તિથિ અમાવાસ્યા (અમાસ) – 24:43:10 સુધી નક્ષત્ર પુનર્વસુ – 16:44:50 સુધી કરણ ચતુષ્પદા – 13:33:50 સુધી, નાગવ – 24:43:10 સુધી પક્ષ કૃષ્ણ યોગ હર્ષણ – 09:50:45 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:37:36 સૂર્યાસ્ત 19:17:12 ચંદ્ર રાશિ મિથુન – 11:00:11 સુધી ચંદ્રોદય ચંદ્રોદય નહીં ચંદ્રાસ્ત 19:15:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 9 મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:39:36 અશુભ સમય દુર મુહુર્ત 10:10:48 થી 11:05:26 ના, 15:38:38 થી 16:33:16 ના કુલિક 10:10:48 થી 11:05:26 ના દુરી / મરણ 15:38:38 થી 16:33:16 ના રાહુ કાળ 14:09:50 થી 15:52:17 ના કાલવેલા/અર્ધ્યામ 17:27:55 થી 18:22:33…
Author: gujarat
મેષ આજે તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. તમે તમારા…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નડાબેટ ખાતે BSFના જવાનો સાથે મુલાકાત કરશેસ્થાનિક ગ્રામજનોએ કહ્યું, “વડાપ્રધાન મોદી સાચા હીરો, આપણા બહાદુર જવાનોના સાહસના લીધે અમને કોઈ ડર ન હતો” (જી.એન.એસ) તા. 23 નડાબેટ, આજે 24 જુલાઇ 2025ને ગુરુવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ₹358.37 કરોડ મૂલ્યના વિવિધ વિકાસકાર્યોની ભેટ બનાસકાંઠા જિલ્લાને આપશે. આ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કરવાના છે. ઓપરેશન સિંદૂર સમયે રાજ્યની સરહદો પર બીએસએફના જવાનોએ તેમની બહાદુરીથી પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ સમયે સ્થાનિક ગ્રામજનોએ સરકારની…
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીઓના મુખ્ય નફામાં ઘટાડો થયો છે, જ્યારે કોમોડિટી અને ઇંધણના ભાવમાં નરમાઈને કારણે ત્રિમાસિક ગાળા દરમિયાન માર્જિનમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ ના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં, કંપનીઓના કાચા માલની કિંમત ૧૦.૧% ઓછી હતી અને EBITDA માર્જિન ૧૩૦ બેસિસ પોઈન્ટ વધીને ૧૪ – ક્વાર્ટરની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં સર્વેમાં સામેલ કંપનીઓની કુલ અન્ય આવક, જેમાં એક વખતનો લાભ પણ શામેલ છે, તે ૬૫.૬% વધીને લગભગ રૂ. ૭૩,૦૦૦ કરોડ થઈ હતી, જે ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીઓના કર પહેલાંના નફાના ૫૦.૩% છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)ના પ્રારંભિક પરિણામો…
વૈશ્વિક વીસી રોકાણ પ્રવૃત્તિમાં ધીમી ગતિ વચ્ચે ભારતમાં આ વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ઘરઆંગણે વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટની સારી કામગીરી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ના માર્ચ ત્રિમાસિકની સરખામણીએ જૂન ત્રિમાસિકમાં ૩૫૫ કરાર મારફત દેશમાં વેન્ચર કેપિટલ (વીસી) ઈન્વેસ્ટમેન્ટ વધી ૩.૫૦ અબજ ડોલર રહ્યું છે. માર્ચ ત્રિમાસિકમાં ૪૫૬ સોદામાં કુલ ૨.૮૦ અબજ ડોલરનું વીસી રોકાણ આવ્યું હતું. એકંદર એશિયા વીસી ક્ષેત્રની વાત કરીએ તો, ભારતની કામગીરી તેના કરતા શ્રેષ્ઠ રહી છે. વિશ્વ સ્તરે વીસી ઈન્વેસ્ટમેન્ટના સૌથી વધુ સોદા અમેરિકામાં જોવા મળ્યા છે. દેશના મહત્વના ક્ષેત્રો જેમ કે ફિનટેક, હેલ્થટેક તથા લોજિસ્ટિકસમાં રોકાણકારોનો મજબૂત રસ…
(જી.એન.એસ) તા. 21 અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ. રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક…
(જી.એન.એસ) તા. 21 પોરબંદરના હિરલબેન જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવવામાં આવવા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરમાં ઊંચા વ્યાજથી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે અને તે અનુસંધાને હિરલબેન જાડેજા સામે ગુન્હો દાખલ થયો છે. પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હરીશ પોસતરીયા એ ભૂરા મુંજા પાસેથી વર્ષ 2012 માં 75 લાખ લીધા હતા ભૂરા મુંજા નું 2016 ભૂરા મુંજાના મૃત્યુ બાદ હિરલબા જાડેજાએ પઠાણી ઉઘરાણી શરુ…
(જી.એન.એસ) તા. 21 ઢાકા, ભારતના પાડોશી દેશમાં એક દુ:ખદ ઘટનામાં, લશ્કર અને ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, સોમવારે ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન એફ-7 એક શાળાના કેમ્પસમાં ક્રેશ થયું. આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીઓ માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજમાં હાજર હતા. બાંગ્લાદેશના કાર્યકારી વડા પ્રધાન મુહમ્મદ યુનુસે આ દુર્ઘટનાને “અપરિવર્તનીય” ગણાવી, પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે દુર્ઘટનાના કારણની સંપૂર્ણ તપાસનું વચન પણ આપ્યું અને અસરગ્રસ્તોને “તમામ પ્રકારની સહાય” આપવાનું વચન આપ્યું. લશ્કરના જનસંપર્ક વિભાગના એક નિવેદન અનુસાર, તાલીમ હેતુ માટે ઉપયોગમાં લેવાતું F-7 BGI ફાઇટર જેટ, સ્થાનિક સમય અનુસાર બપોરે 1:06 વાગ્યે (07:06 GMT) નજીકના બેઝ…
(જી.એન.એસ) તા. 21 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ તમામ ભયાનક સમસ્યાઓનો અસરકારક ઉકેલ વેદોમાં છે. જમ્મુની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના બાબા જીત્તો ઓડિટોરિયમમાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણા બધા માટે ગર્વની વાત છે કે, છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં આર્ય સમાજ સંબંધિત કાર્યક્રમોની શ્રેણી શરૂ…
ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે પેચવર્ક દ્વારા રસ્તાઓ રિપેર કરાયા (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે. નેશનલ હાઇવે ૧૪૭(NH147) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે. જે અંતર્ગત સરખેજ-ગાંધીનગર હાઇવેના માર્ગો પર જરૂરિયાત અનુસાર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. સરખેજ-ગાંધીનગર હાઇવે પર મુસાફરોની સલામતી ધ્યાને રાખતા ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે…
