Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ‘વાઘ બકરી- એએમએ સેન્ટર ફોર ગવર્નન્સ’ના ઉપક્રમે “આઈડિયા ટુ ઈમ્પેક્ટ” થીમ પર સીએસઆર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વિવિધ પાસાઓ પર અનેક સત્રો અને વક્તાઓ દ્રારા ચર્ચા કરવામાં આવી હતી.એએમએના માનદ ખજાનચી શ્રી પ્રશાંત ગાંધીએ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સહભાગીઓને‘સીએસઆરનો સાચો અર્થ’સમજવામાં મદદ કરવાનો અને તેનો ઉપયોગ સમાજના સૌથી નબળા વર્ગના લોકોના જીવનને સુધારવા તેમજ સમાજ પર એક સ્પષ્ટ અને કાયમી અસર પહોંચાડવાનો છે.”મોટિફ ચેરિટી વૉકના સ્થાપક અને સ્ટાર્ટઅપ મેન્ટર શ્રી કૌશલ મહેતાએ મુખ્ય વક્તવ્ય આપતાં કહ્યું કે, “અમારા વીકએન્ડ ચેરિટી વૉક એક ઉત્તમ…
Author: gujarat
BCCIએ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો -શ્રેયસ અને જયસ્વાલ શાર્દુલની કેપ્ટનશીપમાં રમશેનવી દિલ્હી, BCCIએ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ટીમોના કેપ્ટનના નામની જાહેરાત પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ જૂના ફોર્મેટની જેમ ચાર ઝોનની ટીમો તેમાં ભાગ લેશે. હવે નવીનતમ ઘટનાક્રમ મુજબ, પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે.શાર્દુલ ઠાકુરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અજિંક્્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યું નથી. આના મોટા સંકેતો છે, જે સમજવા જોઈએ.દુલીપ ટ્રોફી માટે પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમની કમાન શાર્દુલ ઠાકુરને સોંપવામાં આવી છે. શ્રેયસ ઐયર અને યશસ્વી…
બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો -દુકાનનો સમાન રોડ પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યો છે અને બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છેસુરત, સુરતના બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ થતા દુકાનમાં રહેલો સામાન વેરવિખેર થયો છે સાથે સાથે દુકાન ખોલી રહેલ વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, આ બ્લાસ્ટ કઈ રીતે થયો તેનું કારણ અકબંધ છે, તો પોલીસે અને ફાયરવિભાગે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને તપાસ શરૂ કરી છે.સુરતના બારડોલીના શાક માર્કેટમાં આવેલી દુકાનમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી છે, વહેલી સવારે આ બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી…
પુલ ૪૮૦ મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ ૧૪.૮ મીટર ઊંચી છેમુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ ૨૫ નદીના પુલનો સમાવેશ થાય છે, જેમાંથી ૨૧ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં આવેલ છે.અમદાવાદ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં ૩૬ મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ ૧૧૮ ફૂટ જેટલો અને ૧૨ માળની ઈમારતની ઊંચાઈ સમાન છે.આ પુલ ૪૮૦ મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ ૧૪.૮ મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ પુલ આધુનિક…
દર મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે 1500 કરોડથી વધુ એક્સપોર્ટ મોરબીથી થાય છે.એક તરફ ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે બીજી તરફ અમેરિકાના ટેરીફની અસર થશેડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મોરબી પડી ભાંગ્યુ -મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને ૧૨ મહિને લગભગ ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છેમોરબી, મોરબીમાં બનતી ટાઇલ્સને દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે. જો ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો દર મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને ૧૨ મહિને લગભગ ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી…
મંજૂરી વિના ચોકના નામ આપીને બોર્ડ લગાવી દેવાયા હતા, જે હવે સ્થાનિક તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છેગાંધીનગર, અમદાવાદ અને ગાંધીનગરની હદમાં આવેલા ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સતત વિકાસ પામી રહેલા આ વિસ્તારમાં મંજૂરી વિના ચોકના નામ આપીને બોર્ડ લગાવી દેવાયા હતા, જે હવે સ્થાનિક તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે.ન્યૂ ચાંદખેડા જે અમદાવાદ અને ગાંધીનગરની સીમા પર આવેલો છે અને ઝડપથી વિકસી રહ્યો છે, ત્યાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ચોકના નામ આપી દેવામાં આવ્યા હતા.આ મામલો તંત્રના ધ્યાનમાં આવતા માન…
Liquor Racket Exposed In Gujarat: સ્ટેટ સેલના હેડ કોન્સ્ટેબલ સાજણ આહિર અને બુટલેગર અનિલ પંડીત વચ્ચેના મેળાપીપણાનો પર્દાફાશ થયા પછી બુટલેગરો અને ગુજરાત પોલીસ, નશાબંધી કે સરકારી તંત્રના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ કે અધિકારીઓની ચર્ચા અંદરખાને વેગ પકડી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતમાં વર્ષે 300 કરોડ રૂપિયાનો દારૂ પકડી સરકાર અને સરકારી તંત્ર વાહવાહી લૂંટે છે, પરંતુ 3,000 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદે ઠાલવતાં બુટલેગરોના ગોરખધંધા અંકુશમાં આવતાં નથી. હદ તો, એ વાતની છે કે, વર્ષ 2024માં ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 10 નામચીન બુટલેગર પકડાઈ જાય તેની બાતમી મેળવવા માટે ઈનામ જાહેર કર્યાં હતાં. પરંતુ સરકારી ઈનામ જાહેર કરાયા છતાં…
આ જીવજંતુ પગમાં કરડે છે, જેનાથી દુખાવો, સોજો અને રસી નીકળવાની ગંભીર સમસ્યાઓ થાય છે, અને તે શરીરના અન્ય અંગોને પણ અસર કરે છેરાજકોટ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં છેલ્લા છ મહિનાથી એક અજાણ્યા ઝેરી જીવજંતુનો આતંક ફેલાયો છે, જેના કારણે ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ જીવજંતુ પગમાં કરડે છે, જેનાથી દુખાવો, સોજો અને રસી નીકળવાની ગંભીર સમસ્યાઓ થાય છે, અને તે શરીરના અન્ય અંગોને પણ અસર કરે છેરાજકોટઃ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં છેલ્લા છ મહિનાથી એક અજાણ્યા ઝેરી જીવજંતુનો આતંક ફેલાયો છે, જેના કારણે ગામલોકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. આ જીવજંતુના કરડવાના કિસ્સાઓથી અનેક લોકો…
Ahmedabad controversial posters: ફેમિનિઝમના આ યુગમાં સ્ત્રી વિષે જયારે પણ ટિપ્પણી કરો તો વિચારીને કરવી પડે છે.કેમ કે, આ સમાનતાનો યુગ છે.અહીં તમે કંઈપણ બોલશો તો તેનું અર્થઘટન તો થશે જ.કરવાવાળા કેટલાય લોકો છે.અહીં આમ કહેવાનો મુદ્દો એટલે છે કે, શું મોડી રાતની પાર્ટીમાં જવાથી બળાત્કાર કે ગેંગરેપ થઈ શકે છે ? અમદાવાદ શહેરમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં શું લખ્યું છે તે વાંચીને દેશભરના મીડિયામાં તેની ચર્ચા થઇ અને નોંધ લેવાઈ.લોકો ગુસ્સે અને નારાજ છે. પરંતુ આટલું મૂર્ખ કૃત્ય કેવી રીતે થયું? કોણે કર્યું? અને આ બધું કયા શહેરમાં બન્યું? સલામતી માટે ચેતવણી આપવાના નામે આટલો વિકૃત વિચાર કેવી રીતે આવ્યો?…
પરમ સુપર કોમ્પ્યુટરના જનક ડો. વિજય ભાટકર કહે છેકોમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રનાં ભારત અને ભારતીયોનું યોગદાન મહત્વપૂર્ણ છે, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને એઆઇ ટેક્નોલોજીમાં ભારતનું ભવિષ્ય ઉજળુંપદ્મ વિભૂષણ ડો. ભાટકરે તેમની માતૃ સંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની મુલાકાત લીધીVadodara, ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકરે ભારતને કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના અભિયાનની સફળતા તરફ ઇંગિત કરતા કહ્યું કે,હવે એ દિવસો બહુ જ નજીક છે કે,ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે.મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાની ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરનારા ડો. ભાટકર આજે તેમની માતૃસંસ્થાની મુલાકાતે આવ્યા હતા. યુનિવર્સિટીમાં ટેકો તરીકે ઓળખાતા કેમ્પસમાં બેસી…
