ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરીજામનગર, જિલ્લા કલેકટર કેતન ઠક્કરે આશરે એક વર્ષના ટૂંકાગાળામાં વહીવટી વ્યવસ્થાની વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપી જિલ્લાના ૧૦૦ જેટલા અંતરિયાળ ગામડાની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. કલેકટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાના સીધા અમલીકરણનું એક સબળ માધ્યમ બની છે.આ સમયગાળા દરમિયાન કલેકટરે ગ્રામ પંચાયતોની ઓચિંતી તપાસણી કરી રેકર્ડ અદ્યતન કરવા, વેરા વસૂલાત અને સરકારી જમીન પરના દબાણ હટાવવા જેવી વહીવટી કામગીરી હાથ ધરી હતી. શિક્ષણ અને બાળકોના ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેઓએ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી જ્યાં બાળકોના શિક્ષણનું સ્તર,…
Author: gujarat
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા આરોગ્ય કચેરીમાં તાજેતરમાં જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાની આશા અને આશા ફેસિલિટેટર બહેનો માટે ‘આશા સંમેલન’નું આયોજન કરાયું હતુ.કાર્યક્રમનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓમાં પાયાની કડી સમાન આશા બહેનોની કામગીરીની સમીક્ષા કરવાનો અને તેમને વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજેશ પટેલ અને ડીઆઈઈસીઓ જયેશભાઈ પંડયા દ્વારા આશા બહેનોને માતા-બાળ આરોગ્ય, રસીકરણ, ટીબી નાબૂદી અભિયાન, અંગદાન અને રક્તદાન જેવા વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આયુષ મેડિકલ ઓફિસર દ્વારા આયુષ સેવાઓ અને સમુદાય સ્તરે આરોગ્ય જાગૃતિ કઈ રીતે વધારવી તે અંગે સમજૂતી અપાઈ હતી. જિલ્લા…
(પ્રતિનિધિ) અંબાજી, ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારુની હેરાફેરી રોકી વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે, શ્રી વી.બી.બારડ, નાયબ પોલીસ અધિક્ષક, દાંતા વિભાગ, દાંતા નાઓના માર્ગદર્શન હેઠળ, શ્રી સી.એફ.ઠાકોર, પોલીસ ઇન્સ્પેકટર,અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સાથે પોસ્ટે નો સ્ટાફ પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથે ના અ.પો.કો મયુરકુમારને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે કોટશ્વર ત્રણ રસ્તા ખાતે થી દારૂ ભરેલ ગાડી નો પીછો કરી ચીખલા ગામની સીમમાંથી મહીન્દ્રા કંપનીની ટેક્સી પાર્સગની શોર્ટ ડી.આઈ. ગાડી જુના મોડેલની થાર ગાડી રજી.નં- ઇત્ન-૨૪-્છ-૧૫૮૪ ની ગાડીમાંઅલગ-અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ…
કેશોદમાં લેઉવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા સાવધાન દીકરી અનોખો કાર્યક્રમ યોજાયોકશોદ, કેશોદમાં લેઉઆ પાટીદાર કર્મચારી સેવા મંડળ દ્વારા સામાજિક પારિવારિક સમસ્યાઓને ધ્યાનમાં લઈને વિદ્યાર્થિનીઓને સહજતાથી સરળ શૈલીમાં માર્ગદર્શન આપવા સાવધાન દીકરીઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય દેવાભાઈ મામલ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ઉપરાંત વકતા માર્ગદર્શક તરીકે કનુભાઈ કરકર નિવૃત્ત અધિકારીએ સમાજમાં આધુનિકતાના નામે શોષણ શોષિત થવાના કિસ્સાઓમાં પરિવાર પર આવતી આફતમાં વિખરાઈ જતા પરિવારોની સત્ય ઘટનાઓની વિસ્તૃત માહિતી આપી દીકરીઓને સાવચેત રહેવા સાવધાન રહેવા માર્ગદર્શન આપ્યું હતું.આજના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવકો સાથે સંબંધ થયા બાદ ઉદ્દભવતી વિકટ સમસ્યાઓ અને બ્લેકમેલ કે ધાકધમકીનો ભોગ બનતા પહેલાં દીકરીઓને જાગૃત…
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ‘ધ ગ્રેઝર ફેસ્ટ’નું અનાવરણ: ભારતના ફૂડ એન્ડ બેવરેજ ઇકોસિસ્ટમ માટે એક સીમાચિહ્નરૂપ પહેલઅમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ‘આઈડિયા બેગ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ LLP’ ના સહયોગથી ‘ધ ગ્રેઝર ફેસ્ટ’ (The Grazer Fest)ની ઉદ્ઘોષણા કરી છે. આ એક અનોખું પ્લેટફોર્મ છે જે ભારતના ગતિશીલ અને ઝડપથી વિકસતા ફૂડ એન્ડ બેવરેજ (F&B) ક્ષેત્રને એકસાથે લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.આ ત્રિ-દિવસીય ઉત્સવ ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન અનોખી ગ્રીન્સ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે યોજાશે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ક્યુલિનરીમાં નવીનતા (culinary innovation), સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સામુદાયિક જોડાણ માટે…
(એજન્સી)દ્વારકા, જગત મંદિર અને પવિત્ર યાત્રાધામ દ્વારકાની પવિત્રતાને લાંછન લગાવતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ૫૦ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના સનાતન ધર્મીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા પણ આ મામલે અત્યંત આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે. દ્વારકા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે રૂપેણ બંદરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ગૌમાંસના જથ્થા સાથે માતા-પુત્ર અને એક સપ્લાયરની અટકાયત કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામમાં ગૌમાંસનો આવો કાળો કારોબાર ચાલતો હોવાના પર્દાફાશથી પોલીસ તંત્ર પર પણ…
શૂટર સહિત ૧૦નાં મોત, ૨૫થી વધુ ઘાયલ -સ્કૂલમાં કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ હાજર હતા(એજન્સી)નવી દિલ્હી, કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ઉત્તર-પૂર્વીય ભાગમાં મંગળવારે એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર થયો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.પ્રાથમિક તપાસ અને સ્થાનિક અહેવાલો અનુસાર, અટકાયત કરવામાં આવેલો હુમલાખોર એ જ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તેની ઉંમર અંદાજે 18 થી 20 વર્ષની વચ્ચે હોવાનું મનાય છે. પોલીસે હજુ સુધી તેની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરી નથી કારણ કે તે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે.પોલીસ અને તપાસ એજન્સીઓ હુમલાખોરની પૂછપરછ કરી રહી…
2100થી વધુ દિવ્યાંગ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન, અમદાવાદ સ્કૂલ બોર્ડના 480 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો(પ્રતિનિધિ) અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 26મા દિવ્યાંગ રમતોત્સવનો કાંકરિયા સ્થિત અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. 12 થી 14 ફેબ્રુઆરી ત્રણ દિવસીય આ રમતોત્સવનું ઉદ્ઘાટન મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈનના હસ્તે કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં વસતા દિવ્યાંગ નાગરિકોને રમતગમત દ્વારા પ્રોત્સાહિત કરવા અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ આપવા માટે આયોજિત આ રમતોત્સવમાં શહેરની વિવિધ સંસ્થાઓ હેઠળ કુલ 2100થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. ખાસ નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના 480 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે,…
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપનું કરાયું સફળ આયોજનઅમદાવાદ, AI આધારિત‘ભાષિણી‘ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી-ભાષા અલગ અલગ છે. ડિજિટલ યુગમાં ભાષિણી ટૂલ્સના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાંથી તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરી શકાય છે,જેથી વિષય-ભાષાને સમજવામાં વધુ સરળતા રહેશે,તેમ આજે ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારનાMeitYઅંતર્ગત‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી‘ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી…
ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં બંજર ઉદ્યાનોની કાયાપલટ, શહેરીજનોને હળવાશની પળો માટે નંદનવન સમા હરિત ઉદ્યાનો થઈ રહ્યાં છે વિકસિતઅમૃત 2.0 હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત થઈ રહ્યાં છે, જેમાંથી 70 બગીચાઓનું વિકાસકાર્ય પૂર્ણજ્યારે પાલનપુર નગરપાલિકામાં ₹2.25 કરોડના ખર્ચે કૈલાસવાટિકાનો પુનઃવિકાસAhmedabad, ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મિશનની મુખ્ય પહેલોમાં જળસ્ત્રોતોને પુનર્જીવિત કરવાનો, નોન-રેવેન્યુ વોટર (NRW)માં ઘટાડો કરવાનો તેમજ શુદ્ધ કરેલા ગંદા પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો…
