ગાંધીનગર, ગુજરાતના નવા મંત્રીમંડળની રચનાએ રાજકીય ગલિયારામાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. સૌથી વધુ ધ્યાન ખેંચનાર બાબત છે સૌરાષ્ટ્રનું વધેલું પ્રતિનિધિત્વ. અગાઉના ૫ મંત્રીઓની સરખામણીમાં આ વખતે સૌરાષ્ટ્રના ૯ ધારાસભ્યોને મંત્રીપદની ભેટ મળી છે. આ ફેરફારને રાજકીય વિશ્લેષકો માત્ર એક સામાન્ય બદલાવ તરીકે નથી જોઈ રહ્યા,પરંતુ તાજેતરમાં જ વિસાવદર પેટાચૂંટણીમાં શાસક પક્ષને મળેલા પરાજયના પડઘા રૂપે જોઈ રહ્યા છે. શું આ નિર્ણય સૌરાષ્ટ્રના મતદારોની નારાજગી દૂર કરવા અને ભવિષ્યમાં ‘વિસાવદરવાળી’ થતી ટાળવાનો એક સુચિંતિત પ્રયાસ છે? ચાલો, આ રાજકીય દાવપેચનું વિશ્લેષણ કરીએ.વિસાવદરની હાર શાસક પક્ષ માટે માત્ર એક બેઠક ગુમાવવા બરાબર ન હતી. તે સૌરાષ્ટ્રના રાજકીય હવામાનનો સ્પષ્ટ સંકેત હતો.…
Author: gujarat
ગાંધીનગર, બાંધકામ સાઈટના કોન્ટ્રાક્ટરે મજૂરી પેટે બાકી નીકળતા રૂપિયા ૧૦ લાખની રકમ નહીં મળતા નાસીપાસ થઇ ગયેલા મુકાદમે આપઘાત કરી લીધો હોવાનો બનાવ ગાંધીનગરના કોબા ખાતેની કન્સ્ટ્રક્શન સાઈટ પર બન્યો હતો.ચોંકાવનારા બનાવની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.દાહોદના રાહુલ નરસુભાઈ પસાયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બનાવની વિગત એવી છે કે તેમના મોટાભાઈ અર્જુનભાઈએ કોબા ખાતેના કે. રાહેજા રોડ પર આવેલી ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઈટ પર આર.સી.સી.નું કામ સાઇટ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપૂત પાસેથી મજૂરીના ભાવથી રાખ્યું હતું. જેથી અર્જુને ૧૫ માણસો સાઇટ પર રાખી સાઇટના એ અને બી…
અમદાવાદ , દિવાળીનો તહેવાર આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ઓનલાઈન શોપિંગ અને ડિસ્કાઉન્ટ અંગેની ભરપૂર જાહેરાત આવવા લાગી છે, પરંતુ આ ગાડરિયા પ્રવાહમાં જવાથી ક્યારેક સાયબર ઠગાઈનો શિકાર બની જવાય છે.ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરતા લોકોએ અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. તહેવાર સમયે સાયબર ગઠિયાઓ બનાવટી વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરે છે. આ પ્રકારની બનાવટી વેબસાઈટ પરથી શોપિંગ કરનાર લોકો સાથે ઠગાઈના કિસ્સા બનશે.સાથે જ બીજી બાજુ કેટલાક કિસ્સામાં કુરિયર તો ઘરે આવે છે, પરંતુ તેમાં રૂપિયા ખર્ચીને ખરીદેલી ચીજવસ્તુઓ હોતી નથી. અંતે ગ્રાહકે રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે તહેવાર દરમિયાન પોલીસ ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડી…
Silver Theft:અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી થયેલી 117 કિલો ચાંદીની ચોરીનો ભેદ પોલીસએ ઉકેલી લીધો છે. આ મામલામાં દેરાસરના પૂજારી, સફાઈ કર્મચારી દંપતી અને ચોરાયેલી ચાંદી ખરીદનારા બે વેપારીઓ સહિત કુલ પાંચ જણાને પોલીસે ઝડપી લીધા છે. ધનતેરસના દિવસે પોલીસે 48 કિલોગ્રામ ચાંદી, ચાર મોબાઈલ ફોન, એક પીકઅપ બૉલેરો અને રૂ. 79 હજાર રોકડ કબજે કરી છે. ફરિયાદમાં કુલ 117 કિલો ચાંદીની ચોરી દર્શાવવામાં આવી હતી, જેમાંથી 69 કિલો ચાંદી હજી ગુમ છે. ખાસ વાત એ છે કે દેરાસરમાં ભેટ સ્વરૂપે મળતી ચાંદીનો સત્તાવાર કોઈ હિસાબ રાખવામાં આવતો નહોતો. કેવી રીતે થઈ ચોરી? ગત 8 ઑક્ટોબરે દેરાસરમાં ભગવાન…
રાજકોટ, કુવાડવા રોડ પર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા નરસિંહ મહેતા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં જયેન્દ્ર બચુભાઈ ધકાણ (ઉ.વ. ૬૦)એ પત્ની મંજુબેન (ઉ.વ. ૬૫)ની આજે વહેલી સવારે ગળેટૂંપો દઈ, ઠંડે કલેજે, હત્યા કરી નાખી હતી.હત્યા બાદ પત્નીની લાશ પાસે બેસી જઈ ધુÙસ્કે-ધુÙસ્કે રડી માફી માંગી હતી. પત્નીને છેલ્લા સાતેક માસથી આખા શરીરમાં અસહ્ય દુઃખાવો થતો હોવાને કારણે તેની પીડા નહીં જોવાતા હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે.આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં રિક્ષા ચલાવતો જયેન્દ્ર બી-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરજ પરના પીએસઓને પત્નીની હત્યા કર્યાનું જણાવી સમર્પણ કર્યું હતું. તે સાથે જ પીએસઓએ તેને પોલીસ મથકમાં બેસાડી દીધો હતો.જાણ થતાં પીઆઈ…
ગુરુવારે એક સાથે 9 સસ્પેન્ડ થયા(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ. કમિશનરે ગુરુવારે એક જ દિવસમાં 9 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, આમ,છેલ્લા 06 મહિનામાં જ મ્યુનિ. કમિશનરે વર્ગ 1 થી 4ના 22 લોકોને સસ્પેન્ડ કર્યા છે.જેમાં અધિકારીઓ સામે ભ્રષ્ટ્રાચાર, અપ્રમાણસર મિલકત, નાણાંકીય ગેરરીતિ, નોકરીમાં અનિયમીતતા સહિતના અનેક બાબતો ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી બાદ આ તમામ કર્મચારી- અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છેકે, મ્યુનિ.ના કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટ્રાચાર, નાણાંકીય ગેરરીતિ સહિતના વિવિધ બાબતોમાં મ્યુનિ. વિજીલન્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. જે તપાસ બાદ તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પદ્ધતી અનુસાર મ્યુનિ. દ્વારા 22 જેટલા…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના એક ફાર્માસિસ્ટને જમીન રોકાણના બદલામાં ઊંચા વળતરની લાલચ આપીને રૂ.૧.૭૫ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ શહેર પોલીસે ગાંધીનગર સ્થિત ભાવિક સુરેશભાઈ રાવલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સોલાના રહેવાસી અને બોડકદેવમાં અંજની મેડિકલ સ્ટોર ચલાવતા ૪૯ વર્ષીય દીપક દશરથભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાવલ, પીડિતના કોલેજ સમયનો પરિચિત હતો. જૂન ૨૦૨૩માં મિત્રતાના નામે ફરી સંપર્ક સાધીને રાવલે પટેલને ગાંધીનગર અને પાટણમાં જમીન સોદામાં સંયુક્ત રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો.વિશ્વાસ કેળવ્યા બાદ જુલાઈ ૨૦૨૩માં ભાવિક રાવલે દક્ષિણ બોપલમાં આવેલી દીપક પટેલની દુકાન રૂ.૧.૧૯ કરોડમાં વેચીને તેમને ભાગીદાર બનવા…
Padra APMC Election Result: વડોદરા જિલ્લાના પાદરા ખાતે BJP માટે મોટો આઘાતરૂપ પરિણામ આવ્યું છે. ગુજરાતમાં સંગઠનના નેતૃત્વ અને મંત્રીમંડળમાં ફેરબદલ થયા પછી પાર્ટી માટે આ પહેલી મોટી હાર ગણાઈ રહી છે. પાદરા APMC ચૂંટણીમાં BJP પ્રેરિત પેનલનું ‘સૂપડું સાફ’ થઈ ગયું છે, જ્યારે દિનુ મામા તરીકે જાણીતા દિનેશ પટેલના પેનલે જંગી વિજય મેળવ્યો છે. પાદરા APMC પરિણામ: BJP પ્રેરિત પેનલનો પરાજય વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં યોજાયેલી ખેતીપાક બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં દિનુમામા સમર્થિત કિસાન સહયોગ પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા બન્યા છે. શરૂઆતથી જ દિનુમામા પ્રેરિત ઉમેદવારો આગેવાનીમાં રહ્યા હતા. પરિણામ બાદ તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને…
ગાંધીનગર, ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે, મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે.કેબિનેટ મંત્રીઓનું નવું માળખું ઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત, મંત્રીમંડળમાં આઠ…
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સંપૂર્ણ પુનર્ગઠન બાદ રાજકીય ચર્ચાઓ ફરી તીવ્ર બની છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ માત્ર બે વર્ષમાં સમગ્ર મંત્રીમંડળ બદલવું એ પગલું ઘણા પ્રશ્નો ઉભા કરે છે — શું આ ભાજપનો આગળનો રાજકીય માસ્ટરસ્ટ્રોક છે કે પછી સરકારની અંદર રહેલી કમજોરીનું પ્રતિબિંબ? કેટલાક વિશ્લેષકો માને છે કે મંત્રીમંડળમાં પ્રદેશ અને જ્ઞાતિનું સંતુલન સાધવા સાથે કોંગ્રેસમાંથી જોડાયેલા નેતાઓને આપેલા વચનો નિભાવવાનો પણ આ પ્રયાસ છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ ‘સરકારની નિષ્ફળતા’નો સ્વીકાર રાજકીય તજજ્ઞો કહે છે કે એટલી મોટી બહુમતી બાદ પણ આખું મંત્રીમંડળ બદલી દેવું એ સરકારની કામગીરી પ્રત્યેના અસંતોષનો સંકેત…
