અદિતિ પાર્થે અમેરિકા જશે-૧૨ વર્ષીય અદિતિ પાર્થે કમ્પ્યુટરના માધ્યમથી લેવાયેલી પરીક્ષા પાર પાડીને આ પ્રેરણાદાયી સફળતા મેળવી છેમુંબઈ, મહારાષ્ટ્રના એક અત્યંત સામાન્ય પરિવારની ૧૨ વર્ષીય બાળકીએ એક અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. પુણે જિલ્લા પરિષદ દ્વારા આયોજિત પરિક્ષામાં ઉત્તમ દેખાવ કરીને એક નાનકડા ગામમાં રહેતી અદિતિ પાર્થે અમેરિકાની અમેરિકાની જગવિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ની મુલાકાતે જવા માટે પસંદગી પામી છે.નવાઈની વાત એ છે કે, અદિતિના ઘરમાં સ્માર્ટફોન પણ નથી અને શાળામાં કમ્પ્યુટરની સગવડ પણ નથી. આમ છતાં એણે કમ્પ્યુટરના માધ્યમથી લેવાયેલી પરીક્ષા પાર પાડીને આ પ્રેરણાદાયી સફળતા મેળવી છે.અદિતિ પાર્થે પુણેના ભોર તાલુકાના એક નાનકડા ગામમાં માતા-પિતા સાથે રહે છે.…
Author: gujarat
Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં દિવાળી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવાની ચર્ચા જોર પર છે. ધારણા છે કે હાલના 16 મંત્રીઓમાંથી 9 થી 10 મંત્રીઓને બદલી શકાય છે, જ્યારે 14 થી 15 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ગાંધીનગર ખાતે પ્રશાસનિક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. વડોદરા શહેરની “લોટરી” લાગશે કે રાહ લાંબી થશે? મધ્ય ગુજરાતના કેન્દ્ર વડોદરાથી હાલ કોઈ મંત્રી નથી. મહારાજા સયાજીરાવની ધરતી કહેવાતા આ શહેરમાંથી આ વખતે કોઈને મંત્રીપદ મળશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મળી કુલ 10 વિધાયક છે. કેયુર રોકડિયા (સયાજીગંજ) અને ચૈતન્ય દેસાઈ (અકોટા) ના નામ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા બાબતે નોન ટ્રાઇબલ ‘શ્રેષ્ઠ જિલ્લા‘નો એવોર્ડ અપાયોભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનમાં અમદાવાદ જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર રાજ્યમાં અનોખું સ્થાન મેળવ્યું છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને નોન ટ્રાઇબલ ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક એ.એમ. દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું,જે જિલ્લાના તમામ અધિકારી, કર્મચારી અને ગ્રામ્યજનોની સંયુક્ત મહેનતનું પરિણામ છે.અત્રે નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાને મળેલ આ પુરસ્કાર માત્ર પ્રશસ્તિપત્ર નથી, પરંતુ એ એક પ્રેરણાનું પ્રતીક છે, કે કેવી રીતે સંકલ્પ,…
Gujarat cabinet reshuffle Hardik Patel: બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા તેજ બની છે. 18 ઓક્ટોબરની સાંજ પહેલા આગામી બે થી ત્રણ દિવસમાં મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તરણ થવાની સંભાવના છે. સૂત્રો કહે છે કે ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં યુવા ચહેરાઓનો સમાવેશ થશે કે દાદા. આનાથી ગુજરાત ભાજપના સૌથી યુવા ધારાસભ્ય અને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને યુવા ટીમમાં સ્થાન મળશે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં લગભગ 15 થી 20 નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ ભાજપ કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે ટિપ્પણી જારી કરવામાં આવી…
રાજ્ય સરકારની બાગાયતલક્ષી યોજનાઓએ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને અવનવા કૃષિ પ્રયોગો માટે પીઠબળ પૂરુ પાડ્યું –બાગાયતી અને નવીન કૃષિમાં કાઠું કાઢીને જિલ્લાના ખેડૂતો વિકાસ અને સમૃદ્ધિના માર્ગેઆલેખન:- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદરાજ્યમાં વિકાસની વ્યાખ્યા હવે ઉદ્યોગો કે માળખાગત સુવિધાઓ સુધી સીમિત ન રહીને જમીન સાથે જોડાયેલા ખેડૂતોની આર્થિક ઉન્નતિમાં પણ રહેલી છે. રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી આવા ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ થકી અન્યોને પ્રોત્સાહિત કરવાનો અવસર છે.રાજ્યમાં પ્રાકૃતિક અને નવીન કૃષિનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વધુ ને વધુ ખેડૂતો આજે ફળ પાકો, શાકભાજી પાકો અને નવીન કૃષિમાં સારા પરિણામો મેળવી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ થકી…
Signal Falia Gang: પશ્ચિમ રેલવે વડોદરા વિભાગની રાજકીય રેલવે પોલીસ (GRP)ને મોટી સફળતા મળી છે. ગોધરાના સિગ્નલ ફલિયા વિસ્તારમાં સક્રિય કુખ્યાત Signal Falia Gang પર ગુજસીટોક (GUJCTOC) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગ રેલવેની સંપત્તિ, માલગાડીઓ અને મુસાફરોને લૂંટવાના ગુનાઓમાં વર્ષોથી સંકળાયેલો હતો. છ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કેસ નોંધાયો ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ નીચેના છ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે – હસન ઉર્ફે ટક્કન સલીમ શેખ (23) હુસેન સલીમ શેખ (25) સુલતાન નિશાર ખાલપા (27) ઇમરાન નિશાર ખાલપા (25) ફરદીન ઇનાયતઅલી મકરાણી (24) યાસીન સલીમ શેખ (27) આમાંથી બે આરોપીઓ પહેલેથી…
ડેમનું પાણી આગામી રવી અને ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે(એજન્સી)ભરૂચ, નર્મદા ડેમ (સરદાર સરોવર) સંપૂર્ણપણે ભરાયેલો છે, જે તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર પર પહોંચી ગયો છે. હાલમાં ડેમમાં પાણીની આવક ૧ લાખ ક્યુસેકથી વધુ નોંધાઈ છે, જે સૂચવે છે કે ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણી આવી રહ્યું છે.ડેમ ૧૦૦% ભરાયેલો હોવાથી, વધારાના પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા નહિવત્ છે. આ ભારે આવક ગુજરાત અને અન્ય રાજ્યો માટે સિંચાઈ અને પીવાના પાણીની દ્રષ્ટિએ ખૂબ જ સકારાત્મક સંકેત છે, પરંતુ ડેમ મેનેજમેન્ટ માટે પાણીને નિયંત્રિત રીતે છોડવું જરૂરી બને છે.ડેમમાં પાણીની સતત અને મોટી આવકને કારણે, પાણીનું નિયંત્રણપૂર્વક નિકાલ કરવું આવશ્યક છે.…
MS University Vadodara Scandal:વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદમાં આવી છે. આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ અશ્લીલ હરકતો કરી, જેના દૃશ્યો વીડિયો રૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણજગતને ઝંઝોડીને રાખી દીધું છે. ABVP દ્વારા ઉગ્ર રજૂઆત વીડિયો વાયરલ થતાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી. કાર્યકરોએ દોષિત વિદ્યાર્થીઓ અને જવાબદાર અધિકારીઓ સામે તરત જ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ડીનનું નિવેદન: “શૈક્ષણિક ધામમાં અનૈતિક હરકત અક્ષમ્ય” ડીન ડૉ. કલ્પના ગવળી એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “શિક્ષણના…
Gandhinagar, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ,સામાજિક માળખાકીય સુવિધાઓ,વિકાસ,અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે ‘અમૃત ૨.૦’ યોજના હેઠળ રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે.વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશનું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને…
Gujarat cabinet reshuffle fear: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. આ અચાનક દિલ્હી મુલાકાતને પગલે ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારોની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે. મોદી-શાહ સાથે બેઠક, મોટા નિર્ણયોની શક્યતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વની મુલાકાત કરશે. મુખ્યમંત્રીની છેલ્લા દોઢ મહિનામાં આ બીજી દિલ્હી મુલાકાત છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂંક…
