Ø‘એક રાજ્ય – એક પોર્ટલ’ના વિઝન સાથે “સરકાર નાગરિકોના ઘર આંગણે” – “ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ ધ સિટીઝન”નો મંત્ર ચરિતાર્થ કરવાની ભલામણો સાથેનો અહેવાલ.Øસિંગલ સાઈન ઓન સિસ્ટમ-SSOથી નાગરિકોને તમામ સેવાઓ એક જ યુઝર આઇ.ડી.થી મળતી થશે.Øરાજ્ય સરકારની સેવાઓ માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો – ‘એકવાર માહિતી આપો – વારંવાર લાભ મેળવો’નો ધ્યેય સાકાર થશે.Øડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવીને રીએક્ટિવથી પ્રો-એક્ટિવ ગવર્નન્સથી નાગરિક કેન્દ્રિત સેવા વિતરણ અમલ કરવા ભલામણ.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવ – સિટિઝન ફર્સ્ટના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરીને વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાત@2047થી નવો અધ્યાય રચવાનો ધ્યેય…
Author: gujarat
ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે ૧૪.૮૯ લાખની કરી છેતરપિંડી -૨૫ વર્ષ બાદ હવે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છેગાંધીનગર, ગાંધીનગરના CID ક્રાઇમ ઓફિસરની એક જુનિયર ક્લાર્ક વિરૂદ્ધ બોગસ પ્રમાણપત્રો રજૂ કરી સરકાર સાથે ૧૪.૮૯ લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે.હકીકતમાં અમદાવાદના મણિનગરની રહેવાસી દક્ષા વ્યાસ નામની મહિલાએ પોતાના પોલીસ કોન્સ્ટેબલ પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરી લીધા હતા. જોકે, તેણે સરકારથી આ હકીકત સરકારથી છૂપાવી અને ફેમિલી પેન્શન મેળવવાનું શરૂ રાખ્યું હતું. ૨૫ વર્ષ બાદ હવે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી…
Sardar Patel Family: રાષ્ટ્રને એક કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય એકતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા દિવસની પૂર્વસંધ્યાએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોખંડી પુરુષની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી અને ફોટો પડાવ્યો. આ પહેલી વાર છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી સાથે આખો પરિવાર એક સાથે જોવા મળ્યો છે. નડિયાદમાં જન્મેલા સરદાર પટેલ આણંદના કરમસદ સ્થિત તેમના ઘરમાં ઉછર્યા હતા, પરંતુ ઘણા વર્ષોથી, તેમના પરિવારના સભ્યો દૂર ખાનગી જીવન…
દુબઈમાં યોજાયોએશિયા પેસિફિક સિટીઝ સમિટ એન્ડ મેયર્સ ફોરમ – 2025સતત વિકાસ, હવામાન પ્રતિકારક નગર વિકાસ અને નવીનતા આધારિત ગવર્નન્સ ક્ષેત્રે અમદાવાદનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયુંદુબઈ, અમદાવાદ મહાનગરપાલિકાના માન. મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનએ સુરત, જયપુર, જબલપુર સહિત ભારતના અગ્રણી શહેરોના મેયર્સ સાથે એશિયા પેસિફિક સિટીઝ સમિટ (APCS) એન્ડ મેયર્સ ફોરમ – 2025માં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમિટ 27 થી 29 ઑક્ટોબર 2025 દરમિયાન દુબઈના એક્સ્પો સિટી ખાતે યોજાઈ હતી.આ વૈશ્વિક સમિટનું આયોજન દુબઈના ક્રાઉન પ્રિન્સ તથા ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ દુબઈના ચેરમેન હિઝ હાઈનેસ શેખ હમદાન બિન મહમ્મદ બિન રશીદ આલ મક્તૂમના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. વિશ્વના…
લેખક: પ્રો. હેમન્તકુમાર શાહ પ્રકાશક: ‘અનુસંધાન’, તા.૩૧-૧૦-૨૦૨૫ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડ તદ્દન અપારદર્શકઅત્યારે ભારે કમોસમી વરસાદના સંદર્ભમાં ગુજરાતમાં ખેડૂતોને અને અન્ય નાગરિકોને જે નુકસાન થયું છે તેના બદલામાં રાજ્ય સરકાર તેમને નાણાકીય રાહત પૂરી પાડે એવી માગણી સ્વાભાવિક રીતે જ ઊઠી છે. ત્યારે ગુજરાતમાં કોઈ પણ આપત્તિગ્રસ્ત લોકોને રાહત આપવા માટેની જે પ્રાથમિક સરકારી વ્યવસ્થા છે તે કેવી છે તેની સમજ મેળવવી જરૂરી છે. સામાન્ય રીતે જ્યારે પણ મોટી આપત્તિ આવે ત્યારે ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરે છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપે છે. તુલનાત્મક રીતે સુખી લોકો, સંસ્થાઓ અને કંપનીઓ આ…
કમોસમી વરસાદના કારણે ૩૬ કિમીનો રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્્યતા છેજૂનાગઢ, જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી ૨ નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી છે.જિલ્લા વહીવટીતંત્રની સમિક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તૈયારી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે ૩૬ કિમીનો રૂટ…
Misri film stunt Ahmedabad: ગુજરાતના અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે રસ્તા પર સ્ટંટ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફિલ્મ “મિસરી” ની સ્ટાર કાસ્ટ પરવાનગી વગર રસ્તા પર ફરતી હતી અને ટ્રાફિક નિયમોનું પણ ઉલ્લંઘન કરતી હતી. મિસરીસ્ટાર કાસ્ટ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. પોલીસ સામાન્ય રીતે ટ્રાફિક ઉલ્લંઘન સામે કાર્યવાહી કરે છે. સોશિયલ મીડિયા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કલાકારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય પાસેથી કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.Ahmedabad streets to cinema screens — Misri is a ride worth taking! @AhmedabadPolice @GujaratPolice શું આ પ્રકારે સ્ટંટ…
માલ લાવતી વખતે તાડપત્રી બાંધવા તેમજ બને ત્યાં સુધી વાતાવરણ ચોખ્ખું થાય ત્યારબાદ જ માલ લાવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી છેભુજ, હવામાન વિભાગ દ્વારા ૧ નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ભુજ એપીએમસી દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓને પણ તેમનો માલ પલળે નહીં તે માટે તકેદારીના પગલા લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.ખાસ કરીને એપીએમસીમાં બહાર પડેલા માલને શેડની નીચે અથવા તો ગોડાઉનમાં મુકવામાં આવી રહ્યો છે તો માલ લાવતી વખતે તાડપત્રી બાંધવા તેમજ બને ત્યાં સુધી વાતાવરણ ચોખ્ખું થાય ત્યારબાદ જ માલ લાવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.લાભ પાંચમ બાદ મગ અને એરંડાની ધીમીગતિએ…
ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠાએ કહેર મચાવ્યો છે. હજુ તો ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને લીધે હજારો લાખો હેક્ટરમાં ખેતીને નુકસાન પહોચ્યું છે, ત્યારે ખેડૂતો હવે કૃષિ પેકેજના સહાય પર મીંટ માંડીને બેઠાં છે. પણ જ્યાં સુધી પાક નુકસાનીનો સર્વે ન થાય ત્યાં સુધી ખેડૂતોને કેટલું વળતર આપવું તે નક્કી થઈ શકે નહીં. હવે કૃષિમંત્રીએ તો સાત દિવસમાં નુકસાનીનો સર્વે થઇ જશે તેવી જાહેરાત કરી છે. પરંતુ કૃષિ વિભાગે પરિપત્ર કરી ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે, સેટેલાઈટ ઈમેજથી સર્વે કરી ખેતી નિયામકોએ 12 દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને…
હજુ બે દિવસ વરસાદની આગાહીજૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પહેલ ૨૦ જવાનોની SDRF ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છેજૂનાગઢ,ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે એવામાં તંત્ર ગડમથલમાં મૂકાઈ ગયું છે. પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે. એવામાં વરસાદ બંધ થાય પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે ૩૧ ઓકટોબર સુધી કોઈ પરિક્રમા રૂટ પર આવે નહીં.કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી છે. ગિરનારની લીલી પરિક્રમા રૂટ પર લાઈટ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે ત્યાં કમોસમી…
