Author: gujarat

મિથિલાની સંસ્કૃતિ અને સંસ્કારોએ મને હંમેશા પ્રેરિત કર્યો છે. મિથિલા સમાજની વિનમ્રતા, શિક્ષા અને સામૂહિક ભાવનાએ એમના જીવનની દિશા નિર્ધારિત કરી છે.અમદાવાદ, ગુજરાતમાં મિથિલા સમાજ દ્વારા રવિવારના રોજ મિથિલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, આઈએએસનું ઉત્કૃષ્ટ સેવાઓ અને મુખ્ય સચિવ તરીકે કરાયેલ વરણીને પગલે સન્માનિત કરાયા હતા.તેમનું બહુમાન મિથિલાની પરંપરા અનુસાર ધોતી, કુર્તા, ચાદર, પાઘડી અને પુષ્પગુચ્છથી કરવામાં આવી હતી. આ બહુમાનમાં મિથિલા સમન્વય ફાઉન્ડેસન, બરોડાના તમામ મુખ્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું નેતૃત્વ શ્રી પી.કે. જ્હા, વિધાન જ્હા અને પ્રવિણ જ્હા દ્વારા સાકાર કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં મુખ્ય…

Read More

અગાઉ એએમસીના પ્લોટો ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે વેચાણ કરવાને પરિણામે એએમસીને વધુ સારા ભાવ મળે છે.પ્રાઈમ લોકેશનના પ્લોટના વેચાણથી નોન-ટેકસ રેવન્યુમાં વધારો -હરાજીથી શહેરમાં ૧૭ પ્લોટના વેચાણથી ને AMCરૂ.૧,૩રપ.૭ર કરોડની આવક -રૂ.૧૩૪.૭ર કરોડની આવકના બે પ્લોટના વેચાણની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મંજૂર(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાઈમ લોકેશન પર આવેલા રેસિડેÂન્સયલ અને કોમર્શિયલ હેતુ માટેના ૧૭ પ્લોટ હરાજીથી કાયમી ધોરણે વેચાણથી આપીને રૂ.૧,૩રપ કરોડ, ૭ર લાખ એકત્રિત કર્યા છે.એએમસી દ્વારા ઓગસ્ટ ર૦રપ સુધીમાં ૧પ પ્લોટના વેચવામાં આવ્યા હતા અને રૂ.૧૧૯૧ કરોડની આવક થઈ હતી જ્યારે તાજેતરમાં ટીપી-ર૧પમાં…

Read More

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ શહેર વર્ષ ૨૦૧૬માં ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યું હતું. ત્યારથી આજે નવ વર્ષ વીતી ગયા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટનેસનો કોઈ અણસાર નથી. ખાસ કરીને વોર્ડ નંબર ત્રણના સ્ટેશન રોડ પાસે આવેલી મારવાડી ચાલનાર રહીશું સ્માર્ટ સિટીમાં રહેતા હોવાની શરમ અનુભવે છે.દાહોદ નગર પાલિકાની ઘોર બેદરકારી, અધિકારીઓની ઉદાસીનતા અને કાઉન્સિલરોની અનુપસ્થિતિને કારણે આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય છે. માણસો તો ઠીક પશુઓ પણ રહી શકે તેમ નથી. પારાવાર ગંદકી ભરી દારુણ સ્થિતિથી પીડિત સ્થાનિક રહીશોની વેદના આજે છલકાઈ પડી છે અને…

Read More

ડે.કલેકટરને પત્ર પાઠવી બીએલઓને વ્યવસ્થિત કરવા સૂચના આપવા માંગ કરીતળાજા, મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે ત્યારે તળાજા તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ પોતાના ફૂલસર ગામની અંદર સોળસો આસપાસનું મતદાન છે તેમાંથી ત્રણસો જેટલા મતદારો બોગસ અથવા તો અન્ય નગરમાં અને અહીં બન્ને સ્થળે મતદાર તરીકે છે તેવા દાવા સાથે ડેપ્યુટી કલેકટરને પત્ર લખ્યો છે.સંજય કટારિયાએ તળાજા ડેપ્યુટી કલેકટરને પાઠવેલા પત્રમાં માંગ કરી છે કે, એસઆઈઆરની જે કામગીરી શરૂ થઈ છે તે કામગીરી પોતાના ફૂલસર ગામમાં કરવા આવતા બીએલઓને વ્યવસ્થિત કામગીરી કરવા સૂચના આપવાની માંગ કરી છે તે કામગીરી પોતાના ફૂલસર ગામમાં આવતા બીએલઓને વ્યવસ્થિત કામગીરી કરવા સૂચના આપવાની માંગ…

Read More

જાલેટી ત્રણ રસ્તા પાસે વિજયનગર પોલીસે વોચ ગોઠવી કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપ્યા(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના જાલેટી ત્રણ રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂ સાથે બે જણને ઝડપી લઈ અન્ય એક વોન્ટેડ સહિત ત્રણ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વિદેશી દારૂની ૨૨૬૭ બોટલ, ત્રણ લાખની કાર મળી કુલ રૂ ૧૦.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વિજયનગર પીએસઆઇ એ વી જોશી પોતાના સ્ટાફ સાથે જાલેટી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા એ દરમિયાન મળેલી ખાનગી બાતમી મુજબ રાજસ્થાનથી આવતી કાર રોકીને તેની તલાશી લેવામાં આવતા આ કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂની…

Read More

Cow Slaughter Life Imprisonment: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અમરેલીની સેશન્સ કોર્ટે ગૌવંશની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન છે.શું હતી ઘટના?આ ઘટના 6 નવેમ્બર 2023ના રોજ અમરેલી શહેરમાં બની હતી. પોલીસને બાતમી મળી હતી કે અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતો અક્રમ સોલંકી તેના રહેણાંક મકાનમાં ગાયોનું કતલ કરે છે. માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા કાસિમ સોલંકીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી, જ્યારે સત્તાર સોલંકી અને અક્રમ સોલંકી નાસી છૂટ્યા હતા.…

Read More

ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓનો મોટો ખુલાસોઅમદાવાદ, એટીએસએ પકડેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આતંકીઓના ૮ દિવસના રીમાંડ મંજુર કર્યા છે. ત્યારે ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે. આ આતંકીઓએ આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી. તો સાથે જ આતંકીઓ પાસેથી મળેલા રાઈઝીન ઝેરનો ઉપયોગ ક્્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાત એટીએસે ત્રણ આઈએસઆઈએસ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. તેઓ દેશના વિવિધ સ્થળોએ હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને શસ્ત્રો એકત્રિત કરવા માટે ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે, સૈયદ મોઈનુદ્દિને દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી હતી. તેઓએ લખનઉમાં RSSના કાર્યાલયની પણ…

Read More

છેલ્લા પાંચ વર્ષમાં વકીલોને કુલ રૂ. ૧૧.૬૦ કરોડ અને આબિટ્રેટરોને રૂ. ૧.૯૫ કરોડની ફી ચૂકવાઈ હોવાનું રિપોર્ટ દર્શાવે છે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૬૯ આબિટ્રેશન કેસ દાખલ થયા હતા. મોટાભાગના કેસોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની ચુકવણી, વધારાના કામો અને કરાર મુજબની જવાબદારીઓ અંગે વિવાદ ઉઠાવવામાં આવ્યો હતો. હાલ દાખલ થયેલા તમામ કેસોમાં કોર્પોરેશનની તરફથી લડી રહેલા ૧૧ વકીલોના નામ કમિટીને સપુર્દ કરાયા છે.મ્યુનિસિપલ વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના ૪ વકીલ, ૧૮ હાઈકોર્ટના વકીલ અને ૧૧ સિવિલ કોર્ટના વકીલો દ્વારા આ કેસોમાં કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. છતાં અંતિમ પરિણામોમાં કોર્પોરેશનને નુકસાન વધુ…

Read More

Øપાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજ તા. ૧૧ નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશેØખેડૂતો પોતાના ગામનાVCE/VLEના માધ્યમથી આગામી ૧૫ દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશેઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫માં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની સામે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પાંચ જિલ્લા માટે કરી હતી રાહત પેકેજની જાહેરાતગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ,વાવ-થરાદ,કચ્છ,પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ. ૯૪૭ કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી…

Read More

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતેપ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન બળદ ગાડું ચલાવ્યુંસુરત, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી.રાજ્યપાલશ્રીએ ખેતર પર જઈને સ્વયં હળ ચલાવ્યું અને જમીનની ઉપજાઉ શક્તિ વધારવાના સ્વાનુભવી ઉપાયો ખેડૂતોને જણાવ્યા હતા. આ તકે રાજયપાલશ્રીએ ખેતરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રીએ જણાવ્યું કે,પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી,પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય…

Read More