Gujarat Cyber Crypto Money Laundering: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ)ના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના કામરેજમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે છેલ્લા ચાર મહિનામાં ₹10 કરોડથી વધુની છેતરપિંડીની રકમને ક્રિપ્ટોકરન્સી USDT મારફતે પાકિસ્તાન મોકલી હતી.કૌભાંડનું પાકિસ્તાન અને ચીન કનેક્શનસાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, રાજ્યના કેટલાક શખસો કમ્બોડિયા અને મ્યાંનમારમાં સક્રિય ચાઈનીઝ ગેંગ સાથે મળીને આ કૌભાંડ આચરી રહ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોની બેન્કોમાં છેતરપિંડીથી જમા થતી રકમને આ એજન્ટો રોકડમાં ઉપાડીને અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પાકિસ્તાન અને દુબઈ સ્થિત એજન્ટોને મોકલતા હતા.
Author: gujarat
રૂ.૧૮.૧ર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ઃ એલ.સી.બી. પોલીસના સ્વાંગમાં રૂપિયા પડાવતા હતાપાટણ, પાટણ સીટી ‘બી’ ડિવી. પો.સ્ટે. વિસ્તારમાંથી નકલી એલ.સી.બી. પોલીસ બનેલા ઈસમોને અસલી એલસીબી પોલીસે કુલ કિ. રૂ.૧૮,૧ર,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આર.જી. ઉનાગર એલસીબી પીઆઈ પાટણના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન બાતમી મળેલ કે, કેટલાક ઈસમો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી પી.ટી.ઝાલા તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માંગણી કરતા હોઈ અને આ ઈસમો બી-ડીવીઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલ વેપારીપાસે તપાસના નામે રૂપિયા લેવા આવનાર હોઈ જે બાબતે ટીમે છટકું ગોઠવી ૬ ઈસમોને રવેટા હોટલના રૂમમાંથી ઝડપી…
Radha Yadav Welcome Vadodara: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવનું શનિવારે (આઠમી નવેમ્બર) રાત્રે તેના હોમટાઉન વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરણી એરપોર્ટ પરથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ચાહકો અને શહેરના નાગરિકો ઉમટી પડ્યા હતા, જાણે આખું શહેર પોતાની દીકરીના ગૌરવમાં ઝૂમી ઊઠ્યું હોય.ભાવુક થઈ રાધા યાદવે વ્યક્ત કર્યો આભારપોતાના ભવ્ય સ્વાગતથી ભાવુક થયેલી રાધા યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘એક મહિલા ક્રિકેટર માટે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવી પહોંચશે તે ક્યારેય વિચાર્યું ન હતું. આ ક્ષણ માત્ર મારા…
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા એસટી ડેપોના મેનેજરની મનસ્વીતા કે પછી વહીવટી અણઆવડતના કારણે એસટી બસોના સંચાલનમાં ગંભીર ક્ષતિઓ સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે.ડેપો દ્વારા નિયમિતપણે વધુ આવક આપતા રૂટ પરની બસો કાપીને અન્ય જગ્યાએ દોડાવવામાં આવી રહી છે. વર્ષોથી નિયમિત ચાલતી અને ડેપોને સારી આવક આપતી ખેડા ડેપોની સાંજે ૫.૩૦ કલાકે નડિયાદ થી વાયા વડતાલ, વિદ્યાનગર, આણંદ જતી એસટી બસ કોઈ અગમ્ય કારણોસર રદ કરી નાખવામાં આવી છે. આ બસ જે રૂટ પર દોડતી હતીતે રૂટ પર મુસાફરોની સંખ્યા સારી રહેતી હતી અને ડેપોને નોંધપાત્ર આવક પણ થતી હતી, છતાં આ બસ રદ કરી દેવામાં આવી છે. ખેડા એસટી ડેપો દ્વારા…
(પ્રતિનિધિ) વાપી, વાપીથી લગભગ ૫૪ કિલો મીટર દૂર આવેલા ધરમપુરના અંતરિયાળ ગામ રહેતા વાલજી હળપતિના પત્નીને પ્રસૂતિના સમયેની બ્લડની જરૂર પડતા તેઓએ વાપીના શ્રી કિરણભાઈ રાવલને ફોન કર્યો હતો.‘રકતદાન એ મહાદાન’ સૂત્ર ને ધ્યાનમાં રાખી હંમેશા રકતદાન કરવામાં અગ્રેસર રહેનારા એવા ૪૩ વર્ષના વાપીના કિરણભાઈ રાવલ દ્વારા આ વખતે પોતાની જિંદગીમાં ૧૦૬મી વખત રક્તદાન કર્યુ હતું. આમ કિરણભાઈ રાવલ અને એમના ટ્રસ્ટ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષમાં લગભગ ૫ વખત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવી ચૂક્યું છે.કિરણભાઈ રાવલે પોતાના રક્તથી આજદિન સુધી સેંકડો લોકાના જીવ બચાવ્યા છે. કિરણભાઈ રાવલ સરેરાશ દર ત્રણ મહિને એટલે કે ૮૦ થી ૯૦ દિવસે…
બોગસ પાવર ઓફ એટર્ની અને જિકમાં પકડાયેલી ખોટી સહીના આધારે આઠ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદજેતપુર, સંપત્તિની લાલચમાં લોહીના સંબંધો કેવી રીતે લજવાય છે તેનું એક સનસખીખેજ ઉદાહરણ જેતપુરમાં સામે આવ્યું છે. જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામની જમીન સંપાદનના કરોડો રૂપિયાના વળતરમાં સગા ભાઈઓએ જ બહેન સાથે છેતરપિંડી કરી હોવાની ગંભીર ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.સુરત ખાતે વેપાર કરતાં કેશુભાઈ મોહનભાઈ પીપળીયા (ઉ.વ.૬૧)એ પોતાની પત્ની સવિતાબેનના આઠ સગા-સંબંધીઓ વિરૂદ્ધ, આશરે રૂ.પ કરોડની રકમ હડપી જવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.ફરિયાદી કેશુભાઈએ જણાવ્યું હતું કે, તેમના પત્ની સવિતાબેનના પિતાની જમીન સુરવો ડેમ સિંચાઈ યોજનામાં સંપાદન થવાની હતી. આ…
(એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી ગામે દરિયાકિનારે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન એક યુવતી દરિયામાં ડૂબી જવાની કરૂણ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકો સેલ્ફી લેતી વખતે દરિયાના જોરદાર મોજાની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં ચાર લોકો બચાવવામાં સફળ રહ્યા જ્યારે એક યુવતી તણાઈ ગઈ હતી.મળતી માહિતી અનુસાર, પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલું કપલ તેમના મિત્રો સાથે આદરી ગામના દરિયાકિનારે હતા. જેમાં પાંચ વ્યક્તિઓ દરિયાકિનારે ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મોટું મોજું આવ્યું. ચાર લોકો એકબીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જોકે, એક યુવતીને આ જોરદાર મોજું સમુદ્રની અંદર ખેંચી…
ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને લીધો મહત્ત્વનો નિર્ણયઆ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પુરી ક્ષમતાથી એટલે કે ૨૦૦ એમ.એલ.ડી. ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્મદા પાણીને ટ્રીટમેન્ટ પ્લાનમાં શુદ્ધ કરી નાગરિકોને સપ્લાય કરવામાં આવશે. ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખી કોતરપુર અને જાસપુર પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે રાસકા પ્લાન્ટની કેપિસિટીમાં પણ ૧૦૦ એમએલડી ક્ષમતાનો વધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.જેના કારણે એસપી રીંગરોડ સમાન્તર વિસ્તારોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ થશે. મ્યુનિ. કોર્પો. દ્વારા ર૦૪પની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ કામગીરી શરૂ…
Gujarat farmer relief package: ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને અસ્થિર વાતાવરણના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેઐતિહાસિક નિર્ણય લીધો છે — રાજ્યના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ₹10,000 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ધરતીપુત્રો જ્યારે કુદરતી આફતનો સામનો કરે છે ત્યારે રાજ્ય સરકાર તેમની સાથે હંમેશા ખભા ખભે ઉભી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કિસાન હિતકારી વિચારોને આગળ ધપાવતા, આ સહાય પેકેજ ખેડૂતો માટે આશાનું કિરણ બની રહ્યું છે.પિયત અને બિનપિયત પાકને સમાન વળતરઆ વખતે સરકારે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે —…
ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો જોવાયો-વાર્ષિક ૧.૪ લાખથી વધુ નવા દર્દીઓ(એજન્સી)અમદાવાદ, ગુજરાત રાજ્યમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડાઓ રાજ્યની ગંભીર સ્થિતિ દર્શાવે છે. ૭મી નવેમ્બર ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ નિમિત્તે ગુજરાતમાં કેન્સરના વધતા કેસો અને સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાં પર એક નજર કરીએ.ગુજરાતમાં દર વર્ષે આશરે ૧.૪ લાખથી વધુ નવા કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય ખાતાના આંકડા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. જેની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં ૬૯,૬૬૦ નવા કેસ, વર્ષ ૨૦૨૧માં ૭૧,૫૦૭ નવા કેસ અને વર્ષ ૨૦૨૨માં ૭૩,૩૮૩ નવા કેસ નોંધાયા છે. આ…
