Author: gujarat

કુટુંબમાં લગ્નપ્રસંગ આવતો હોવાથી મહિલાએ ઓસ્ટ્રેલિયા રહેતા બહેન સહિતના સગાંને પણ વિડીયો કોલથી વાત કરી હતી(એજન્સી)રાજકોટ, રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ચાલીસ ફૂટ રોડ પર આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ રાત્રે પોતાના પતિ સાથે વિડીયો કોલ પર વાત કર્યા બાદ સાડા ચાર વર્ષના દીકરાને રમવા માટે બહાર મોકલ્યો હતો અને પછી પંખા સાથે ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.હાલ આપઘાતનું કારણ સ્પષ્ટ ન થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આપઘાત કરનાર કોમલબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં કિયાન નામનો સાડા ચાર વર્ષનો દીકરો છે. તેમના પતિ કિશનભાઈ બટુકભાઈ ખુંટ સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં…

Read More

કોર્પોરેશન દ્વારા તદ્દન હંગામી ધોરણે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.૩૮ કરોડના ખર્ચથી ભદ્ર પ્લાઝા ડેવલોપ કરવામાં આવ્યા બાદ તેમાં ફેરિયા પાથરણાવાળાઓના બેસવાનો વિવાદ સતત ચાલતો આવ્યો છેપરંતુ ૧૬ ઓકટોબરે ગુજરાત હાઈકોર્ટે ફેરિયા પાથરણાવાળાઓને બીજો હુકમ ન થાય ત્યાં સુધી જાહેર રસ્તા કે ફુટપાથ પર બેસવા દેવાની સદંતર મનાઈ ફરમાવી છે જેના કારણે કોર્પોરેશન દ્વારા સેવા અને સેલો એનજીઓને હંગામી ધોરણે જગ્યા ફાળવવામાં આવશે.મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રમ્યકુમાર ભટ્ટના જણાવ્યા મુજબ સેવા અને સેલો એનજીઓના ફેરિયાઓને ભદ્ર પરિસર ખાતે બેસવા માટે હાઈકોર્ટ સમક્ષ પીઆઈએલ ર૧૧/ર૧૪ ચાલી રહી છે જેમાં હાઈકોર્ટ દ્વારા આજરોજ ફેરિયાઓને જાહેર રસ્તા કે…

Read More

અમદાવાદની AMC સંચાલીત હોસ્પિટલોમાં તહેવારોમાં વ્યવસ્થા જાળવવા અને તબીબો હાજર રહે તે સુનિશ્ચિત કરવા સુચના અપાઇ છે.(પ્રતિનિધિ) અમદાવાદ, સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં શહેરમાં ખાનગી તબીબો મહત્તમ ફરવા માટે જતાં હોવાથી શહેરમાં આરોગ્યની સમસ્યા ન સર્જાય તે માટે તમામ ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે. તે ઉપરાંત મ્યુનિ. સંચાલીત હોસ્પિટલમાં પણ તબીબોને હાજર રહેવા અને વ્યવસ્થા જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે સુચના આપવામાં આવી છે.મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ મ્યુનિ. સંચાલીત હોસ્પિટલમાં એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શા.ચી.લા. હોસ્પિટલ, નગરી આંખની હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ અને ચેપીરોગની હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવા અને તબીબો હાજર રહે તે સુનિશ્ચિત કરવા સુચના…

Read More

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે. તેવામાં ગુરુવારે (૧૬ આૅક્ટોબર) દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં વલસાડના ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ થયો છે.જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતી સેવાઈ છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૦, ૨૧ અને ૨૨ આૅક્ટોબર, ૨૦૨૫ એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની…

Read More

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? -નવા જિલ્લાના લોકોને ખુશ કરવાનો પ્રયાસ થઈ શકે:જૂની સરકારના નવ મંત્રીઓ પડતા મુકાયા.. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ.મંત્રીમંડળમાં 7 પટેલ સહિત 8 OBC, 3 SC, 4 STનવા મંત્રીમંડળની યાદી.. 1. પ્રફુલ પાનસેરીયા 2. કુંવરજીભાઈ બાવળીયા 3. ઋષિકેશ પટેલ 4. કનુ દેસાઇ 5. પરસોતમ સોલંકી 6. હર્ષ સંઘવી 7. પ્રદ્યુમન વાજા 8. નરેશ પટેલ 9. પીસી બરંડા 10. અર્જુન મોઢવાડિયા 11. કાંતિ અમૃતિયા 12. કૌશિક વેકરીયા 13. સ્વરૂપજી ઠાકોર 14. દર્શનાબેન વાઘેલા 15. જીતુભાઈ વાઘાણી 16. રીવા બા જાડેજા…

Read More

Biometric fraud Gujarat: સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ બને છે તેમાં પાંચ વર્ષ પછી ફરી એક વખત સલામત ગણાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસ ભેદીને સાયબર ફ્રોડ થવા લાગ્યાં છે. તાજેતરમાં જ કચ્છમાં આવા અડધો ડઝનથી વઘુ કિસ્સા બની ચૂક્યાં છે. ગુજરાતના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ટાર્ગેટ કરવા માટે બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને ટાર્ગેટ કરાઈ રહ્યાંની મજબૂત આશંકા છે.ફીંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે પછી વોઈસ પેટર્નથી ઓપરેટ થતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસનો ડેટા ગઠિયાઓ સુધી કઈ રીતે પહોંચે છે તે સૌથી મોટો સવાલ છે. સરકારી તંત્ર અને બેન્કોમાં આઘુનિકીકરણ વચ્ચે ગુજરાતના સવા કરોડ રેશનકાર્ડ હોલ્ડર્સ ઉપરાંત બેન્કોમાં અપાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસના ડેટા વેચાયાની પણ…

Read More

જાનહાનિ ટળી – ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં શુક્રવારે (૧૭મી ઓક્ટોબર) વહેલી સવારે ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની ૧૪ જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવારના સમયે જ મોટું નુકસાન થયું છે.મળતી માહિતી અનુસાર,વહેલી સવારે ૫ વાગ્યે ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે. મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની ૮ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.ફાયર…

Read More

મોટા ફંક્શનમાં નાસ્તા, ભોજન માટે ગ્વાલીયા સ્વીટ્‌સ તેમની પ્રથમ પસંદ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી હતી-પાણી માટે કલ્પક એજન્સી અને ગાંધી કેટર્સ મુખ્ય(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે શુક્રવારે સરપ્રાઈઝ બદલી કરી હતી. મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગના ડેઝીગનેટેડ ઓફિસર ડો.ભાવિન જોશી પાસેથી તમામ ખાતા આંચકી લેવામાં આવ્યા છે અને તેમની બદલી જન્મ-મરણ વિભાગમાં કરી છે.જયારે જન્મ-મરણ વિભાગના ડો.તેજસ શાહ ને ડો.ભાવિન જોશી ના તમામ વિભાગ સોંપવામાં આવ્યા છે. ડો.ભાવિન જોશી સામે હોદ્દેદારો અને સ્ટાફની અસંખ્ય ફરિયાદો હોવાના કારણે તેમની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગના ડેઝીગનેટેડ ઓફિસર અને ડે. એમ.ઓ.એચ.ની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે.સુત્રો…

Read More

વર્લ્ડ ટ્રોમા ડેના દિવસે યોજાયેલા આ જાગૃતતા કાર્યક્રમનો ઉદ્દેશ હેલ્મેટ પહેરવા માટેની જાગૃતતા વધારવા અને ટાળી શકાય તેવી શારીરિક ઇજાઓ ઘટાડવાનો હતોઅમદાવાદ, અમદાવાદ ટ્રાફિક પોલીસના સમર્થન સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ્સે જવાબદાર રીતે વાહન ચલાવવાની ટેવોને પ્રોત્સાહન આપવા અને માર્ગ અકસ્માતથી થતી માથાની ઇજાઓને ટાળવા માટે વર્લ્ડ ટ્રોમા ડેના દિવસે માર્ગ સલામતી હેલ્મેટ જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. ટુ-વ્હીલર ચલાવનારાઓમાં સુરક્ષાના સંદેશને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ પહેલમાં ટાળી શકાય તેવી શારીરિક ઇજાઓ ઘટાડવા અને સમગ્ર શહેરમાં માર્ગ સલામતી વધારવા માટે હેલ્મેટના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં હેલ્મેટ સર્કલ ખાતે શુક્રવારે, 17 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9.30 કલાકે…

Read More