વૈષ્ણોદેવીથી ગોતા બ્રિજ પહોંચતા ઝડપાયાસોલા પોલીસે બાતમી આધારે ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઇ તપાસ હાથ ધરી ઃ દારૂ હરિયાણાથી રાજકોટ લઈ જવાતો હતોઅમદાવાદ,શહેરના એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક દારૂ ભરેલી ટ્રક સોલા પોલીસે ઝડપી લીધી છે. આરોપીઓ હરિયાણાથી આ ટ્રકમાં ૬૦ હજાર દવાની બોટલો વચ્ચે દારૂ બીયરની પાંચ હજારથી વધુ બોટલો ભરીને રાજકોટ તરફ જઇ રહ્યા હતા. સોલા પોલીસે બાતમી આધારે ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો હરિયાણાથી લઇ આવીને રાજકોટ પહોંચાડવાનો હોવાનું જણાયુ છે.વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ તરફ દારૂ બીયરનો જથ્થો ભરીને એક ટ્રક પસાર થવાની છે તેવી પોલીસને બાતમી…
Author: gujarat
ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવતનરોડામાં રહેતી મહિલાને દિયરે ચોરી અંગે જાણ કરી પોલીસે ગુનો દાખલ કર્યાે ઃ તસ્કરોને શોધવા મથામણગાંધીનગર,ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડામાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૯૩ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફરીવાર તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડભોડા ગામની હુડકો વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને ચોરી કરવામાં આવી છે.…
વીમાના નામે છેતરપિંડી કરવાની મોડ્સ ઓપરેન્ડી સામે આવીવીમા કંપનીઓ પાસેથી વિગતો મેળવીને ચોક્કસ ગેંગ દ્વારા ખાસ સિનિયર સીટીઝનને ટારગેટ કરાઇછેઃટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂઅમદાવાદ,ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા હવે વીમા કંપનીના નામે કોલ કરીને ક્લેઇમના ઉંચા વળતર સાથે પરત અપાવવાનું કહીને સિનિયર સિટીઝનોને ટારગેટ કરવામાં આવતી હોવાની નવી મોડ્સ ઓપરન્ડી સામે આવી છે. અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝનના વીમા પોલીસીની વિગતો મોકલીને તેમને નાણાં અપાવવાનું કહીને ૬૬ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.શહેરના રાણીપમાં આવેલી આશાદીપ સોસાયટીમાં રહેતા ચંદુભાઇ પટેલને વર્ષ ૨૦૨૩માં કોલ આવ્યો હતો. જેમાં કોલરે બજાજ એલાયન્સ નામની કંપનીમાં વાત કરતો હોવાનું જણાવીને…
અમદાવાદ, પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર મહેર કરનાર એવા પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ વિશિષ્ટ ઉત્સવની પ્રતિ વર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક તમામ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આજે, ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું.સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં ૮૦ કરતાં વધુ પ્રકારના શાકભાજી અને ૨૦ કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતાં અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.
ગાંધીનગર, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના ખેડૂતોના વ્હારે આવ્યા છે. મોસમી વરસાદ અને પાક નુકશાની અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે Âટ્વટ કરીને જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે.તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડુતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા…
૧૫ વર્ષના છોકરાએ મોટા ભાઈ અને ભાભીની કરપીણ હત્યા કરી -ભાભીના ગર્ભાશયમાંથી અર્ધ-વિકસિત ગર્ભ પણ બહાર આવ્યો હતો. છોકરાએ પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદીને મૃતદેહોને દફનાવી દીધા.(એજન્સી) જુનાગઢ, ગુજરાતના જુનાગઢથી લગભગ ૫૦ કિલોમીટર દૂર એક નાના ગામમાં, ૧૫ વર્ષના સગીરે તેના મોટા ભાઈની ક્રૂરતાથી હત્યા કરી. તેણે તેની છ મહિનાની ગર્ભવતી ભાભીની પણ હત્યા કરી. પોલીસને આઘાત લાગ્યો કે આ ભયાનક ગુનો કરનાર કિશોરે કોઈ પસ્તાવો દર્શાવ્યો નહીં.તેણે કબૂલાત કરી કે જ્યારે તે તેના ભાઈની હત્યા કરી રહ્યો હતો, ત્યારે તેની ભાભીએ દયાની ભીખ માંગી, પરંતુ તેણે તેની અવગણના કરી અને પછી તેના પર બળાત્કાર કર્યો.૧૬ ઓક્ટોબરના રોજ બનેલી આ…
Gujarat RTO Husband Stalked Wife: ગુજરાતના મહેસાણામાં ભૂતપૂર્વ પ્રેમિકાના ઘર પાસે છુપાયેલા કેમેરા લગાવીને 24X7 દેખરેખ રાખવાની ઘટના બાદ, વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વન વિભાગની અધિકારી એક મહિલાએ તેના પતિ પર GPS ટ્રેકરનો ઉપયોગ કરીને તેનો પીછો કરવાનો આરોપ લગાવ્યો છે. તેનો પતિ સુરતમાં RTO અધિકારી છે. પત્ની છેલ્લા કેટલાક સમયથી તેના પતિથી અલગ રહે છે. પત્ની સુરત વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી છે. પત્નીની ફરિયાદના આધારે, પોલીસે તેના RTO નિરીક્ષક પતિ સામે કેસ નોંધ્યો છે.GPS ટ્રેકરનો ઉપયોગ કરીને પીછો કરવાનો આરોપસુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ, જે સુરત…
પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર અને સાધુ,સંતોની ઉપસ્થિતીમાં શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની પરંપરા જાળવી(એજન્સી) જુનાગઢ, ખરાબ રસ્તા અને વાતાવરણને કારણે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાયાની જાહેરાત છતાં જૂનાગઢમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ હાલ તળેટીમાં ઉમટી પડી છે.જૂનાગઢના ભવનાથ તળેટીથી પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર અને સાધુ,સંતોની ઉપસ્થિતીમાં શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની પરંપરા જાળવી હતી. વહેલી સવારે માત્ર મર્યાદિત સંખ્યામાં સાધુ, સંતો પરિક્રમા રૂટ પર પ્રસ્થાન કર્યું હતું.જુનાગઢની ભવનાથ તળેટીમાં ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આમ તો વર્ષથી પારંપરિક રીતે યોજાઈ છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો…
Gujarat Online Liquor Permit: ગુજરાત સરકારે દારૂ પ્રેમીઓ માટે પરમિટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર હવે દારૂબંધી મુક્ત રાજ્યમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની મંજૂરી આપવા માટે એક મોબાઇલ એપ્લિકેશન પ્રદાન કરશે. લોકો મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂ પરમિટ મેળવી શકશે. હાલમાં, રાજ્ય સરકારની વેબસાઇટ પર પરમિટ માટે અરજીઓ કરવી આવશ્યક છે. ગુજરાતમાં દારૂ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ગિફ્ટ સિટી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં પરમિટ સાથે સમગ્ર પ્રદેશમાં દારૂ પીવાની મંજૂરી છે. સરકારના આ નિર્ણયથી કાગળકામ પણ ઓછું થશે અને પ્રવાસીઓ અને વિદેશીઓને સુવિધા મળશે.વર્તમાન સિસ્ટમ શું છે?ગુજરાતની મુલાકાત લેતા ભારત અને વિદેશના પ્રવાસીઓને હાલમાં…
Nursing-Physiotherapy Colleges Closed:ધો.12 સાયન્સ પછીના પેરામેડિકલ કોર્સીસમાં બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ અને ઓક્ઝિલરી નર્સિંગ સહિતના નર્સિંગના ત્રણ કોર્સીસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ અસંખ્ય નવી નવી કોલેજો શરૂ થઈ છે. ખાસ કરીને કોરોના બાદ જ રાજ્યમાં 300 જેટલી નવી નર્સિંગ કોલેજો શરૂ થઈ છે. પરંતુ બીજી બાજુ કોલેજો વધવા સામે વિદ્યાર્થીઓ જ પુરતા ન મળતા રાજ્યમાં નર્સિંગ અને ફીઝિયોથેરાપીની 40 જેટલી ખાનગી કોલેજો બંધ થઈ છે.ખાનગી કોલેજોની સંખ્યામાં મોટો ઘટાડોજ્યારે જેટલી ખાનગી કોલેજો બેન્ક ગેરંટી એક્સપાયર થઈ ગઈ હોય કે યુનિવર્સિટીની મંજૂરી ન હોય કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેના લીધે પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે એક પણ રાઉન્ડમા…
