Palitana Meat Ban: ગુજરાતના પાલિતાણામાં માંસાહારી ખોરાક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં સ્થિત પાલિતાણામાં હવે ફક્ત શુદ્ધ શાકાહારી ખોરાક જ પીરસવામાં આવશે. જૈન સાધુઓ દ્વારા ભારે વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંસાહારી ખોરાક પર સંપૂર્ણ પ્રતિબંધથી શહેર વિશ્વભરમાં ચર્ચામાં આવ્યું છે. પાલિતાણા જૈનો માટે એક તીર્થસ્થાન છે અને દેશ અને દુનિયાભરના જૈનો માટે તેને પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે. પ્રતિબંધ પાછળ ઊંડી ધાર્મિક માન્યતાઓને કારણભૂત ગણાવવામાં આવી છે.પાલિતાણા ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદથી 381 કિલોમીટર દૂર સ્થિત છે. ત્યાં પહોંચવા માટે રોડ દ્વારા ઓછામાં ઓછા સાત કલાક લાગે છે. 2014 માં, લગભગ 200 સાધુઓએ આ…
Author: gujarat
ગાંધીનગરના ચંદ્રાલા ગામના ખેડૂત અમૃતભાઈ પટેલે ખેતીને માત્ર પેટ ભરવાનું સાધન નહીં,પણ સમૃદ્ધિનું માધ્યમ બનાવ્યુંØવર્ષ ૨૦૨૪-૨૫માં જ આ પ્રગતિશીલ ખેડૂતે રૂ. ૧૮ લાખની આવક અને ૫૦ ટકા એટલે કે,રૂ. ૯ લાખનો ચોખ્ખો નફો મેળવ્યોજ્ઞાન,સરકારી સહાય અને ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગથી ખેતીને સમૃદ્ધિનું સન્માનજનક માધ્યમ બનાવી શકાય છે: શ્રી અમૃતભાઈ પટેલGandhinagar, એવું કહેવાય છે કે, “જે ખેડૂત ટેક્નોલોજીનો હાથ પકડે છે,તે માત્ર પાક નથી ઉગાડતો,પણ સમૃદ્ધિનું ભવિષ્ય રોપે છે.” આ વાતને ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના એક ખેડૂત – અમૃતભાઈ પટેલે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. અમૃતભાઈ પટેલ પરંપરાગત ખેતીની સીમાઓ તોડીને અને બાગાયત ખેતીની નવી ક્ષિતિજો સર કરીને આજે અનેક ખેડૂતો…
કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુન: બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુપિયત અને બિનપિયત પાકો માટે એકસમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણયતાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોની વિપદાની વેળાએ માતબર સહાય પેકેજથી પડખે ઊભી રહીઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર…
ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને SIR પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન-ગુજરાતમાં ચાલી રહેલા SIR ની સમીક્ષા કરતાં ભારતના ચૂંટણી પંચના નિયામકશ્રી અને સચિવશ્રીઅમદાવાદ, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક સુશ્રી શુભ્રા સક્સેના અને સચિવ શ્રી બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી.આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો નોંધાયેલા હતા,…
‘કુરિવાજો છોડીને શિક્ષણ થકી સમાજ’ને વધુને વધુ સમૃદ્ધ બનાવવા રબારી સમાજ સંકલ્પ કરે તે જરૂરી’ : કાશીધામ કઠવાના સમાજ સુધારક રાજાબાપા : દાતાઓ દ્વારા આ કાર્યક્રમમાં સ્ટડી સેન્ટર માટે રૂ. ૧૪ લાખથી વધુનું દાન અપાયુ,તલોદ, તા. ૩૧: કુરિવાજો છોડીને શિક્ષણ થકી સમાજ વધુને વધુ સમૃદ્ધ બનાવવા રબારી સમાજના આગેવાનો, ભાઈ અને બહેનો સંકલ્પ કરે તે સમયની માંગ છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન છોડવાની સાથેસાથે શિક્ષણ દ્વારા જ કોઈ પણ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય છે.આજથી સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજમાં સુધારા-બંધારણ માટેના નવીન સામાજિક બંધારણના અમલીકરણ માટે સંકલ્પ કરીને નવા વર્ષે આશીર્વચન આપતાં પૂ. ૧૦૦૮ શ્રી કનીરામદાસ બાપુએ નવા વર્ષ નિમિત્તે આગામી…
ડીસા, અંગદાન મહાદાન અને ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત થીમ અંતર્ગત પાલનપુરથી દ્વારકા સુધીની ૫૩૫ કિ.મી. ની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના બે શિક્ષક મિત્રો પરેશભાઈ પુરોહિત અને સુનિલભાઈ પટેલ સાથે સુરજપુરાના યુવાન મિત્રો કલ્પેશભાઈ, શૈલેષભાઈ, સુજયભાઈ, સ્મિતભાઈ, મનીષભાઈ, જીગ્નેશભાઈ તથા વોલેન્ટિયર્સ અશ્વિનભાઈ અને ગિરધરભાઈ દ્વારા આ અનોખી યાત્રા હાથ ધરાઈ હતી.આ સાયકલ યાત્રાનો મુખ્ય આશય હતો: અંગદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવવી, સાથે સાથે સ્વચ્છ અને હરીયાળું ગુજરાત માટે પ્રેરણા આપવી અને શારીરિક સ્વાસ્થ્ય અંગે લોકોમાં સંદેશ પહોંચાડવો. યાત્રા દરમિયાન ટીમે અનેક ગામોમાં રોકાઈ લોકો સાથે મુલાકાત કરી, અંગદાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીને યાત્રાનું…
ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુદ્દામાલ કિ.રૂ. ૨,૫૨,૭૨૦નો રાખી કુલ કિ.રૂ. ૪,૫૨,૭૨૦નો મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયોવડાલી, તા. ૩૧: ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ પી.આઈ. તથા પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઇકો કાર નંબર- GJ.31.R.2191 નો ચાલક લાલજીભાઈ સોમાભાઈ ચૌહાણરહે. નવાભગા તા. વિજયનગર વાળો રાજસ્થાન રાજ્યના અંબાસા દારૂના ઠેકા ઉપરથી પ્રવિણ ઉર્ફે પીરો કાન્તિભાઈ ડામોર તથા વિનોદ ઉર્ફે કેડો ચંદુભાઈ ડામોર રહે. ચોકલી તા. ઝાડોલ જી. ઉદેપુર રાજસ્થાનનાઓ મારફતે અંબાસા દારૂના ઠેકા ઉપરથી સેલ્સમેન કાન્હા તથા કુશલ બાબુલાલ ટાંક તથા પ્રિન્સ નામના માણસોપાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયર…
તલોદ, અખંડ ભારતના પ્રણેતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તલોદ નગરપાલિકા તથા સંગઠનના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવીને તલોદ ટીમ દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.જેમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, સંગઠન મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ ચોપરી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રોફેસર રંગુસિંહ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહિલા પ્રમુખ રચના ગાંધી, કોર્પોરેટર વસુબેન સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ ઉપેન્દ્રભાઈ ચાદર, વિનુભાઈ મિસ્ત્રી, ગુણવંતસિંહ સોલંકી, દિલીપભાઈ પાનેક, રાધાબેન પ્રજાપતિ, રમીલાબેન બારોટ, દક્ષાબેન પ્રજાપતિ, કલ્પનાબેન શાહ અને કોર્પોરેટરો તથા સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…
વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટØઆ મોડેલ થકી ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારીØવેડંચાગામનેવર્ષ૨૦૨૪–૨૫નોપ્રતિષ્ઠિતCIPS –સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડ મળ્યોગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું નાનકડું ગામ વેડંચા આજે દેશભરમાં સ્વચ્છતા અને પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું ઝળહળતું ઉદાહરણ બની રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આ ગામે ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. વેડંચા ગામને વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રતિષ્ઠિતCIPS –સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યું છે.વેડંચા મોડેલની વિશિષ્ટતાવેડંચા ગામે ગ્રે વોટર એટલે કે,રસોડા અને બાથરૂમમાંથી નીકળતા ગંદા પાણીના વ્યવસ્થાપન માટે સરળ,સસ્તી અને અસરકારક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવતર…
ફોન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયોનીચલી કોર્ટમાં અત્યાર સુધી લીગલ સાઈઝ, એ-૪ સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતું હતુંઅમદાવાદ,ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટાેમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-૪ સાઇઝના પેપર પર જ દાખલ કરવાના રહેશે. રાજયની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી પહેલી જાન્યુઆરી, ૨૦૨૬થી કરવી પડશે.પરિપત્રમાં ચોક્કસ એ-૪ સાઇઝના પેપરના ઉપયોગની સાથે સાથે તેની કવોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે.તેથી તેની આ નિયમાનુસાર અમલવારી કરવાની રહેશે. પેપરની વિગત જોઈએ તો,ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-૪…
