અમદાવાદ, નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાતમીના આધારે સરખેજ પાસેથી ૨૬૨.૧૫ કિલોગ્રામ (૧૧૯૧૬૦૦ ગોળી) અલ્પ્રાઝોલમ ડ્રગ્સ કેસમાં એકને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા ગ્રામ્ય કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના જણાવ્યા અનુસાર, આરોપીનું નેટવર્ક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં ફેલાયેલું હોય સિન્ડિકેટના સભ્યોની તપાસ ચાલુ કરી છે. આ ઉપરાંત ડ્રગ્સના નેટવર્કમાં નાણાકીય સ્ત્રોત પણ બહાર આવ્યો છે.નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ મકરબા પાસે રહેતા ઘાંચી ગુલામરસૂલ ગનીભાઈ અલ્લારખાને પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્રગ્સ મામલે ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.જેમાં નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના ખાસ એડવોકેટ મુકેશ કાપડિયાએ…
Author: gujarat
બોપલની ઓર્ચિડ ફીન્સબરી, શીલજની વર્ટીકલ વ્યુ, પરમનેટ, ધ સોવેરીયન, થલતેજની અમરાને દંડ ફટકારાયો(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની 21 જેટલી ચાલુ બાંધકામ સાઈટોને હવા પ્રદુષિત કરવા બદલ દંડ કરાયો છે. સાઈટ પર લગાવેલા એર ક્વોલિટી સેન્સરની તપાસ દરમિયાન મહત્તમ લિમીટ કરતા વધુ એર ક્વોલિટી ઈન્ડેક્ષ હોવાનું જણાતા તેમને રૂ. 9.75 લાખનો દંડ કરવામાં આવ્યો છે.હાલમાં શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 200ને પાર રહેતું હોવાથી કોર્પોરેશન પર માછલા ધોવાયા હતા. જેના પગલે હવે કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ બાંધકામ સાઈટો પર તવાઈ બોલાવવામાં આવી છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 200ને પાર રહેતું હોવાથી…
અમદાવાદમાં વરિષ્ઠ નાગરિકે ડિજિટલ અરેસ્ટમાં રૂ.૧૫.૨ લાખ ગુમાવ્યા(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ૬૭ વર્ષીય નિવૃત્ત નાગરિક ફરી એકવાર સુનિયોજિત સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ઠગબાજોએ તેમને ડિજિટલ એરેસ્ટને ધરપકડની ધમકી આપી હતી. આ લોકોએ તેમના પર આતંકવાદને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો.બાદમાં તેમને ખોટા ‘વેરિફિકેશન’ માટે પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા હતા, જેમાં નિવૃત્ત નાગરિકે રૂ.૧૫.૨ લાખ ગુમાવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, અમદાવાદમાં ન્યૂ ગુંજન વિસ્તારમાં પત્ની સાથે રહેતા નિવૃત્ત નરેશભાઈ શાહને ૨૮ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ફોન કોલ્સ, વોટ્સએપ વીડિયો કોલ્સ અને બનાવટી દસ્તાવેજો દ્વારા નિશાન…
મંદિરમાં થયેલ ચોરીની પોલીસને જાણ કરાતા પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે(એજન્સી) અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગંભીર પ્રકારનો બનાવોમાં વધારો થયો છે. તેમાંય દેરાસરમાં ચોરી થયાની ઉપરા છાપરી બીજી ઘટના બનતા પોલીસની કામગીરી સામે સવાલો ખડા થયા છે.તાજેતરમાં શાંતિવનમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં દેરાસરના જ પૂજારીએ સફાઇ કર્મીની મદદગારીથી દેરાસરના પૂજારૂમમાંથી અને લોકરવાળા ભોંયરામાંથી ચાંદીના પુંઠીયા, ચાંદીના મુગુટ, કુંડળ અને આંગી મળીને કુલ ૧૧૭ કિલો ચાંદી સહિત ૧.૬૪ કરોડની મતા ચોરી થઇ હતી. ત્યાં ગણતરીના દિવસોમાં તસ્કરોએ વધુ એક જૈન દેરાસરને નિશાન બનાવ્યું છે.પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર…
૩૦ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે.રાજ્યની ૧૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૦૦% ડિજીટાઈઝેશન સંપન્ન(પ્રતિનિધિ) અમદાવાદ, ૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં ૧૦૦% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે.આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ ૧૨ વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી ૧૦૦ % પુરી થઈ ચુકી છે.જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ (એસ.ટી), અરવલ્લી જિલ્લાની બાયડ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ…
જિલ્લા ભૂસ્તર તંત્રએ બે દિવસના દરોડામાં રૂ.ર.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ વધુ ૮ ડમ્પર ઝડપાયાગાંધીનગર, ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરીનું કૌભાંડ સતત વકરી રહ્યું છે. તો બીજી તરફ કલેકટરના આદેશના પગલે જિલ્લા ભૂસ્તર તંત્ર પણ સતત દરોડા અને માર્ગો પર વોચ ગોઠવી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે.તંત્રએ છેલ્લા બે દિવસમાં વધુ ૮ ડમ્પર ઝડપી લઈ રૂપિયા ર.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વાહનોના માલિકો પાસેથી દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચનાના આધારે જિલ્લા ખનીજ ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જિલ્લામાં બિન-અધિકૃત…
૧પ જાન્યુ. સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાની તક અપાશેમોડાસા, અરવલ્લી જિલ્લામાં ૪ નવેમ્બરથી હાથ ધરાયેલી મતદાર યાદી સઘન સુધારણા અભિયાનની કામગીરી ર૮ દિવસમાં ૯૪.૯૧ ટકા પૂર્ણ કરાઈ છે અને આગામી બે કે ત્રણ દિવસમાં સુધારણા કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યકત કરાયો છે.જિલ્લામાં હાથ ધરાયેલ ગણતરીના તબક્કામાં મૃત્યુ પામેલા રપ,ર૪ર મતદાર અને શોધવા છતાં નહીં મળી આવેલા એવા ર૩૬ર ગેરહાજર મતદાર અને ૩૦૮૩૭ સ્થળાંતર કરેલા મતદારો મળી કુલ પ૮૪૪૧ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ રદ્દ થશે.જયારે કામગીરીના બાકીના દિવસોમાં આવા મતદારો વધુ મળી આવેથી આ આંકડો વધી શકે છે તેમ જિલ્લા ચૂંટણી શાખાએ જણાવ્યું હતું. મતદાર યાદી…
Gopal Italia Shoe Thrown: જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ગુજરાત જોડો યાત્રા સાથે જોડાયેલા એક જાહેર સંમેલન દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે ઇટાલિયા ભીડને સંબોધિત કરી રહ્યા હતા. જણાવ્યા મુજબ, સંમેલનમાં સ્ટેજની નજીક બેઠેલો એક માણસ અચાનક ઊભો થયો અને તેણે એક જૂતું ફેંક્યું.લોકોએ જૂતું ફેંકનાર માણસને પકડીને માર માર્યો. ત્યાં ઊભેલી પોલીસે તરત જ હુમલો કરનાર યુવકને હસ્તગત કરી લીધો અને પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી.છત્રપાલ સિંહે લીધો બદલોજામનગરમાં થયેલી પબ્લિક મીટિંગમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું કોણે ફેંક્યું? તેને લઈને ચારે બાજુ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવ્યા મુજબ, છત્રપાલ સિંહ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત 8.42%ના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્યગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે.એટલું જ નહીં, સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 8.2% નોંધાયો છે, જેમાં ગુજરાતનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. ગુજરાતના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનના કારણે જ તેણે ભારતની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે…
