(જી.એન.એસ) તા. 9 અમદાવાદ, આજથી (9 જુલાઈથી 11 જુલાઈ સુધી) ત્રણ દિવસ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. અમદાવાદ શહેરમાં આવેલા શેઢી કેનાલના દરવાજાનું રિપેરિંગ શરૂ થઈ રહ્યું છે. જેના કારણે શેઢી કેનાલના 3 ઝોનના 17 વોર્ડમાં પાણી કાપ રહેશે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અસર થશે. 3 દિવસ સુધી મણીનગર, ઈસનપુર, ઈન્દ્રપુરી, અમરાઈવાડી, હાટકેશ્વર, બાપુનગર, ઠક્કરનગર સહિત 17 વોર્ડમાં રહેતા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોટર કમિટીના ચેરમેન દિલિપ બગડિયાએ આ અંગે જણાવ્યું છે કે, શેઢી કેનાલમાં હાલ દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યુ છે. જેના કારણે પાણીનું લેવલ ડાઉન કરવામાં આવ્યુ છે. તેથી…
Author: gujarat
આજે બેંકિંગ, વીમા, પોસ્ટલ અને બાંધકામ જેવા જાહેર સેવા ક્ષેત્રોના 25 કરોડથી વધુ કામદારો દેશવ્યાપી હડતાળ અથવા ભારત બંધનું એલાન (જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, આજે 9 જુલાઈ, બુધવારના રોજ દેશવ્યાપી હડતાળ થવાની તૈયારી છે, કારણ કે ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્રોના 25 કરોડથી વધુ કામદારો 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છે. આ હડતાળને કારણે બેંકિંગ, વીમા, પરિવહન, વીજળી અને પોસ્ટલ કામગીરી સહિતની આવશ્યક સેવાઓ ખોરવાઈ જવાની ધારણા છે, જેમાં ખેડૂત જૂથો અને ગ્રામીણ કામદાર સંગઠનોનો વધારાનો ટેકો મળશે. હડતાળ પાછળ શું છે? સંયુક્ત ટ્રેડ યુનિયન ફોરમે કહ્યું કે આ…
મેષ આજે મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે. વૃષભ આજના દિવસે મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ…
રાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી કામોમાં ગુણવત્તા જળવાય-પ્રજાજનોના જન જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે. વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય…
અમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ (જી.એન.એસ) તા. 7 અમદાવાદ, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી…
‘આત્મનિર્ભર ભારત’: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી PMFME યોજના હેઠળ ધમધમી રહ્યો છે દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME)નું સફળ અમલીકરણ, કુલ 675 લાભાર્થીઓ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર/સુરત, એક કૃષિપ્રધાન દેશ તરીકે ભારત પાસે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર બનવાની ઉજળી તકો રહેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રાથમિકતા આપતાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે પૈકી એક મહત્વની યોજના છે- પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME) યોજના. 29 જૂન, 2020ના રોજ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા PMFME યોજના શરૂ…
(જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક અભિનવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ માનનીય મેયરશ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે પોર ગામના તળાવથી કરવામાં આવ્યો હતો, જ્યાં તેમણે પોતે ડ્રોન ઉડાડીને “નમો ડ્રોન દીદી” તરીકે આ નવતર અભિગમની શરૂઆત કરાવી. આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નિયમિતપણે મચ્છર ઉત્પત્તિ સ્થાનો દૂર કરવામાં આવે છે અને દવાનો છંટકાવ કરવામાં…
ગાંધીનગર મહાનગરપાલિકાની મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને સ્વ સહાય જૂથ દ્વારા આયોજિત “રાખી મેળો” ત્રણ દિવસ ચાલશે (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મહિલા આર્થિક સશકિતકરણને વેગ આપવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનાર રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે “રાખી મેળો”નું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાનાહસ્તે આ “રાખી મેળો”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને હર્ષાબા એન.યુ.એલ.એમ સ્વ. સહાય જૂથ દ્વારા “રાખી મેળો”નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ સહાય જુથો દ્વારા બહેનોને તાલીમ આપીને આજીવીકાલક્ષી પ્રવૃત્તિ સાથે…
(જી.એન.એસ) તા. 7 શિમલા, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) અનુસાર, 20 જૂને ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં વ્યાપક વિનાશ થયો છે, જેમાં ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે અને 31 લોકો હજુ પણ ગુમ છે. આમાં, ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવા જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 50 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે. “હિમાચલ પ્રદેશમાં ચોમાસા સંબંધિત વિવિધ આફતોને કારણે મૃત્યુઆંક 6 જુલાઈ સુધીમાં 78 પર પહોંચી ગયો છે,” રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું. મૃત્યુ કેમ વધી રહ્યા છે? હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન હવામાન સંબંધિત ઘટનાઓથી થતા મૃત્યુઆંક સતત…
(જી.એન.એસ) તા. 7 પટના, બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા, સોશિયલ મીડિયા પ્રભાવક મનીષ કશ્યપ સોમવારે પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની જન સુરાજ પાર્ટીમાં જોડાયા. કશ્યપે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી રાજીનામું આપ્યાના એક મહિના પછી આ વાત સામે આવી છે. તેઓ પટણામાં કિશોરની હાજરીમાં સમર્થકોના સમૂહ સાથે જન સુરાજ પાર્ટીમાં જોડાયા. યુટ્યુબ ચેનલ પર લગભગ એક કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે, કશ્યપ ડિજિટલ ફોલોઅર્સનો મોટો સમૂહ ધરાવે છે. થોડા વર્ષો પહેલા તેમણે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું જ્યારે તમિલનાડુ પોલીસે તેમને તમિલનાડુમાં બિહારી સ્થળાંતર કરનારાઓ સાથે દુર્વ્યવહાર થતો દર્શાવતા નકલી વીડિયો ફેલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. વિવાદ હોવા છતાં, યુવાનોના એક વર્ગમાં, ખાસ…
