રાજકોટ, રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં લાગેલી આગને કારણે ગૂંગળામણ થવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું છે.આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે પૌત્ર બહાર હોવાથી તેનો બચાવ થયો છે.રાજકોટના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર ૮માં આવેલા ‘મનમંદિર એપાર્ટમેન્ટ’ ના ચોથા માળે, બ્લોક નંબર સી-૪૦૨માં ગત રાત્રે આશરે ૧૨ વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં હોલ અને રસોડામાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી.આગ લાગી ત્યારે રૂમમાં ૯૨ વર્ષીય પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને…
Author: gujarat
સુઈગામ, સુઈગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીકથી ટ્રેઈલરમાંથી ૪.૬૩૩ કિલો ગ્રામ પોષડોડા સાથે રૂ. ૧૦,૭૯,૪૯૫નો મુદ્દામાલ જપ્ત કરી બે જણાને ઝડપી લીધા હતા.તેમજ માલ આપનાર અને મંગાવનાર સહિત ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.મંગળવારે રાત્રે સુઈગામ પી.આઈ. પોલીસ સ્ટાફના માણસો સાથે ભારતમાલા હાઈવે પરના જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક ટ્રેઇલરને ઊભું રખાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ૪.૬૩૩ કિલોગ્રામ પોષડોડા મળી આવ્યા હતા.આ અંગે ડ્રાઈવર તેમજ ક્લિનરને ઝડપી કડક પૂછતાછ કરતાં આ પોષડોડા સામખીયાળીના એક વ્યકિતએ મંગાવેલા હોવાનું જણાવ્યું હતું. આ અંગે સુઈગામ પોલીસે બંને જણાની અટકાયત કરી…
ઉના, ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ એનસીટીઈની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.વાસ્તવમાં એનસીટીઈ દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ એનસીટીઈના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે.આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો…
અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં અને કરડતાં કૂતરાંની સમસ્યા ગંભીર બની છે, છેલ્લા પાંચ વર્ષનાં આંકડા જોતાં દરરોજ સરેરાશ ૧૮૪ લોકોને કૂતરાં કરડ્યાની વિગતો મ્યુનિ. ચોપડે નોંધાઇ છે.મ્યુનિ. સામાન્ય સભાની બેઠકમાં ઝીરો અવર્સની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષનેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં રખડતાં અને કરડતાં શ્વાનનો આતંક જોવા મળે છે.કૂતરાં પકડવાથી માંડીને તેને પાંજરે પૂરવા સહિતની મ્યુનિ.ની જૂની પરંપરાગત પદ્ધતિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયા બાદ રખડતાં કૂતરાંની સંખ્યામાં વધારો થયો છે અને શિયાળાની મોસમમાં તો રખડતાં કૂતરાં વધુ આક્રમક બનતાં હોવાનું જણાયુ છે.જાહેર માર્ગાે ઉપર અને સોસાયટીઓ-ચાલીઓમાં આવતાંજતા નાના બાળકો સહિત નાગરિકોને કૂતરાં કરડી જવાનાં કિસ્સા…
અમદાવાદ, એકતરફ ગૃહ વિભાગ સિનિયર સિટીઝનોની મદદ કરવા પોલીસ વિભાગને સૂચવે છે પરંતુ કેટલાક પોલીસ સ્ટેશનનો સ્ટાફ કે અધિકારીઓ સિનિયર સિટીઝનની મદદ કરવા કે કાર્યવાહી કરવાની જગ્યાએ તેમને ધક્કા ખવડાવી ચપ્પલ ઘસી નાખવા મજબૂર કરે છે.શહેરમાં રહેતા સિનિયર સિટીઝનને વાસણા પોલીસનો આવો જ કડવો અનુભવ થયો છે. ૫૬ વર્ષીય સિનિયર સિટીઝન મહિલાએ જૂનાગઢની એક મહિલાને દોઢ લાખ રૂપિયા આપ્યા બાદ તે મહિલા રૂપિયા પરત આપતી નહોતી.ભોગ બનનાર સિનિયર સિટીઝન એક પરિવારના ઘરે રસોઇકામ માટે ગયા ત્યારે ત્યાં કચરા પોતાનું કામ કરતી મહિલાએ તેનો ભાઇ શાહીબાગ સરકારી કચેરીમાં છે અને તે રૂપિયા કઢાવી આપશે તેવો વાયદો કર્યાે હતો. બાદમાં ગઠિયાએ પોતે…
અમદાવાદ, શહેરનાં વિસ્તરણ સાથે આગ જેવી કુદરતી અને માનવસર્જીત હોનારતોનાં કિસ્સામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે, ત્યારે પાંચ વર્ષમાં આગ-અકસ્માતોનાં કારણે લોકોની ૪૪૦ કરોડની વિવિધ પ્રકારની મિલકતો સ્વાહા થઇ ગયાનો દાવો ફાયર બ્રિગેડ તરફથી આપવામાં આવેલી માહિતીનાં આધારે મ્યુનિ. કોંગ્રેસ પક્ષનેતાએ કર્યાે હતો.મ્યુનિ. સામાન્ય સભાની રાબેતા મુજબની બેઠકમાં ઝીરો અવર્સનાં પ્રારંભે મ્યુનિ. વિપક્ષનેતાએ જણાવ્યું હતું કે, રોડ, પાણી, ગટર વગેરે પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની મ્યુનિ.ની ફરજ છે, તેની સાથે સાથે જાતજાતની કુદરતી અને માનવસર્જીત હોનારત-દુર્ઘટના-અકસ્માત વગેરેમાં પણ રાહત બચાવ વગેરે પ્રકારની કામગીરી કરવાની જવાદારી પણ મ્યુનિ.તંત્રની છે, જેના માટે ફાયર બ્રિગેડ વિભાગની રચના કરવામાં આવેલી છે.તેમણે કહ્યું કે, ઉનાળાની મોસમ…
ભરૂચ, રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જ્યારે આજે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.સોમવારે વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેજ ઠંડા પવનો અને ઝરમર વરસાદને કારણે વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે.તૈયાર…
અમદાવાદ, શહેરમાં વધી રહેલા માનવ તસ્કરીના કિસ્સાઓ વચ્ચે હિંમતનગરથી નવજાત શિશુને ખરીદી હૈદરાબાદ વેચવા જવાના રેકેટમાં પકડાયેલી મહિલા આરોપી વંદના જીગરભાઈ પંચાલની નિયમિત જામીન અરજી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, બાળ તસ્કરી જેવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે સમાજ માટે અત્યંત ગંભીર બાબત છે.ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની અસરોને ધ્યાને રાખી આરોપીને જામીન આપી શકાય નહીં. નોંધનીય છે કે, વંદના પંચાલ ગુજરાતના આંતરિયાળ ગામોમાંથી બાળ તસ્કરીના રેકેટમાં વચેટિયા તરીકે કામ કરતી હતી.૨૮ જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વંદના પંચાલ અને તેના સાથીદારો હિંમતનગરથી એક નવજાત બાળકને ગેરકાયદે…
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનો કેસ ઝડપાયો છે. અબુધાબીથી અમદાવાદ આવેલા શાહરૂખ નામના મુસાફરે શરીરમાં સોનાની કેપ્સુલ છુપાવા હતી.આ અંગે અધિકારીઓને જાણ થતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સારવાર આપી તેના પેટમાંથી ૨૧.૯૦ લાખનું ૧૩૫ ગ્રામ સોનાની ત્રણ કેપ્સુલ મળ માર્ગ દ્વારા બહાર કાઢી હતી. સોનુ કબજે લઈ અધિકારીઓ દ્વારા શાહરૂખની આ દાણચોરી અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા કેરિયરની જે પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી છે તેના આધારે શાહરૂખને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી.અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી સતત વધી રહી છે ત્યારે કસ્ટમર અધિકારીઓ…
અમદાવાદ , રામોલ વિસ્તારમાં આવેલા કેસર હાઈટ્સ શોપિંગ સેન્ટરમાં સ્થિત ડેકોરેશનની દુકાનમાં તોડફોડની ઘટના નોંધાઈ હતી. દુકાનના વેપારીએ સંકેત ચૌધરી નામના યુવક વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, યુવક દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને દુકાનના માલિક વિશે પૂછપરછ કરતા ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. ત્યારબાદ તેણે હાથમાં રહેલી બેઝબોલ સ્ટિકથી દુકાનના દરવાજાના કાચ પર ફટકા મારીને કાચ તોડી નાખ્યો હતો. આ ઉપરાંત દુકાનમાં રહેલી અન્ય ચીજવસ્તુઓમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાના સમયે દુકાનમાં હાજર કર્મચારી ગભરાઈ ગયો હતો. બાદમાં કર્મચારીએ દુકાનમાલિકને જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપી અગાઉ પણ વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઊભેલા વાહનોમાં તોડફોડ કરવાના…
