Author: gujarat

જે લોકો ભારતનો પક્ષ નથી જોઈ શકતા તેમને હું અરીસો બતાવવા માટે ઉભો છું-પીએમ મોદી  (જી.એન.એસ) તા.29 નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ  મંગળવારે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા હતા, ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને તેના માસ્ટર્સને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. અમને સશસ્ત્ર દળોની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. સેનાને હુમલો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. અમને ગર્વ છે કે સેનાએ આતંકવાદીઓને સજા આપી. ભારતે પોતાના નિર્ણય મુજબ કાર્યવાહી…

Read More

મેષ આજે ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. આજે રૉમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઈનામ આપશે. તમારા ઘર ના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે, જે તમારો થોડો સમય બગાડે છે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે. વૃષભ આજના દિવસે તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો…

Read More

ભારતીય રૂપિયો ૨૦૨૫માં સૌથી નબળા ઉભરતા બજારોના ચલણોમાંનો એક છે. મે માસના અંતિમ વીકમાં રૂપિયામાં ૦.૧૩%નો વધારો થયો હતો. પરંતુ તાઇવાન ડોલર અને બ્રાઝિલિયન રીઅલ જેવા અન્ય ચલણોમાં ઘણો મજબૂત વધારો થયો છે. ચાઇનીઝ રેનમિન્બીએ પણ સારો દેખાવ કર્યો છે, ૨૦૨૫માં તેમાં અત્યાર સુધીમાં ડોલર સામે ૧.૩૪%નો વધારો થયો છે. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૫માં રૂપિયામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને ગ્રીનબેક સામે ૮૮ના સ્તરની નજીક ગયો હતો. પરંતુ ટેરિફમાં ૯૦ દિવસના વિરામને કારણે તે ૮૫-૮૬ની રેન્જમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો, આમ છતાં ઉભરતા બજારોના સમકક્ષોની સરખામણીમાં રૂપિયાનું પ્રદર્શન નબળું રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં રૂપિયો ડોલર…

Read More

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવની ગણતરી પ્રમાણે, કરારના પ્રથમ વર્ષમાં ભારતને કસ્ટમ્સ ડયૂટી મારફતની આવકમાં રૂ.૪૦૫૦ કરોડનો ફટકો પડી શકે છે. દસમાં વર્ષ સુધીમાં વાર્ષિક નુકસાન વધી રૂ.૬૩૫૦ કરોડ રહેવા ધારણાં છે. ભારત તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા મુકત વેપાર કરારમાં વેઈટેડ એવરેજ ટેરિફ જે દસ વર્ષમાં ૧૫% પરથી ઘટાડી ૩% પર લાવવા ભારત સહમત થયું છે તેને કારણે દેશની કસ્ટમ ડયૂટી મારફતની આવક પર અસર પડશે. જો કે કરારને કારણે નિકાસમાં તથા આર્થિક પ્રવૃત્તિમાં થનારા વધારાથી ભારતની એકંદર આવકમાં વધારો જોવા મળશે એમ સરકારી સુત્રો માની રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૫ના વેપાર વોલ્યુમને આધારે આ…

Read More

વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ – ITI અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં ૨૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ-ઇન-એઇડ અને ૧૬૮ સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ ૫૫૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે. આ ITIમાં અંદાજે ૨.૧૭ લાખ કરતાં વધુ બેઠકો પર વિવિધ વ્યવસાયિક તાલીમ સુવિધા આપવામાં આવે છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ૭૯ રાષ્ટ્રીય કક્ષાના અને ૫૩ રાજ્ય…

Read More

શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું  વિશેષ મહત્વ છે ત્યારે તેમણે  આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે  ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રીએ ભગવાન ભોળાનાથના  દર્શન પૂજન કરીને  સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે ધોળેશ્વર મહાદેવના મહંતશ્રી રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસનો અકસ્માત (જી.એન.એસ) તા. 28 વડોદરા, વડોદરામાં બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ આજે બપોરના સમયે ધડાકાભેર થાંભલામાં ઘૂસી ગઇ હોવાની ઘટના સામે આવી છે. મોટો ધડાકો થતાની સાથે જ નજીકના કોમ્પ્લેક્ષમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના સમયે બસમાં સવાર બાળકો પણ ડરના માર્યા બુમો પાડતા હોવાનું જાણવા મળી રહ્યું છે. થાંભલામાં ઘૂસતા પહેલા બસની અડફેટે બે કાર આવી હોવાનું સ્થાનિકોનું જણાવવું છે. આ ઘટનામાં બસની બ્રેક ફેલ થઇ ગઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટના સમયે બસમાં 10 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા, જે તમામ સલામત હોવાનું જાણવા…

Read More

(જી.એન.એસ) તા.28 વોશિંગટન, યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને એક નવી ચેતવણી જારી કરી છે, જેમાં તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરતી વખતે માંસ, ફળો, શાકભાજી, છોડ, બીજ, માટી અને પ્રાણીઓ સહિતની વસ્તુઓ જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. X પરની એક પોસ્ટમાં, CBP એ એક ડિટેક્શન ડોગને ફોઇલમાં લપેટેલા રાંધેલા ડુક્કરના માથાની સાથે અન્ય ખાદ્ય પદાર્થોની બોટલોનું નિરીક્ષણ કરતા દર્શાવ્યું હતું. “ખોરાક સાથે મુસાફરી કરી રહ્યા છો? યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશતા બધા પ્રવાસીઓએ માંસ, ફળો, શાકભાજી, છોડ, બીજ, માટી, પ્રાણીઓ, તેમજ તેઓ જે છોડ અને પ્રાણી ઉત્પાદનો લઈ જઈ રહ્યા છે તે જાહેર કરવા જરૂરી છે,” CBP એ…

Read More

પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી, 37 મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં જુલાઈ 2025 માટે ટોચનું રાજ્ય બન્યું છે. પીએમ જનમન યોજનાના અમલીકરણ માટે દર મહિને સ્ટેટ રેંકિંગ જાહેર કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષ ઉપનેતા અને મુખ્ય દંડક નિમણૂક કર્યા છે. આ સાથે કોંગ્રેસ દ્વારા અન્ય 6 ઉપદંડક, મંત્રી, પ્રવક્તા અને ખજાનચીની નિમણૂક કરવામાં આવી છે.  ગુજરાત કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમારને કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ડૉ. કિરીટ પટેલને મુખ્ય દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જીગ્નેશ મેવાણી અને અનંત પટેલને પ્રવક્તા બનાવામાં આવ્યા છે. જ્યારે અન્ય નેતાઓને ઉપદંડક સહિતની જવાબદારી આપવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડે થોડા દિવસ પહેલા અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. આ…

Read More