Gujarat Cabinet Reshuffle: દિવાળી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં **કેબિનેટ રીશેપલ (Cabinet Reshuffle)**ની તૈયારી ચાલી રહી છે. સૂત્રો મુજબ હાલના 16 મંત્રીઓમાંથી લગભગ 9થી 10 મંત્રીઓને હટાવવામાં આવશે અને 14 નવા ચહેરાઓને શુક્રવારે ગાંધીનગર ખાતે શપથ લેવડાવવામાં આવશે. શપથવિધિ મહાત્મા મંદિર ખાતે સવારે 11:30 વાગ્યે યોજાશે. ઉપમુખમંત્રી માટેની રેસમાં બે મોટા નામ ભાજપ ફરીથી Deputy CMના ફોર્મ્યુલા પર પાછી ફરશે એવી ચર્ચા છે. હાલ આ પદ માટે બે મોટા નામો ચર્ચામાં છે – હર્ષ સંઘવી – હાલના રાજ્ય ગૃહ, રમતગમત અને પરિવહન મંત્રી. કુવંરજી હળપતિ – આદિવાસી સમુદાયના નેતા અને શ્રમ,…
Author: gujarat
ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ,સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોરનું ૫૫૭૬ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશેરાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.૧૧૪૭ કરોડ મંજૂર કરતાં મુખ્યમંત્રીશ્રીઆ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર થશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના…
Gujarat Cabinet Ministers 2025:17 ઓક્ટોબર 2025ના દિવસે પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાનને બાદ કરતાં તમામ પ્રધાનોએ રાજીનામાં આપ્યા હતા. જૂનુા પ્રધાન મંડળની યાદી. ભુપેન્દ્ર રજનીકાન્ત પટેલ – 15 વિભાગો હતા. સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીઓને ન ફાળવેલ વિષયો. કનુ મોહન દેસાઈ નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ઋષિકેશ ગણેશ…
છત્તીસગઢ રાજ્યમાં ૨૧૦ નક્સલવાદીઓના ઐતિહાસિક આત્મસમર્પણ બાદના દિવસે જ કોંડાગાંવમાં વધુ એક સફળતારાયપુર,છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં શનિવારે (18-10-2025) ના રોજ એક વધુ મોટી સફળતા મળી છે. કોંડાગાંવ જિલ્લામાં સક્રિય મહિલા માઓવાદી કમાન્ડર ગીતા ઉર્ફે કમલી સલામએ શનિવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. તેના માથે છત્તીસગઢ સરકાર તરફથી ₹૫ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. Wanted Maoist Geeta, carrying Rs 5 lakh bounty on head, surrenders in Chhattisgarhઅભિનેત્રીનું આ પગલું રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક આત્મસમર્પણના માત્ર એક દિવસ પછી આવ્યું છે, જ્યારે જગદલપુરમાં ૨૧૦ નક્સલવાદીઓ, જેમાં વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા, હથિયાર હેઠા મૂક્યા હતા. આ ઘટનાએ આ વિસ્તારમાં…
Gujarat journalist kidnapped: રાજ્યમાં પત્રકારો સામે તોડપાણી અને ખંડણી જેવી ઘટનાઓને લઇને હલચલ ચાલી રહી છે. આ દ્રશ્ય ગાંધીનગર જિલ્લામાં પણ જોવા મળ્યું છે, જ્યાં બુલેટીન ઈન્ડિયાના પત્રકાર સુનિલ બ્રહ્મભટ્ટનું અપહરણ થયું છે. સુનિલ અને તેમના કેમેરામેન રમેશ રાવત બુધવારે સાંજે ખોરજ શાલીગ્રામ લેક વ્યુ ખાતેના નીરો ઈન્ટરનેશનલ સ્પા ગયા હતા. થોડીક મિનિટોની મુલાકાત બાદ સુનિલને એક જૂથે પકડી લીધો અને રમેશનો કેમેરો છીનવી લીધો. રમેશ ભયને કારણે સ્થળ પરથી બચી ગયા અને ઓફિસને માહિતી આપી. સુનિલને બાદમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જાણીતા પત્રકારો સામે ગુજસીટૉક ગુજરાતમાં પણ કેટલાક પત્રકારો ઉપર કાળા ધંધા જેવા આરોપો છે. ઓઝેફ તિરમિઝી…
મહેમાનો એ સ્વચ્છતા ના ભરપૂર વખાણ કર્યા(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ના મણિનગર, કાંકરિયા ખાતે આવેલા એકા કલબમાં આયોજિત 70મા ફિલ્મફેર એવોર્ડ્સ જેવા ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં દેશ-વિદેશના ફિલ્મ જગતના નામાંકિત કલાકારો, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી હસ્તીઓ, ડેલીગેશનો, તેમજ અગ્રણી નાગરિકો અને VIP મહેમાનોની હાજરી આપી હતી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરની છબીને વધુ ઉજ્જવળ બનાવવા માટે પૂર્વતૈયારીના ભાગરૂપે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજય મિસ્ત્રીના જણાવ્યા મુજબ શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને મહેમાનોને એક સુંદર અનુભવ મળે તે હેતુસર યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી…
Gujarat Cabinet Change:16 ઓક્ટોબર, 2025 – ભાજપે બિહાર ચૂંટણી વચ્ચે ગુજરાતમાં સહેજ આશ્ચર્યજનક નિર્ણય લીધો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સિવાય સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું. આ પગલાં પાછળ એન્ટી-ઇંકંબન્સી ફોર્મ્યુલા લાગુ કરવા અને “વિધાનસભા” જાહેરનગરપાલિકા ચૂંટણી માટે તૈયાર રહેવું મુખ્ય કારણ છે. ક્યાંથી શરૂ થયું: – 2021માં પણ ભાજપે ‘નો રીપીટ થ્યોરી’ હેઠળ સમગ્ર કેબિનેટ બદલી હતી, જે વખત સફળ સાબિત થઈ. – હવે ચૂંટણી પૂર્વ કેબિનેટ સજ્જ કરવાની BJPની સિયાસી ‘સર્જરી’ ફરી એકવાર ચાલે છે. મોટા કારણો: ઘણા મંત્રીઓની ઉંમર વધારે અને તેઓ તેમની ભૂમિકામાં સક્ષમ ન રહ્યા. કઇંક મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપ. એક-એક કરી દૂર કરવાની સ્થિતિમાં વિરોધી પક્ષને…
અમદાવાદ, ઘોડાસરમાં આવેલી ઈમેજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીની બાકી ફી મુદ્દે લાફા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત વાલી અને વિદ્યાર્થી સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો ન હોવાની ફરિયાદ ઊઠી છે. આ અંગે વાલી દ્વારા નારોલ પોલીસ મથકે અરજી કરવા ઉપરાંત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસનપુર ખાતે રહેતા જગદીશ સોની ઘરઆંગણે સોની કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના બે બાળકો ઘોડાસરમાં આવેલી ઈમેજ સ્કૂલમાં અભ્યાસ કરે છે.જોકે, ચાલુ વર્ષે તેમને ધંધામાં મંદી આવતા તેઓ બાળકોની ફી ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમણે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીને મળીને પોતાની સ્થિતિ જણાવી…
Gujarat cabinet : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું મંત્રીમંડળ ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યું છે. નવા મંત્રીઓની શપથવિધિ આજે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિરમાં યોજાશે. તેના પહેલાં રાજ્યના કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ થવા માટે મુખ્યમંત્રીએ ફોન દ્વારા જાણકારી આપી છે. હજુ સુધીની જાણકારી પ્રમાણે, જૂના મંત્રીમંડળના 16 પૈકી 6 મંત્રીઓને ફરીથી મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, કનુભાઈ દેસાઈ અને ઇશ્વરસિંહ પટેલનું સ્થાન નક્કી થયું છે. નવી સરકારમાં ચાર આદિવાસી નેતાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પી.સી.બરંડા, જયરામ ગામિત, નરેશ પટેલ અને કાંતિ અમૃતિયાનો સમાવેશ થશે. આ ધારાસભ્યો ભિલોડા,…
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા પંજાબના પ્રવાસે લુધિયાણામાં પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધીલુધિયાણા,કેન્દ્રીય ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. આજે,તેમણે રાહત અને પુનર્વસન કાર્યની સમીક્ષા કરવા માટે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે જિલ્લાના તલવંડી કલાન,બોંકર ડોગરા,ગોર્સિયન હકમારે,લોપોન અને ગિલ વિસ્તારોની મુલાકાત લીધી.તેમની મુલાકાતના પહેલા દિવસે,માનનીય મંત્રીએ પંજાબના લોક કલ્યાણ માટે આલમગીરની મુલાકાત લીધી. તેમણે ગુરુદ્વારા શ્રી માંજી સાહિબમાં પૂજા કરી. ઉલ્લેખનીય છે કે મંત્રીએ પૂર રાહત કાર્યની પ્રગતિની સમીક્ષા કરી અને ઘરો,ખેતરો અને પશુધનની સલામતી અંગે માહિતી પૂરી પાડી. તેમણે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે…
