BJP internal faction conflict: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ સ્વાગત કાર્યક્રમ બુહારી ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યાના આક્ષેપ સાથે ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં.ના અઘ્યક્ષે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરી હતી. જે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં આંતરિક જૂથવાદની લડાઈ જાહેરમાં આવી ગઈ છે. ફરિયાદમાં ધારાસભ્ય વગર આમંત્રણે આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ‘હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું’ વાલોડ તાલુકા ભાજપમાં ચાલતા જૂથવાદની લડાઈ હવે ત્રણ પેઢીના પારિવારિક સંબંધમાં પ્રવેશતા ખટરાગ ઉભો…
Author: gujarat
અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે ૧૦ કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરીAhmedabad, આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ,ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ સરળ બનાવે છે.સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત,વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે – ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ.અમદાવાદ મેટ્રોની…
Gujarat cabinet portfolio allocation: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આવતીકાલે, 17મી ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક યોજાશે, જેમાં નવા મંત્રીઓને તેમના વિભાગો અને ખાતાઓ ફાળવવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આજે મુખ્યમંત્રી સિવાયના લગભગ તમામ વર્તમાન મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે. એવી ધારણા છે કે, માત્ર ત્રણથી ચાર વર્તમાન મંત્રીઓને જ તેમના હોદ્દા પર જાળવી રાખવામાં આવશે, જ્યારે બાકીના મંત્રીઓને હટાવીને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. આથી રાજ્ય સરકારમાં મોટા પાયે પરિવર્તન થવાનું નિશ્ચિત બની ગયું છે.…
ભગવાન ઘંટાકર્ણની આરતી,પૂજા-અર્ચના કરીને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ,શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી,પૂજા-અર્ચના કરી ને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડીની હતા તે દરમ્યાન તેમણે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા તેમજ ભગવાન ઘંટાકર્ણની આરતી,પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ,શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
રાજકોટ, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ડેડરવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં એક જ હડકાયા શ્વાને એક જ દિવસમાં બાળકો સહિત ૧૫થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, ડેડરવા ગામમાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત ૧૫થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા.આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ…
Gujarat Ministers Resignation: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આવતીકાલે, 17મી ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક યોજાશે. મળતી માહિતી પ્રમાણે આજે ત્રણ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની બેઠક મળશે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ રાજીનામું આપી શકે છે. આવતી કાલે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 16મી ઓક્ટોબરના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ એક સાથે રાજીનામા આપી…
વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુસૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયારાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્નરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો.વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીના દ્વારા ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી.સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા…
Mehsana ghee factory raid: પ્રકાશપર્વ દિવાળીના તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મે.શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ. 96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી. પોલીસે પકડેલાં રૂ. 95, 59,718 નો જથ્થો સીઝ કરી તેમાંના ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેખોરેટરીમાં મોકલી આપ્યાં હતા. રૂ. 95,59,718 નો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ નાઈટ પ્રેટોલિંગમાં હતા. ત્યારે ગિલોસણ ગામે પટેલ નિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની મે. શિવાન ફૂડ પ્રોડક્ટ્સ ( યુક્રેન એસ્ટેટ, 50/એ, 50/બી, 51/બી,…
*વિકાસ સપ્તાહ: મહિલા સશક્તિકરણના આભને આંબતી ગુજરાતની ડ્રોન દીદી**આગામી એક વર્ષમાં રાજ્યની વધુ ૧૦૨૪ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને “ડ્રોન દીદી” બનાવાશે*ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્ય સ્તરે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે ગ્રામીણ મહિલાઓને માત્ર લાભાર્થી નહીં,પણ રાજ્યના વિકાસમાં સક્રિય આર્થિક ભાગીદાર બનાવવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન બન્યા પછી,શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યા અને ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના પ્રયત્નો કર્યા છે.મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મુદ્રા યોજના,લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં…
Gujarat gangrape accused arrest : ઉનાના દરિયાકાંઠે એક અચાનક સરકારી મેસેજ આવ્યો, જેમાં માછીમારોને દરિયાથી પરત આવવાની સૂચના આપી હતી કારણ કે તોફાન આવવાની સંભાવના હતી. આ સમયે, સાદા કપડાંમાં પોલીસની ટીમ દરિયામાં જાય છે અને પાંસલ પકડવાની યોજના બનાવે છે. જ્યારે ઉનાના માછીમારો પરત ફરી રહ્યા હતા, ત્યારે પોલીસ દરિયામાં જઈને ગેંગરેપના આરોપીઓને પકડવામાં સફળ રહી. ઉનાથી આશરે 1300 કિ.મી. દૂર, ઉત્તર ગુજરાતના વિસનગરમાં પણ પોલીસ સગીરાઓ સાથે થયેલા સામૂહિક બળાત્કારના કેસની તપાસમાં વ્યસ્ત હતી. બંને ઘટનાઓમાં અલગ અલગ સ્ત્રીઓ સાથે અનેક લોકોએ બળાત્કાર કર્યો હોવાનું નોંધાયું હતું. ઉનામાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, એક વિધવા સ્ત્રીઓ સાથે ત્રણ લોકોએ સાત…
