રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રીની શુભેચ્છા મુલાકાતગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચોધરી,હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રી રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલશ્રીએ તમામ અધ્યક્ષશ્રીઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યુ હતું.આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ગુજરાત વિધાનસભાની કામગીરી પણ નવીનત્તમ ટેકનોલોજી સાથે આધુનિક બની રહી છે. પ્રજાના પ્રશ્નોની ઝડપથી ચર્ચા થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રીએ પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં…
Author: gujarat
૧૩મી ફરવરી એટલે વિશ્વ રેડિયો દિવસ -હેરિટેજ સિટી અમદાવાદ ને હવે મળશે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમનું નઝરાણુંવર્ષ2011માં નવેમ્બર મહિનાની3તારીખે યુનેસ્કોએ રેડિયોની માહિતી એની સંસ્કૃતિને મહત્વ આપવા માટે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની13તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો તેવું જાહેર કર્યું.અમદાવાદ, વર્ષ 2017 માં જુલાઈ મહિનાની 8 તારીખે યુનેસ્કોએ અમદાવાદને ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું.વિશ્વમાં રેડિયોના શોધક તરીકે ઇટાલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીને તો યાદ કરવા જ પડે.વિશ્વમાં શોર્ટવેવ રેડિયોની શરૂઆત થઈ ત્યારે તેનું પ્રસારણ વિશ્વભરમાં અનેક જગ્યાએ એક સાથે થતું હતું.શોર્ટવેવ સિગ્નલ ઘણા નબળા પડતા હોવાથી ઘરની બહાર તાંબાની જાળીવાળા એરિયલ લગાવવા પડતા હતા. મોટાભાગે વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રજામાં ખોટી અફવાઓથી ભય…
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી વડાપ્રધાન કાર્યાલય (PMO) સાઉથ બ્લોકમાં સ્થિત બ્રિટિશ કાળની ઈમારતમાંથી સ્થળાંતર કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. શુક્રવારે કર્તવ્ય પથ પર નવનિર્મિત ભવન — ‘સેવા તીર્થ’ — PMOનું નવું સરનામું બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંકુલ તેમજ ‘કર્તવ્ય ભવન-1 અને 2’ નું ઉદ્ઘાટન કરશે.આ ઉદ્ઘાટન ભારતની વહીવટી શાસન વ્યવસ્થામાં એક પરિવર્તનકારી સીમાચિહ્નરૂપ સાબિત થશે, કારણ કે ‘સેવા તીર્થ’માં વડાપ્રધાન કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કર્તવ્ય ભવન-1 અને 2 માં નાણાં, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને શિક્ષણ મંત્રાલય સહિતના અનેક હાઈ-પ્રોફાઈલ મંત્રાલયો કાર્યરત થશે.કાર્યક્રમની વિગતો: અધિકારીઓના જણાવ્યા અનુસાર,…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં આવેલા બ્રિજોમાં રીપેરીંગ કરવામાં આવશે.છ મહિના પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે 25 વર્ષથી વધુ સમયથી જુના બ્રિજોમાં બેરિંગ રીપેરીંગ અને જોઈન્ટ એક્સપાન્શનની કામગીરી કરવામાં આવશે. મુખ્ય 6 રેલવે ઓવરબ્રિજમાં મોટું રીપેરીંગ કામ કરવામાં આવશે બાકીના બ્રિજોમાં નાના રીપેરીંગ કરવાના છે. જેના માટે રૂ. 62 કરોડ ખર્ચે થશે.અમદાવાદ શહેરના તમામ બ્રિજોના ચોમાસા પહેલા ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યા હતા જેમાં જુલાઈ મહિનામાં બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં રેલ્વે અને ફ્લાય ઓવરબ્રિજોમાં મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા અંગેના રિપોર્ટ આપવામાં આવ્યા…
સેવાલિયાઃ વાંઘરોલીમાંથી ચાર ગાડી ભાડે લઈ ખેલ કર્યો-નવા નરોડા વિસ્તારમાં ‘મા રેવા ટૂર એન્ડ ટ્રાવેલ્સ’ ચલાવતા અમિતભાઈ યોગેશભાઈ ભાવસારનડિયાદ, સેવાલિયા પોલીસ મથકની હદમાં આવતા વાંઘરોલી ગામ માં. ટૂર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયમાં ગાડીઓ ભાડે મૂકવાના બહાને એક શખ્સે ચાર જેટલી લક્ઝરી ફોરવ્હીલ ગાડીઓ મેળવી તેને અલગ-અલગ જગ્યાએ ગીરવે મૂકી દઈ કુલ ૧૭,૦૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે અમદાવાદના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.મળતી માહિતી મુજબ વાંઘરોલી ગામે રહેતા અને જૂની ગાડીઓની લે-વેચ તથા ભાડે આપવાનો વ્યવસાય કરતા શાબીર હુશેન ઇબ્રાહિમમીંયા મલેક ચારેક માસ અગાઉ મેઘરજના રમેશભાઈ ડામોરના સંપર્કમાં આવ્યા હતા. રમેશભાઈએ તેમને જણાવ્યું હતું કે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ‘મા…
Sabarkantha Adulterated Milk Factory: ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય કેમિકલનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરી છેલ્લા ૫ વર્ષથી કાર્યરત હતી. અધિકારીઓએ દરોડા દરમિયાન ૭૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.આ મામલામાં એક સગીર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ‘શ્રી સત્ય ડેરી પ્રોડક્ટ્સ’ નામની યુનિટ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં કથિત રીતે પાણી, મિલ્ક પાવડર, કોસ્ટિક સોડા, રિફાઈન્ડ પામોલિન તેલ, રિફાઈન્ડ સોયાબીન તેલ, ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર ભેળવીને દૂધ તૈયાર કરવામાં આવતું હતું.અનેક ગામોમાં થતી હતી દૂધની સપ્લાયએક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આરોપીઓ ૩૦૦ લીટર…
અજાણ્યા લિંક્સ, કોલ અને ઓફરથી સાવચેત રહેવા પોલીસની અપીલબોટાદ, બોટાદ જિલ્લામાં વધતી જતી ઓનલાઈન છેતરપિંડી સામે બોટાદ સાઈબર ક્રાઈમ સીલ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક માસ દરમિયાન સાયબર ફ્રોડનો ભોગ બનેલા ર૧ નાગરિકોને રૂ.૮.૧૮ લાખની રકમ પરત અપાવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.બોટાદ જિલ્લાના કુલ ર૧ લોકો સાથે અંદાજે રૂ.ર૦.૮૧ લાખની સાયબર છેતરપિંડી થઈ હતી. આ છેતરપિંડીમાં એટીએમ ફ્રોડ, લોન અને લોટરીના બહાના, નકલી નોકરીની ઓફર, ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી તેમજ આર્મીના નામે ફ્રોડ જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ તાત્કાલિક સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બોટાદ સાઈબર સેલ દ્વારા ઝડપી…
જામનગર, જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રકતરંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના બનાવમાં બોલેરો પીકઅપ વેન અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગરથી ધ્રોલ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યું હતું.દરમિયાન તેઓના સ્કૂટરને બોલેરો ચાલકે અડફેટમાં લઈ લેતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું છે, જયારે તેમના પત્ની ઈજાગ્રસ્ત બન્યા હોવાથી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર નજીક સિન્ડિકેટ સોસાયટીમાં રહેતા દયાળજીભાઈ મકનજીભાઈ ચૌહાણ નામના ૬૧ વર્ષના બુઝુર્ગ કે જે પોતાનુ એક્ટિવા સ્કૂટર લઈને તેમાં પાછળ પોતાના પત્ની ભગવતીબેન (૬૦)ને બેસાડીને ધ્રોલમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે…
(પ્રતિનિધિ) ભરૂચ,ભરૂચ જિલ્લા માંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઈનો મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક બંધ કરાવવા અને ખેડૂતોના હક્કોની રક્ષા કરવા માંગ કરી હતી.આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનચક્કી અને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમિશન માટે ૪૦૦, ૨૨૦, ૧૩૨ અને ૬૬ કિ.વી.ની હાઈ ટેન્શન લાઈનો તથા ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે.આ કામગીરી દરમિયાન ખેડૂતોની જમીનમાં પ્રવેશ,ખેત પાકને નુકસાન તથા દબાણની ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા…
મહીસાગર વિરપુર ૬૨ ગામની સમાજની બેઠકમાં જન્મથી મરણ અને લગ્નના સુધારા માટે સમાજ સંમતવિરપુર તાલુકાના ગામડાઓમાંથી ઝમઝર માતાજીના મંદિરે સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા(પ્રતિનિધિ) વિરપુર , મહીસાગર જિલ્લાના વિરપુર ઠાકોર સમાજ પંચની સમાજ સુધારણા બેઠક વિરપુરના જમઝર માતાજીના મંદિરે મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સરપંચો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજમાં જન્મથી લઈને મરણ પ્રસંગમાં સુધારણા લાવવા ઉપર ભાર મૂકાયો હતો.તદુપરાંત લગ્ન પ્રસંગમાં થતાં ખોટા ખર્ચા સહિત અન્ય રૂઢીરિવાજ નાબૂદ કરવા સમાજના અગ્રણીઓ એક મંચ હતા.તદ ઉપરાંત સમાજ શૈક્ષણિક અને ધંધા રોજગારમાં કેવી રીતે આગળ આવે તે અંગે પણ વિચાર વિમર્શ કરાયો હતો. એકઠા થઈને સંમત થયા.…
