સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વદેશોત્સવ ૨૦૨૫-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્ઘાટનમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતAhmedabad, ભારતને ‘આત્મનિર્ભર‘બનાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા‘સ્વદેશોત્સવ ૨૦૨૫‘નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર,૨૦૨૫ થી ૦૯ ડિસેમ્બર,૨૦૨૫ સુધી ચાલશે. ગૃહમંત્રીશ્રીએ ઉદ્ઘાટન સમારોહ બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમી‘સ્વાનુભૂતિ પ્રદર્શની‘પણ ખુલ્લી મુકી હતી.જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય મહત્ત્વના…
Author: gujarat
આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી::મુખ્યમંત્રીશ્રી::Øવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં માતબર વધારો થયોØ₹૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ આપીને પીએમ મોદીએ જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે ૧૦ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કર્યુ હતું.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે,તેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક…
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC)ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શનભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત,વૈશ્વિક ઉત્પાદનમાં8ટકા હિસ્સોમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ,ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો2,340.62કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ,નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ80ટકા ફાળો આપી રહ્યા છે,જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક…
રાજપીપલાની ધરતી પર સરદાર ગાથા – ‘સમાજ સુધારક સરદાર’ વિષય પર વ્યાખ્યાન આપતા રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદ ખાનવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ-‘રાષ્ટ્રીય એકતા દિવસ માર્ચ’કોઈ સામાન્ય યાત્રા નથી. આ તીર્થયાત્રા છે,એકતાનું તીર્થ છેઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે દેશના વિવિધ રાજ્યોમાંથી પદયાત્રીઓ રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાઈને એકતા,સમરસતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ ઘરેઘર પહોંચાડી રહ્યાં છે.આ અવસર પર બિહારના રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદ ખાને રાજપીપલા ખાતેના શ્રી અંબુભાઈ પુરાણી ક્રિકેટ મેદાનમાંથી સરદાર ગાથા –‘સમાજ સુધારક સરદાર’વિષય પર વ્યાખ્યાન આપતાં સરદાર સાહેબના રાષ્ટ્રીય એકીકરણ,સામાજિક સુધારણા અને રાષ્ટ્રનિર્માણના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદ ખાને…
ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી“યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ”, મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન: નાયબ મુખ્યમંત્રીડીસા તાલુકામાંથી16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે: ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીરાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શુક્રવારે ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ રમત સંકુલ યુવાઓના સપનાં સાકાર કરવાનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રંથાલય ભવનનું ઇ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.ડીસા…
મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “અર્થ સમિટ ૨૦૨૫-૨૬”નો ભવ્ય શુભારંભવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ દેશનીGDPમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાની ભારત સરકારની નેમ: કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ:કેન્દ્રીય સહકારિતા મંત્રી:Øઅર્થ સમિટના અમૃત ચિંતનથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાના અનેક મોટા પડકારોનો યોગ્ય ઉકેલ લાવી શકાશેØગ્રામીણ વિકાસ,કૃષિ અને સહકારિતા મંત્રાલયને વધુ પરિણામલક્ષી બનાવવા એક દાયકામાં વડાપ્રધાનશ્રીએ તેના સંયુક્ત બજેટમાં ત્રણ ગણો વધારો કર્યોØસહકારી ક્ષેત્રના વિકાસ માટે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા અને દેશભરમાં ૫૦ કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવાશેઅર્થ સમિટ સ્ટાર્ટઅપ્સ,ઇનોવેટર્સ,એગ્રી સાયન્ટીસ્ટ્સ અને રિસર્ચર્સ તથા સ્કોલર્સને એક સાથે લાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે: મુખ્યમંત્રી…
શિનોરના બાવળીયા ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પરિસંવાદમાં રાજ્યપાલશ્રીનો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધવડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ… પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું કે,રાસાયણિક ખેતી માત્ર જમીનને બંજર બનાવે છે એટલું જ નહીં,પરંતુ કેન્સર અને અન્ય ગંભીર રોગો માટે પણ જવાબદાર છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને લોકઆરોગ્યનું રક્ષણ કરવું એ પણ પૂજા સમાન છે.રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે,દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવામાં કોઈ જોખમ નથી. “પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી,ઊલટું વધે છે;અને તે સ્વાસ્થ્ય તથા પર્યાવરણ માટે અમૃત સમાન છે,”એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવ…
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણવડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા:- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીસરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે: વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત:- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઉભી કરાઈનાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યુંરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આર્ષ વિદ્યા મંદિર દ્વારા સ્થાપિત શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા તથા કુંભાભિષેક મહોત્સવમાં સહભાગી થયા હતા. તેમણે શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,ભારતની પ્રાચીન વૈદિક પરંપરા અને સંતો-ઋષિઓ દ્વારા આપવામાં આવેલું શાશ્વત જ્ઞાન માનવજીવનનો મૂળ આધાર છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે માનવે બાહ્ય વિજયો તો મેળવ્યા છે,પરંતુ કામ,ક્રોધ,લોભ,મોહ,અહંકાર અને અજ્ઞાન જેવા આંતરિક દુશ્મનો પર વિજય મેળવવાનો એકમાત્ર માર્ગ આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાન છે. આ જ્ઞાનને જીવંત રાખવા પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી,સ્વામી શ્રી પરમાનંદજી તથા…
(એજન્સી)જૂનાગઢ, સાસણ ગીર નેચર સફારી પાર્ક ખાતે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ પાસેથી ઓનલાઈન બુકિંગના નામે નાણાં પડાવવા બદલ રાજસ્થાનના મેવાતમાંથી નાસીર ખાન અયુબ ખાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીએ સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગની નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી મોટાપાયે છેતરપિંડી આચરી હતી.જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાસણ સફારી પાર્ક અને રેસ્ટ હાઉસ (સિંહ સદન)ની નકલી વેબસાઈટ દ્વારા છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.વન વિભાગના અધિકારી દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ, જે પ્રવાસીઓએ જંગલ સફારી અને સિંહ સદન માટે ઓનલાઈન ટિકિટ…
