Author: gujarat

*ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઇ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા*રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે,ત્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા.નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી. કમોસમી વરસાદના પાણી વિવિધ ગામોના ખેતરોમાં ફરી વળ્યાં છે,આ પાણી ઓસર્યા બાદ તેમાં નુકસાનીના સર્વે માટે ખેડૂતોએ મંત્રીશ્રીને રજૂઆત કરી હતી.ઓલપાડ તાલુકામાં રસ્તા પર સૂકવવા માટે…

Read More

Mumbai Ahmedabad Bullet Train Project: દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સોમવારે અમદાવાદ પહોંચ્યા. તેમણે અમદાવાદ જંકશનના પ્લેટફોર્મ 10 નજીક બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે બોલતા મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર છે અને તેની પાછળનો પુલ પણ બનાવવામાં આવ્યો છે. તેમણે સ્ટેશનના બાંધકામના તમામ પાસાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે બુલેટ ટ્રેન સ્ટેશન નજીક ભૂગર્ભ મેટ્રો સ્ટેશનની પણ મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇન શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને…

Read More

વાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા અગ્ર સચિવ મોના ખંધારનો અનુરોધવાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ સરકારે તાત્કાલિક સ્વીકારી લીધા છે: અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારઅન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાજબી ભાવના દુકાનદારો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં દુકાનદારો સાથે સંવાદ સાધતાં સુશ્રી મોના ખંધારે વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા…

Read More

Gujarat Farmers News: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ બેંક લોન લીધી હોય અને કોઈ તેને ચૂકવવા માટે આગળ આવે? આ ફક્ત ગુજરાતના એક કે બે લોકો સાથે નહીં, પરંતુ એક ગામના 290 ખેડૂતો સાથે બન્યું. જ્યારે બેંકે તેમને “નો ડ્યુઝ સર્ટિફિકેટ” આપ્યા, ત્યારે તેઓ રડી પડ્યા. આ સાચી વાર્તા અમરેલી જિલ્લાના જીરા ગામની છે. ગામના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલા આ દિવસોમાં સમાચારમાં છે કારણ કે તેમણે નવા વર્ષના દિવસે તેમના ગામના તમામ ખેડૂતોને દેવામુક્ત કર્યા. તેમણે દેવામુક્ત કરવા માટે બેંકમાં 90 લાખ રૂપિયા જમા કરાવ્યા. ખેડૂતો છેલ્લા 30 વર્ષથી સહકારી બેંકના દેવાદાર હતા.જીરા ગામ દેવામુક્ત બન્યુંગુજરાતના સાવરકુંડલા તાલકો અમરેલીમાં…

Read More

ઔદ્યોગિક એકમો,સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી ગુજરાતને હરિયાળું બનાવવા અનોખી પહેલAhmedabad, ભારત સહિત વિશ્વભરમાં‘કલાયમેટ ચેન્જ‘ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને જનભાગીદારી એટલે કેPPPમોડલથી મહત્તમ વૃક્ષ વાવવા-ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવી રહ્યું છે.વન વિભાગની સાથેસાથે ખાનગી ઔદ્યોગિક એકમો,સ્વૈચ્છિક સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી ગુજરાતને હરિયાળું બનાવવા વિવિધ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ગ્રિન કવર વધારવાના ધ્યેય સાથેPPPમોડલથી અંદાજે કુલ ૭ લાખથી વધુ વૃક્ષો વાવીને ઉછેરવામાં આવી રહ્યા છે. અનોખી પહેલ…

Read More

Gujarat family court divorce cases: ગુજરાતની ફેમિલી કોર્ટમાં નોંધાતા કેસમાં એક વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં 27194 સામે વર્ષ 2024માં 62146 જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાયા હતા. એક વર્ષમાં ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે. વર્ષ 2024માં ગુજરાતની ફેમિલી કોર્ટમાં 62146 કેસ નોંધાયા હતા. જેના ઉપરથી કહી શકાય કે, દરરોજ સરેરાશ 170 જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાય છે. વર્ષ 2024ના અંતે ગુજરાતની ફેમિલી કોર્ટમાં 51999 કેસ પેન્ડિંગ હતા.વર્ષ 2024 સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.88 લાખ સાથે મોખરે, પંજાબ 55547 સાથે બીજા,…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ માટે ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ:મુખ્યમંત્રીશ્રી:Øવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે.Øસેમિકન્ડકટર સેક્ટરના વિકાસ પર ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ અને નિયમિત ફોલોઅપ તથા ચોકસાઈ સાથે કાર્યો પૂરા કરવાના દિશાનિર્દેશો.Ahmedabad, ઇન્ફોર્મેશન ટેકનોલોજી,રેલવે તથા માહિતી પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ…

Read More

Lover hidden camera case Mehsana: પ્રેમિકા દ્વારા નકારવામાં આવ્યા બાદ, એક પ્રેમીએ અતિશયોક્તિ કરી. તેણે તેની ભૂતપૂર્વ પ્રેમિકાના ઘરની નજીક એક છુપાયેલ કેમેરા લગાવ્યો જેથી તેની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. તે છુપાયેલા કેમેરા દ્વારા તેના પર 24/7 નજર રાખવા લાગ્યો. આ સનસનાટીભરી ઘટના મહેસાણા જિલ્લાના કડીમાં બની. નકારાયેલા પ્રેમીએ આ ઘટના 24 કલાક રેકોર્ડ કરી. પોલીસે મહિલાના ગોપનીયતામાં ઘૂસણખોરીનો કેસ દાખલ કર્યો છે. આ ખુલાસાથી બધાને ચોંકાવી દીધા છે.મહેસાણા પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદી કડી તાલુકાના એક ગામમાં આંગણવાડી કાર્યકર છે. તે લગભગ 10 વર્ષથી આરોપી સાથે સંબંધમાં હતી. લગ્ન પછી પણ આ સંબંધ ચાલુ રહ્યો, પરંતુ જ્યારે…

Read More

હું અને મારો પરિવાર પીએમ મોદીજી અને સરદાર પટેલની આ શ્રદ્ધાંજલિને મૂર્તિમંત કરવામાં સંકળાયેલ પ્રત્યેક વ્યક્તિના ખૂબ ખૂબ આભારી છીએ. સરદાર સાહેબની150મી જન્મજયંતીના અવસરે તેમના પરિવારજનોએ એકતા નગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી‘સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી પીએમ મોદીજીએ વિશ્વને દર્શાવ્યું કે એક અખંડ ભારત શું કરી શકવા સક્ષમ છે’વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત ગુરૂવારે એટલે કે30ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતમાં એકતા નગર ખાતે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે,દર વર્ષે31ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતી નિમિત્તે એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની…

Read More

Ahmedabad Plane Crash investigation: અમેરિકામાં શટડાઉનના કારણે સરકારી ફન્ડ રોકાઈ ગયું છે. જેના કારણે અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ક્રેશમાં 260 લોકોના મોતની તપાસ કરી રહેલી FAAએ પોતાની ઇન્ક્વાયરી રોકી દીધી છે. કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. 125થી વધુ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકન લૉ ફર્મ બિસ્લે એલને જણાવ્યું હતું કે, પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલા અમેરિકન સરકારના શટડાઉનને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી ડેટા પ્રાપ્ત કરવામાં વિલંબ થઈ રહ્યો છે.ફર્મના પ્રિન્સિપલ એટર્ની માઇકલ એન્ડ્રૂઝે એક ન્યૂઝ મીડિયાને જણાવ્યું કે, ‘શટડાઉનને કારણે FAA તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. અમે 13 ઓગસ્ટે ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ…

Read More