Author: gujarat

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતા નગર ખાતે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોનુ સંમેલન યોજાયું(માહિતી) રાજપીપલા, કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર જીઇઁ ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું.કેન્દ્રીય મંત્રીશ્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના શ્રી ગોવર્ધનનાથજીની હવેલી મંદિરમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણી નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હવેલી પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.ભક્તોએ હરિભક્તિ ભાવપૂર્વક અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.આ પ્રસંગે વૈષ્ણવ પરંપરાના આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી ધ્રુમિલ મહારાજએ ઉપસ્થિત ભક્તોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને સુભાષિત તેમજ આશીર્વાદ વચન આપ્યાં હતા.મહારાજએ કહ્યું કે અન્નકૂટ મહોત્સવ માત્ર ભોજનનો ઉત્સવ નથી પરંતુ તે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને અર્પણભાવનો પ્રતીક છે.દરેક ભક્તોએ અન્નકૂટના દિવ્ય દર્શન કર્યા બાદ પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ આપીને આનંદમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું.સમગ્ર હવેલી પરિસર ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના જયઘોષોથી ગુંજી…

Read More

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઉપરી પોલીસ અધિકારીઓની જિલ્લામાં મિલકત સંબંધી ચોરીઓના બનાવો અટકાવવા તથા જુના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સૂચન અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એન. સાધુ,અહેકો ધર્મેન્દ્રકુમાર, અપોકો પ્રદીપ કુમાર, આપોકો દિલીપભાઈ, આપોકો અક્ષય કુમાર તથા આપોકો કલ્પેશકુમાર વિગેરે આ દિશામાં કાર્યશીલ હતાઅને ખેડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો. પ્રદીપસિંહ તથા પો.કો. કલ્પેશકુમાર ને બાતમી હકીકત મળેલ કે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની મો.સા. લઈ કોટડા તરફથી આવે છે જે હકીકત આધારે ખેડવા ચેકપોસ્ટ ખાતે વોચ તપાસમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ આવતા શંકાસ્પદ ઈસમને સાથે પકડી ચાલકનું નામ પુછતાં પોતે પોતાનું નામ મિથુન કુમાર ચંદુભાઈ બુમ્બડીયા…

Read More

પંજાબમાં પૂરના સમય દરમિયાન આપેલી અપ્રતિમ સેવાઓ બદલ આભાર અને અભિનંદન વ્યક્ત(એજન્સી)અમદાવાદ, પંજાબમાં તાજેતરમાં આવેલી કુદરતી આફત (ફ્‌લડ) દરમિયાન નિઃસ્વાર્થ ભાવથી માનવસેવા આપનાર પંજાબના શાહી ઇમામ મૌલાના ઉસ્માન લુધિયાણવી સાહેબને આજે અમદાવાદમાં ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન સમારોહ મૌલાના હબીબ સાહેબના ફૈઝાની સ્કૂલના પટાંગણમાં યોજાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર કાઉન્સિલર ઈકબાલ શેખ, જુલ્ફી ખાન અને ઈશાક શેખની આગેવાનીમાં અમદાવાદ ના શીખ સમાજના અગ્રણીઓ તથા અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શીખ સમજના અગ્રણીઓ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતુંઆ અવસરે શીખ સમાજના સર્વશ્રી નરેન્દ્રસિંહભુશ્રી, ગુરુદિપસિંહ છાબરા, કુલદીપસિંહ, સંદીપસિંહ ચાવલા, કુલવંતસિંહ ચાવલા, મનજીતસિંહ છાબરા અને સંતોષસિંહ ચાવલા…

Read More

(એજન્સી)પાલનપુર, એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરાઈ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ વરણી કરાઈ છે. ત્યારે શંકર ચૌધરી સતત ત્રીજી ટર્મમાં બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. આ સાથે જ શંકર ચૌધરીનો બનાસ ડેરી પર દબદબો જોવા મળ્યો છે .એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચેરમેનની આજે વરણી કરાઈ હતી. બનાસ ડેરીની બોર્ડ મિટિંગ બાદ ડેરીના નવા ચેરમેનની વરણી કરાઈ હતી. જેમાં સતત ત્રીજી ટર્મમાં બનાસ ડેરીમાં ચેરમેન પદે શંકર ચૌધરીની પસંદગી કરાઈ. આમ, લાભ પાંચમના પવિત્ર દિવસે બનાસ ડેરીને નવા ચેરમેન મળ્યા છે. ચેરમેનની વરણીની ચર્ચાઓને…

Read More

Gujarat Chief Secretary:ગુજરાત સરકારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે **IAS અધિકારી મનોજ કુમાર દાસ (M.K. Das)**ની નિયુક્તિ કરી છે. હાલના મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઑક્ટોબરે નિવૃત્ત થશે, ત્યાર બાદ દાસ 1 નવેમ્બરથી પદ સંભાળશે. દાસ હાલમાં એડિશનલ ચીફ સેક્રેટરી અને હોમ સેક્રેટરી તરીકે કામગીરી કરી રહ્યા હતા.બિહારના દરભંગાના રહેવાસી છે મનોજ કુમાર દાસમનોજ કુમાર દાસનો જન્મ 20 ડિસેમ્બર, 1966ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી B.Tech (Honours) પૂર્ણ કર્યું હતું. 1990 બેચના IAS અધિકારી તરીકે તેમણે ગુજરાત કેડર પસંદ કર્યું હતુંદાસે તેમની શરૂઆતની નિમણૂક વડોદરામાં ડેપ્યુટી ડેવલપમેન્ટ ઓફિસર (DDO) તરીકે મેળવી હતી. બાદમાં તેમણે અનેક જિલ્લાઓમાં…

Read More

Drink and Drive Kavach mitilesh patel: ગુજરાતના વડોદરાના યુવા ઇનોવેટર મિથિલેશ પટેલ એ એવી અનોખી ડિવાઈસ વિકસાવી છે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવી ખતરનાક પ્રવૃત્તિઓને રોકી શકે છે. તેમની શોધનું નામ છે ‘કવચ’ (Kavach) — એક એવી ડિવાઈસ જે દારૂ પીધેલા વ્યક્તિને વાહન ચલાવવાથી અટકાવે છે.મિથિલેશ પટેલે જણાવ્યું કે, તેમની આ ડિવાઈસ એ લોકોના જીવ બચાવવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમના જીવન પર નશામાં વાહન ચલાવનારા લોકોના કારણે ખતરો ઉભો થાય છે.કેવી રીતે કામ કરે છે આ ડિવાઈસ?આ ઉપકરણ વાહનમાં લગાડવામાં આવે છે. જો ડ્રાઈવર અથવા તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ દારૂ પીધું હોય અને તેનું સ્તર નક્કી મર્યાદા કરતાં…

Read More

દિવાળી બાદ ‘અષાઢી માહોલ’! ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું અમદાવાદ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા દિવાળી બાદ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી, ગઇકાલથી જ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનો આરંભ થઈ ગયો હતો. જો કે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન રાજ્યના ૧૫૨ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો અને જાણે અષાઢ મહિનો હોય તેમ ભાવનગર જિલ્લાના મહુવામાં ૭.૬૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ૬ વાગ્યા સુધીમાં ૧૫૨ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સૌથી…

Read More