અમદાવાદ, ફરી એક વખત અમદાવાદમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાનું ષડયંત્ર પોલીસે ખુલ્લુ પાડ્યું છે. એસઓજીના ઇન્સ્પેક્ટર વી.એચ.જોષી અને એફ.એન. બેલીમે વેજલપુર સાવન હોલ પાસેથી એક મહિલાને રૂપિયા ૫૦૦ના દરની ૨૭ બનાવટી નોટો સાથે ઝડપી લીધી હતી. પૂછપરછમાં તેને કેટલાક લોકોએ આ નોટો બજારમાં ફરતી કરવા માટે આપી હતી.પોલીસે હાલ આ તત્ત્વોને ઝડપી લેવાની કવાયત આદરી છે. બીજી તરફ એક જ સિરીઝ નંબરની ત્રણ -ત્રણ નોટો મળી આવતાં આ નોટો ક્યાંથી દેશમાં ઘૂસાડવામાં આવતી હતી તેની પાણ તપાસ ચાલી રહી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુનેગારોને ઝડપી લેવા માટે ખાસ કવયાત શરૂ કરી છે. ત્યારે જ એસઓજીના ઇન્સ્પેક્ટર જોષી તથા બેલીમને…
Author: gujarat
મોરબી, મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી જેમાં ઘટનાસ્થળે જ ૪ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનર સહિત કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જોકે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલો લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર, માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતી ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યાે, આ…
અમદાવાદ, બાપુનગરમાં સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવાનો કડવો અનુભવ સગીરાને થયો છે. મિત્ર યુવક સગીરાને તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપી સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ કંટાળીને યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા પાગલ પ્રેમી ઈન્સ્ટાગ્રામમાં સગીરાના ફોટોગ્રાફ અપલોડ કરી દીધા હતા.આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બાપુનગરમાં રહેતા ૪૦ વર્ષીય પિતાએ સગીર દીકરીને ત્રણ વર્ષ સુધી બ્લેકમેઈલ અને બદનામ કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી હતી. બાદમાં તેના ફોટોગ્રાફ માગીને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. સગીરાએ યુવકનો નંબર બ્લોક કરીને તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી…
મહેસાણા, કડી તાલુકાના થોળ ગામ પાસે સપ્તાહ અગાઉ મંદિરમાં દાનમાં આવેલી ચલણી નોટ અને પરચૂરણના બદલે ૧૦ ટકા કમિશન આપી રૂ. ૫૦૦ની ચલણી નોટો લેવાની લાલચ આપી ગઠિયો રૂ. ૧૫ લાખની ચિલ્ડ્રન બેન્કની નકલી નોટો પધરાવી ગયો હતો.કડીની રૂદ્રકુટીર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ રતિલાલ પટેલને મહિના અગાઉ વિજાપુરના વસાઈ ડાભલા ખાતે રહેતા મિત્ર જીગર ઠાકોરે ફોન ઉપર વાત કરી હતી કે, માણસાના ગોવિંદપુરા (સમૌ)માં રહેતા પટેલ દશરથભાઈ વિઠ્ઠલભાઈ એક મંદિરમાં ટ્રસ્ટી છે. તેઓ મંદિરમાં આવતી પરચૂરણ રકમ આપી બદલામાં રૂ. ૫૦૦ની ચલણી નોટ લે છે. તેઓ ૧૦ ટકા જેટલું કમિશન પણ આપે છે.લાલચમાં આવી પહેલી વખત મહેન્દ્રભાઈ પટેલે સોસાયટીમાં રહેતા મેઘ…
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, ગુજરાત રાજ્યના શિક્ષણ તથા સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે દરેક જીલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે મુજબ આણંદ જીલ્લામાં પેટલાદ ખાતે આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. આ યાત્રાએ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ યાત્રા દરમ્યાન પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સતત સંસ્કૃત શ્લોકોનું પઠન ચાલુ હતું. જેથી સમગ્ર શહેર આજે સંસ્કૃતમય બન્યુ હતું. આ યાત્રામાં શહેર અને તાલુકાની શાળાના આશરે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.દેશની સંસ્કૃતિની જાળવણીમાં સંસ્કૃત ભાષાનો ખૂબ મહત્વનો ભાગ છે. દેશના ખૂણે ખૂણે સંસ્કૃતની પાઠશાળાઓ અને ગુરૂકુળ દ્વારા ઋષીકુમારોને સંસ્કૃતનું શિક્ષણ પુરૂ…
રાજય સરકારે પ૦ વર્ષથી માઈનોર બ્રીજ રીપેર કર્યાં નથી-સરકાર -મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે પોલીસી તૈયાર થઈ ન હોવાથી નાગરિકોની સુરક્ષા જોખમમાં(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી પસાર થતી ખારીકટ અને ફતેહવાડી કેનાલ પર વર્ષો જુના કલવર્ટ છે જેને રાજય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા રીપેર કરવામાં આવ્યા નથી. ખારીકટ ડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર સમયે સિંચાઈ વિભાગ અને સરદાર સરોવર નિગમ લિ. તરફથી આ કેનાલોની તમામ જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાનો પત્ર લખવામાં આવ્યો હતો.પરંતુ આ અંગે સરકાર કે મ્યુનિ. કોર્પોરેશન તરફથી કોઈ સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી આ ભયજનક સ્ટ્રકચરના રીપેરીંગ કોણ કરશે ? તે બાબત ચર્ચાનો વિષય બની છે. મ્યુનિ. કોર્પોરેશને આ…
૧૫થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગનો પર્દાફાશઅમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં એક બે નહીં પરંતુ ૧૫થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગની સેટેલાઇટ પોલીસએ ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે શર્ટથી ચહેરો છુપાવ્યો, વાહનની નંબરપ્લેટ કાઢી નાંખી પરંતુ તેમની એક ભૂલ તેમને જેલ ના સળીયા સુધી લઈ ગઈ છે.થોડા દિવસ પહેલા અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ ના રાજીવનગર પાસે આવેલા વૈભવ ટાવર નજીક ૧૫ થી વધુ પાર્ક કરેલી કાર ના ટાયરમાં તીક્ષ્ણ હથિયારથી ટાયરો કાપીને ગેંગ ફરાર થઇ ગઇ હતી જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસી ટીવી…
વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવશે-૨૧ ભયજનક મકાનો ઉતારી લેવા સૂચના ઃ દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહયો છે તેની સાથે સાથે પ્રાથમિક સુવિધામાં વધારો કરવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે. શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનો માટે હયાત રોડ નાના પડી રહયા છેતથા જે વિસ્તારોમાં ટીપી સ્ક્રીમ ખોલવામાં જ નથી આવી તે વિસ્તારોમાં પણ રોડ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે ખાસ સર્વે કરવામાં આવ્યો હતો જે મુજબ અમદાવાદમાં ટીપી ખોલી રોડ તૈયાર કરવામાં આવ્યા હતાં. ૮૭૬૭ જેટલી મિલકતો પર બુલડોઝર ચલાવવાની ફરજ પડશે.શહેરમાં જો તમામ રોડ રસ્તા ખોલવા હોય તો તેના…
પોલીસ મથકમાં દાખલો લેવા આવેલા યુવક અને યુવતીએ મહિલા કોન્સ્ટેબલને માર માર્યાે(એજન્સી)અમદાવાદ, એરપોર્ટ પોલીસ મથકમાં દાખલો લેવા આવેલા યુવક-યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો કર્યાે કરી ગાળો ભાંડી હતી. બન્નેએ મહિલા કોન્સ્ટેબલને માર માર્યાે હતો. આ મામલે મહિલા કોન્સ્ટેબલે બન્ને સામે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે લીલાબહેન વસરામભાઇ ફરજ બજાવે છે.તેમનું કામ મિસલેનિઅસ (પ્રકીર્ણ) ટેબલ પર હોય છે. આજે સવારે લીલાબહેન ફરજ પર હાજર હતા ત્યારે બપોરે ૧૨ના સુમારે હીમાક્ષીબહેન સુરેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ. ૨૨, રહે. કલોલ) અને ઓમ સંજયકુમાર શ્રીવાસ્તવ (ઉં.વ.૨૩, રહે. કલોલ) આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારો એરપોર્ટ એન્ટ્રી…
ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ એ મહાનગરપાલિકા નડિયાદના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી દબાણ હટાવો ઝુંબેશના નામે ગરીબોને હેરાન કરી મારામારી કરનાર દબાણ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાના કર્મચારી રાકેશ શર્મા, જે દબાણ શાખાના અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમના ધ્વારા ગત તારીખ ઃ ૦૫-૦૮-૨૦૨૫ ના રોજ સંતરામ મંદિર વિસ્તારમાં ગરીબ અને સામાન્ય વ્યક્તિઓ પર કરવામાં આવેલ અમાનવીય બળ પ્રયોગ અને હિંસક…
