Author: gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૬ કિલોમીટરના માર્ગનું ફોરલેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું ભરૂચમાં એક જ દિવસમાં એકસાથે રૂ. ૬૩૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો વિકાસ ઉત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને વિઝનરી નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિથી મોટું પરિવર્તન આવ્યું છે – ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ Bharuch, મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી.માર્ગને રૂ.૪૦૦કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું. આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે.…
રામોલ– વટવા GIDC તરફ ખારીકટ કેનાલ પર આવેલ બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામુંAhmedabad, અમદાવાદ શહેરનાં “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામોલ ચોકીથી વટવા GIDC તરફ મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર બ્રીજ આવેલ હોય અને આ બ્રીજ હાલ જર્જરીત હાલતમાં છે. આ બ્રીજનાં નિર્માણને આશરે ૫૦ (પચાસ) વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે.ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ,અમદાવાદ દ્વારા તજજ્ઞ પાસે બ્રીજની ચકાસણી કરાવતાં તજજ્ઞ દ્રારા આવેલ રીપોર્ટ મુજબ સદર બ્રીજ મોટા અને ભારે વાહનોની અવર-જવર માટે સલામત જણાઈ આવેલ નથી.જેથી ભારે તથા મધ્યમ પ્રકારનાં ભારવાહક તથા પેસેન્જર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત/ડાયવર્ઝન કરવામાં આવે છે.શરદ સિંઘલ, IPS, I/C.પોલીસ કમિશનર, અમદાવાદ…
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડે સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ‘યોજના પંચકમ્’ અંતર્ગત અમલમાં મૂકી છે પાંચ વિશિષ્ટ યોજનાઓસંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના હેઠળ વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે મળશે નાણાકીય સહાયસંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે કે, ‘अमृतंसंस्कृतंमित्र,सरसंसरलंवच: ।एकता–मूलकंराष्ट्रे,ज्ञान–विज्ञान–पोषकम्।।’એટલે કે,આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે,અને સરળ પણ. સંસ્કૃત પોતાના વિચારો,પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન,વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ઉક્તિનો ઉલ્લેખ કરતાં લોકો વધુમાં વધુ સંસ્કૃત વાંચે અને તેનો અભ્યાસ કરે એ બાબત પર ભાર મૂક્યો છે. વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી સંસ્કૃત ભાષા ભારતની ઋષિ-પરંપરા,દર્શન,આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત…
દાહોદ, ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે મધ્ય રાત્રે પોલીસે એક કારનો પીછો કરતાં ચાલક તે બિનવારસી છોડીને ભાગી છુટ્યો હતો. આ કારની ડેકીમાંથી ૯ લાખથી વધુની કિંમતના ૩૦૩ કિલોથી વધુ અફીણના પોષડોડા મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ ઘટના મામલે પોલીસે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.પેટ્રોલિંગમાં નીકળેલી ચાકલિયા પોલીસે ગુલતોરા ગામમાં જીજે-૨૩-બીએચ-૨૭૯૪ નંબરની ક્રેટા કારને શંકાના આધારે રોકવાનો સંકેત કર્યાે હતો. કાર ચાલક આગળ ધપાવી જઇને તેમાંથી ફરાર થઇ ગયો હતો. પરોઢના ૪.૩૫ વાગ્યાના અરસામાં ચાકલિયાથી દાહોદ રોડ ઉપર પાડવા ફળિયામાં આ કાર બિનવારસી મળતાં તપાસ કરવામાં આવી હતી.ત્યારે આ કારની ડેકીમાં મુકી રાખેલા ૧૭ થેલાઓમાંથી…
અમદાવાદ, મ્યુનિ.માં લગભગ આઠ વર્ષ બાદ પોતાનાં કહી શકાય તેવા એટલે કે મ્યુનિ.નાં જ અધિકારીઓમાંથી અને બહારનાં ઉમેદવારોમાંથી કુલ ત્રણ ડે.કમિશનરની ભરતી કરવામાં આવશે અને મહત્વની જગ્યાઓ ઉપર કોનો નંબર લાગશે તે બાબતે મ્યુનિ.વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઇ છે.મ્યુનિ.માં વર્ષાે અગાઉ મોટાભાગનાં ડે.કમિશનર તરીકે મ્યુનિ.નાં જ સિનિયર અને અનુભવી અધિકારીઓની નિમણૂંક કરાતી હતી.પરંતુ પ્રમોશન અને આર.આર. ઘડવાની માંગ સાથે થયેલાં કોર્ટ કેસ બાદ આખો મામલો ફરી ગયો હતો અને ડે.કમિશનરની નિમણૂંકની સત્તા રાજ્ય સરકાર હસ્તક થઇ ગઇ હતી.જોકે અમદાવાદને બાદ કરતાં અન્ય મહાનગરપાલિકાઓમાંથી વ્યાપક વિરોધ થતાં રાજ્ય સરકારે જે તે મહાનગરપાલિકામાં ડે.કમિશનરની શિડ્યુલ મુજબની જેટલી જગ્યા હોય તેમાંથી અમુક…
અમદાવાદ, પોશ વિસ્તારોમાંથી વાહનચોરી કરતા બે સગીરોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. સગીરો પાસેથી પોલીસે ૧૦ એક્ટિવા કબ્જે કર્યા હતા. પોલીસે તપાસ કરી ત્યારે આ સગીરો મોજશોખ માટે વાહનોની ચોરી કરતા હતા. ડુપ્લિકેટ ચાવીથી વાહનો ચોરી કરી ફેરવતા હતા અને પેટ્રોલ પૂરું થયા બાદ બિનવારસી મૂકીને નાસી જતા હોવાનું ખૂલ્યું છે.સગીરોએ સેટેલાઇટ, બોડકદેવ અને વસ્ત્રાપુરમાંથી ૧૦ એક્ટિવા ચોરી કર્યા હતા. વસ્ત્રાપુરના પી.આઇ. અને ડીસ્ટાફ પીએસઆઇની ટીમે વાહન ચોરી કરતા બે સગીરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ લોકો પાસેથી ૧૦ એક્ટિવા કબ્જે કર્યા છે.સગીરોએ એક દોઢ મહિનાથી પોશ વિસ્તારોમાં વાહનો ચોરી કરીને આતંક મચાવ્યો હતો. આ સગીરો મોડીરાત્રે ફરીને મોજશોખ…
અમદાવાદ , ઓઢવ છોટાલાલની ચાલી પાસે કરિયાણાની દુકાનમાં વાઘબકરી ચાના ડુપ્લિકેટ લોગો અને માર્કા લગાવીને વેચવામાં આવી રહ્યા હતા. વાઘબકરી હાઉસની લીગલ ટીમે ઓઢવ પોલીસને સાથે રાખીને દુકાનમાં ચેકિંગ કરતા ડુપ્લિકેટ વાઘબકરી ચાના નાના મોટા થઈને કુલ ૧૧૭૫ પેકેટ મળી આવ્યા હતા.આ મામલે ઓઢવ પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી છે.કૃષ્ણનગરમાં રહેતા જૈનમભાઈ શાહ (૩૨) પરિમલ ગાર્ડન પાસે વાઘબકરી હાઉસમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની કંપની તરફથી વાઘબકરી ચાના લોગોવાળા પેકેટ વેચતા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ગત રોજ જૈનમભાઈ અને બે કર્મીઓ કંપનીના કામથી ઓઢવ વિસ્તારમાં ફરતા હતા. ત્યારે ઓઢવ છોટાલાલની…
અંકલેશ્વર, અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં ૭ લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદી માં ઠલવાયું છે. નર્મદા ડેમના ૫ દરવાજા ૫૪ કલાક બાદ બંધ થયા છે.ડેમ મહત્તમ ૧૩૩.૫૦ મીટર અને ગોલ્ડન બ્રિજ ૨૦.૯૨ ફૂટે સ્પર્શી પરત ફરી રહ્યા છે. ભયજનક સપાટીથી ૩ ફૂટ નીચે નર્મદા વહ્યા બાદ ધીમી ગતિ એ પાણી ઉતરવાની શરુ આત થઇ હતી. રવિવારે સાંજે ૪ કલાક નર્મદા ડેમની સપાટી ૧૩૨.૧૮ મીટર અને ગોલ્ડન બ્રિજ નદીની સપાટી ૨૦.૮૬ ફૂટ નોંધાઇ છે. ઉપરવાસમાંથી આવક માત્ર ૭૩૮૦૩, નદીમાં જાવક ૧.૪૫ લાખ ક્યુસેક થઈ છે.હાલ ૧૦ દરવાજા…
સુરત, સુરતમાં આવેલા સૈયદપુરા માછીવાડ પાછળની પીપળાવાળી ચાલમાં રહેતા અમિતા ઉર્ફે અનિતાબેન સરવૈયાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી પ્રકાશ નારણભાઈ પરમાર અને તેની માતા વાલીબેન પરમારને આજીવન કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.૧૯ ઓક્ટોબર, ૨૦૧૯ની રાત્રે અમિતાબેન તેમના ઘર નજીક અન્ય મહિલા સાથે હાજર હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પ્રકાશે બીડી પીધા બાદ તેનું ઠૂંઠુ અમિતાબેનની સામે ફેંક્યું હતું. આ બાબતે અમિતાબેને પ્રકાશને ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.ઝઘડો ઉગ્ર બનતાં પ્રકાશની માતા વાલીબેન પણ તેમાં જોડાયા હતા.ઝઘડામાં અમિતાબેનના સંબંધી જીતેન્દ્ર ઉપર ઈંટ ફેંકવામાં આવી એટલે ઝઘડો વધુ વકર્યાે હતો.પ્રકાશ અને વાલીબેને ઘરમાંથી ચપ્પુ લઈને…
