Author: gujarat

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં પ્રેમસંબંધના જૂના વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ ૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ડિલિવરીનું કામ કરતા પ્રવીણભાઈ પર દિનેશ રઘુભાઈ સોલંકી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો.પ્રવીણભાઈને પેટ અને જડબાના ભાગે છરીના ઘા વાગ્યા છે, જેથી તેમને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત યુવકના પત્નીએ આરોપી દિનેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જીવલેણ હુમલા પાછળનું મૂળ કારણ પ્રવીણભાઈની ભાણેજ પાયલના પ્રેમસંબંધ અને લગ્નનો વિવાદ હતો.પાયલ તેમની ચાલીમાં રહેતા મિલન નામના છોકરાના પ્રેમસંબંધમાં હતી અને બંને એક મહિના પહેલા સાબરમતી ખાતે…

Read More

માર્ગ અકસ્માત પીડિતોની કેશલેસ સારવારની ૨૦% અરજીઓ રિજેક્ટ-ડેશબોર્ડ મુજબ ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.૫૯,૭૬૧.૨૬ કરોડના ૩૯.૪૯ કરોડ ચલણ જારી કરાયા હતાંઃ ગડકરી(એજન્સી) નવી દિલ્હી, માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર આપવા માટે સરકારે માર્ચ ૨૦૨૪માં એક સ્કીમ ચાલુ કરી છે. જોકે અત્યાર સુધી અકસ્માત પીડિતોની આશરે ૨૦ ટકા કેશલેસ સારવારની રિકવેસ્ટને પોલીસે નકારી કાઢી છે.લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મોટર વ્હિકલ એક્સિડન્ટ ફંડ હેઠળ આશરે ૭૩.૮૮ લાખનું ભંડોળ છૂટું કરવામાં આવ્યું છે. કેશલેસ સારવાર માટે કુલ ૬,૮૩૩ અરજીઓ થઈ હતી.આમાંથી ૫,૪૮૦ પીડિતોને લાયક ગણવામાં આવ્યાં હતાં. બાકીઓની અરજીઓને…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સાયન્સ સીટીમાં વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય વ્યક્તિને બોડકદેવમાં આવેલા એક સ્પામાં જઇને મસાજ કરાવવાનું ભારે પડયું હતું. જેમાં મસાજ કરનાર યુવતીએ આધેડનો મોબાઇલ લીધા બાદ તેને બ્લેકમેઇલ કરીને અલગ અલગ સમયે ૧૦ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને મોબાઇલ ફોન તેમજ તેના ભાઇના લગ્ન માટે દાગીનાની ખરીદી કરી હતી.ત્યારબાદ યુવતી તેના પતિ અન્ય સ્પાના સંચાલક સાથે આવીને આધેડની શોપ પર આવીને ૨૦ લાખની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા મહિલાએ તેના પતિ અને અન્ય સાગરિત સાથે મળીને માર મારીને ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના સોલા સાયન્સ સીટી…

Read More

(પ્રતિનિધિ) હિંમતનગર, પ્રાંતિજના શહેરીજનો અને આજુબાજુના ગામડાઓમાં રહેતા લોકો રોજબરોજ એક સ્થળેથી બીજા સ્થળે અવર જવર કરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે ત્યારે અત્યારે મોટાભાગની બસો ભાંખરીયા સ્ટેન્ડ પરથી ઉપડે છેઘણી વખત અમદાવાદ જતા મુસાફરોને બસમાં બેસવા માટે હાઈવે ત્રણ રસ્તા પર આવવું પડે છે ત્યારે ગુજરાત રાજય એસટી નિગમ દ્વારા પ્રાંતિજમાં અધતન ડેપો બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ નવીન ડેપોનું કામ અત્યારે પૂર્ણ થવાના આરે છે ત્યારે તેનું લોકાર્પણ થયા બાદ સ્થાનિક તથા ગામડાઓના મુસાફરોને મળતી સુવિધામાં વધારો થશે.આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજમાંથી તલોદ તાલુકો અલગ થયો ત્યારે તલોદમાં રેલ્વે સ્ટેશન નજીક ડેપો ચાલુ હતો જયાં…

Read More

(એજન્સી)અમદાવાદ, દુનિયાના કોઈ પણ ખુણે ક્રિકેટ મેચ રમાતી હોય પરંતુ તેના પર સટ્ટો તો અમદાવાદમાં જ રમાતો હોય છે. આનંદનગર પોલીસને માહિતી મળીહતી કે આનંદનગર રોડ પર એક યુવક ક્રિકેટ સટ્ટોરમાડે છે. પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેણે આઈડીપાસવર્ડ કોની પાસેથી મેળવ્યા છે.તેની તપાસ શરૂ કરી હતી. પુછપરછ દરમ્યાન સટ્ટો રમાડનાર યુવકે પોતાનું નામ ફેનીલ શાહ હોવાનું અને તે ગાયક કલાકાર હોવાનું જણાવ્યુ છે. પોલીસ વધુ તપાસ કરી રહીછે.ભારત-દક્ષીણ આફ્રીકા વચ્ચે વન ડે ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે બુકીઓ સક્રીય બની સટ્ટો રમાડતા હતા. આનંદનગર પોલીસને માહિતી મળી હતી કે આનંદનગર રોડ પર સચીન ટાવર નજીક એક યુવક…

Read More

ચાર વૃદ્ધાશ્રમે પાંચ વર્ષમાં સંતાનોને સમજાવી ૪૦૦થી વધુ વડીલોને સ્વગૃહે પરત મોકલ્યાં(એજન્સી)અમદાવાદ, શહેરમાં મુખ્ય પ વૃદ્ધાશ્રમ સિનીયર સીટીઝનો માટે કાર્ય કરી રહી છે. જેમાં જીવનધારા, જીવનસંધ્યા, મણીનગર વૃદ્ધાશ્રમ હીરામણી વૃદ્ધાશ્રમ તથા મહીપતસિંહ વૃદ્ધાશ્રમમાં અંતીમ પ વર્ષથી મુકવા આવતા વડીલના સંતાનો અપીલ વૃદ્ધાશ્રમ ન મુકવા માટે અપીલ કરવામાં આવે છે.કેટલાક વૃદ્ધાશ્રમમાં તો સંતાનોની પરીસ્થિતી ખરાબ હોય તો તેમને આર્થિક મદદ કરીને પોતાના માતા પિતા સાથે રાખવામાં આવે છે. ત્યારે કેટલા વૃદ્ધાશ્રમમાં વડીલોની સંપતી સંતાનોને જપ્ત કરી હોય તે પાછી લેવામાં પણ મદદ કરવામાં આવે છે.દરેક વૃદ્ધાશ્રમ વડીલોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થાય છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં વડીલોને પ્રવેશ આપવા માટે અરજી પડતર…

Read More

નરોડામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બે ઝડપાયાઃ૧.પ૦ કરોડના બેલેન્સની વિગત મળી(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દરેક મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હોય છે.ત્યારે જ ભારત અને દક્ષીણ આફ્રીકા વચ્ચે રમાઈ રહેલી વનડે મેચ પર સટ્ટો રમાડતા બે યુવાનોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમેઝડપી લીધા છે.નરોડા કૃષ્ણનગર પાર્શનાથ કેનાલ પાસેથી એક બંધ દુકાન આગળ જાહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આ યુવાનોનો મોબાઈલ ચેક કરતાં તેમાં ૧.પ૦ કરોડનું બેલેનસ અને વ્યવહારોની વિગતો મળી હતી. આ બુકીઓ પાસેથી ગ્રાહકોની વિગતો અને લીસ્ટ પણ મળી આવ્યું હતું. આ દિશામાં તપાસ ચાલી રહી છે. માસ્ટર આઈડી અંગેની પુછપરછમાં બુકીઓ જાતેજ સટ્ટા માટે એપ્લીકેશન ડેવલપ કરી હોવાની કબુલાત…

Read More

વડાપ્રધાનશ્રીની‘એક ભારતને શ્રેષ્ઠ ભારત‘ની સંકલ્પનાને સાકાર કરવા સૌની સહભાગીતા અત્યંત જરૂરી: કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીવિવિધતામાં એકતા,એ જ આપણી સૌથી મોટી તાકાત – કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરીવડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી આજની યુવાપેઢીની: કેન્દ્રીય મંત્રી ડૉ. સુકાંત મજુમદારસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીને ભવ્ય બનાવવા માટે કરમસદથી કેવડિયા સુધીની ૧૫૦ કિમીની યાત્રા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડીએ (G Kishan reddy ) જણાવ્યું કે,આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબથી પ્રેરિત થઈને સૌની સહભાગીતાથી ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાના સંકલ્પને સાકાર…

Read More

૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ્દ! IndiGo CEO પીટર એલ્બર્સે તારીખ જણાવી, કહ્યું: આ દિવસથી એરલાઇન ફરીથી રેગ્યુલર થઈ જશેનવી દિલ્હી, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) છેલ્લા ત્રણ દિવસથી ભારે અફરાતફરીમાં છે. સતત ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. આ દરમિયાન, શુક્રવારે CEO પીટર એલ્બર્સએ પહેલીવાર ખુલીને નિવેદન આપ્યું અને સ્વીકાર્યું કે કંપનીના ઓપરેશનલ સિસ્ટમને ‘રીસેટ’ કરવાના નિર્ણયથી સમગ્ર નેટવર્કમાં ગંભીર અવરોધ ઊભો થયો છે.એલ્બર્સે જણાવ્યું કે, ઇન્ડિગોને સંપૂર્ણપણે ચાલુ થતાં હજી ૫ થી ૧૦ દિવસ લાગી શકે છે, અને ધીમે ધીમે ૧૦ થી ૧૫ ડિસેમ્બરની વચ્ચે સેવાઓ સ્થિર થવા લાગશે. આ નિવેદન એવા સમયે આવ્યું…

Read More

Øઆ સંશોધન એ મહિલાઓને માસિક ધર્મ સમયે પડતી મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થશેØઓછી સુવિધા ધરાવતા વિસ્તારોમાંHMBના કારણો જાણવા આધુનિક ડાયગ્નોસ્ટિકસ-AIટેકનોલોજીનો ઉપયોગØHMBની સમસ્યા નિવારણ અને તેની જાગૃતિ માટેGBUદ્વારા મહિલાઓને આમંત્રિત કરાશેરાજ્ય સરકાર સંચાલિત ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રોહિણી નાયરના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમ ગેટ્સ ફાઉન્ડેશનના ફંડિંગ હેઠળ ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’-HMBએટલે કે,મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતા વધુ પડતા રક્તસ્રાવ માટેRNA-આધારિત ડાયગ્નોસ્ટિક અને સારવાર માટે સંશાધનો વિકસાવવા પર કાર્ય કરવામાં આવશે. આ સંશાધનો પોસાય તેવા સ્કેલેબલ અને ન્યૂનતમ ઈન્વેઝિવ હશે.ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓ માટે વહેલા નિદાન,વ્યક્તિગત સારવાર અને મેન્સ્ટ્રુઅલ હેલ્થ મેનેજમેન્ટમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટને ‘ગેટ્સ…

Read More