ભાવનગર, ભાવનગરના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં એક અદભૂત અને પ્રેરક દૃશ્ય સર્જાયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પપાવતી માતાજીના મંદિર નજીક સિંહ જોવા મળ્યા હતા. ગ્રામ માહિતી અનુસાર પપાવતી મંદિર તરફ જતા માર્ગ પર ૪ સિંહોના એક ટોળામાંથી બે સિંહ પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા હતા. આ સિંહો ડુંગર પરથી અચાનક જૈન તીર્થધામના પથ પર પહોંચી ગયા હતા.સૌથી અચરજની વાત એ હતી કે આ માર્ગ પર શ્રદ્ધાળુઓ અને સિંહ એક સાથે ચાલતા નજરે પડ્યા હતા. આ દૃશ્ય જોઈને જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સિંહ શ્રદ્ધાળુઓને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યું નહોતું. જૈન તીર્થધામના પવિત્ર માર્ગ પર સિંહ…
Author: gujarat
Gujarat Tourist Skip Bill: ગુજરાતના લોકો દેશ અને દુનિયામાં ફરવા માટે જાણીતા છે. જોકે, એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે ગુજરાતને બદનામ કર્યું છે એટલું જ નહીં, પરંતુ પાંચ ગુજરાતીઓને ભાગી જવા બદલ સોશિયલ મીડિયા પર નોબેલ પુરસ્કાર માટે પણ કોલ આવ્યા છે. રાજસ્થાન જતા ગુજરાતના ચાર છોકરાઓ અને એક છોકરીએ આબુ રોડની એક હોટલમાં ભોજન કર્યું, આરામ કર્યો અને પછી મોટું બિલ ચૂકવ્યા વિના ભાગી ગયા. જ્યારે હોટલ માલિકને આ વાતની ખબર પડી ત્યારે તેણે પીછો કર્યો. બિલ ચૂકવ્યા વિના ભાગી રહેલા ગુજરાતી યુવાનો તેમના પ્રયાસમાં સફળ થયા હોત, પરંતુ રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર ટ્રાફિક જામના કારણે તેઓ ભાગી…
Chaitar Vasava Gujarat Politics: ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ૮૬% બેઠકો જીતીને સતત સાતમી જીત મેળવી. ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે, ભાજપે મંત્રીમંડળમાં મોટા પાયે ફેરબદલ કર્યા છે, પરંતુ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસક ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા પછી વસાવાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં તેમના કાર્યક્રમોમાં ભારે ભીડ એકઠી થઈ હતી. જ્યારે હાઈકોર્ટે તેમને અઢી મહિના પછી જામીન આપ્યા, ત્યારે તેમણે એક શરત મૂકી કે તેમને તેમના મતવિસ્તારની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ બાદ, વસાવ હવે ગુજરાતના આદિવાસી પટ્ટામાં ફરવા…
દયાબેને પુત્રીને ભોળાવીને ઝાડી ઝાંખરામાં ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી. સમગ્ર ઘટનાના બીજા દિવસે ચેકડેમ પાસેથી યુવતીની લાશ મળી આવતા પિતા હિંમતભાઈએ પોલીસને જાણ કરી હતી.ભાવનગર તા.૨૪ઃ ભાવનગરના ધોષા તાલુકામાં ઓનર કિલિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. એક માતાએ પુત્ર સાથે મળીને પોતાની પુત્રીને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી હોવાથી માતા-ભાઈએ તેની હત્યા કરી હતી.આ મામલે મૃતકના પિતાને જાણ થતાં આરોપી પુત્રી અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિગત મુજબ, ભાવનગરના ધોષા તાલુકાના ભીકડા ગામમાં પુત્રીની હત્યા મામલે ૫૫ વર્ષીય પિતા હિંમત સરવૈયાએ પોતાના પુત્ર…
Parimal Nathwani Gir Controversy: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના સહયોગી અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. નથવાણીએ જણાવ્યું હતું કે તેમણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સાસન ગીર સિંહ સફારીની મુલાકાત માટે તમામ જરૂરી પરવાનગીઓ મેળવી લીધી હતી. આ નિવેદન એક વીડિયો વાયરલ થયા બાદ આવ્યું છે, જેમાં તેઓ સિંહોની વચ્ચે ફિલ્માંકન કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો શેર કરીને ટિપ્પણી કરી છે કે કદાચ હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ માટે કાયદા અને નિયમો અલગ હોય છે. પ્રભાવશાળી વ્યક્તિ, નથવાણીએ તેમની ખાનગી કારમાં સાસન ગીરની યાત્રા કરી હતી. સોશિયલ મીડિયાએ પ્રશ્નો ઉભા કર્યા છે કે…
તા. 24, ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં શુક્રવારે દર્શનાર્થીઓની ભારે ભીડને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વેકેશનને કારણે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલો હંગામી ગેટ દબાણ સહન ન કરી શકતા અચાનક તૂટી પડ્યો હતો.આ ઘટનાને કારણે દર્શનાર્થીઓમાં ગભરાટ ફેલાયો અને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ગેટ તૂટવાની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ મંદિરના સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં કરી હતી અને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ભીડને નિયંત્રિત કરીને દર્શન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી…
અમદાવાદ, તા.૨૪ઃ અમદાવાદમાં પતિની સારવાર માટે એક શિક્ષિકા ચોર બની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીના જ ઘરમાંથી ૧૦ તોલા સોનું અને રોકડની ચોરી કરી હતી. જો કે શિક્ષિકાની શંકાસ્પદ હિલચાલથી તેનો ભાંડો ફૂટ્યો હતો.આ બાદ રામોલ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, શાળામાં શિક્ષિકા રહી ચૂકેલી સંગીતા આર્થિક પરિસ્થિતિને કારણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો.અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા શાશ્વત મહાદેવ નામના ક્લબમાં ૧૦ તોલા સોનાના ઘરેણા અને રોકડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી મહિલા આ ચોરી કરવા માટે તેના વિદ્યાર્થીના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ…
Drink and Drive Kavach Device: પહેલી વાર દારૂ પીને વાહન ચલાવનારને 10,000 રૂપિયાનો દંડ અથવા છ મહિનાની જેલ થઈ શકે છે. બીજી વાર દારૂ પીને વાહન ચલાવનારને 15,000 રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલ થઈ શકે છે. દારૂ પીને વાહન ચલાવવા સામે કડક કાયદાકીય અમલીકરણ છતાં, દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ ચાલુ રહે છે. સોનમ વાંગચુક જેવા ગુજરાત સ્થિત ઇનોવેટર મિથિલેશ પટેલે એક ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે પોતાની શોધનું નામ ડ્રિંક-એન્ડ-ડ્રાઇવ પ્રોટેક્શન ડિવાઇસ – કવચ(Kavach) રાખ્યું છે. મિથિલેશનો દાવો છે કે તેમણે અગાઉ દારૂ પીને વાહન ચલાવનારાઓને સરકારી કચેરીઓમાં પ્રવેશતા અટકાવવા અને તેમને ઓળખવા માટે એક ઉપકરણ વિકસાવ્યું હતું.…
Gujarat Digital Signature Birth Death Certificate: ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષર (Digital Signature) વાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.રાજ્યમાં એકસૂત્રતા જળવાશેઆરોગ્ય અને તબીબી સેવા વિભાગના પરિપત્ર મુજબ, આ નિર્ણય દેશભરમાં એકસૂત્રતા, પ્રમાણિકતા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. હાલમાં જન્મ અને મરણની તમામ નોંધણી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં 1 સપ્ટેમ્બર, 2025થી આ પ્રક્રિયા રાજ્યના…
રાજકોટમાં નબીરાએ ચાલુ કારે ફટાકડા ફોડતી રિલ બનાવી, જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાંરાજકોટ તા.૨૪ઃ દિવાળીના તહેવાર વચ્ચે રાજકોટમાં જાહેર રસ્તા પર કેટલાક નબીરાઓનો બેફામ આતંક સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં બેઠેલો એક યુવાન ચાલુ કારે ફટાકડો સળગાવે છે અને પછી ગાડીની બારીમાંથી તેને બહાર જાહેર રસ્તા પર ફેંકી દે છે.ફટાકડા ફોડવા અંગેનું પોલીસનું જાહેરનામું અમલમાં હોવા છતાં નબીરાઓએ તેની સરેઆમ અવગણના કરી હતી. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું.જોકે, આ જોખમી સ્ટંટનો વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા જ તપાસ હાથ ધરી…
