મહીસાગર વિરપુર ૬૨ ગામની સમાજની બેઠકમાં જન્મથી મરણ અને લગ્નના સુધારા માટે સમાજ સંમતવિરપુર તાલુકાના ગામડાઓમાંથી ઝમઝર માતાજીના મંદિરે સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા(પ્રતિનિધિ) વિરપુર , મહીસાગર જિલ્લાના વિરપુર ઠાકોર સમાજ પંચની સમાજ સુધારણા બેઠક વિરપુરના જમઝર માતાજીના મંદિરે મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સરપંચો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજમાં જન્મથી લઈને મરણ પ્રસંગમાં સુધારણા લાવવા ઉપર ભાર મૂકાયો હતો.તદુપરાંત લગ્ન પ્રસંગમાં થતાં ખોટા ખર્ચા સહિત અન્ય રૂઢીરિવાજ નાબૂદ કરવા સમાજના અગ્રણીઓ એક મંચ હતા.તદ ઉપરાંત સમાજ શૈક્ષણિક અને ધંધા રોજગારમાં કેવી રીતે આગળ આવે તે અંગે પણ વિચાર વિમર્શ કરાયો હતો. એકઠા થઈને સંમત થયા.…
Author: gujarat
લવાલના મહિપતસિંહ ફાઉન્ડેશનને ૭પ હજારથી વધુનું આર્થિક યોગદાન આપ્યુંડાકોર, કપડવંજ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે લવાલ સ્થિત મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત શૈક્ષણિક સંકુલને ૭પ૧૧૧ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. કર્મચારીઓના આ માનવીય અભિગમને પંથકના અગ્રણીઓએ બિરદાવી ડેપો મેનેજરને અભિનંદન પાઠવ્યા છે.કપડવંજ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા સ્વૈÂચ્છક રીતે ફાળો એકત્રિત કરીને મહિપતસિંહ ફાઉડેન્શન શિક્ષણ જ કલ્યાણ સંકુલ, લવાલ ખાતે ૭પ૧૧૧ રૂપિયાની માતબર રકમ રોકડમાં સહયોગ તરીકે આપવામાં આવી છે. આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હોવાથી વિદ્યાર્થીઓના હિતાર્થે કર્મચારીઓએ આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું…
એસ્ટેટ ખાતાના અધિકારીઓએ આવી ર૮ જગ્યાઓએ હોર્ડિગની જગ્યા બદલવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું.(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.નું એસ્ટેટ-ટીડીઓ ખાતુ ગેરકાયદે બાંધકામો, રોડ ઉપરના દબાણો ઉપરાંત રોડ-ફૂટપાથ ઉપર લગાવાતા હોર્ડિગના મામલે પણ બદનામ થયેલું છે. હોર્ડિગની લાઈસન્સ ફી અને વ્યાજ વસૂલાતમાં ઉણા ઉતરેલા એસ્ટેટ ખાતાને મંજૂરી આપી હોય તે જગ્યાને બદલે અન્ય જગ્યાએ હોર્ડિગ લગાવી દેવાનું કૌભાંડ આચરી બતાવ્યું હોવાનો પર્દાફાશ ટાઉન પ્લાનિંગ કમિટીમાં થયો છે.મ્યુનિ. ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે, શહેરના જાહેર માર્ગો-ફૂટપાથ ઉપર જાહેરાતના હોર્ડિગ લગાવી તગડી કમાણી કરતી એજન્સીઓ પૈકી અમુકે હજુ સુધી લાઈસન્સ ફી અને વ્યાજ ચૂકવ્યા નથી.ત્યારે તેમને એવી માહિતી મળી હતી કે…
SPએ તપાસનો આદેશ કર્યો, ગાડીમાં દેખાતો ડ્રાઈવર કોન્સ્ટેબલ નહીં પણ હોમગાર્ડ-સચિવાલય સંકુલમાં પોલીસ ગાડીમાં યુવતીનો સીન સપાટાનો વીડિયો વાયરલ(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના સચિવાલય સંકુલમાં પોલીસ ગાડીમાં આવેલી યુવતીનો સીન-સપાટા કરતો વાયરલ થયેલા વીડિયોએ ચકચાર જગાવી છે. અજાણી યુવતીનો આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તપાસનો આદેશ કરાયો છે.ચોંકાવનારા બનાવ અંગે તપાસ દરમિયાન આ ગાડી જૂના સચિવાલયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટની હોવાની જાણકારી મળી હોવાનું કહી ગાંધીનગર એસપીએ જણાવ્યું કે, ગાડીમાં જે ડ્રાઈવર દેખાય છે તે હોમગાર્ડ છે. પોલીસ કોન્સ્ટેબલ આ ઘટનામાં નથી. આ યુવતી કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ વીડિયો…
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા), શ્રી સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ તારીખ ૮-૨- ૨૬ ને રવિવારના રોજ ખેડબ્રહ્મા પાસે નવી મેત્રાલ મુકામે આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ ના પટાંગણમાં સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની ઉપસ્થિતિમાં ઉજવાયો. આ સમૂહ લગ્નોત્સવમાં ૨૦ નવ દંપતિઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા.આ સમૂહ લગ્નોત્સવ માટે છેલ્લા એકાદ માસથી અલગ અલગ ગામોની રસોડા વિભાગ સમિતિ ભોજન વિભાગ, સ્વાગત સમિતિ, પત્રિકા, લેખન કાર્યાલય સમિતિ, ચોરી પૂજા સમિતિ મહેમાન ઉતારા સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ચા વ્યવસ્થા સમિતિ, ર્પાકિંગ વ્યવસ્થા સમિતિ જેવી સમિતિઓ બનાવી જવાબદારીઓ આપી તૈયારીઓ કરી લેવાઈ હતી.આ સમૂહ લગ્ન ઉત્સવમાં શ્રી રામભાઈ જીવાભાઈ પટેલ…
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લ્માં ૩૧૯ ગ્રામ પંચાયત છે. તેમાં ગાંધીનગર તાલુકામાં ૮પ, માણસા તાલુકામાં ૮૧, કલોલ તાલુકામાં પ૪ અને દહેગામ તાલુકામાં ૯૩ ગ્રામ પંચાયત અસ્તીત્વમાં છે.તે પૈકી દહેગામ તાલુકાના ઝાલાના મુવાડા ગ્રામ પંચાયતમાં ૧૦૦ ટકા વેરો વસુલ થયો છે, તે પછી આ તાલુકાની જાલીયાના મઠ ગામમાં ૭૪ ટકા, પલ્લાના મઠ ગામમાં ૬૮ ટકા અને મીરાપુર ગામમાં ૬૮ ટકા વેરો ભરપાઈ થયો છે. કલોલ તાલુકામાં રામનગર- ૯૪ ટકા, સનાવાડ ૮પ.૪૧ ટકા, હિંમતપુરા ૭૦ ટકા તેમજ ઉસ્માનાબાદ, પાલોડીયા, શેરીશા અને વાયણામાં ૬૦ ટકાથી વધુ વેરો વસુલાયો છે.ગાંધીનગર તાલુકામાં ચેખલારાની ૭૦ ટકા, સરઢવ ૭ર ટકા, સોનીપુરમાં ૭ર ટકા વેરો ભરાયો છે. માણસા તાલુકાના અજરાપુરા…
Surat Family Gas Leakage Death: ગુજરાતના સુરત શહેરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના લાલગેટ વિસ્તારમાં મંગળવારે એક દંપતી અને ૧૩ વર્ષના પુત્રનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગેસ ગળતરને કારણે ગૂંગળામણ થવાથી તમામના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે ડીસીપીએ જણાવ્યું હતું કે આ મામલે દરેક પાસાથી તપાસ કરવામાં આવી રહી છે.મૃતકો કોણ છે?ડીસીપી રાઘવ જૈને જણાવ્યું કે ફેઝ અહેમદ (૪૫), મુબીના (૩૬) અને નોમાન (૧૨) ના મૃતદેહ મંગળવારે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે એપાર્ટમેન્ટના તમામ દરવાજા અને બારીઓ બંધ હતા અને મુખ્ય દરવાજો પણ અંદરથી લોક હતો. જૈને…
વલસાડના વાંકલમાં ૪૦માં ભવ્ય મહાશિવરાત્રિ મહોત્સવની શરૂઆત(પ્રતિનિધિ) વલસાડ, વલસાડથી ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ નજીક દુલસાડ ગામમાં શનિવારની બપોરે રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ ૨૦૨૬” અંતર્ગત ૩૧ લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ અનેક કુમારી બાળાઓના વરદ હસ્તે સંતો, મહંતો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનો , મહાનુભાવો થા મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં થયું હતું.બપોરે ૨.૦૦ કલાકે પોથીયાત્રાની શોભાયાત્રા સ્વરૂપે વાંકલના કાર્તિકસિંહ અને જયેશસિંહ પઢિયારના ઘરેથી નીકળીને રુદ્રાક્ષધામ પહોચી હતી. આ મહોત્સવ ૭ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ…
વાગરામાં દીપડાને ઝડપી લેવા વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું -દીપડાના ભય વચ્ચે વન વિભાગે પેટ્રોલિંગ સઘન બનાવાયું(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકાના વિલાયત અને અરગામા પંથકમાં દીપડાની દહેશત ફેલાતા વન વિભાગે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી કામગીરી આરંભી દીધી છે. સોશ્યલ મીડિયા પર દીપડાની લટારનો વીડિયો સામે આવતા જ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.વી.ચારણ અને તેમની ટીમે ઘટનાસ્થળ પર દોડી જઈને સઘન તપાસ હાથધરી હતી. દીપડાની ગતિવિધિ પારખવા માટે વનકર્મીઓએ સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો.અને દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે સૌથી વધુ સંભાવના ધરાવતી વ્યૂહાત્મક જગ્યાએ મારણ સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, એક નીડર ખેડૂતે પોતાના જીવના…
(પ્રતિનિધિ) વલસાડ, પરમ પૂજ્ય અનસૂયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ – સંસ્થાન પાથરી, વલસાડ દ્વારા અખિલ બ્રહ્માંડના નાયક, કલિતારક શ્રી ભગવાન દત્તાત્રેયના મંદિરના ૨૮ મા પાટોત્સવની ઉજવણી તારીખ ૦૮-૦૨- ૨૦૨૬ ના મહા સુદ સાતમને રવિવારના દિવસે શ્રી દત્તપીઠ સંસ્થાન, વલસાડ-ધરમપુર રોડ, જુજવા ચણવઈ રોડ, વાંકી નદીના પુલ પાસે, મુ. પાથરી, વલસાડ ખાતે ૨૮ મા પાર્ટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.જેમાં પાદુકા પૂજન- ભજન-ધૂન સત્સંગ સવારે, ૮ઃ૦૦ કલાકે થી ૧૨ઃ૦૦ કલાકે આરતી સવારે ૧૨ઃ૦૦ કલાકે થી ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ માં હજારો લોકોએ લાભ લીધો હતો. ભાવિક ભક્તજનો શ્રી દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા વહેલી સવારે ૫ઃ૦૦ વાગ્યા આવા લાગ્યા હતા.…
