Author: gujarat

ગોકુલધામમાં શ્રીકૃષ્ણે ઉપાડેલ ગોવર્ધન પર્વત અને નંદબાબાની કુટીરની સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.શ્રાવણ માસમાં માતા વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી(પ્રતિનિધિ) વલસાડ, વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રાકૃતિક સૌંદર્યના મધ્યમાં આવેલા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસોમાં તો ખુબજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. અહિયાં પરાશક્તિ-મા વિશ્વંભરી માતાના દર્શન કરીને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આ ધામની મુલાકાતે આવતા દરેક દર્શનાર્થીઓને અહીંના શાંતિપૂર્ણ વાતાવરણમાં આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. અહીંની અલૌકિક પાઠશાળામાં મા વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન અને હિમાલયની ગુફામાં સ્થિત શિવલિંગના દર્શન કરીને શ્રદ્ધાળુઓ…

Read More

Navsari lift accident child death: નવસારીના વિજલપોર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે, નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે અને બાળકોની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવાની ગંભીર ચેતવણી આપે છે. લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાયો બાળક પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નિરવ એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી. સાર્થક એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ, પરંતુ બાળકને બચાવી ન શકાયો…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં વોટ ચોરીના આક્ષેપોને લઈને ગોધરા શહેરમાં કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગોધરાના સરદારનગર ખંડ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ ધરણા પ્રદર્શન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.તેઓએ હાથમાં પ્લેકાર્ડ તથા તિરંગા લઈને “વોટ ચોર, ગાદી છોડ” જેવા સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ રહી છે અને લોકશાહી મૂલ્યો સાથે છેડછાડ થઈ રહી છે.જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી હતી કે જો વોટ ચોરીના મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.આ વિરોધ કાર્યક્રમ…

Read More

Supreme Court rebuke Gujarat government: દેશમાં શિક્ષકોની સ્થિતિ પર એક મોટી ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો તેમને સન્માનજનક પગાર પણ ન મળી રહ્યો હોય તો પછી ‘ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા’ શ્લોક ગાવાનો કોઈ અર્થ નથી. ગુજરાત સરકારની ટીકા કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોને માત્ર ₹30,000નો પગાર આપવામાં આવે છે, જ્યારે એડ-હૉક અને રેગ્યુલર એસોસિએટ પ્રોફેસરોનો પગાર ₹1.2 થી ₹1.4 લાખની વચ્ચે છે. શિક્ષકોનું સન્માન અને યોગદાન જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું, ‘જે શિક્ષકો આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરે છે અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરે…

Read More

નકલી પનીર બનાવવાનો ધીકતો ધંધો-ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગની પણ બારોબાર જાણ થઈ જતી હોવાના આક્ષેપવડિયા, પવિત્ર શ્રાવણ માસના તહેવારોમાં મીઠાઈ, ફરસાણ અને ફરાળી આઈટમનું વેચાણ વધે છે. મેળાના સ્ટોલમાં પનીરની બનાવટની વસ્તુઓનું વેચાણ પણ પુરબહારમાં થાય છે.અમેરલી જિલ્લાના વડિયાના અમરનગર રોડ પર ગેબનશાહ પીરની દરગાહ પાસે ભૂતકાળમાં નકલી પનીર બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. આ સમયે પનીરના સેમ્પલ લેવાયા હતા. આ બાબતે અનેકવાર જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી તેના રિપોર્ટ બાબતે જાણકારી મેળવવાનો પ્રયાસ થયો પરંતુ આજદિન સુધી તેનો રિપોર્ટ આપવામાં જાણે કોઈની શરમ આવતી હોય તેમ ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.જાણવા મળતી વિગતો મુજબ, ડુપ્લીકેટ પનીર બનાવતી આ…

Read More

Tarnetar fair 2025: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધામક દ્રષ્ટિએ અનેરૂ મહત્ત્વ ધરાવે છે. ત્યારે તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ ત્રીજથી છઠ્ઠ સુધી (26મીથી 29મી ઓગસ્ટ) ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. તરણેતર મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 26મીથી 29મી ઓગસ્ટ સુધી કયા કયા કાર્યક્રમો યોજાશે મળતી માહિતી અનુસાર, તરણેતરના મેળામાં ભાદરવા સુદ ત્રીજથી (26મી ઓગસ્ટ) પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં મંગળવારે સવારે 09.30 વાગ્યે ભગવાન શ્રીત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10.30 વાગ્યે…

Read More

જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આવતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત ફરવાનો સંદેશ આપ્યો હતોજાફરાબાદ, છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં ૩ દિવસ પહેલાં ૩ ફિશિંગ બોટ ડૂબી જવાથી ૧૧ માછીમારો હજુ પણ લાપતા છે, જેમને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ સતત કામ કરી રહી છે.લાપતા થયેલા ૧૧ માછીમારોની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન, શિયાળબેટની વધુ બે બોટ અને તેમા સવાર ૯ ખલાસીઓ સાથેનો સંપર્ક તૂટી જતાં નવી ચિંતા ઊભી થઈ હતી. આ બે બોટના નામ ‘ધનવંતી’ અને ‘લક્ષ્મીપ્રસાદ’ હતા. જોકે, આ બોટ અને ખલાસીઓ…

Read More

Seventh Day School online classes DEO decision: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના એક અઠવાડિયા બાદ ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ શિક્ષણ કાર્ય હાલ પૂરતું ઓનલાઈન જ શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હાલ કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી. જિલ્લા શિક્ષણ અધિકારીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય નહીં તે માટે વચગાળાના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. આ માટે DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) કચેરીના ચાર…

Read More

વડાપ્રધાન મોદીએ કોલકાતામાં ૫,૨૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યોકોલકાતા, બિહારના ગયાજી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ૫,૨૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આમાં મુખ્યત્વે ત્રણ નવા મેટ્રો રૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાવડા સ્ટેશન પર સબવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૭.૨ કિમી લાંબા કોના એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.જાહેર સભાને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવે તે જરૂરી છે જેથી કેન્દ્ર સરકાર…

Read More

Gujarat Government Advertisement Expenditure: સામાન્ય રીતે 5, 10, 25 કે 50 વર્ષ જેવી અવધિના પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ 23 વર્ષ પૂર્ણ થવા પર જાહેરખર્ચે ઉજવણી કરવી એ અનોખી ઘટના છે. ગુજરાતમાં આવી ઘટના ત્યારે બની જ્યારે 7 ઓક્ટોબર 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવા બદલ રાજ્ય સરકારે વિશાળ જાહેરાતો આપીને અભિનંદન આપ્યા. આ પ્રસંગે “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” અને “વિકાસ સપ્તાહ” નામે જાહેરાત ઝુંબેશ ચલાવવામાં આવી. તેમાં મોદીનો મુખ્યમંત્રી તરીકે શપથ લીધેલો જુનો ફોટો તેમજ વર્તમાન ફોટો મૂકાયો હતો. સાથે જ, તેમની પ્રશંસામાં અનેક વિશેષણો પણ લખાયા હતા.…

Read More