Author: gujarat

તબીબ સહિત બેની સમરી રિપોર્ટ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો -ડો.શૈલેષ આનંદ અને મિલાપ પટેલ ૧૧૮ દિવસ બાદ જામીન પર મુકત(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદગેરકાયદે રીતે આયુષ્યમાન કાર્ડ જારી કરવાના કૌભાંડમાં પીએમએવાયના આરોગ્ય વિભાગના તબીબી અધિકારી ડો. શૈલેષ આનંદ અને ગાંધીનગરની પીએમજેવાય ઓફીસના પ્રોજેકટ ઓપરેટર મિલાપ રમેશભાઈ પટેલસામે ક્રાઈમ બ્રાંચને ‘અ’ પડત સમરી ભરીને કોર્ટમાં રજુ કરેલો રીપોર્ટ એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.વી.પટેલે મંજુર કર્યો છે. ક્રાઈમ બ્રાંચે બંને સામે કોઈ પુરાવા નહી હોવાથી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં બીએનએસએસની કલમ ૧૮૯ નો સમરી ભર્યો હતો. આથી ડો.શૈલેષ આનંદ અને મીલાપ પટેલ ૧૧૮ દિવસ બાદ જામીન પર મુકત કર્યા હતા.પીએમજેવાયના આરોગ્ય વિભાગના તબીબી…

Read More

Gujarat research fellowship scheme 2025: ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રિસર્ચ વધે તે માટે 2023-24ના બજેટમાં નવી જોગવાઈ રૂપે રિસર્ચ ફેલોશિપ-આર્થિક સહાયની બાબત ઉમેરાઈ હતી. જેના ઠરાવમાં સરકારે કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા છે અને જેમાં ખાસ કરીને અગાઉ સમાનપણે 3 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય અપાતી હતી. પરંતુ જેમાં સરકારે સુધારો કરીને હવે જુદી જુદી કેટેગરી પાડી છે અને જેમાં સાયન્સ અને ટેકનોલોજીના રિસર્ચ માટે 3.5 લાખ, તથા કોમર્સ અને આર્ટસના વિષયોમાં રિસર્ચ પ્રોજેક્ટ માટે બે લાખ તેમજ ભાષાના વિષયોમાં રિસર્ચ માટે એક લાખ રૂપિયા નક્કી કરાયા છે. જો કે, નવા ઠરાવમા પણ સરકારે સ્ક્રિનિંગ ટેસ્ટનો ક્રાઈટેરિયા મુક્યો છે…

Read More

બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું –ઊંટની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવે અને બાદમાં પરેડમાં લઈ જવામાં આવે છેકેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ,લેવાય છે વિશેષ કાળજી- આ ૫૨ ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે.અમદાવાદ, એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો,કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને…

Read More

Lulu Mall Ahmedabad: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પછી, ગુજરાતમાં દેશના સૌથી મોટા મોલના નિર્માણનો માર્ગ મોકળો થઈ ગયો છે. લુલુ ગ્રુપે ગુજરાતના અમદાવાદમાં સૌથી મોટા મોલ બનાવવા તરફ છેલ્લું પગલું ભર્યું છે. લુલુ ગ્રુપના મોલનો અંતિમ સોદો 519.41 કરોડ રૂપિયામાં થયો છે. એટલું જ નહીં, લુલુ ગ્રુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી જમીન સંપાદન કર્યા પછી 31 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. અમદાવાદમાં આ સૌથી મોટો જમીન સોદો છે. નોંધનીય છે કે કોમનવેલ્થ ગેમ્સની સાથે ઓલિમ્પિક સ્વપ્નને પણ પ્રેમ કરતા અમદાવાદીઓ લુલુ ગ્રુપ તરફથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા.ગયા વર્ષે લુલુએ બિડ…

Read More

આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશેઆ સમજૂતી કરાર દ્વારા પીપાવાવ બંદરની હાલની કન્ટેનર,બલ્ક,લિક્વિડ તથા રો-રો કાર્ગો વહન કરવાની ક્ષમતામા વધારો થવાના પરિણામે બંદરની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનશે.MoUના પરિણામે પીપાવાવ પોર્ટના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફના મહત્વપૂર્ણ કદમથી ભારતના ‘મેરિટાઈમ ગેટવે’ તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશેગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ (APMટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટેMoU થયાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ કદમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ભર્યું છે.આ…

Read More

IAS Amit Arora: એક કહેવત છે, “જેણે તોફાનોનો સામનો કર્યો નથી તે ક્યારેય મોટો થયો નથી.” પડકારો જ વ્યક્તિત્વને પરિપૂર્ણ કરે છે. આ વાક્ય ગુજરાતના IAS અધિકારી અમિત અરોડાને એકદમ યોગ્ય રીતે બંધબેસે છે. જૂન 2023 માં, તેમણે ગુજરાતના ઇતિહાસના સૌથી ખતરનાક ચક્રવાત, ચક્રવાત બિપાઝારનો બહાદુરીથી સામનો કરીને અપાર ખ્યાતિ મેળવી. કચ્છમાં વિનાશક ચક્રવાત ત્રાટક્યો હોવા છતાં, કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમના નેતૃત્વ હેઠળ, વહીવટીતંત્રે, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) સાથે મળીને, પોતાની બધી શક્તિનો ઉપયોગ કર્યો. હવે, તેમણે ફરી એકવાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોખંડી પુરુષની 150મી જન્મજયંતિનું સફળતાપૂર્વક આયોજન કરીને નોંધપાત્ર અસર કરી…

Read More

સૌથી વધુ નડીયાદ ખાતેથી ૧,૮૫૧ એક્સ્ટ્રા ટ્રીપો ચલાવી ૬૪,૦૦૦ મુસાફરોએ લાભ લીધો હતોએસ.ટી. નિગમની દિવાળીના તહેવારોમાં પ્રશંસનીય કામગીરી –સૌથી વધુ નડીયાદ અને સુરત શહેરથી ૩,૧૫૧ ટ્રીપો પૂર્ણ કરીને કુલ ૧.૩૨ લાખથી વધુ મુસાફરો તહેવારના સમયે પોતાના માદરે વતન પહોચ્યાઅમદાવાદ, રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ વર્ષે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કુલ ૮,૬૪૮ જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સફળ આયોજન કરીને ૩.૭૮ લાખથી વધુ મુસાફરોને પોતાના વતનમાં સમયસર અને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા…

Read More

દરરોજ સરેરાશ ૩૫ ઈમરજન્સી કેસથી ચિંતાઈમરજન્સી સેવા ‘૧૦૮’પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટ્રોકની ઈમરજન્સીના સૌથી વધુ ૯૯૬૮ કેસ અમદાવાદમાં નોંધાયા હતાગુજરાતમાં લકવાના ૧૦માંથી ચાર દર્દીની ઉંમર ૫૦ વર્ષથી ઓછીગાંધીનગર, છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ આ વર્ષે સ્ટ્રોકની ઈમરજન્સીના ૧૦,૦૯૮ કેસ નોંધાયેલા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ ૩૫ વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોકની સારવાર માટે ઈમરજન્સી સેવા ‘૧૦૮’ ની મદદ લેવી પડે છે. સ્ટ્રોકના પ્રત્યેક ૧૦માંથી ૪ કેસ હવે ૫૦ વર્ષથી ઓછી વયની વ્યક્તિમાં નોંધાય છે. આજે ‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ છે, ત્યારે સ્ટ્રોકના વધતા કેસે ચિંતાજનક સ્થિતિ સર્જી છે.ઈમરજન્સી સેવા ‘૧૦૮’પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર…

Read More

હાજરી ઓછી હોવાથી ૩ હજાર પ્રમાણે ૨.૪૪ કરોડની સહાય અટકાવાઈસહાય મેળવવા માટે નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકની આગળના વર્ષની સ્કૂલની હાજરી ૮૦ ટકા કે એનાથી વધુ હોવી ફરજિયાતઅમદાવાદ , અમદાવાદ શહેરની વિવિધ ખાનગી સ્કૂલોમાં RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓને હાજરીના મુદ્દે સહાયથી વંચિત રહેવું પડશે. આ વિદ્યાર્થીઓની વાર્ષિક હાજરી ૮૦ ટકા થતી ન હોવાના પગલે તેમને મળતી સહાયના મળી કુલ રૂ. ૨.૪૪ કરોડ ચુકવવામાં નહીં આવે. સરકાર દ્વારા દરવર્ષે વિદ્યાર્થીઓને સહાય પેટે રૂ. ૩ હજારની ચુકવણી કરતી હોય છે. પરંતુ આ માટે વિદ્યાર્થીની વર્ષ દરમિયાન ૮૦ ટકા હાજરી હોવી જરૂરી છે. હાલમાં અમદાવાદ…

Read More

લોખંડની પાઇપ મારી યુવકનું મોઢું છુંદી નાખ્યુંઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યોરાપર, રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધની શંકાના આધારે એક મિત્રએ જ અન્ય મિત્રની હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો છે. ત્રંબો ગામથી તેના પિતરાઈ ભાઈ સાથે રાપર જવા નીકળેલા યુવકને અધવચ્ચે જ તેના મિત્રએ પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પાઈપ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.મૃતકના પિતા નારણ ડોડીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ગત…

Read More