મેયર પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના સ્થાપના દિવસ ૨૬ ફેબ્રુઆરી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી.આ યાત્રામાં માતાજીનો સજાવટદાર રથ, નાસિક ઢોલના તાલ, ગજરાજ, વિવિધ અખાડા, અખાડાના કલાકારોના દમદાર પ્રદર્શન, ભજન મંડળીઓના ભક્તિમય ગાન અને મોટી સંખ્યામાં જોડાયેલા વાહનોનો કાફલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.Ahmedabad, Mayor, Pratibhaben Jain says, “Today on 26-02-2026 is Ahmedabad’s foundation day, and heartfelt greetings to all the city residents. The 6 km-long Nagar Yatra of Goddess Bhadrakali, in which local akhadas and residents are participating, is providing a spiritual experience and is a matter…
Author: gujarat
(એજન્સી)ઉના, ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ એનસીટીઈની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં એનસીટીઈ દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી.આ કૌભાંડમાં જવાબદારોએ એનસીટીઈના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ…
ભૂમિકા રાઠવા નામની વિદ્યાર્થિનીને પરીક્ષાના એક દિવસ અગાઉ જ પગમાં ફેક્ચર થયું હતું(એજન્સી)બોડેલી, શિક્ષણના મહત્ત્વ અને પિતા-પુત્રીના અનોખા સંબંધની એક હૃદયસ્પર્શી ઘટના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સામે આવી છે. ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા જ પગમાં ફેક્ચર થવા છતાં, પિતાના અડગ મનોબળ અને શાળા સંચાલકોના સહયોગથી એક વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વગર પોતાની પરીક્ષા આપી હતી.બોડેલીની શેઠ એચ.એચ. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦ની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન ભૂમિકા રાઠવા નામની વિદ્યાર્થિનીને પરીક્ષાના એક દિવસ અગાઉ જ પગમાં ગંભીર ફેક્ચર થયું હતું.ચાલવામાં અસમર્થ હોવા છતાં ભૂમિકાનું વર્ષ ન બગડે તે માટે તેના પિતા આત્મારામભાઈએ મક્કમ નિર્ધાર કર્યો હતો. તેઓ પોતાની દીકરીને કારમાં…
(એજન્સી)રાજકોટ, રાજકોટના પેલેસ રોડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં મોડી રાત્રે આગ લાગવાની અત્યંત કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં લાગેલી આગના ધુમાડામાં ગૂંગળાઈ જવાથી વૃદ્ધા અને તેમના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદ શહેરના વેજલપુરમાં તાજેતરમાં મોડી રાતે લાગેલી આગની ઘટનામાં પિતા-પુત્રના મોત થયાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં હવે રાજકોટમાં મકાનમાં આગ લાગવાની ઘટનામાં માતા-પુત્રના મોતની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો.રાજકોટમાં મનમંદિર એપાર્ટમેન્ટના મકાનમાં શોર્ટસરકીટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે. જો કે, એફએસએલની તપાસના અંતે જ આગનું ચોક્કસ કારણ જાણી શકે છે.…
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો છે. તેમણે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ (૧૦૦ મિલિયન) ફોલોઅરનો આંકડો પાર કર્યો અને આવું કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા બન્યા છે. પીએમ મોદી ૨૦૧૪થી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને છેલ્લા ૧૦ વર્ષમાં તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ આકર્ષક પ્લેટફોર્મ બની ગયું છે.૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામમાં જોડાનારા વડાપ્રધાન મોદીના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા વધુ ફોલોઅર્સ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણી છે, જેમના હાલમાં ૪૩.૨ મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ટોપ-૫ નેતાઓના સંયુક્ત ફોલોઅર્સની સંખ્યા પીએમ મોદીની વ્યક્તિગત સંખ્યા કરતા ઓછી છે.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના ૧૫ મિલિયન ફોલોઅર્સ…
ગાંધીનગર, ભારતના સૌથી ઝડપથી વિકસતા સોલર ટેક્નોલોજી ઉત્પાદકોમાંના એક, લૂમ સોલર (Loom Solar), ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 25 થી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાઈ રહેલા ‘ધ સ્માર્ટર ઈ ઈન્ડિયા – ઈન્ટરસોલર એક્સ્પો ગુજરાત 2026’ માં ભાગ લઈ રહ્યું છે.પશ્ચિમ ભારત રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે કંપનીની આ સહભાગિતાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક હાજરી મજબૂત કરવાનો અને EPC કોન્ટ્રાક્ટરો, વિતરકો, પ્રોજેક્ટ ડેવલપર્સ તથા C&I ગ્રાહકો સાથે ભાગીદારી વિસ્તારવાનો છે.લૂમ સોલરના કો- ફાઉન્ડર અને ડિરેક્ટર, અમોદ આનંદે જણાવ્યું હતું કે: “પશ્ચિમ ભારતમાં રૂફટોપ અને C&I (કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ) સેગમેન્ટમાં સોલરનો ઝડપી સ્વીકાર જોવા મળી રહ્યો છે. હવે…
રાજકોટ, રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં લાગેલી આગને કારણે ગૂંગળામણ થવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું છે.આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે પૌત્ર બહાર હોવાથી તેનો બચાવ થયો છે.રાજકોટના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર ૮માં આવેલા ‘મનમંદિર એપાર્ટમેન્ટ’ ના ચોથા માળે, બ્લોક નંબર સી-૪૦૨માં ગત રાત્રે આશરે ૧૨ વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં હોલ અને રસોડામાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી.આગ લાગી ત્યારે રૂમમાં ૯૨ વર્ષીય પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને…
સુઈગામ, સુઈગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીકથી ટ્રેઈલરમાંથી ૪.૬૩૩ કિલો ગ્રામ પોષડોડા સાથે રૂ. ૧૦,૭૯,૪૯૫નો મુદ્દામાલ જપ્ત કરી બે જણાને ઝડપી લીધા હતા.તેમજ માલ આપનાર અને મંગાવનાર સહિત ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.મંગળવારે રાત્રે સુઈગામ પી.આઈ. પોલીસ સ્ટાફના માણસો સાથે ભારતમાલા હાઈવે પરના જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક ટ્રેઇલરને ઊભું રખાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ૪.૬૩૩ કિલોગ્રામ પોષડોડા મળી આવ્યા હતા.આ અંગે ડ્રાઈવર તેમજ ક્લિનરને ઝડપી કડક પૂછતાછ કરતાં આ પોષડોડા સામખીયાળીના એક વ્યકિતએ મંગાવેલા હોવાનું જણાવ્યું હતું. આ અંગે સુઈગામ પોલીસે બંને જણાની અટકાયત કરી…
ઉના, ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ એનસીટીઈની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.વાસ્તવમાં એનસીટીઈ દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ એનસીટીઈના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે.આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો…
અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં અને કરડતાં કૂતરાંની સમસ્યા ગંભીર બની છે, છેલ્લા પાંચ વર્ષનાં આંકડા જોતાં દરરોજ સરેરાશ ૧૮૪ લોકોને કૂતરાં કરડ્યાની વિગતો મ્યુનિ. ચોપડે નોંધાઇ છે.મ્યુનિ. સામાન્ય સભાની બેઠકમાં ઝીરો અવર્સની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષનેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં રખડતાં અને કરડતાં શ્વાનનો આતંક જોવા મળે છે.કૂતરાં પકડવાથી માંડીને તેને પાંજરે પૂરવા સહિતની મ્યુનિ.ની જૂની પરંપરાગત પદ્ધતિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયા બાદ રખડતાં કૂતરાંની સંખ્યામાં વધારો થયો છે અને શિયાળાની મોસમમાં તો રખડતાં કૂતરાં વધુ આક્રમક બનતાં હોવાનું જણાયુ છે.જાહેર માર્ગાે ઉપર અને સોસાયટીઓ-ચાલીઓમાં આવતાંજતા નાના બાળકો સહિત નાગરિકોને કૂતરાં કરડી જવાનાં કિસ્સા…
