Author: gujarat

બાવળામાં વરસાદી પાણીના કારણે ઉદભવતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી-૧૩ પંપોથી પાણી ઉલેચવાની કામગીરી ચાલુતાજેતરમાં બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે બાવળા નગરપાલિકા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્તપણે સઘન સફાઈ ઝુંબેશ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.ઉપરવાસમાંથી સતત પાણીની આવક અને પાણી ભરાવાના કારણે ગંદકીનું પ્રમાણ પુષ્કળ વધ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી પ્રશાંત જીલોવાની પહેલથી, AMC તરફથી વધારાના સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં, AMC દ્વારા અંદાજે ૭૦ જેટલા સફાઈ કર્મચારીઓ,…

Read More

ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ ભાવનગર મંડળના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે₹135.58કરોડની અંદાજીત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની મંજૂરીઆપવામાં આવશેપશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે₹135.5834કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડી શકે છે,જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાઓના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે.મુખ્ય ઉદ્દેશો અને લાભો:·યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી રેલ ટ્રાફિક અને…

Read More

સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક ખાતે ‘સહકારથી સમૃદ્ધિ‘ની સમીક્ષા બેઠક યોજાઈવિવિધ સહકારી બેંક, સહકારી દૂધ મંડળીઓ અને એપીએમસીના હોદ્દેદારોની ઉપસ્થિતિAhmedabad, ગુજરાત સરકારના સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંક, નારણપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ સમીક્ષા બેઠકમાં વિવિધ સહકારી બેંક અને દૂધ ઉત્પાદક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાની સહકારી મંડળીઓનું મૂલ્યાંકન કર્યું હતું. દરેક ગામની જનસંખ્યા મુજબ લોકોને સહકારી મંડળીઓમાં જોડવાના પ્રયત્નો કરવા મંત્રીશ્રી દ્વારા હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું હતું.વધુમાં, ખેડૂતોને મહત્તમ ધિરાણ મળે, વિવિધ એપીએમસીના વેપારીઓના સહકારી બેંકમાં ખાતા ખોલવામાં…

Read More

એક રાખી દેશ કે જવાનો કે નામ-ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ સરહદના સંત્રીઓની રક્ષા માટે મોકલીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો માટે ગાંધીનગરમાં સુપ્રત થયો-મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિGandhinagar, દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે.રાજ્યની ૫૩ હજાર જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપે તૈયાર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ…

Read More

આણંદ, સોજિત્રા તાલુકાના કાસોર ગામની સીમમાં ખેતરમાં ડાંગર રોપવાની તકરારમાં બે વર્ષ પહેલાં ચાર શખ્સોએ ભેગા થઈને એક વ્યક્તિ ઉપર હુમલો કરી માર માર્યાે હતો જેમાં તેમની હત્યા થઈ ગઈ હતી.આ અંગેનો કેસ પેટલાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે ચારેય વ્યક્તિઓને આજીવન કેદ અને દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યાે છે.સોજિત્રાના કાસોર ગામે ૧૭ જુલાઈ ૨૦૨૩ના રોજ રમણભાઈ પરમાર પોતાના ભાગની સુરેશભાઈની જમીન ખેડી રહ્યા હતા. તે વખતે પ્રવીણ પરમાર ઉપરાંત કૌશિક પરમાર, અજય પરમાર અને ચંદુ પરમાર હાથમાં લાકડીઓ લઈને ત્યાં બેફામ માર માર્યાે હતો.૧૦ દિવસની સારવાર બાદ રમણભાઈનું અવસાન થયું હતું. પોલીસે આ બનાવ સંદર્ભે હત્યાની કલમનો ઉમેરો કર્યાે…

Read More

વડોદરા, વડોદરામાં એસબીઆઈમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને હોમલોન આપવાનું કૌભાંડ વ્હિસલ બ્લોઅર પોલીસીના આધારે બહાર આવ્યુ છે. બેન્કમાં છ ખાતામાં ખોટા આવકના પુરાવાઓ આપીને હોમલોન મેળવી હોવાની બેન્કના ફ્રોડ મોનીટરીંગ સેલમાં અમદાવાદ ખાતે થયેલી ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં સ્ફોટક વિગતો બહાર આવી છે.લોનધારક, એસબીઆઇ સિક્યુરીટીઝ (એસએસએલ)ના એજન્ટ તથા બેન્કની માન્ય એવી અમદાવાદ સ્થિત લોનધારકના ડોક્યુમેન્ટ વેરીફીકેશન પેઢી કે. પ્રવિણચંન્દ્ર એન્ડ એસોશીએટના કર્મચારીઓની મીલીભગતથી કરોડોની ઉથલપાથલ થઇ હોવાનું બહાર આવ્યુ છે.જેના આધારે બેન્ક દ્વારા નવ જેટલા લોન ધારકો, એસબીઆઇના બે એજન્ટ તથા અમદાવાદ સ્થિત પેઢીના પાંચ એક્ઝિક્યુટીવોની સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.સૂત્રો મુજબ બેન્કના ચીફ મેનેજર યજ્ઞેશ મનુભાઇ…

Read More

અમદાવાદ ખાતે વિશ્વ સંસ્કૃત દિનના અનુસંધાને ‘સંસ્કૃત ગૌરવ યાત્રા‘ યોજાશેજિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા આયોજનઆવતીકાલે તા.૬ ઓગસ્ટે સવારે ૭ વાગ્યે પ્રભાત ચોકથી યાત્રાનું પ્રસ્થાન થશેસંસ્કૃત યાત્રાની સાથે દેશનું ગૌરવ વધારતી તિરંગા યાત્રાને પણ સાંકળવામાં આવશેગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં તા.૬થી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જે અંતર્ગત અમદાવાદ ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.…

Read More

યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠકગાંધીનગર,યુસીસીને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે ચર્ચા થઈ હતી. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક યોજાઈ હતી.બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરાવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે.જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ…

Read More

ઓઢવમાં ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની હત્યાઅમદાવાદ, અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની ઘાતકી હત્યા કરાઈ હતી. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરી હતી.ભત્રીજીના સગાઈના દિવસે કાકાની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી હતી.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જીગ્નેશ પટણી, અરુણ પટણી અને વીકી ઉર્ફે ડોલી પટણીની હત્યાના કેસમાં ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. ૩ ઓગસ્ટના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગે ઓઢવના રામનગર ખાતે મૃતક સુનિલ ઉર્ફે ભોપો પટણી અને તેના મિત્રો રવિ પટણી ભત્રીજી રેશમાને…

Read More

(જૂઓ વિડીયો) રેગીન એક્ટિવિટી કરીને બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું. (એજન્સી)ગાંધીનગર, ગંભીરા બ્રિજ પર લટેકેલું ટેન્કર બહાર કાઢવામાં આવ્યું છે. મરિન બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટેન્કરને લગભગ ૨૮ દિવસ બાદ બહાર કઢાયું છે. ટેન્કર નીચે મરીન બલૂન મૂકાયા હતા. જ્યારે મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કરને ઉંચું કરાયું હતું.આખરે ટેન્કરને ભારે જહેમત બાદ સલામતીપૂર્વક બહાર કાઢવામાં આવતાં ટેન્કર માલિક અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ટેન્કરના માલિકે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. ટેન્કર માલિકની ટેન્કર ઉતારવા અનેક રજૂઆતો છતાં ટેન્કર ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એક બીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા હતા. આખરે…

Read More