Author: gujarat

Ahmedabad Drink and Dance Party Raid: અમદાવાદ શહેરના છેવાડે સાણંદ તાલુકામાં દિવાળીની ઉજવણીના બહાને ફાર્મહાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર પોલીસે સફળ દરોડો પાડી 20 જેટલા શખસોને ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા લોકોમાં 13 આફ્રિકન નાગરિકો, વિદેશી દારૂના સપ્લાયર, હુક્કા પૂરવઠાકાર અને ફાર્મહાઉસ માલિકનો સમાવેશ થાય છે.અગાઉથી કરવામાં આવી હતી ગુપ્ત રેકીપોલીસે દરોડો પાડતા પહેલાં ફાર્મહાઉસની આસપાસ રેકી કરીને આયોજન વિશે ચોક્કસ માહિતી મેળવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ પાર્ટી માટે સોશ્યલ મીડિયા મારફતે આમંત્રણ અપાયું હતું અને વિદેશી દારૂ તથા હુક્કાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે ગુપ્તપણે નેટવર્કમાં પ્રવેશ કરીને પાર્ટીના સમય, સ્થળ અને હાજર રહેનાર લોકો…

Read More

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજિત કુમારે રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી’ અંકનો આસ્વાદ માણ્યો હતો. માહિતી ખાતા દ્વારા રાજ્યના સાહિત્ય,કલા,ઇતિહાસ,સાંસ્કૃતિક વિરાસત,સંસ્કાર વારસાને ઉજાગર કરતો દીપોત્સવી અંક પ્રતિ વર્ષ પ્રકાશિત કરવામાં આવે છે.આ પરંપરા અનુસાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજયાદશમીના પર્વે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૧’નું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. Ahmedabad district collector Sujit Kumarઆ દળદાર અંકમાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલા કુલ ૨૭ અભ્યાસલેખો,૩૧ નવલિકાઓ,૧૭ વિનોદિકાઓ,૧૧ નાટિકા અને ૯૭ જેટલી કાવ્ય રચનાઓ અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૧ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સાહિત્યના…

Read More

Fake job scam: અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી દ્વારા નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપીને ઈન્કમટેક્સ, રેલવે અને ભારતીય ફૂડ વિભાગ જેવા અલગ-અલગ શાખામાં નોકરી આપવાના બહાને નકલી નિમણૂકોની ઓફર કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નકલી સરકારી ઓફર લેટર્સથી નોકરી ઈચ્છુક લોકો સાથે છેતરપિંડી કરનારા એક વ્યક્તિને ઝારખંડથી ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશપોલીસના જણાવ્યા અનુસાર, ઝારખંડના ધનબાદના રહેવાસી અમન કુમાર (ઉં.વ.36)એ કથિત રીતે નકલી સરકારી ડોમેન બનાવ્યા હતા અને સરકારી નોકરીઓ આપવાના…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન કાઢવા આહવાન કર્યુંદિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે માટે સ્વાગત રેલી રદ કરાવી નાયબ મુખ્યમંત્રીશ્રી સીધા કાર્યક્રમ સ્થળે પહોંચશેસુરત, રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન કાઢવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક નગરજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા, સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના…

Read More

Gujarat pre-diabetic children report: ગુજરાતમાં ડાયાબિટિસના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. 3 કરોડથી વધુ વસતીમાં સૌથી વધુ ડાયાબિટિસના દર્દીઓમાં સૌથી વધુ મહિલા દર્દી હોય તેમાં ગુજરાત ચોથા અને પુરુષ દર્દીઓને મામલે પાંચમાં સ્થાને છે. માત્ર વયસ્કો જ નહીં પણ બાળકોમાં પણ ડાયાબિટિસના કેસ વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં 10થી 19ની વયજૂથમાં 20.90 ટકા લોકો પ્રિ-ડાયાબિટિક હોવાનું સામે આવ્યું છે.ગુજરાતી બાળકોમાં ડાયાબિટીસનું જોખમ સર્વોચ્ચમિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા તાજેતરમાં ‘ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025’નો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2016થી 2023 વચ્ચેના આરોગ્ય, પોષણ અને શિક્ષણના આંકડાના આધારે તૈયાર આ અહેવાલમાં ગુજરાતના બાળકો ડાયાબિટીસ માટે સૌથી વધુ…

Read More

બિન-અધિકૃત ફટાકડા વેચાણ પર પોલીસની કાર્યવાહી -બિન-અધિકૃત રીતે ફટાકડા વેચી રહેલા સ્ટોલ પર તવાઈ બોલાવી હતી અને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતોથરાદ, બનાસકાંઠાના મુખ્ય મથક થરાદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે ગેરકાયદેસર ફટાકડાના વેચાણ પર પોલીસ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. થરાદ પોલીસે મુખ્ય બજારમાં બિન-અધિકૃત રીતે ફટાકડા વેચી રહેલા સ્ટોલ પર તવાઈ બોલાવી હતી અને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો.છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે બિન-અધિકૃત ફટાકડાનો વેપાર કરી રહેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.જોકે આ કાર્યવાહી દરમિયાન એક રાજકીય હસ્તક્ષેપને કારણે મામલો ગરમાયો…

Read More

રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ – સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ- એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- ૨૦૨૫ની ભવ્ય શરૂઆત – પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રસંશા કરીઆગામી તા. ૧૫મી નવેમ્બર – ૨૦૨૫ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે, પ્રવાસીઓ વિનામૂલ્યે તેને નિહાળી શકશેરાજપીપલા, એકતા નગર ખાતે આગામી તા. ૩૧ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દિપોત્સવીની પણ તા. ૨૦ ઑક્ટોબરે ઉજવણી થનાર છે.એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ-વિક્રમ સંવત ૨૦૮૨નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહેવડાપ્રધાનશ્રીએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ આપ્યુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફ જવાની પ્રેરણા આપે છે. આ પ્રેરણા સાથે ગુજરાત ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સકારાત્મક…

Read More

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીના અધ્યક્ષસ્થાને-‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજનઆ અભિયાન અંતર્ગત બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારીની પસંદગી-આદિ કર્મયોગી અભિયાનમાં વલસાડને બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે એવોર્ડબેસ્ટ પર્ફોર્મિંગITDAsતરીકે ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદને પસંદ કરાયા-ધરતી આબા અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશરાજ્ય કક્ષાના સુપર કોચ-માસ્ટર ટ્રેનર તરીકે ગુજરાતની પસંદગી-આદિ કર્મયોગી અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ,સુરત,ભરૂચ અને તાપીને એવોર્ડકેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના અધ્યક્ષસ્થાને “આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMANહેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’…

Read More

અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જનજાગૃત્તિ માટે ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઈન શપથ – ક્વિઝ સ્પર્ધાનું આયોજનસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો,વિદ્યાર્થીઓ,મહિલાઓ,સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના સહયોગથી જાગૃતિ લાવવા માટે વ્યાપક જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ,સાઇન અભિયાન,સેમિનાર,નશામુક્તિ રથ,શપથ ગ્રહણ કાર્યક્રમો,પ્રચાર સામગ્રીનું વિતરણ,ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ ૮,૦૦૦થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત ૩૫ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.મંત્રાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા અને નાગરિકોને અભિયાન સાથે જોડવા માટે બે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી…

Read More