Author: gujarat

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળામાં શુક્રવારે સમી સાંજે એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકે રેલવે લાઇન નજીક આવેલા વીજપોલ પર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વીજપોલ પર લટકતી લાશ જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી એ ચોક્કસ થઈ શક્યું નથી કે આ હત્યા છે કે આત્મહત્યા.જોકે ખુલાસો તો તપાસ બાદ જ થશે. મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ બાવળાના બોરડીવાળી જીન વિસ્તારમાં રહેતા શિવમ રમેશભાઈ ઠાકોર તરીકે થઈ છે. શુક્રવારે સાંજના સમયે, રેલવે ટ્રેક પાસેથી પસાર થતા કેટલાક લોકોની નજર વીજપોલ પર લટકી રહેલા…

Read More

રાજકોટ, રાજકોટના જસદણમાં પ્રતાપપુર ગામે પૂર્વ પત્નીના પતિની હત્યા કરવાના ગુનામાં કોર્ટે યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. ૩ વર્ષ પહેલાની આ ઘટનામાં કોર્ટે ૧૫ હજારનો દંડ પણ ફટકાર્યાે છે.વર્ષ ૨૦૨૨માં યશવંત મકવાણાએ પત્ની કોમલને છૂટાછેડા દીધા હતા.બાદમાં પત્નીએ કમલેશ ચાવડા સાથે બીજા લગ્ન કર્યા હતા, જોકે તે લગ્નની બીજી જ રાતે પૂર્વ પતિ યશવંતે નવા પતિ કમલેશની તેના ઘર પાસે જ છરીના ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી.અમરેલીના વડિયામાં રહેતા યશવંત મકવાણાએ કોમલ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં જૂન – ૨૦૨૨માં પત્ની કોમલને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા થઈ ગયા બાદ કોમલે જસદણના પ્રતાપપુરના કમલેશ મોહનભાઈ ચાવડા સાથે ૧૫…

Read More

ગાંધીનગર, ગાંધીનગરમાં એક જ સેક્ટરમાં રહેતા અને વર્ષાે જૂના મિત્રએ ગિફ્ટ સિટીમાં જમીન અપાવવાની લાલચ આપીને પોતાના મિત્ર અને અન્ય બે વ્યક્તિઓ પાસેથી કુલ રૃ. ૯૯ લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. પૈસા પરત માંગતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન બંધ કરી દીધો હતો.હાલમાં જમીન સંબંધીત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ વધુ એક ઘટના બહાર આવી છે.જે ઘટના સંદર્ભે પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સેક્ટર ૧૩-બી ખાતે રહેતા અને સ્કૂલવાન ચલાવતા પ્રદીપસિંહ અમરસિંહ ચાવડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ વર્ષ ૨૦૦૮થી તેમના જ સેક્ટરમાં રહેતા નિર્મલસિંહ ભરતસિંહ જાડેજાને ઓળખતા હતા…

Read More

ગાંધીનગર, તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક કસ્ટોડીયલ ડેથની ઘટના બની હતી. આ ઘટના વચ્ચે નેશનલ હ્યુમન રાઈટ્‌સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટે ગુજરાત સરકારની નીતિને ઉઘાડી પાડી છે કેમકે, માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે સાથે સાથે ખાખીની કામગીરી પણ શંકાના ઘેરામાં મૂકાઇ છે. આખાય દેશમાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે રહ્યુ છે. છેલ્લાં છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં જ ૯૫ આરોપીના મૃત્યુ થયાં છે.જે ચિંતા ઉપજાવે તેમ છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓ સાથે અમાનવીય વર્તન,ત્રાસ અને યાતના ગુજારવામાં આવી રહી છે જેના કારણે ચિંતાજનક સ્થિતી સર્જાઇ છે.પોલીસ ટોર્ચરની સાથે સાથે સમયસર તબીબી સારવાર ન મળતા કસ્ટડીમાં આરોપીઓનાં મોત થઇ રહ્યાં છે વર્ષ ૨૦૧૮ અને…

Read More

આણંદ, બોરસદ ભોભાફળી નજીક ત્રણ વર્ષ અગાઉ બાઈક અડી જતા જોઈને ચલાવવાનું કહેનાર યુવાન સાથે ઝઘડો કરી એકએ તેને પકડી રાખ્યો હતો અને બીજાએ તેની ચપ્પુ મારી હત્યા કરી હતી. આ કેસ આજે ચાલી જતા આણંદની કોર્ટે ચપ્પુ મારનાર યુવાનને કસુરવાર ઠેરવી આજીવન કેદ અને દંડ ફટકાર્યાે છે. જ્યારે તેના જોડીદારને શંકાનો લાભ આપી છોડી મુક્યો છે.બોરસદ શહેરમાં ભોભાફળી મદ્રેસા પાસે સોહેલમહમંદ સમીરમહમંદ મલેક અને શહેબાજ મલેક બંને જણા તા. ૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે મહમંદસોહેબ ઉર્ફે ભાણો સબ્બીરોદીન મલેક અને મુસ્તુફામીયા ઉર્ફે બાબુલભાઈ બદરુદીન મલેક બંને જણા બાઈક લઈને પાછળથી આવતા હતા અને…

Read More

હિંમતનગર, ઉત્તર પ્રદેશના બારાબંકીના બે ઠગોએ બે મહિના અગાઉ ર૪ લોકોને અંદાજે રૂ. ૧૧.૭૧ લાખ કેટલાક સિનિયર સીટીઝનોને ખોટી લાલચ આપી બળજબરીથી તબક્કાવાર ગુનાઇત ધમકી આપી ભય ઉભો કરી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. જે અંગે સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગયા મહિને ડિઝિટલ એરેસ્ટ કરી ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેને પગલે સાયબર ક્રાઈમની ટીમે બંનેને તાજેતરમાં કેટલાક મોબાઈલ અને સિમકાર્ડ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા બંનેને ડિઝીટલ એરેસ્ટ કરવા બદલ હિંમતનગર લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગે સાયબર ક્રાઈમના પીઆઈ એ.જી.રાઠોડ તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ, ગત તા.૯ નવેમ્બરના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા…

Read More

અમદાવાદ, વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસતિ નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે.દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે.આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે.…

Read More

મોરબી, હળવદના રાણેક્પર રોડ ઉપરથી વેપારી યુવાન રોકડા ૭ લાખ રૂપિયા થેલામાં લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બે બૂકનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી રોકડ રૂપિયા ભરેલ થેલો લૂંટી લૂંટારૂઓ ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે લુટરૂને પકડવા માટે તાત્કાલિક નાકાબંધી કરાવી હતી અને હવે ભોગ બનેલા વેપારીની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.હળવદમાં આવેલા આનંદ બંગલો સોસાયટીમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં વેપાર કરતાં વેપારી યુવાન રજનીકાંતભાઈ દેથરીયા ગઈકાલે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી પરત આવી રહ્યા હતા ત્યારે તેની પાસે થેલામાં રોકડા સાત લાખ રૂપિયા હતા તેઓ…

Read More

અમદાવાદી, જામીન માટે હાઇકોર્ટમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર બે આરોપીને ગ્રામ્ય કોર્ટના જજ જે. એ. બક્ષીએ ૩-૩ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે જે નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપીઓએ ન્યાય માગવા માટે ખોટા પુરાવા રજૂ કર્યા છે, ગુનો હળવાશથી લઇ શકાય નહીં.નોંધનીય છે કે, આ કેસમાં આરોપી વિજયની પત્ની વીણા પણ સહઆરોપી છે, પરંતુ હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઠગાઈ સહિતની કલમ હેઠળ ગુનામાં આરોપી વિજય હરિભાઈ ટાંક ૨૦૨૨માં જેલમાં હતો ત્યારે તેના પત્ની વીણાબહેન ગુજરાત હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી.જેમાં…

Read More

અમદાવાદ, ઇસ્કોન બ્રિજ પર ભારોભાર બેદરકારી દાખવી ગોઝારો અકસ્માત સર્જીને ૯ લોકોના ભોગ લેનારા તથ્ય પટેલને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઇકોર્ટે ઇનકાર કરતાં તેને મોટો ઝાટકો લાગ્યો છે.હાઇકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે ચુકાદામાં એવું તારણ રજૂ કર્યું છે કે,‘આરોપી તથ્ય વિરુદ્ધ બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગનો આ કોઇ સાદો કેસ નથી પરંતુ પ્રથમદર્શી એવો અત્યંત મજબૂત કેસ છે જેમાં સાપરાધ મનુષ્ય વધની કલમ ૩૦૪નો કેસ બને બને છે. તેથી એની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં.’ નોંધનીય છે કે આ કલમ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની કાનૂની જોગવાઇ છે.તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આઈપીસીની કલમ ૩૦૪ અને ૩૦૮માંથી ડિસ્ચાર્જ કરવાની…

Read More