Gujarat SIR Form 7 Row: ગુજરાત વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવતા ભાજપ પર લાખો લાયક મતદારોના મતાધિકાર છીનવી લેવાનું મોટું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં મતદાર યાદી સુધારણા બાદ જે ડ્રાફ્ટ યાદી બહાર પાડવામાં આવી હતી, તેમાં ૨૦૦૨ની યાદીમાંથી અંદાજે ૭૪ લાખ નામો હટાવી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ૧૮ જાન્યુઆરી સુધી વાંધા અરજી માટે ફોર્મ-૭ જમા કરાવવા કહ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના ઈશારે ખોટી રીતે ફોર્મ-૭ ભરીને અસલી મતદારોના નામ કમી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.ખોટી રીતે નામ હટાવવાનો આરોપગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના જણાવ્યા અનુસાર, ૧૫ જાન્યુઆરી…
Author: gujarat
મહેસાણા, વડનગર તાલુકાના સબલપુર વેણમાં રહેતા પરિવારમાં મધરાતે કોઈ કારણોસર આવેશમાં આવી ગયેલા પતિએ પત્નીના માથામાં હથોડી મારતાં તેણીને સારવાર માટે લઈ જતાં પહેલાં જ મોત નિપજ્યું હતું. વડનગર પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વડનગર તાલુકાના સબલપુર વેણ કહીપુર રોડ પર રહેતા અતુલજી ભલાજી ઠાકોર અને તેમનાં પત્ની ગોમતીબેન (ઉં.વ.૫૨) સોમવારે રાત્રે જમ્યા બાદ ઘરની બાજુમાં છાપરામાં સૂવા ગયા હતા. રાત્રે ૨ વાગ્યે માતાએ બુમ પાડતાં ઘરમાં સૂઈ રહેલા તેમના પુત્ર અશ્વિનજી દોડીને છાપરામાં ગયા ત્યારે તેમના પિતા ત્યાં ઊભેલા હતા, નીચે હથોડી પડેલી હતી અને તેમનાં માતા માથાના ભાગ્યું હોઈ લોહીલુહાણ હાલતમાં પડેલાં હતાં.અશ્વિનજીએ…
Ahmedabad Plane Crash Investigation: ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર ક્રેશની તપાસ હજુ ચાલુ છે, પરંતુ ઇટાલીના એક અખબાર ‘ડેલી કોરિયરે ડેલા સેરા’એ આ અકસ્માતમાં બોઇંગ કંપનીને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કર્યો છે. ઇટાલિયન અખબારના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો ન હતો, પરંતુ જાણીજોઈને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરવામાં આવ્યા હતા. નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે થયેલી વાતચીતના આધારે અખબારે આ દુર્ઘટના માટે પાયલટ સુમિત સભરવાલ તરફ ઈશારો કર્યો છે.ગયા વર્ષે ૧૨ જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી સેકન્ડો બાદ જ એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૭૧ દુર્ઘટનાગ્રસ્ત…
અમદાવાદ, અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૧૫થી ૨૦ લોકો ફસાયા હોવાનું જણાય છે.ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર ૧૨ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે.ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ગેલેરી તૂટી પડતાં ઘરમાં લોકો ફસાયા હતા. ગોમતીપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘરમાં ફસાયેલા ૧૫થી ૨૦ વધુ લોકોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાને પગલે એસ્ટેટ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ…
રાજકોટ, રાજકોટના જંગલેશ્વરમાં આવેલ રાધાકૃષ્ણનગર શેરી નં.૪માં કાજલ પ્રકાશભાઈ સરવૈયા (ઉ.વ.૧૭) અને તેના પ્રેમી ચેતન રાજુભાઈ રાફુચા (ઉ.વ.ર૦)એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના પરિવારજનોએ સગાઈ માટે મંજૂરી આપી દીધી હતી. પરંતુ બંનેની લગ્ન માટેની ઉંમર થઈ ન હોવાથી પરિવારજનોએ એકાદ વર્ષ રાહ જોવાનું કહ્યું હતું.પરંતુ એટલો સમય રાહ જોવાય તેમ ન હોવાથી આ પગલું ભરી લીધાનું તપાસ કરતી પોલીસનું માનવું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે કાજલના પિતા હૈયાત નથી. હાલ તે માતા સાથે રાધાકૃષ્ણનગર શેરી નં.૪માં રહેતી હતી. તેનો પ્રેમી ચેતન ચૂનારાવાડ ચોક પાસે અંબિકા સોસાયટીમાં રહેતો હતો. ગત રવિવારે કાજલ તેની માતા સાથે વાંકાનેર પંથકમાં રહેતાં…
Ahmedabad Udaipur Vande Bharat: ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનું અંતર હવે વધુ ઘટશે. અમદાવાદથી લેક સિટી ઉદયપુર માટે વંદે ભારત ટ્રેનનું સંચાલન થશે. આ ટ્રેન અમદાવાદના અસારવા સ્ટેશનથી ચાલશે અને ઉદયપુર જશે. અમદાવાદથી ઉદયપુરની મુસાફરી સવા ચાર કલાકમાં પૂરી થઈ જશે. રેલવેએ આ ટ્રેનના સંચાલનને મંજૂરી આપી દીધી છે. રેલ મંત્રાલયે રાજસ્થાનના દક્ષિણ ભાગથી ગુજરાતને ઝડપી કનેક્ટિવિટી આપવાના ઉદ્દેશ્યથી આ ટ્રેનના સંચાલનને લીલી ઝંડી આપી દીધી છે. ટૂંક સમયમાં આ ટ્રેન બંને શહેરો વચ્ચે દોડવા લાગશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનની બિલ્ડિંગ ૧૬ માળની બનાવવામાં આવી રહી છે.ટાઈમિંગ અને સ્ટોપેજઉદયપુર…
સહકારને સ્માર્ટ બનાવતી નવિન ક્રાંતિનો પ્રારંભ –ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી – કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિકૃષિ-પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલસ્ટોન અમૂલ એ.આઈ.નું લોંન્ચીંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીશ્રીØ સરકાર-સહકાર અને ટેક્નોલોજીની ત્રિવેણીથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી છે.Ø ત્રણ કર્તવ્યો પર આધારિત આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દૂધ ઉત્પાદકોના હિતોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.Ø ડેરી ઈકો સિસ્ટમને સંગીન કરવા 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે કેન્દ્રીય બજેટમાં વિશેષ ફંડની જોગવાઈØ વૈશ્વિક ટ્રેડ ડિલથી દેશના ડેરી સેક્ટરને લાભ – ભારત વિશ્વની ડેરી…
ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) દ્વારા NSE IX અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) સાથે મળીને આયોજિત ઇન્ડો-સ્વિસ બ્લોકચેઇન ફોરમ 2026 ભારતના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ગિફ્ટ સિટી આઇએફએસસી ખાતે હાઇ-લેવલ સ્ટેકહોલ્ડર સંવાદ સાથે તેના આખરી દિવસનું સમાપન થયું હતું. Indo-Swiss Blockchain Forum 2026 Concludes with Strategic Engagement at, GIFT City.આ કાર્યક્રમમાં બ્લોકચેઇન ફંડામેન્ટલ્સ, DeFi ઇનોવેશન, ક્રિપ્ટો ફોરેન્સિક્સ, AML અનુપાલ અને ક્રોસ-બોર્ડર ફાઇનાન્સિયલ જોખમો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓને આઇએફએસસીએ, સેબી, NSE IX, આરબીઆઇ અને યુનિવર્સિટી ઓફ ઝુરિચ સહિત મુખ્ય સરકારી અને નિયમનકારી સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા સમૃદ્ધ બનાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વાસ્તવિક જોડાણને પ્રોત્સાહન…
સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટકણી કાઢી(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે શાળા પોતાના વિદ્યાર્થીઓને જ સાચવી શકતી ના હોય તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ કેવી રીતે સોંપી શકાય?તો સામે પક્ષે શાળા સંચાલક મંડળ તરફ દાવો કરતાં વકીલે કહ્યું હતું કે શાળા લઘુમતી શાળાની વ્યાખ્યામાં આવે છે જેથી તેનું મેનેજમેન્ટ સરકાર હસ્તગત થાય નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. જો કે હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.અમદાવાદ સેવન્થ ડે શાળાનો વહીવટ હાલ સરકાર હસ્તક ચાલી રહ્યો છે. સેવન્થ ડે…
ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરીજામનગર, જિલ્લા કલેકટર કેતન ઠક્કરે આશરે એક વર્ષના ટૂંકાગાળામાં વહીવટી વ્યવસ્થાની વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપી જિલ્લાના ૧૦૦ જેટલા અંતરિયાળ ગામડાની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. કલેકટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાના સીધા અમલીકરણનું એક સબળ માધ્યમ બની છે.આ સમયગાળા દરમિયાન કલેકટરે ગ્રામ પંચાયતોની ઓચિંતી તપાસણી કરી રેકર્ડ અદ્યતન કરવા, વેરા વસૂલાત અને સરકારી જમીન પરના દબાણ હટાવવા જેવી વહીવટી કામગીરી હાથ ધરી હતી. શિક્ષણ અને બાળકોના ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેઓએ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી જ્યાં બાળકોના શિક્ષણનું સ્તર,…
