(એજન્સી)ગાંધીનગર, આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલાં જ ભડકો થયો છે. પક્ષના વર્તમાન અને પુર્વ નેતાએ એકબીજા ઉપર ગંભીર આક્ષેપો કરી રહયા છે.આપમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ કહયું હતું કે મને જેલમાંથી બહાર લાવવાના બદલે ફસાવી દેવા આપતા બે પ્રદેશ નેતાઓને પ્રયાસ કર્યા હતા અને ત્યાં સુધી આપ આગળ નહી આવે. તો આપના ધારાસભ્ય ઈટાલીયાએ વળતો પ્રહાર કરતા કહયું હતું કે રાજુ કરપડા મારા પર આરોપો ન લગાવ્યા હોત તો એમની જેલની સજા પાકકી હતી.આપનો ખેડૂતોનો નેતા તરીકે ચહેરો ગણાતા કરપડાએ પાર્ટી છોડયા બાદ ઈટાલીયન અને પક્ષના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર પણ બેફામ આક્ષેપો કર્યા છે.…
Author: gujarat
ગુજરાતમાં પોતાનું ગુનાહિત સામ્રાજ્ય જમાવે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી છે.-વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના ૨ ગેંગસ્ટરની ધરપકડ(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ઇનપુટના આધારે રાજસ્થાનની અત્યંત કુખ્યાત અમન બચ્ચા ગેંગના બે સાગરીતોને સતત ૭ કલાકની કામગીરી બાદ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ગુજરાતને પોતાનું નવું ઠેકાણું બનાવી અહીંથી ગુનાહિત સામ્રાજ્ય ચલાવવાના પ્રયત્નમાં હતા.જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોટાના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ નામના આરોપીઓને વેજલપુર-વિશાલા રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને દબોચી લીધા હતા. મહત્ત્વનું છે કે, આ બંને રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.મળતી માહિતી…
સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.૧પ૦૦ કરોડના વધારા સુચવી રૂ.૧૮પ૧૮ કરોડનું બજેટ મંજુર કર્યું -મ્યુનિ. શાસકોએ બજેટમાં સ્લોટર હાઉસની દરખાસ્ત ફગાવીઅમદાવાદ શહેરમાં જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ અંડરપાસ, અંડરબ્રિજ તેમજ ઓવરબ્રિજ• દાણીલીમડા ચાર રસ્તાથી ખોડિયારનગર સુધીના ચાર રસ્તા પર ટ્રાફિકના નિરાકરણ માટે ફલાયઓવરબ્રિજ બનાવવો. • ચાંદલોડિયા વોર્ડમાં ત્રાગડ ક્રોસિંગ પાસે રીસ્ટ્રીકટેડ હાઈવેનો નવો અંડરપાસ બનાવવો. • થલતેજ વોર્ડમાં દિવ્યજ્યોત સ્કૂલથી શીલજ તરફ જવાના રોડ પર અંડરપાસ બનાવવો. • ચાંદલોડિયા વોર્ડમાં ટી.પી. ૭ર અને ટી.પી. ર૩૩ પાસે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંડરપાસ બનાવવો.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં શાસકપક્ષ ઘ્વારા રૂ.૧૫૦૦ કરોડની વધારો સૂચવી રૂ. ૧૮૫૧૮…
ગુજરાતે કલબને બદલે યુનિવસીટી કન્વેન્શન હોલ ખાતે કેન્દ્ર રખાતા વિરોધ(એજન્સી)અમદાવાદ, બાર કાઉન્સીલ ઓફગુજરાતની વર્ષે ર૦ર૬ની આગામી ચુંટણીના મતદાન મથક અંગે વિવાદનો મધપુડો છંછેડાયો છે. અમદાવાદ શહેરના ધારાશાસ્ત્રીઓ માટે વર્ષોથી પરંપરાગત રીતે ભદ્ર પાસેની ગુજરાત કલબમાં મતદાન મથક રાખવામાં આવતું હતું.પરંતુ આ વખતે રીટનીગ ઓફીસરે આ કેન્દ્ર બદલીને ગુજરાત યુનિવસીટીના અટલ કલમ કન્વેન્શન હોલ ખાતે રાખતા વકીલ આલમમાં ભારે નારાજગી ફેલાઈ છે. ત્યારે શહેરના હજારો ધારાશાસ્ત્રીઓએ મતદાન મથક બદલાવામાં નિર્ણય સામે સખત વાંધો ઉઠાવીને જુનું મથક યથાવત રાખવા અથવા નજીકમાં વ્યવસ્થા કરવા માંગ કરી છે.બાર કાઉન્સીલના સભ્યો અનીલ કેલ્લા અને ભરત ભગતે જણાવ્યું છે કે, આગામી ૬-૩-ર૦ર૬ના રોજ યોજાનારી ચુંટણી માટે…
Raju Karapada Resignation AAP: બોટાદના હડદડ એપીએમસીમાં કપાસની ખરીદીમાં કથિત ‘કડદા પ્રથા’ અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને ચર્ચામાં આવેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (આપ) માંથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજીનામું આપ્યાના બીજા જ દિવસે તેમણે પત્રકાર પરિષદ યોજી પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.જેલવાસ અને કાનૂની મદદનો અભાવરાજુ કરપડાના રાજીનામાનું મુખ્ય કારણ જેલવાસ દરમિયાન પક્ષ તરફથી મળેલી ‘ઉપેક્ષા’ છે. હડદડ આંદોલન બાદ ૧૦૮ દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર મુક્ત થયેલા કરપડાએ આક્ષેપ કર્યો કે:જેલવાસ દરમિયાન ‘આપ’ના નેતાઓએ તેમને કોઈ કાનૂની મદદ કરી નહોતી.તેમની સાથે જેલમાં ગયેલા નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે પક્ષે કોઈ ગંભીર પ્રયાસ…
નવી કૉમિક સિરીઝ મુશ્કેલ અને મોટાભાગે નજર–અંદાજ કરી દેવામાં આવનાર ફાઇનાન્શિયલ ટૉપિકને રસપ્રદ વાર્તાઓમાં ફેરવીને રજૂ કરવામાં આવશે, જેથી રોકાણકારોને સમજાય અને રોકાણ કરવા પ્રોત્સાહન મળેમુંબઈ, 11 ફેબ્રુઆરી 2026: સીડીએસએલ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (સીડીએસએલ આઈપીએફ)એ અમર ચિત્ર કથા સાથે મળીને રોકાણકારોને સરળ સમાજ પ્રાપ્ત થાય એ માટે કોમિક શ્રેણીનું અનાવરણ કર્યું. આ પહેલ સીડીએસએલના ત્રીજા વાર્ષિક સિમ્પોઝિયમ, “રીઇમેજિન: સિક્યોરિટીઝ માર્કેટ્સ થ્રુ ડેટા સિનર્જી” દરમિયાન થઈ હતી. આ પહેલ પરંપરાગત રીતે સ્ટોરી ટેલિંગ કરી રોકાણકારોની જાગૃતિને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.કૉમિક સિરીઝ અધિકૃત રીતે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)ના ચેરમેન શ્રી તુહિન કાંતા પાંડે દ્વારા લોંચ કરવામાં…
ગાંધીધામક્ષેત્રથીસ્ટેનલેસસ્ટીલકન્ટેનરમાંઔદ્યોગિકમીઠાનુંઐતિહાસિકલોડિંગપશ્ચિમ રેલવેના ગાંધીધામ ક્ષેત્રેએ માલ પરિવહન ક્ષેત્રમા એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વિશ્વમાં પ્રથમ વખત ભારતીય રેલવે દ્વારા સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું સફળ લોડિંગ ગાંધીધામના નીલકંઠ ઝોનમાંથી કરવામાં આવ્યું છે. આ નવીન પહેલ ઔદ્યોગિક થોક માલના સુરક્ષિત,સ્વચ્છ અને ઉચ્ચ કાર્યક્ષમ પરિવહન દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ છે. માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએxપર પોસ્ટ કરીને આ નવીન પહેલ ની પ્રશંસા કરી.આ અવસરે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક(ડીઆરએમ)એજણાવ્યું કે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું આ સફળ પરીક્ષણ ભારતીય રેલવેની નવીનતા આધારિત લોજિસ્ટિક્સ રણનીતિનું ઉત્તમ ઉદાહરણ છે. આથી સંવેદનશીલ થોક માલનું સુરક્ષિત અને સ્વચ્છ પરિવહન શક્ય બનશે તેમજ ઉદ્યોગોને ઝડપી,વિશ્વસનીય અને…
યુઝર્સ જિયોફાઇનાન્સ એપ દ્વારા એક જ પ્લેટફોર્મ પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરી શકે છે, તેમાં રોકાણ કરી શકે છે અને સરળતાથી તેને ટ્રેક કરી શકે છેમુંબઈ, 11 ફેબ્રુઆરી 2026: જિયોફાઇનાન્સ એપના યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ્સની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયોફાઇનાન્સ એપની સરળ, સુરક્ષિત અને ડિજિટલ-ફર્સ્ટ નાણાકીય સેવાઓ માટેના ‘વન-સ્ટોપ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. JioFinance app introduces platform forfixed depositસ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો માટે આ ફીચર આદર્શ છે. આ સુવિધા યુઝર્સને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા આકર્ષક વ્યાજ દરો…
BCA President Election: ગુજરાત દેશનું એક એવું રાજ્ય છે જેની પાસે ત્રણ ક્રિકેટ બોર્ડ છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA), સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) અને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) નો સમાવેશ થાય છે. GCAનું મુખ્યાલય અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન હેઠળ 10 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો (દમણ અને દાદરા નગર હવેલી) આવે છે. સૌરાષ્ટ્ર અને બરોડા પહેલેથી જ ઐતિહાસિક રીતે સ્વતંત્ર સંઘો તરીકે કાર્યરત છે. આ દિવસોમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની ચૂંટણી ચાલી રહી છે. આ માટે 15 ફેબ્રુઆરીએ મતદાન થશે. રિવાઇવલ ગ્રુપ તરફથી પૂર્વ ક્રિકેટર કિરણ મોરે મેદાનમાં છે, તો બીજી તરફ રોયલ સત્યમેવ જયતે ગ્રુપ…
હાલમાં જ્યાં આ વિસ્તારમાંથી 50થી 60 માલગાડીઓનું સંચાલન આ ક્ષેત્રથી થઇ રહ્યું છે જે વધીને 150 સુધી થઈ જશે મહાવીર ચક્ર કેપ્ટન કપિલ સિંહ થાપા એન્જિન સાથે કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટથી માલવાહક ટ્રેનોની ગતિ બમણીપશ્ચિમ રેલવેના ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ અને આદિપુર સ્ટેશન પર ‘Y’ કનેક્ટિવિટીનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ રેલખંડનું 9 અને 10 ફેબ્રુઆરી 2026ના રોજ રેલ સુરક્ષા આયુક્ત (CRS) પશ્ચિમ સર્કલ શ્રી ઈ. શ્રીનિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 10 ફેબ્રુઆરીએ ગાંધીધામથી આદિપુર વચ્ચે ટ્રેનનું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ અને આદિપુર સ્ટેશન પર…
