પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સચિવ શ્રી સચિન શર્મા લંગકાવી ટાપુ પર આયર્નમેન મલેશિયા ૨૦૨૫ ટ્રાયથ્લોન દરમિયાન નજરે પડે છે.પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સચિવ શ્રી સચિન શર્માએ ૧ નવેમ્બર ૨૦૨૫ ના રોજ મલેશિયાના લંગકાવી ટાપુ પર આયોજિત વિશ્વ પ્રસિદ્ધ આયર્નમેન મલેશિયા ટ્રાયથ્લોન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ આંતરરાષ્ટ્રીય સહનશક્તિ (એન્ડ્યુરન્સ) સ્પર્ધાને વિશ્વના સૌથી મુશ્કેલ સ્પોર્ટ્સ પડકારોમાંથી એક ગણવામાં આવે છે અને તેમાં ૩.૮ કિમી ખુલ્લા સમુદ્રમાં તરવું, ત્યારબાદ ૧૮૦ કિમી સાઇકલિંગ અને ૪૨.૨ કિમીની પૂર્ણ મેરેથોન દોડનો સમાવેશ થાય છે, જે કુલ ૨૨૬ કિમીનું અંતર આવરી લે છે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ,…
Author: gujarat
ભગવાન બિરસા મુંડાની150મી જન્મ જયંતી – જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણીરાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના ગામોમાં યાત્રા ભ્રમણ કરશેઆઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળાના ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલØજેને કોઈના પૂછે તેને મોદીજી પૂજે છે.Øસ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવતર પરંપરા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે,જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પૂજે છે.તેમણે કહ્યું કે,આઝાદીની લડતમાં…
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી…
નવેમ્બર ૨૦૨૩માં રમતી બાળકીને આરોપી ઉપાડી પોતાની ઓરડીમાં લઇ ગયો હતોઅમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં રહેતી સાત વર્ષિય બાળકીને તેના જ પાડોશમાં રહેતો યુવક નવેમ્બર ૨૦૨૩ના રોજ અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યાે હતો અને હત્યા કરી હતી. આ કેસમાં આરોપીને સ્પે. પોક્સો કોર્ટના જજ એ.બી.ભટ્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.શહેરના વટવા વિસ્તારમાં રહેતો ઉમાશંકર શ્રીરામ શાહ પડોશમાં રહેતી ૭ વર્ષિય રીના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે)નું ૧૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ અપહરણ…
અમદાવાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 07.11.2025ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે વર્ષભર ચાલનારા સ્મરણ સમારોહનો શુભારંભ કર્યો હતો.દેશભરમાં ઉજવાતા“રાષ્ટ્રવ્યાપી ઉત્સવ”ના ભાગરૂપે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળમાં પણ આ ઐતિહાસિક પ્રસંગ પૂરા શ્રદ્ધા, ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો હતો।માનનીય પ્રધાનમંત્રીએ આ પ્રસંગે150વર્ષનું પ્રતીક,સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટપણ પ્રકાશિત કર્યા હતા.આ કાર્યક્રમ7નવેમ્બર2025થી7નવેમ્બર2026સુધી ચાર તબક્કામાં ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવના ઔપચારિક પ્રારંભનું પ્રતિક છે.જે આ અમર રચના,જેણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણા આપી હતી અને આજે પણ રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.આ ઉત્સવ દરમિયાન“વંદે માતરમ્”ના પૂર્ણ સંસ્કરણનુંસામૂહિક ગાનદેશભરના જાહેર સ્થળોએ આયોજિત કરવામાં આવ્યું,જેમાં સમાજના તમામ વર્ગોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક…
Chaitar Vasava BJP Allegation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા, આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ ખોટા કેસ દાખલ કરીને તેમની પાર્ટીને નીચે લાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, “હું જંગલમાં મુક્તપણે ફરતો વાઘ છું. હું સર્કસ વાઘ નહીં બનીશ.” વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. પીએમ મોદી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લેવાના છે. ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે.ખોટા કેસ દાખલ કરવાનો આરોપવડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના અથડુંગરીમાં “ગુજરાત…
ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે દર્શનાર્થે આવેલા મહિલા દાગીના સ્ટીલના ડબ્બામાં મુકીને બેગ લઈને માતાજીના દર્શન કરવા આવ્યા હતાઊંઝા, ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી મંદિરે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે દર્શન કરવા આવેલા દર્શનાર્થીના બેગમાં રહેલા સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના કિં.રૂ. ૧૦ લાખની કોઈ અજાણ્યો ચોર ભીડનો લાભ લઈ ચોરી કરી લઈ જતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ઊંઝા શહેરમાં પાટણ રોડ પર આવેલી નોબેલ હાઇટ્સમાં મીનાબેન દીપકકુમાર પટેલ રહે છે. જેઓના કુટુંબમાં લગ્નપ્રસંગ હોઈ તેમના પતિ સાથે એક્ટિવા પર તેની સાસુના ઘરેણાં જે ઊંઝા માર્કેટયાર્ડના બેન્કના લોકરમાં પડેલા હતા તે લેવા માટે આવ્યા હતા. જે બેન્કમાંથી…
મળી રહેલી માહિતી મુજબ, માંડવી શહેરના એક અગ્રણી રાજકીય કાર્યકરની પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમના પતિએ બબ્બે વખત અન્ય મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ રાખ્યા હતા અને તે સંબંધોમાં તેમને રંગે હાથ પકડ્યા હતા. તાજેતરમાં તેઓ પોતાના પુત્રની ડાન્સ ટીચર સાથે પણ નજીકના સંબંધોમાં હતા અને બંનેના ફોટા પત્નીના હાથમાં આવી જતા ઘરમાં ભારે તંગદિલી સર્જાઈ હતી.ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પતિને દારૂ પીવાની ખરાબ આદત છે, જેને લઈને અવારનવાર ઘરમાં ઝગડા થતા હતા. એક પ્રસંગે પત્ની સતત ત્રાસથી કંટાળી જઈ ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ…
પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યોભારેલ ગામ પાસે મોમાઈ હોટલની સામે અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષિય ભીક્ષુક જેવી મહિલા સાથે અકસ્માત સર્જાયો હતોઆણંદ, આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ તારાપુર સ્ટેટ હાઇવે ઉપર આવેલા પેટલાદ તાલુકાના ભારેલ ગામની સીમમાં એસટી બસની ટક્કરે અજાણી ભીક્ષુક જેવી મહિલાનું મોત નિપજ્યાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે.બોરસદ તાલુકાના રાસ ગામે નીલકંઠ ચોક વિસ્તારમાં ૩૨ વર્ષીય વિવેકભાઈ હર્ષદભાઈ દરજી પોતાના માતા, પિતા સહિતના પરિવાર સાથે રહે છે અને છેલ્લા ચાર વર્ષથી બોચાસણ ટોલ પ્લાઝાના હાઈવે પેટ્રોલીંગમાં સુપરવાઇઝરની નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે.બુધવારે વિવેકભાઈ દરજી હાઈવે પેટ્રોલીંગની ગાડીના ડ્રાઇવર મહેશભાઈ ભલાભાઇ પરમાર, હેલ્પર ભાવિનભાઈ ફતાભાઈ…
Gujarat ATS Ricin Plot: 8 નવેમ્બર, 2025 ના રોજ, ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ અહેમદ મોહિઉદ્દીન સૈયદ નામના એક ડૉક્ટરની ધરપકડ કરી. એવું કહેવાય છે કે આ ડૉક્ટર ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) સાથે જોડાયેલા છે અને ભારતના અનેક શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા, 30 જીવંત કારતૂસ, બે લેપટોપ, ત્રણ મોબાઇલ ફોન અને 4 કિલોગ્રામ એરંડાના બીજ, જેમાંથી રિસિન નામનું ભયાનક ઝેર કાઢવામાં આવે છે, જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસની ધરપકડ ATS ને શંકા છે કે આરોપી ભીડવાળા વિસ્તારોમાં રિસિનથી વિનાશ મચાવવાનો ઇરાદો રાખતો હતો. તે બે અન્ય વ્યક્તિઓ સાથે…
