રેગિંગ મુદ્દે સસ્પેન્ડ મેડિકલના ૧૫ વિદ્યાર્થીએ કરેલી અરજી પરત ખેંચી લીધીઆરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઈએ, એક લાખ રૂપિયાથી કોઈનો દીકરો પાછો નહીં આવેઃ હાઇકોર્ટની ટકોરઅમદાવાદ, ધારપુરની GMERS મેડિકલ કોલેજના ૧૫ વિદ્યાર્થીઓને રેગિંગ બદલ સસ્પેન્ડ કરી દંડ કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઇકોર્ટનું આકરું વલણ જોતાં હાલ પૂરતી પરત ખેંચી લેવામાં આવી છે. આ કેસમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ રેગિંગનો ગંભીર મામલો છે. આરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઈએ.એક લાખ રૂપિયાથી કોઈનું બાળક પાછું આવશે નહીં. અરજદાર વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડવા ભણવા આવ્યા છે. એક-એક વિદ્યાર્થીને ૩૫ લાખ દંડ થવો…
Author: gujarat
ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ(તસ્વીરઃ અશોક જોષી) ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામથી એકતાનગર સુધી નીકળનારી જનજાતિય ગૌરવ યાત્રાને તા. ૭ નવેમ્બરના રોજ ઉમરગામના સરઈ ગામ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અનેશહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત અને અમદાવાદ નિકોલના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ બિરસા મુંડા સહિતના આદિવાસી…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે એક ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહી, જેના કારણે નાના બાળકો અને મહિલાઓ સહિતના શ્રમિકોને કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી રહેવાનો વારો આવ્યો હતો.માહિતી મુજબ, શહેરા તાલુકાના નાડા ગામના ૨૭ શ્રમિકો દિવાળી બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામ માટે જઈ રહ્યા હતા. તમામે દાહોદથી જામનગર જતી એસટી બસ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, જેથી બેઠકોની સગવડ મળી રહે.છતાં પણ ડાકોર ડેપોની આ બસ તેઓને લીધા વગર જ આગળ નીકળી ગઈ હતી. બસ છૂટી જતાં શ્રમિકોએ ડાકોર એસટી…
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારતની આઝાદીની ચળવળના મહામંત્ર જેવા વંદે માતરમ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ, ભારત વિકાસ પરિષદ અને સ્ટેશન શાળાના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન શાળામાં તારીખ ૭- ૧૧- ૨૦૨૫ ને શુક્રવારના રોજ ૧૧ઃ૦૦ કલાકે આન બાન અને શાન સાથે ઉજવણી કરાઇ.ઉપસ્થિત મહેમાનો, શાળાનો સ્ટાફ તથા ઉપસ્થિત બાળકો એ સમૂહમાં વંદે માતરમનું ગાન કરી ભારત રાષ્ટ્રને મજબૂત કરવા સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અને ભારતના તમામ વ્યાપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી દિપકભાઈ પટેલ, મટોડા…
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ચાર સીટી બસોની જગ્યા પર વધુ ચાર બસો દોડાવવા માટે નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આ બદલપત્ર આપીને માંગણી કરી છે તેની સાથે સાથે સીટી બસ સ્ટેશન બનાવવા પણ માંગ કરી છેનડિયાદની પ્રજા અને સીટી બસ સેવાને કોઈ સંબંધ ના હોય તેવું સીટી બસ સ્ટેશનના ભૂતકાળના ઇતિહાસ પરથી જોવા મળે છે વારંવાર સીટી બસ સેવા શરૂ થઈ અને કોઈ અગમ્ય કારણસર થોડા સમયમાં બંધ થઈ જતી હતીઅમે આ સેવા એસટી તંત્રના માધ્યમથી શરૂ કરવામાં આવી છે ત્યારે આ સેવા વધુ સક્રિય બને તેવી પ્રજાને આશા છે પરંતુ તંત્ર દ્વારા…
પોરબંદરમાં કોળી સમાજના ઉપક્રમે સન્માન સહિત વિવિધ સમારોહ યોજાયાપોરબંદર, સમસ્ત તળપદા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન, થેલેસેમિયા બાળકો માટે રકતદાન કેમ્પ, નશાંબી વિભાગ દ્વારા વ્યસનમુક્તિ અને વ્યસન નહીં કરવાના શપથ, જાણીતા જાદુગર રાજેશ ડાભીના પ્રયોગોનું નિદર્શન, તેજસ્વી છાત્રો સન્માન, સમાજ શ્રેષ્ટી પરસોત્તમભાઈ મકવાણાને ૧૦૦ વર્ષ પૂરા થતાં જન્મ શતાબ્દી ઉજવણી મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ રવિભાઈ અરજણભાઈ મકવાણાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. ઉપપ્રમુખ ડૉ.ભૂપતભાઈ મકવાણાએ તળપદા કોળી સમાજની વંડીને સુવિધા સાથે અત્યાધુનિક બનાવવાની રૂપરેખા પ્રસ્તુત કરી દાતાઓને આગળ આવવા આહવાન કર્યું હતું. ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્રના સેવા કર્મી તુલસીભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે,…
Gujarat ATS terror attack foiled: ગુજરાત ATSએ ભારતમાં મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો છે. ATSએ ત્રણ શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. ATS અનુસાર મુખ્ય આરોપી પાસેેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરીટા પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને 4 લિટર અરણ્ડીનું તેલ મળી આવ્યું છે. ATSના ડી.આઈ.જી. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે હૈદરાબાદનો એક વ્યક્તિ સૈયદ અહમદ મોહિયુદ્દીન આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તે આ માટે અમદાવાદ આવવાનો છે. તપાસ બાદ તેની અમદાવાદમાં હલચલની માહિતી મળી. તેને અડાલજ નજીકના ટોલપ્લાઝા પર પકડી પાડવામાં આવ્યો.રાસાયણિક ઝેરથી વિનાશનો પ્લાનડી.આઈ.જી. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે સૈયદ અહમદ મોહિયુદ્દીને ચીનમાંથી એમબીબીએસ…
કુલેકામાં ટ્રેકટર ઘોડીને અડી જતાં પટેલ અને ક્ષત્રિય વચ્ચે વૈમનસ્ય થતાં તંગદિલીમાં એકનું મૃત્યુબાબરા, તાલુકાના ફૂલઝર ગામે ફુલેકામાં ટ્રેકટર ઘોડીને અડી જતાં પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલી બબાલમાં બન્ને પક્ષની ફરિયાદના અંતે કુલ પચાસથી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છેજેમાં ક્ષત્રિય સમાજના હરદીપભાઈ દેવકુભાઈ વાળાએ પોતાની ફરિયાદમાં સામા પક્ષના ર૯ જેટલા નામનો સહિત કુલ પ૦ લોકો સામે ગેરકાયદે મંડળી રચવા અને પિતા-પુત્ર અને ભાઈ ઉપર હુમલો કરવા સહિતના મુદ્દે ફરિયાદ આપી છેજ્યારે સામા પક્ષે પટેલ રઘુભાઈ ગોકુળભાઈ પદમાણી દ્વારા કુલ છ જેટલા લોકો સામુ હુમલો કરવા અને વાહન અડફેટે મોટા દેવળિયાથી ફૂલઝર આવેલા મહેન્દ્રભાઈ ભાણાભાઈ વાળાનું મૃત્યુ…
Gujarat ATS ISIS Module Arrest: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આજે એક મોટી સફળતા મળી છે. ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા ત્રણ શખસોને ATSની ટીમે ઝડપી પાડ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા છે. આ શંકાસ્પદ આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો હોવાની જાણકારી છે.બાતમીના આધારે વોચ ગોઠવાઈગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી,…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી પાસે ગુરુવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઉત્તર ભારતના પ્રવાસેથી પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતા બસ આગળ ચાલી રહેલી આઇશર ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો હતો અને મુસાફરોમાં એક ક્ષણ માટે હાહાકાર મચી ગયો હતો.માહિતી મુજબ, આ લક્ઝરી બસમાં કુલ ૫૬ પ્રવાસીઓ સવાર હતા, જે મોડાસા તરફથી ઉત્તર ભારતના ધાર્મિક પ્રવાસ બાદ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. રસ્તામાં શહેરા નજીક અચાનક બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે બસનું નિયંત્રણ…
