Author: gujarat

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – ૨૦૨૫–૨૬ ઃ ૫ ડિસેમ્બર થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી યોજાશે(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૫ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની સેકેન્ડ એડિશનમાં સ્થાનિક વેપારને મજબૂત બનાવવું, પર્યટનને વેગ આપવો અને અમદાવાદને દેશના સૌથી પ્રતિષ્ઠિત રિટેલ અને લાઇફસ્ટાઇલ સ્થળોમાં સ્થાન અપાવવાનો ઉદ્દેશ છે. આ ફેસ્ટિવલ અમદાવાદની ઉદ્યોગસાહસિક ઊર્જાનો ઉત્સવ છે, જેમાં “ગ્લોબલ આકર્ષણ સાથેનું સ્વદેશી” થીમ હેઠળ ગ્રાહકોને જાણીતા બ્રાન્ડ્‌સ તથા ઉભરતા સ્થાનિક કારીગરો સાથે જોડવામાં આવશે.અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ અંતર્ગત ૬ મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા ૧૨થી વધુ હોટસ્પોટ ઝોનને સક્રિય…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર ૧૫ મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી ‘ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને, જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે.મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધવલ ઉનડકટ અને અમીબેનના ૧૫ મહિનાના પુત્ર હિમાંક્ષને જન્મથી જ ઈસોફેજીયલ એટ્રીસીયા નામની દુર્લભ જન્મજાત ખામી હતી.પીડિયાટ્રિક સર્જરી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યાનુસાર, ઈસોફેજીયલ એટ્રીસીયા ૪૦૦૦ બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ ખામી છે, જેમાં બાળકને અન્નનળી બનેલી જ નહોતી. જન્મ સમયે તાત્કાલિક ઓપરેશન કરીને ગળામાં કાણું કરવામાં…

Read More

અમદાવાદ, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી આૅથોરિટીએ મિલકત ખરીદનારા ગ્રાહકોના હિતમાં એક કડક નિર્ણય લીધો છે. પહેલી ડિસેમ્બરથી રાજ્યની તમામ બાંધકામ સાઇટ પર ડેવલોપર-બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ જરૂરી માહિતી દર્શાવતું બેનર બોર્ડ ક્વિક-રિસ્પોન્સ કોડ સાથે લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.આ નિયમનો હેતુ નાગરિકોને મકાન કે દુકાન ખરીદતી વખતે પ્રોજેક્ટના બાંધકામની માહિતી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે, તો તેને નિયમો અનુસાર દંડ કરવામાં આવશે, જે બિલ્ડરો પર જવાબદેહી વધારશે.નવા નિયમ હેઠળ, રેરાએ હુકમ કર્યો છે કે બોર્ડ અથવા બેનરની લઘુતમ પહોળાઈ ૧.૨૦ મીટર અને લઘુતમ ઊંચાઈ ૨ મીટર રાખવાની…

Read More

(પ્રતિનિધિ) દાહોદ, કતવારા પોલીસે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કતવારા બાયપાસ પાસે કશીશ હોટલ આગળ ગોઠવેલ વોચ દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ બાજુથી ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતા રૂપિયા ૬૪.૧૧ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ ના જથ્થા સાથે સફેદ કલરનો ટાટા કંપનીનો આઇસર ટેમ્પો પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી રૂપિયા ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન તથા રૂપિયા ૨૦ લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળી રૂપિયા ૮૪,૧૧,૬૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.શિયાળો તેમજ લગ્નસરાની સીઝન ને ધ્યાનમાં લઇ તગડો વેપલો રળી લેવાની મંછા રાખી ગુજરાતના બુટલેગરો સક્રિય બન્યા છે અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી…

Read More

(પ્રતિનિધિ) આણંદ, ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ૩જો દિક્ષાંત સમારંભ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડૉ. અભિજાત શેઠ તથા અતિથિવિશેષ તરીકે બેઝિક હૅલ્થકૅર સર્વિસિસ ઉદયપુરના કો-‘ફાઉન્ડર અને ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પવિત્ર મોહન હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. ગૌરી ત્રિવેદી, સેક્રેટરી શ્રી અમિત પટેલ, મંડળના પૂર્વ સેક્રેટરી શ્રી જાગૃત ભટ્ટ, પ્રોવોસ્ટ ડૉ. અભય ધરમસી, રજીસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી, ડીન રિસર્ચ ડૉ. માધવી પટેલ, પ્રમુખસ્વામી મેડિકલ કાલેજના ડીન ડૉ. સ્વપ્રીલ અગ્રવાલ, કે.એમ. પટેલ ઈન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડૉ. આર હરિહરા પ્રકાશ, શ્રીમતિ એલ.પી. પટેલ ઈન્સ્ટિટ્યૂટ આૅફ એલાઈડ હૅલ્થ…

Read More

Gujarat ATS Spy Arrest: ગુજરાત એટીએસ (ATS)ને એક મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા પાકિસ્તાનને સંવેદનશીલ સૂચનાઓ મોકલવાના આરોપમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં એક મહિલા અને એક પુરુષ શામેલ છે. પુરુષ વ્યક્તિ ભારતીય સેનાનો પૂર્વ સુબેદાર છે. એટીએસનું કહેવું છે કે બંને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ને ગોપનીય અને સંવેદનશીલ સૂચનાઓ મોકલી રહ્યા હતા.ધરપકડ: એટીએસએ મહિલાને દમણથી અને પુરુષને ગોવાથી પકડ્યો છે.આરોપ: એટીએસનો આરોપ છે કે બંને સંવેદનશીલ ક્ષેત્રોમાં જાસૂસી કરી રહ્યા હતા.ઓળખ: પકડાયેલી મહિલાનું નામ રશ્મિ રવિન્દ્ર પાલ છે, જ્યારે પુરુષ જાસૂસનું નામ એ. કે. સિંહ છે, જે સેનામાં સુબેદાર રહી ચૂક્યા છે.તપાસમાં જોડાઈ…

Read More

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાં સ્ટેટ હાઈવે હોય જિલ્લા પંચાયતના રસ્તા હોય કે વડાપ્રધાન ગ્રામ સડક યોજનાના રસ્તા હોય ઝઘડિયા તાલુકાના રસ્તાના સમારકામ બાબતે હંમેશા જવાબદાર તંત્ર દ્વારા ઓરમાયું વર્તન થતું હોવાના ઘટનાઓ સામે આવી છે.સરદાર પ્રતિમાને જોડતા હાઈવેની પણ હાલત તદ્દન બદતર થઈ છે.ત્યારે ઝઘડિયા તાલુકાથી વાલીયા તાલુકા અને ઝઘડિયા જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સેલોદ ગામ પાસેના પુલમાં ફરી વખત મોટું ગાબડું પડ્‌યું છે.આ માર્ગ અને પુલ પરથી ઝઘડિયા જીઆઈડીસીમાં સેકડો માલવાહક વાહનો જેવા કે ટ્રક હાઈવા ટેન્કરો કન્ટેનરો રોજિંદા પસાર થાય છે.ઉપરાંત બે તાલુકાના જોડતો આ મુખ્ય માર્ગ હોય સામાન્ય જનતા પણ તેમજ જીઆઈડીસીમાં અપડાઉન…

Read More

વડિયા, વડિયા પંથકમાં રેશનના અનાજનું ગ્રાહકો દ્વારા વેચાણ થતું હોવાની અને અમુક ઈસમો આ અનાજ ખરીદ કરીને ફેરી કરવા નીકળી મોટો જથ્થો ખરીદ કરતા હોવાની જાણકારી મળતા ઈન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને ઈન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવે તપાસ હાથ ધરી હતી.વડિયાથી અમરનગર રોડ પર એક રિક્ષા અનાજના કટ્ટા ભરીને આવતી હોય તે સ્થળ બાજુના રોડ પર તપાસ ચલાવી હતી તેમાં વડિયાથી અમરનગર જવાના રસ્તે એક રિક્ષા સામે મળતા તેને રોકાવી તપાસ કરતા તેમાં ઘઉંનો જથ્થો ભરેલો હતો. તે અંગેના પુરાવાઓ માંગતા તે જથ્થો બિન અધિકૃત હોવાનું જણાઈ આવતા આ જથ્થાને વડિયા ગોડાઉનમાં લઈ જવાયો હતો.વજન કરતા કુલ ૧૧૭૭.૧ર કિગ્રા ઘઉંનો…

Read More

સસ્તામાં અમેરીકાની ટૂરમાં લઇ જવાના બહાને મહિલા સાથે 2.24 લાખની છેતરપિંડી-અમરેલીના શખસે ત્રણ લાખ લીધા બાદ હોટલ બૂકીંગ અને અન્ય ખર્ચના રૂ.૮ લાખ માંગ્યાઃ મહિલાની ફરિયાદઅમરેલી, અમરેલીમાં રોજબરોજ વિશ્વાસઘાત અને છેતરપીંડીના બનાવો બની રહ્યાં છે. ગઈકાલે એક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલીઅને નિવૃત્ત જીવન ગુજારતા મહિલાને સસ્તા ભાવમાં અમેરિકાની ટૂરમાં લઇ જવા બાબતે અમરેલીમાં ગાંધીબાગ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં આશરે છ મહિના સેવા કરતા હોય તેમજ છ મહિના અમેરિકા ખાતે રહેતા ઇસમે મહિલાને લલચાવી રૂપિયા ૨,૨૪,૦૦૦ની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગત મુજબ અમરેલીમાં નાગનાથ મંદિર પાસે આવેલા શિવ…

Read More

મરામત,વ્યાપક સાફ-સફાઈ બાદ સુંદર ભિંતચિત્રો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયાવિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ગુજરાતમાં “હમારા શૌચાલય,હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ વધારવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ ગામોના તમામ સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયોની મરામત,વ્યાપક સાફ-સફાઈ અને રંગરોગાન કરવામાં આવ્યું હતું.આ અભિયાનને સફળ બનાવવા ગ્રામ પંચાયત,સ્વચ્છતા કમિટી,સ્થાનિક સ્વયંસેવકોનો સક્રિય સહકાર મળ્યો છે. શૌચાલયોની દીવાલોને નવી રંગત આપવામાં આવી હતી તેમજ તૂટેલી ટાઇલ્સ,દરવાજા અને પાણીની ટોટીઓ જેવી સુવિધાઓની મરામત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિકાલની વ્યવસ્થા,ડ્રેનેજ અને આસપાસના પરિસરની સંપૂર્ણ સફાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.મોરબી જિલ્લાના જૂના…

Read More