Author: gujarat

સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા લખવામાં આવ્યો-મહિલા કર્મચારીઓને અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બોલાવીને બધા વચ્ચે ઉતારી પાડી, મોઢા પર કાગળ ફેંકવા સુધીની ગેરવર્તણુંક કરે છે. ગુજરાત સરકારમાં સચિવાલય કેડરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે.આ કેડરના અધિકારી/કર્મચારી સરળ,સહજ અને સજ્જ્ન હોય એવી સામાન્ય છાપ પ્રવર્તે છે. પરંતુ હવે એવું લાગે છે કે સચિવાલયના કર્મચારી/અધિકારીઓનું નૈતિક સ્તર પણ કદાચ નીચે ઉતરતું જાય છે.તેનો પુરાવો એ છે કે ગાંધીનગર સચિવાલયના પંચાયત વિભાગના કેટલાંક અધિકારીઓ તેમના વિભાગની મહિલા નાયબ સેક્શન ધિકારીઓને હેરાન કરે છે તેવી ફરિયાદ કરતો એક પત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં ગયો છે.આ પત્ર મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ મનોજ દાસ પાસે પહોંચતા એ પણ ચોંકી…

Read More

Children Violence: જે ઉંમરે હાથમાં પુસ્તકો રાખવા જોઈએ, તે ઉંમરે બાળકોના હાથ લોહીથી લથપથ છે. ભવિષ્યના સપનાઓથી ભરેલી આંખો લોહીલુહાણ થઈ રહી છે. આવું કેમ છે? અમદાવાદમાં દસમા ધોરણના વિદ્યાર્થીને ચાર ખભા પર અંતિમ વિદાય આપવા માટે લઈ જતી ભીડમાં આ પ્રશ્ન ઉભો થયો હશે. આ તસવીરે દરેક માતા-પિતાને હચમચાવી દીધા છે જે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે શાળાએ મોકલે છે. દસમા ધોરણનો વિદ્યાર્થી રોજની જેમ અમદાવાદના ખોખરા વિસ્તારમાં તેની સાતમા દિવસની શાળામાં આવ્યો હતો. તેને તૈયાર કરીને શાળાએ મોકલનારા માતા-પિતાને ખબર નહોતી કે આ તેના જીવનનો છેલ્લો દિવસ હશે. થોડા દિવસો પહેલા, ધક્કામુક્કી અને ધક્કામુક્કીને લઈને શાળામાં તેનો…

Read More

Ahmedabad Seventh day School : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો. આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું…

Read More

રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણયબંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “વિકાસદીપ” યોજનાની જાહેરાતØસ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001,મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ₹10,001અને અંતિમ પસંદગી અને નિમણુંક બદલ₹15,001નું ઇનામ બંદીવાનના બાળકોને આપવામાં આવશેØરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશેØઆ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશેગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ,આજે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર બંદીવાનો…

Read More

Sevanth School Ahmedabad : અમદાવાદ શહેરશહેરના પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીના મૃત્યુની ઘટના બાદ આજે સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો-વાલીઓએ ઉગ્ર વિરોધ સાથે તોડફોડ કરતા અને શિક્ષકો-સ્ટાફ સાથે મારામારી કરતા સ્થિતિ ભારે વણસી હતી. હવે વાલીઓ-સ્થાનિકોથી માંડી વિવિધ સંગઠનોના આક્રોશને જોતા સ્કૂલમાં કલાસરૂમ શિક્ષણ થઈ શકે તેમ ન હોઈ ડીઈઓએ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નહીં બોલાવાય અને ઓનલાઈન શિક્ષણ થશે. DEO સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ સ્ટાફની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે.જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન…

Read More

Hevy Rain in Mendarda: જુનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જુનાગઢમાં 1.97 ઇંચ, જુનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ક્યાં કેટલો ખાબક્યો વરસાદ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જુનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ…

Read More

IMD Gujarat Forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત,…

Read More

Ahmedabad Crime: અમદાવાદમાં મંગળવારે (19 ઓગસ્ટ) ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ કર્યો હુમલો મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી…

Read More

રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧.૪૮ લાખ કરોડના મૂડીરોકાણ સાથે ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ રૂ. ૧,૪૭૮.૭૧ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી,જેનાથી રાજ્યમાં અંદાજિત ૪,૧૩૬ જેટલી નવી રોજગારીનું સર્જન થયું છે.આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં…

Read More

શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજનના ઉપક્રમમાં સોમનાથ દાદાના દર્શને શ્રી ભૂપેન્દ્ર પટેલસોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીસોમનાથ ટ્રસ્ટ અંદાજે ૧ કરોડના ખર્ચે લાડુ પ્રસાદના રૂપમાં ૨૮ ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશેઆગામી એક વર્ષમાં ૭ લાખ લાડુ વિતરણ પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકોફ્રેન્ડલી મટીરીયલથી કરાય છેવડાપ્રધાનશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “પોષણ ભી પઢાઈ ભી” મંત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાકાર કર્યુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ,ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ શ્રાવણ માસના…

Read More