP-1 ઉપચાર માટે દર્દીઓની પહોંચને વિસ્તારે છેઝાયડસે પ્રીફિલ્ડ કાર્ટ્રિજમાં એક ઇનોવેટિવ સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન (15 મિલિગ્રામ/3 મિલી) વિકસાવ્યું છે જેને પેશન્ટ-ફ્રેન્ડલી રિયુઝેબલ પેનનો ઉપયોગ કરીને આપવામાં આવે છે જેના માટે કંપની પાસે વિશિષ્ટ અધિકારો છેઅમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી ધરાવતી નવીનતા સંચાલિત લાઇફ સાયન્સિસ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (તેની પેટાકંપનીઓ/સહયોગી કંપનીઓ સહિત,જેને હવેથી“Zydus”તરીકે ઓળખવામાં આવશે) ભારતમાં સેમાગ્લુટાઇડ પેટન્ટ પૂરી થવા પર –SEMAGLYNTM, MASHEMATMઅનેALTERMETMબ્રાન્ડ નામો હેઠળ સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ અગાઉ ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ અને સ્થૂળતાની સારવાર માટે સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપી હતી.1Zydus plans to launch…

Read More

જે. જે. પટેલે ફોજદારી બારમાંથી વકીલોની સેવા કરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદ સુધી પહોંચ્યા પણ સમગ્ર વકીલ આલમની જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, રાજકારણ જોયા વગર ફકત સેવા કરી છે ! અને ભાડા-ભથ્થા ઘેર નથી લઈ ગયા એ મોટી વાત છે ?!!એવા વકીલ ઉમેદવારો ચૂંટો જે વ્યવસાયે વકીલ હોય કારણ કે આજકાલ કથિત ભૂતિયા વકીલ મતદારો પણ ઘણાં હોવાનું મનાય છે !અમેરિકન મહિલા ઉદ્યોગપતિ, સાહસિક અને કોસ્મેટીક ઈન્કના સ્થાપક મેરી કે. એશ કહે છે કે, “મોટા ભાગના લોકો ડ્રોઈંગ રૂમમાં પિયાનો સજાવીને પરલોક સિધાવી જાય છે, એમણે કયારેય એ વગાડવાની હિમ્મત નથી કરી હોતી”!! જયારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન…

Read More

૧૫ વર્ષ બાદ પણ પુનર્વસન,પા‹કગ અને રિવરફ્રન્ટ સહિતની મૂળભૂત સુવિધાઓ અધુરી રહેતા મામલતદારને આવેદનપત્ર અપાયું(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામના અટકેલા વિકાસ, વિસ્થાપિતોના પુનર્વસન, તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવા તેમજ યાત્રાળુઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે આજે શામળાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રી, શામળાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે શામળાજી ખાતે વિકાસ માટે ડિમોલેશન અને આયોજનની પ્રક્રિયા વર્ષ ૨૦૧૧માં કરવામાં આવી હતી. પરંતુ આજે ૧૫ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિકાસની કામગીરી ખૂબ મર્યાદિત રહી છે.માત્ર મંદિર પરિસરનો જ વિકાસ કરવામાં આવ્યો છે, જ્યારે વિકાસના નામે અંદાજે ૧૦૦થી વધુ…

Read More

સંકલ્પ હબથી સશક્તિકરણ..(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રહેતી અમીબેન ભાવસાર એક સામાન્ય ગૃહિણિ હતી, પરંતુ તેમની અંદર છુપાયેલી અસાધારણ સર્જનાત્મકતા અને હિંમતે તેમને આજે આત્મનિર્ભર મહિલા ઉદ્યમી તરીકે ઓળખ અપાવી છે.છેલ્લા ૧૫-૧૬ વર્ષથી તેઓ ઘરેથી જ હસ્તકળા (હેન્ડીક્રાફ્‌ટ)નો બિઝનેસ કરી રહ્યા છે, જેમાં તેઓ આકર્ષક અને સુંદર વસ્તુઓ બનાવીને લગ્નપ્રસંગો, મામેરા તથા અન્ય ઉત્સવ-પ્રસંગો માટે વિશેષ સજાવટ કરી આપે છે.બાળપણથી જ હસ્તકળા પ્રત્યે ઊંડો રસ ધરાવતી અમીબેનના પારિવારિક સમર્થને કારણે અમીબેન પોતાની પ્રતિભાને વિસ્તાર આપી શક્યા.આ સફરમાં મહત્વની ભૂમિકા ભજવી છે સંકલ્પઃ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન એ. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના તાબા હેઠળના આ હબ…

Read More

વડિયા, વડિયા કુંકાવાવ તાલુકાનું અંતરિયાળ ગામ દેવળકી આમ તો રાજકીય સીમાંકન પીડિત ગામ છે. તેના સંસદસભ્ય પોરબંદર, ધારાસભ્ય જેતપુર અને જિલ્લા તાલુકાના સદસ્ય અમરેલીમાં આવે છે તેથી આ ગામના લોકોના પ્રશ્રો અને મુંઝવણ દૂર કરવા સતત મથામણ કરતા જોવા મળે છે.આ ગામના લોકોને વ્યવસ્થિત કાયમી પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વાસ્મો યોજનામાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ઉંચી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી બન્યાના બે વર્ષ થયા. પરંતુ આ ટાંકી બનતી હતી ત્યારથી નબળી ગુણવત્તાવાળા કામ બાબતે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા.પરંતુ ગામમાં પાછળના ત્રણ વર્ષમાં વહીવટદાર શાસન હોવાથી જાણે કોઈ સાંભળનાર જ…

Read More

તા.ર૬.ર.ર૬ ના રોજ મુખ્યમંત્રી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ર રજૂ દાખલ થતાં બંને કચેરીના અધિકારીઓની દોડધામ વધી છે. ગારિયાધાર, શહેરમાં પાલિતાણા રોડનો એસટી સ્ટેન્ડથી પંચમુખી હનુમાન મંદિર સુધીનો રસ્તો આઈકોનિક રોડ સરકાર દ્વારા જાહેર કરાયેલો છે. આ રોડમાં કોમર્શિયલ હેતુ માટે કરેલ દબાણ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા વચ્ચે હાથ તાળીના ખેલ શરૂ થયા છે.પાલિતાણા રોડ ઉપર આવેલા કોમર્શિયલ બાંધકામ માટે મનફાવે તેવા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જેને લઈને એક અરજદાર પ્રવીણભાઈ કંટારીયા દ્વારા તા.ર૭.ર.રપ ના રોજ નગરપાલિકા કચેરી ખાતે દબાણ દૂર કરવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને જે તે…

Read More

અમદાવાદ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ),અમદાવાદ કાર્યાલય દ્વારા આજે ગુજરાતભરમાં કાર્યરત શહેરી સહકારી બેંકો (યુસીબી)ના મુખ્ય કાર્યકારી અધિકારીઓ,વરિષ્ઠ વ્યવસ્થાપન અને આઈટી આગેવાનો માટે સાયબર-સક્ષમ છેતરપિંડીથી લડવા પર વર્કશોપનું આયોજન કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આરબીઆઈ અમદાવાદ કાર્યાલય ના ક્ષેત્રિય નિદેશક શ્રી અમરેશ રંજન દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય વક્તાઓમાં ગાંધીનગર સાયબર સેન્ટર ફોર એક્સલન્સના પોલીસ અધિક્ષક શ્રી સંજય કુમાર કેશવાલા અને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી તન્વી રાઘુવંશીનો સમાવેશ થાય છે. વર્કશોપમાં ગુજરાતના100થી વધુ યુસીબીના સીઈઓ અને અન્ય વરિષ્ઠ આગેવાનોએ હાજરી આપી.ક્ષેત્રિય નિદેશકે તેમના મુખ્ય પ્રવચનમાં સાયબર-સક્ષમ નાણાકીય છેતરપિંડીમાં,ખાસ કરીને “ડિજિટલ ધરપકડ” ના ભય પર તાજેતરના વધારા પર પ્રકાશ પાડ્યો. તેમણે…

Read More

શિક્ષણ મંત્રીએ બોર્ડની પરીક્ષાઓના વિદ્યાર્થીઓને કારકિર્દીમાં ઉચ્ચ શિખરો સર કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીસમગ્ર રાજ્યમાં ૧૭૦૧ પરીક્ષા કેન્દ્રો પર આજથી અંદાજે ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા‌નો‌ પ્રારંભગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મોઢું મીઠું કરાવી,ગુલાબનું ફૂલ આપી અને રાઇટીગ પેડ-પેન અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ કોઈપણ જાતના…

Read More