તકનિકી ખામી સર્જાતા ટ્રોલી લિફ્ટ તૂટી હોવાની શકયતા છે, ત્યારે ઘટનાને પગલે સાઈટ મેનેજમેન્ટ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અમદાવાદ, અમદાવાદના નિકોલ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બિÂલ્ડંગમાં સર્જાયેલી દુર્ઘટનામાં ૨ શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટના મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, આ પછી ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્્યૂ કરવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં કિંગ્સ્ટન રેસિડન્સી નામની ઇમારતના નિર્માણ દરમિયાન એક ટ્રોલી લિફ્ટ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં લટકતી ટ્રોલ પર બે શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.તકનિકી ખામી સર્જાતા ટ્રોલી લિફ્ટ તૂટી હોવાની શકયતા છે, ત્યારે…
Author: gujarat
પાણી અને કાદવ ભરાયેલા હોવાથી પરિવારજનોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો અને પછી પાણીમાં ચાલીને જવું પડ્યું હતું-સાણંદના ગોકળપુરામાં કાદવ-કીચડવાળા રસ્તા પર નનામી લઈ જવા મજબૂરઅમદાવાદ, જીવનમાં કેટલાક સંઘર્ષનો અંત મૃત્યુ પછી પણ નથી આવતો. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોકળપુરા ગામમાં કંઈક આવા જ હાલ છે. જ્યાં મરણ પછી પણ અંતિમ ક્રિયા માટે સંઘર્ષ કરવો પડે છે. ગોકળપુરા ગામના લોકો પાણી અને કિચડ-કાદવ ભરેલા રસ્તામાં અંતિમયાત્રા કાઢવા મજબૂર છે. જ્યાં અંતિમ ક્રિયા માટે ગ્રામજનો સંઘર્ષ કરી રહ્યા છે. નનામી લઈને પાણીમાં ચાલવુ પડે છે. રસ્તા પર કાદવ પણ છે.ડાઘુઓના પગ આ કિચડમાં ખૂંપી રહ્યા છે. થોડા દિવસ પહેલા ગામના સીમ વિસ્તારમાં…
ઉપવાસ કરતાં લોકો બહારનું ખાતા પહેલા વિચારજો- ફરસાણના વેપારીઓ શ્રાવણમાં પેટીસમાં મકાઈનો લોટ ખવડાવતા હોવાનું ખુલ્યુંફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરાયો હોવાનું ખુલ્યું -ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી ૮૫ કિલો વાસી પેટીસનો જથ્થો અને ૫ કિલો મકાઈનો લોટ ઝડપ્યો હતોરાજકોટઃ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ શ્રાવણ માસ દરમિયાન પણ અનેક તહેવારો આવતા હોય છે જે તહેવાર દરમિયાન લોકો વ્રત કરતાં હોય છે. ત્યારે રાજકોટમાં લોકોની આસ્થા સાથે ચેડાં કરતો કિસ્સો સામે આવ્યો છે. જેથી વ્રત કરતાં લોકો બહારનું ખાતા પહેલા ૧૦૦ વખત વિચારજો.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પણ લેભાગુ તત્વો રૂપિયા કમાવાની લાલચમાં લોકોની આસ્થા સાથે સરેઆમ છેડા કરી…
આ વર્ષથી પ્રથમ અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશેનવી દિલ્હી, ગુજરાત બોર્ડ દ્વારા ધો. ૯થી ૧૨માં કેટલાક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ બદલવામાં આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો. ૯થી ૧૨માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બે-બે પાઠ ઉમેરવામાં આવ્યા છે.ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામાં આવતાં આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે. જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.ગુજરાત સરકાર દ્વારા…
ઓનલાઈન કામ કરવાની ઓફરમાં ૭ લાખ ગુમાવ્યાવડોદરા, અભ્યાસની સાથે સાથે રૂપિયા કમાવવા માટે ઓનલાઈન કામ કરવાની ઓફરમાં એક વિદ્યાર્થિની ૭ લાખ જેટલી રકમ ગુમાવી બેઠી છે. ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી સમા-સાવલી રોડ વિસ્તારની વિદ્યાર્થિની હાર્દિ મહેશકુમારે પોલીસને કહ્યું છે કે, હું અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. ગઈ તા.૨૦ જાન્યુઆરીએ પોર્ટીયા કંપનીની એચઆરના નામે કોઈ અજાણી વ્યક્તિનો મારા પર ફોન આવ્યો હતો.ફોન કરનાર વ્યક્તિએ મને કહ્યું હતું કે ર્ર્ય્ખ્તઙ્મી મેપમાં રેટિંગનું કામ કરવાનું છે. રેટિંગ દીઠ ૨૦૩ રૂપિયા મળશે અને એક અઠવાડિયામાં ૧૨૦૦૦ સુધી કમાઈ શકશો. નવા લોકો માટે નાણાં ભરવાના નથી અને તમારી ઈચ્છા હોય…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય –મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.Oઅંતર્ગત રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકિય સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકાર આર્થિક સહાય આપશેખૂટતા વર્ગખંડ બાંધકામ – વિશિષ્ટ ખંડોના નિર્માણ – નવા ટોયલેટ બ્લોક્સ – પીવાના પાણીની સુવિધા – દિવ્યાંગ છાત્રો માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા80:20ના ધોરણે સહાય*2025-26ના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે અમલ કરાશેમિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ2.Oઅન્વયે ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે10લાખથી1.50કરોડ સુધીની આર્થિક સહાય મળશે*મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ2.0અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર…
GCCI ખાતે તેઓની બિઝનેસ વુમન કમિટીના વર્ષ ૨૦૨૫-૨૬ માટેના ચેરપર્સનનો પદગ્રહણવિધિબુધવાર, તારીખ૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ GCCI ખાતેયોજાયો હતો.આ પ્રસંગે ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ ચેરપર્સન શ્રીમતી મેહા પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવા BWC ચેરપર્સન આશાબેન વઘાસિયાએ વર્ષ 2025-26 માટે તેઓનોકાર્યભાર સાંભળ્યો હતો જયારેનિવૃત થતા ચેરપર્સન પ્રાચીબેન પટવારીએ વર્ષ 2024-25 દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ વિશેમાહિતી આપીહતી.BWCના કો.ચેરપર્સન શ્રીમતી શાલુ લેખડિયાએસ્વાગત પ્રવચન કરતાં મુખ્ય મહેમાન તેમજ અન્ય મહેમાનો અને સભ્યોની ઉપસ્થિતિની નોંધ લીધી હતી.GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વર્ષભર કરવામાં આવેલી પ્રવૃત્તિઓ બદલ BWC ના વિદાયમાન ચેરપર્સન પ્રાચીબેન પટવારી ને અભિનંદન આપ્યા. હતા. તેઓએ નવા…
Øજિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશેØતા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાશેઅમદાવાદ, ભારત સરકાર દ્વારા આગામી તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,તેમ રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.મંત્રી શ્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું…
લમ્પી રોગ સામે રાજ્ય સરકાર સજ્જ: ઘનિષ્ઠ સારવાર અને રસીકરણથી પશુઓને કરાયા સુરક્ષિતલમ્પીગ્રસ્ત પશુઓને યુદ્ધના ધોરણે સારવાર અપાતા ૪૨૬ પશુ સ્વસ્થ થયાગૌ વંશને લમ્પી રોગ સામે રક્ષણ આપવા રાજ્યના ૨૩ લાખથી વધુ પશુઓમાં રોગપ્રતિકારક રસીકરણ કરાયુંરાજ્યના કેટલાક વિસ્તારના ગૌ વંશમાં ફરી એકવાર લમ્પી રોગનો ફેલાવો ધ્યાને આવતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના દિશાનિર્દેશથી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લમ્પીગ્રસ્ત પશુઓની ઘનિષ્ઠ સારવાર હાથ ધરવામાં આવી હતી. સાથે જ,આસપાસના વિસ્તારોના સ્વસ્થ પશુઓમાં આ રોગ પ્રસરે નહિ,તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.વરસાદી વાતાવરણમાં મચ્છર/માખીઓનો ઉપદ્રવ વધતા રાજ્યના ૧૨ જિલ્લાના ૧૭૨ ગામમાં લમ્પીના અત્યાર સુધીમાં ૪૬૨ કેસ…
ગાંધીનગર ખાતે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇમંત્રી શ્રી વિશ્વકર્માએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળને સહકારી ક્ષેત્રે માર્ગદર્શન આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવીગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા તેમજ પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસેકેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીશ્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. ૪ થી ૭ ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ…
