Author: gujarat

સુરત, સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને લક્ષ્મી ગ્›પના સંચાલકો એવા ગજેરા બંધુઓની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. પી.એન.બી. કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સી સાથેના કથિત જોડાણો અને કરોડોની છેતરપિંડીના ગંભીર મામલે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ સુરત પોલીસે વસંત ગજેરા સહિત ૭ શખ્સો સામે ગુનો દાખલ કર્યાે છે.અગાઉ સ્થાનિક કક્ષાએ રજૂઆત છતાં કાર્યવાહી ન થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે એક્શનમાં આવવું પડ્યું છે.ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલ (ભૂતે) દ્વારા આ મામલે ઈકો સેલમાં અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ગજેરા બંધુઓ તપાસમાં હાજર રહ્યા નહોતા. આખરે ફરિયાદીએ હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન (૨૦૨૪/૨૦૨૬) દાખલ કરી હતી.જેની સુનાવણી બાદ…

Read More

અમદાવાદ, ટી૨૦ વર્લ્ડ કપના ત્રીજા સુપર ૮ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને દક્ષિણ આફ્રિકા સામે ૭૬ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ટી૨૦ વર્લ્ડ કપમાં સતત ૧૨ મેચ જીત્યા બાદ ટીમ હારી ગઈ.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં આફ્રિકન ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો.આફ્રિકન ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૭ રન બનાવ્યા. તેના જવાબમાં ભારતીય ટીમ ૧૮.૫ ઓવરમાં ૧૧૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. માર્કાે જેન્સને ૪ વિકેટ, કેશવ મહારાજે ૩ વિકેટ, કોર્બિન બોશે ૨ વિકેટ અને એડન માર્કરામે ૧ વિકેટ લીધી. શિવમ દુબે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે આક્રમક…

Read More

આજી નદી કિનારે લગભગ 1,500 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે.૬૪ JCB, ૯૦ ટ્રેક્ટર, ૭ હિટાચી, ૫૦ બ્રેકર, ૪૨ ગેસ કટર અને ૧૪ ડમ્પર સહિત ૨૬૦થી વધુ મશીનો, ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત, ૨૫ ડ્રોન કેમેરા અને ૩૦ વોકીટોકી દ્વારા મોનીટરીંગ-312 કરોડની જગ્યા ખુલ્લી થશેરાજકોટ, મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્‍તારમાં સોમવારે સવારથી જ શરૂ કરવામાં આવ્‍યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્‍તારને ૭ ઝોનમાં વહેંચવામાં આવ્‍યો છે. દરેક ઝોનમાં વર્ગ-૧ના અધિકારી, તકનિકી સ્‍ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્‍ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.શહેરના સુવ્‍યવસ્‍થિત વિકાસ, નદી કાંઠા વિસ્‍તારને ગેરકાયદેસર…

Read More

ઈન્ડિયા એ.આઈ. સમિટના કોંગ્રેસે કરેલા વિરોધને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવતાં મુખ્યમંત્રીશ્રીગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ દ્વારા ઈન્ડિયા એ.આઈ. સમિટના કરવામાં આવેલા વિરોધને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવ્યો છે. ભાજપનો વિરોધ કરતાં કરતાં કોંગ્રેસે હવે ભારતનો વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના આ વલણ અંગે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દ્રષ્ટિવાન નેતૃત્વમાં સમગ્ર વિશ્વએ “નવા ભારત”નો ઉદય એ.આઈ. ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતા દ્વારા સ્પષ્ટ રીતે જોઈ છે. આ સમિટ માત્ર એક કાર્યક્રમ નહિં,પરંતુ ભારતની ટેકનોલોજીક્ષેત્રે વધતી શક્તિ અને વૈશ્વિક નેતૃત્વની દિશામાં મજબૂત પગલું સાબિત થઈ છે.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે…

Read More

સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૩/૦૨/૨૬ના ઠરાવથી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્‌ટ) સિટીના ચેરમેન તરીકે હસમુખ અઢિયાને સ્થાને ઉદય સુરેશ કોટકની નિમણૂક કરવામાં આવી છે. આ ઘટના અંગે સચિવાલયમાં અનેક તર્કવિતર્ક ચાલે છે.સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો તો એવું કહેવાય છે કે હસમુખ અઢિયાના આગ્રહી સ્વભાવને કારણે તેઓને આ પદ પરથી વિદાય કરવામાં આવ્યા છે.મહત્વની વાત તો એ છે કે આ ઠરાવમાં હસમુખ અઢિયાને ‘દાઝ્યા પર ડામ’ આપ્યા હોય એવા શબ્દો વપરાયા છે.દા.ત.(૧)ઃ-તાત્કાલિક અસરથી’ એવો જે શબ્દપ્રયોગ થયો છે,જે ખરેખર ‘ચાર્જ સંભાળે ત્યારથી’ એ પ્રમાણે કરવામાં આવતો હોય છે.એમાં અઢિયાનો તેજોવધ થયો હોવાનું રાજકીય નિરીક્ષકો…

Read More

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ), ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા વસૂલતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. આરોપીઓએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક વ્યક્તિને ધમકાવતા તેને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે.ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષીય ઉર્વીશ બીપીન મોદી તા.૨૦ ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમને આંતરી પોતે સીઝરો હોવા છતાંય પોલીસ હોવાનું જણાવી ‘વાહનમાં નંબર પ્લેટ નથી’ કહી રૂપિયા ક્યારે આપશેની ધમકાવવાનું શરૂ કર્યું હતું.નકલી પોલીસનો રોફ અને…

Read More

આધ્ય મહેશ્વરી સોસાયટીમાં દસ દિવસથી પીવાના પાણીની તંગી(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં ઉનાળાની શરૂઆત થવાના આરે જ પાણીની સમસ્યાએ માથું ઉંચું કર્યું છે. શહેર નજીક આવેલી આધ્ય મહેશ્વરી સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની ભારે અછત સર્જાતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં ન ભરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.રહેવાસીઓના જણાવ્યા મુજબ, પાણી ન મળતા તેમને મજબૂરીએ વેચાતું પાણી ખરીદવું પડી રહ્યું છે, જેના કારણે ઘરખર્ચ પર વધારાનો બોજો આવી રહ્યો છે. હાલ સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલતા હોવાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. બહારગામથી આવેલા મહેમાનો માટે નાહવા-ધોવા અને પીવાનું સ્વચ્છ પાણી મેળવવું…

Read More

(પ્રતિનિધિ) નડીયાદ, નડીયાદ શહેરના વાણીયાવાડ સર્કલ પાસે આવેલી હિલપાર્ક સોસાયટી નજીક ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. જ્વેલર્સની દુકાનેથી દાગીના સાફ કરાવીને ભત્રીજા સાથે એક્ટિવા પર પરત ફરી રહેલા વૃદ્ધાના હાથમાંથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ નડીયાદ પોલીસ મથકે અંદાજે રૂ. ૧,૬૨,૩૦૦/- ની મત્તાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ નડીયાદની જલતરંગ સોસાયટીમાં રહેતા હીનાબેન પટેલ તેમના અમેરિકા રહેતા ભત્રીજા હેમલ પટેલ સાથે સવારના સમયે શહેરના મહાગુજરાત સર્કલ પાસે આવેલી ભાનુભાઈ જ્વેલર્સની દુકાને ગયા હતા.તેઓ પોતાના જૂના સોના-ચાંદીના દાગીના સાફ કરાવવા તેમજ અમેરિકા મોકલવા માટે…

Read More