ગ્રીસ, આઈસલેન્ડ કે બહામાસ જેવા વિદેશી સ્થળો ભલે આકર્ષક હોય, પણ ગુજરાતમાં પણ હનીમૂન માટે એવા કેટલાક શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે જે તમારા પ્રેમ અને રોમાંચને વધારી દેશે:૧. દીવ (Diu) – ગુજરાતનું ‘મીની-ગ્રીસ’જો તમે ગ્રીસના ‘સનટોરિની’ (Santorini) જેવા અનોખા વાતાવરણનો અનુભવ કરવા માંગતા હોવ, તો દીવ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દીવના શાંત, સુંદર બીચ અને પોર્ટુગીઝ વારસાને કારણે તેને ઘણીવાર ‘ગુજરાતનું મીની-ગ્રીસ’ કહેવામાં આવે છે.૨. સાપુતારા (Saputara) – પર્વતો વચ્ચે રોમેન્ટિક રોકાણજો તમે આઈસલેન્ડ જેવા પહાડી વિસ્તાર કે સ્વિટ્ઝર્લેન્ડ જેવો અહેસાસ ઈચ્છતા હોવ, તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા, તમારી પસંદ હોઈ શકે છે. ચોમાસામાં અને શિયાળામાં આ સ્થળ ખૂબ…
Author: gujarat
વટવા-નરોડા જીઆઈડીસી અને નારોલના કાપડ યુનિટમાં ઉત્પાદન ધીમું, પરપ્રાંતીય મજૂરો વતન જતા મહાનગરોમાં કામકાજ પર અસર(એજન્સી)અમદાવાદ, ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હોળી ખુબ મહત્વની અને ખુબ તહેવાર માનવામાં આવે છે. તેથી આ રાજયોના લોકો દેશનાં જયાં પણ કામ કરતા હોય ત્યાંથી તેઓ હોળી પરીવાર સાથે ઉજવવા માટે પોતાના વતન જતા રહેતા હોય છે.હોળી પહેલાં જ મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમીકો પોતાના માદરે વતન પહોચી જતા હોય છે અને હોળી બાદ પણ લાંબા સમય સુધી પરત ત આવતાં મહાનગરોમાં શ્રમિકોને તંગી વર્તાઈ રહી છે. શ્રમિકોની અછતને લઈને કન્સ્ટ્રકશનના કામ થંભી ગયા છે. જુદાજુદા ઉધોગોમાં ઉત્પાદન પણ ઘટી રહયું છે. કડીયાનાકા પણ…
(એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરોના વધતા આતંક અને પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના કારોબારથી કંટાળીને આખરે સ્થાનિક રહીશોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે.પોલીસ સ્ટેશનથી માત્ર ૨૦૦ મીટરના અંતરે ચાલતા દારૂના અડ્ડા પર સ્થાનિકોએ ‘જનતા રેડ’ કરીને બુટલેગરોનો ભાંડો ફોડ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. નવાઈની વાત એ છે કે, જે અડ્ડા પર જનતાએ રેડ કરી તે પોલીસ…
લખપત-ગડુલી-હાજીપીર-ખાવડાથી ધોળાવીરા સુધીનો ૧૬૫.૫૮ કિમી લાંબો રોડ હવે ‘પેવ્ડ શોલ્ડર’ સાથે ૨-લેન બનશે (એજન્સી)ભૂજ, ગુજરાતનો ખૂણેખૂણો વિકાસ કરી રહ્યો છે. કચ્છમાં કરાયેલા ઝાકમઝોળ કારણે વિદેશના પ્રવાસીઓ પણ ખેંચાઈને આવ્યા છે. ત્યારે હવે પ્રવાસીઓ સરળતાથી કચ્છના રણ સુધી પહોંચે તેવું આયોજન કેન્દ્ર સરકારે કર્યું છે.કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪ કે ના નવીનીકરણની જાહેરાત કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે.કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને ગુજરાતના કચ્છ માટે મોટી જાહેરાત કરી છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪ ના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૫૦.૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.એક્સ પર આ અંગે જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ગુજરાતના કચ્છ…
બારડોલીમાં રેલવે ઓવરબ્રિજ બનતાં આસપાસનાં ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં સરળતા ઊભી થશેઅમદાવાદ, વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રેલવે બ્રિજ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં રેલવે ફાટક પરથી અવરજવર સુગમ બને તે માટે આગામી વર્ષ-૨૦૨૯ સુધીમાં સમગ્ર રાજ્યને ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.જે અંતર્ગત, રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ અંગેની આંકડાકીય વિગતો આપતાં શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ ૩૬૭ રેલવે ફાટક આવેલાં છે. જે પૈકી ૧૩૦ ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ૫૨ જેટલાં ઓવરબ્રિજ/અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય ૪૬ જેટલાં કામો મંજૂરી હેઠળ…
અમદાવાદ, શહેર અને ગાંધીનગરની હદ વચ્ચે રહેતી એક સગીરા એક યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તેને ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે સંપર્ક થયા બાદ બંને એકબીજાને મળતા હતા.આ દરમિયાનમાં આરોપી સગીરાને વસ્ત્રાપુરની એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે લગ્નની લાલચ આપીને સગીરા પર બળાત્કાર ગુજાર્યાે હતો. જે બાદ આરોપીએ ધંધા માટે નાણાં માંગતા સગીરાએ મનાઇ કરી હતી. જેથી આરોપી તેને હેરાન પરેશાન કરતો હોવાથી સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ મહેસાણાનો પરિવાર શહેરના ઝુંડાલ વિસ્તારમાં રહે છે. આ પરિવારની ૧૬ વર્ષીય સગીર પુત્રી એક યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ત્રણેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ…
અમદાવાદ, શહેરમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરતા અમદાવાદની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. નારોલ વિસ્તારમાંથી રિક્ષામાં અંદાજે ૧૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી ચીમનભાઈ સોલંકીને કોર્ટે ૧૫ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખના દંડનો હુકમ કર્યાે છે.આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, જે પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.આ કેસની વિગત મુજબ, ૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ નારોલ પોલીસને બાતમી મળી હતી કે એક ઓટો રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ કેટલાક ઇસમો પસાર થવાના છે.આ બાતમીના આધારે પોલીસે લાંભા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ રિક્ષાને અટકાવી…
અમદાવાદ, શહેરમાં સાયબર અપરાધીઓ અવનવી તરકીબો અજમાવી નિર્દાેષ નાગરિકોને ચૂનો લગાવી રહ્યા છે. તાજેતરમાં ન્યૂ નરોડા વિસ્તારમાં રહેતા અને એક ખાનગી ફાર્મા કંપનીમાં માઇક્રો બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા યુવકને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી ભેજાબાજોએ તેના ખાતામાંથી ૨.૨૯ લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાની ઘટના સામે આવી છે.આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ન્યૂ નરોડામાં પ્રમુખ એવન્યુ ખાતે રહેતા કૃણાલભાઈ પટેલ ગત ૨૪ ફેબ્›આરીના રોજ ઘરે હાજર હતા, ત્યારે સાંજે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એક્સિસ બેંકનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે,…
ગાંધીનગર, બૂટલેગરો બેફામ હોય તેમ રાજ્યની મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર જંગી જથ્થામાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે. છેલ્લા બે વર્ષમાં ૪૨.૨૨ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયર આ સરહદો પરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં સંડોવાયેલા કુલ ૧૦૧૮ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે.કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચેકપોસ્ટ પરથી કેટલી કિંમતનો વિદેશી દારૂ અને બિયર પકડવામાં આવ્યો તે અંગેની જાણકારી માગતો સવાલ પૂછ્યો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે પકડાયેલા વિદેશી દારૂની કિંમત ૩૮.૮૯ કરોડ અને બિયરની કિંમત…
ગાંધીનગર, પોલીસ દ્વારા કોઇપણ વ્યક્તિની ધરપકડ થાય તો તેના કારણો પોલીસે લેખિતમાં પૂરા પાડવાના રહેશે તેવા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું ગુજરાતમાં ચૂસ્ત અમલ થઇ રહ્યો હોવાનો દાવો ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં કરાયો છે.કોંગ્રેસના કિરીટ પટેલ દ્વારા કરાયેલા એક સવાલના જવાબમાં ગૃહ વિભાગે આ માહિતી આપી હતી. જેમાં મિહિર રાજેશ શાહ વિરૂધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ક્રિમિનલ અપીલ-૨૦૨૫ના એક કેસમાં પોલીસ દ્વારા કરાતી ધરપકડના તમામ કિસ્સામાં ધરપકડ થયેલી વ્યક્તિને ધરપકડના કારણો લેખિતમાં પૂરા પાડવાના રહેશે તેવો સુપ્રીમ કોર્ટે નવેમ્બર-૨૦૨૫માં આદેશ કર્યાે હોવાની બાબત હતી.લેખિતમાં કારણ પૂરા પાડવાના રહેશે અને તેના ભંગ બદલ થયેલી ધરપકડ ગેરકાયદે જાહેર થશે તેવા આદેશનો પણ સમાવેશ થતો…
